
from India Today | Top Stories https://ift.tt/2ZkWq9u
વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે, કોરોનાવાઈરસ હવામાં પણ ફેલાઈ શકે છે. તે એક રૂમની અંદર સરેરાશ લંબાઈની સમાન જગ્યામાં ફેલાય છે અને લગભગ 3 કલાક સુધી હવામાં રહે છે. તેનાથી સૌથી વધુ જોખમ બંધ જગ્યા પર છે, જ્યાં ભીડ વધારે હોય છે અને વેન્ટિલેશની સમસ્યા હોય. ઉલ્લેખનીય છે કે, 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ WHOને કહ્યું કે, કોરોનાવાઈરસ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. WHOએ પણ કહ્યું કે, આ આશંકાને નકારી શકાય નહીં.
અમેરિકાની રિસર્ચ યુનિવર્સિટી વર્જિનિયા ટેકના એરોસોલના નિષ્ણાત ડો. લિંસે મર તે સંશોધકોમાં સામેલ છે, જેમને દાવો કર્યો છે કે, આ વાઈરસ હવામાં ફેલાય શકે છે. ડો. લિંસે જણાવે છે કે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે હવામાં આ નાના કણો અથવા એરોસોલ છીંકવાથી અથવા ઉધરસથી નીકળતા ડ્રોપ્લેટ્સની તુલનામાં કેવી રીતે અને કેટલો વાઈરલ ફેલાય છે. તે જણાવે છે તે, એરોસોલ ત્યારે પણ રિલીઝ થાય છે, જ્યારે કોઈ લક્ષણ વગરની વ્યક્તિ શ્વાસ લે છે, વાત કરે છે.
એરબોર્ન વાઈરસ હોવાથી ચિંતિત છો, તો આ બચાવ કરો
આ સ્થિતિમાં પણ લક્ષણ વગરના દર્દીઓથી વધારે જોખમ
બહાર નીકળતો ચશ્મા પહેરીને નીકળવું, જ્યાં સેન્ટ્રલાઈઝ્ડ એસી ચાલુ હોય અને ભીડ હોય ત્યાં હવામાં વાઈરસ હોવાની આશંકા વધારે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિને ઉધરસ આવે છે અથવા છીંક આવે છે અને ત્યાંથી હવા પસાર થઈ રહી છે તો નજીકની વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં માસ્ક જરૂરથી પહેરવો. લક્ષણો વિનાનાં દર્દીઓ આ પરિસ્થિતિમાં વધારે જોખમી હોઈ શકે છે.
1. વિકાસ દુબેના અંતિમ 12 કલાક
ગામનો કોઈ ગુંડો ગેંગસ્ટર બની જાય અને ખાદીધારી તેને હવા આપે તો તે ત્રણ વર્ષમાં 10 દેશની યાત્રા પણ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે બિકરુ ગામના ગેંગસ્ટર વિકાસ દુબેની ઓળખ બેંગકોક અને દુબઈ સુધી હતી. તેણે કરોડો રૂપિયાનું રોકાણ પણ કરી રાખ્યુ હતું.... અને તે એકલો જ ન હતો, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાલખનઉ ઝોને તપાસ હાથ ધરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવી શકે છે. આશરે 60થી વધારે કેસમાં અપરાધી રહેલા વિકાસ પર આ કાયદા હેઠળ કેસ બાકી છે.
હવે કેટલીક એવી માહિતી જે અમારા રિપોર્ટર્સે જણાવી છે....
અગાઉ-જ્યારે યુપી પોલીસ વિકાસને કાનપુર લઈ ગઈ હતી તે રાત્રે તે જાગતો રહ્યો હતો. પૂછપરછમાં તેણે અનેક મોટા નામની કબૂલાત કરી હતી. એવા નામો કે જેમને સાંભળીને પોલીસ દંગ રહી ગઈ હતી. તેણે કોના નામ લીધા હતા તે અંગે જાણી શકાયુ નથી. પણ તે વારંવાર પૂછતો હતો કે શું તેને જેલ જ મોકલશોને? પછી તે બોલ્યો- કેટલાક મહિના કે વર્ષમાં મને જામીન મળી જશે. હસીને કહેતો હતો કે ગુસ્સામાં જ મારાથી બિકરુંમાં આ કાંડ થઈ ગયો.
બીજી સ્થિતિ- બિકરું ગામમાં શનિવારે જ્યારે ભાસ્કરની ટીમ પહોંચી તો 150 પોલીસ કર્મચારીઓ સાથે RAFની એક ટીમ ફરજ પર ગોઠવવામાં આવેલી જોવા મળી. ગામના લોકોમાં ડર જોવા મળતો હતો. ગામ અને આજુબાજુના વિસ્તારોના 500થી વધારે લોકોના ફોન સર્વિલન્સ પર છે.
2. રાજસ્થાનની રાજનીતિમાં નવું દંગલ
ઘણો થયો વિકાસ (દુબે), હવે ચર્ચા રાજનીતિની પણ કરી લઈએ. વાત રાજસ્થાનની છે. અહીં સત્તામાં કોંગ્રેસ છે. કોમ્બિનેશન લગભગ મધ્ય પ્રદેશ જેવું જ હતું. એટલે કે MPમાં કમલનાથ અને સિંધિયા, તો રાજસ્થાનમાં ગહલોત અને પાયલટ, તફાવત એટલો હતો કે સિંધિયા સરકારમાં ન હતો, જ્યારે પાયલટ ડેપ્યુટી CM છે. એવી પણ માહિતી આવી રહી છે કેગહલોત સરકાર પાડવાનું ષડયંત્ર સામે આવ્યુ છે.
એવું પણ માનવામાં આવે છે કે સિંધિયાને મધ્ય પ્રદેશમાં શક્તિ મળી અને કોંગ્રેસની સત્તા ઉડાવી શિવરાજની સરકાર બનાવી દીધી, તેનાથી રાજસ્થાનના કેટલાક લોકોને પ્રેરણા મળી. રાજસ્થાન સરકારના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના મતે જે લોકો ધારાસભ્ય ખરીદવાનો પ્રયત્ન કરતા હતા, તેમણે નવી સરકાર પણ બનાવી દીધી હતી અને આ મારફતે તેઓ બે હજાર કરોડ રૂપિયા સુધી કમાણી કરી લેવા અંગે વિચાર પણ કરતા હતા....અને તેઓ એમ પણ કહેતા હતા કે CM અને ડેપ્યુટી CM ઝઘડતા રહે અને તેનાથી સરકાર પાડી દેવામાં સરળતા રહેશે.
શુક્રવાર રાત્રે કોંગ્રેસના 24 ધારાસભ્યોએ એક સંયુક્ત નિવેદન જારી કરી તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. બીજી બાજુ ભાજપ કહે છે કે ષડયંત્ર તો અમારી સામે થઈ રહ્યું છે.આજે અશોક ગહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગોવા, મણિપુર, મધ્ય પ્રદેશના ઉદાહરણ આપી કહ્યું કે બકરા મંડીમાં જે રીતે બકરા વેચાય છે તે આ પ્રકારની રાજનીતિ થઈ રહી છે.
3. સ્વામીનો આરોપ
સુબ્રમણ્યમ સ્વામી ભાજપના નેતા છે. તેઓ પોતાના દાવા અને આરોપથી સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે. તેમણે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની CBI તપાસની માંગ કરી છે. સ્વામીએ એક ટ્વિટમાં બોલીવૂડના ત્રણેય ખાન-સલમાન, શાહરુખ અને આમિરને થ્રી મસ્કેટિયર્સ ગણાવ્યા. તેમણે એમ પણ પૂછ્યું કે સુશાંતના કેસમાં ત્રણેય શાં માટે ચૂપ છે?
અલબત, તેમણે બીજા ટ્વિટમાં પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ત્રણેય ખાનનું ભારત અને વિદેશોમાં ખાસ કરીને દુબઈમાં રહેલી સંપતિની તપાસ થવી જોઈએ. આખરે તેમને કોણે બંગલા ભેટ-સોગાદમાં આપ્યા છે? તેમણે કેવી રીતે સંપત્તિ ખરીદી? તપાસ કોની પાસે કરાવવી જોઈએ તે પણ તેમણે કહ્યું છે.તેમણે ED, ઈન્કમ ટેક્સ અને CBI પાસે તપાસ અંગે સૂચન કર્યું.
4. આજે રવિવાર છે, કેરિયર અંગે વિચાર કરીએ
કેરિયરની વાત એટલા માટે કારણ કે ટેરોકાર્ડ્સ કહે છે કે 12 પૈકી 9 રાજી માટે રવિવારનો દિવસ કેરિયર માટે ખૂબ જ સારો છે. તમે નવી નોકરી માટે અરજી કરી શકો છો. જૂના ઈન્વેસ્ટમેન્ટનો ફાયદો મળી શકે છે.
હવે જ્યોતિષની વાત કરીએ. જ્યોતિષના મતે રવિવારે મીન રાશિમાં હાલમાં ચંક્રમા પર શનિની દુષ પ્રભાવ છે. તેનાથી મેષ, કન્યા, તુલા, વૃષિક, મકર, કુંભ અને મીન રાશિવાળા લોકોએ દિવસ દરમિયાન સાવધાની રાખવી.
5. તમારા માટે સમાચાર અને ....કદાંચ તેને વાંચવાનું પસંદ કરશો..
- પાકિસ્તાનમાં હિંદુ-શિખોની સ્થિતિ
ગયા મહિને પાકિસ્તાનની ઈમરાન સરકારે રાજધાની ઈસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની મંજૂરી આપી હતી. તે ઈસ્લામાબાદનું પહેલુ મંદિર બનેત...પણ કટ્ટરપંથીઓએ તેની નિર્માણ પામી રહેલી દિવાલો તોડી નાંખી. પાકિસ્તાનમાં હિન્દુ-શિખોના ધાર્મિક સ્થાનોની ખરાબ સ્થિતિ છે. વિભાજન સમયે પાકિસ્તાનમાં 428 મંદિર હતા. તે પૈકી 408 મંદિરને દુકાનો કે ઓફિસમાં તબદિલ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં પ્રત્યેક વર્ષ મોટી સંખ્યામાં હિંદુ છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવે છે.
-UPના 5 મોટા એન્કાઉન્ટર
UPના શ્રીપ્રકાશ શુક્લા શાર્પ શૂટર અને સોપારી કિલર નામથી જાણિતો હતો. એવી પણ માહિતી છે કે શ્રીપ્રકાશે એક મુખ્યમંત્રીની હત્યા કરવા સોપારી લીધી હતી. ગર્લફ્રેન્ડના મોબાઈલના સર્વિલન્સ પર હોવાથી પોલીસ તેના સુધી પહોંચી અને એન્કાઉન્ટર કર્યું. રમેશ કાલિયા પણ એક સમયે મોટો ગેંગસ્ટર હતો. પોલીસની ટીમ જાનૈયા બનીને ત્રણ અલગ-અલગ ગાડીઓમાં બેસીને તેના સુધી પહોંચી હતી. એવી જ રીતે ઘનશ્યામ કવટ UPનો ગુંડો હતો. તેના એન્કાઉન્ટરનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું.
-શું બોલ્ટનું પુનરાગમન થશે?
....અને જતા-જતા 11 વખતનો વિશ્વ ચેમ્પિયન જમૈકાનો ઉસૈન બોલ્ટ વિશે. ફક્ત 9.58 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરવાનો રેકોર્ડ બનાવનાર 33 વર્ષના બોલ્ટ નિવૃત થવાના નિર્ણયને બદલી શકે છે. તેણે વર્ષ 2017માં નિવૃતિ લીધી હતી. 3 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ તેના નામે છે. તે કહે છે કે તેમના ભૂતપુર્વ કોચ ગ્લૈન મિલ્સ કહેશે તો તે ટ્રેક પર પરત ફરી શકે છે. 200 મીટર દોડ 19.19 સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો.
આઈટી સિટી બેંગલુરુમાં લગભગ બે સપ્તાહ પહેલા બધું જ બરાબર હતું. કોવિડ-19 અંગે તેનું દૃષ્ટાંત અપાતું હતું, પરંતુ અચાનક દરરોજ એક હજારથી વધુ કેસ આવવા લાગ્યા. 27 જુનથી પહેલાના આંકડા જોઈએ તો દરરોજ 100થી 140 કેસ આવતા હતા, પરંતુ અચાનક 1000થી 1500 કેસ થઈ ગયા. બુધવારે કર્ણાટકના કુલ 28,877 કોવિડ કેસમાં 60% માત્ર બેંગલુરુના હતા. એમ્બ્યુલન્સ, પથારી, ઓક્સિજન સિલિન્ડરની સાથે-સાથે કબ્રસ્તાન-સ્મશાનમાં પણ જમીન ખૂટવા લાગી છે. પંચાયતોએ બેંગલુરુથી આવનારા પર દંડ ફટકારવાની જાહેરાત કરી છે. શહેરની નાજૂક સ્થિતિનો અંદાજ તેનાથી લગાવી શકાય કે હાઉસિંગ સોસાયટીઓ એપાર્ટમેન્ટ્સના ક્લબ હાઉસમાં ઓક્સિજન સિલિન્ડરવાળી પથારી ફીટ કરાવવા વિચારી રહી છે.
કોઇ પણ હોસ્પિટલમાં હવે જગ્યા નથી
કોવિડ ટાસ્ક ફોર્સને લીડ કરી રહેલા ડો. સીએન મંજુનાથે સ્વીકાર્યું કે, બેંગલુરુમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. પથારી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થામાં સરકારને મુશ્કેલી પડી રહી છે. ટૂંક સમયમાં જ નવી 700 એમ્બ્યુલન્સ ખરીદવાની છે. અત્યારે બેંગલુરની 1.20 કરોડની વસ્તી પર માત્ર 300 એમ્બ્યુલન્સ છે. બેંગલુરની આ સ્થિતિ અંગે પબ્લિક હેલ્થ સર્વિસની ડો. સેલવિયા કારપાગમ જણાવે છે કે, કોવિડ અંગે સરકારની નીતિ ખોટી છે. કોવિડ પોઝિટિવ રિપોર્ટ વગર એમ્બ્યુલન્સ નહીં મળે કે હોસ્પિટલમાં પથારી નહીં મળે. તબિયત બગડવાના ત્રણ દિવસ પછી રિપોર્ટ આવે છે, ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. હકીકત એ છે કે કોઈ પણ હોસ્પિટલમાં પથારી નથી. ઈન્ટરનેશનલ એક્ઝીબિશન સેન્ટરને કોવિડ કેર સેન્ટરમાં બદલીને 10,000 પથારીની વ્યવસ્થા કરી છે, પરંતુ અહીં લક્ષણ વગરના દર્દીઓને રખાશે.
હાલમાં છે તેના કરતાં 200 ટકા વધારે કેસ હોવાનો દાવો
ડો. સેલવિયાએ કહ્યું કે, આ પથારીની સાથે ઓક્સિજન અને વેન્ટિલેટર નથી. 100 દર્દી પર માત્ર એક ડોક્ટર અને બે નર્સ તૈનાત કરાઈ છે. પથારીની જરૂર ગંભીર દર્દીઓને છે, જેમના માટે અહીં કોઈ સુવિધા નથી. યુરોલોજિસ્ટ ડો. બેલગામી મોહમ્મદ સાદે જણાવ્યું કે, લૉકડાઉન પછી લોકો નિશ્ચિંત થઈ ગયા હતા અને મહારાષ્ટ્ર જેવા ચેપી વિસ્તારોમાં લોકોનું આવન-જાવન શરૂ થઈ ગયું હતું. જેના કારણે અહીં ઝડપથી ચેપ ફેલાઈ રહ્યો છે. ડો. સાદ દાવો કરે છે કે, કોવિડના જેટલા કેસ જણાવાઈ રહ્યા છે, તેનાથી 200% વધુ છે. ડો. બેલગામી પણ અનેક વોલેન્ટિયર ગ્રૂપમાં છે, જે લોકોની મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 5 દિવસમાં 5300 ફોન એવા આવ્યા છે, જેમાં લોકો પુછે છે કે, તેમને કોવિડના લક્ષણ છે તો શું કરવાનું છે.
ખાનગી હોસ્પિટલમાં ફી 35 હજાર સુધી
બેંગલુરુની 300 સરકારી અને બિનસરકારી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના ઈલાજની વ્યવસ્થા છે, પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે. તાજેતરમાં જ અહીં એક ખાનગી એચબીએસ હોસ્પિટલના 44માંથી 39 ડોક્ટર ડ્યુટી પર ન આવ્યા તો હોસ્પિટલનું તંત્ર વેરવિખેર થઈ ગયું હતું. સિવિલ સોસાયટીએ સરકારને કાયદેસર પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. ખાનગી હોસ્પિટલના જનરલ વોર્ડમાં વેન્ટિલેટર સાથે પથારીનો એક દિવસનો ખર્ચ રૂ.25,000થી 35,000 સુધીનો છે. આ અંગે ડો. સેલવિયા કહે છે, આ દર પહેલા તો ઘણો વધુ હતો, સરકાર સાથે લડીને તેને ઓછો કરાવાયો છે. તેમ છતાં દરેક વ્યક્તિ આટલી રકમ ચુકવી શકે નહીં. શહેરમાં પરપ્રાંતિય મજૂરોનું પલાયન પણ ચાલુ છે. દર બે-ત્રણ દિવસના અંતરે શ્રમિક ટ્રેન ચાલી રહી છે. (@ ટીમ-5નો ગ્રાઉન્ડ રિપોર્ટ )
ઓક્સિજન સપ્લાય ધીમો પડ્યો, દરરોજ 50-100 ફોન આવી રહ્યા
ડો. સેલવિયા જણાવે છે કે, ચાર દિવસથી તેમની પાસે ત્રણ એવા દર્દી હતા જેમને હોસ્પિટલમાં પથારીની જરૂર હતી. ત્રણેયનું મોત થઈ ગયું, પરંતુ પથારી ના મળી. બેંગલુરુના જયનગરમાં મર્સી મિશન તરફથી દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડનારા તોસીફ ખાન કહે છે, તેમના ઓળખિતા આબિદના પિતાએ ઈલાજ માટે 28 હોસ્પિટલના ધક્કા ખાધા, અમે પણ ભલામણ કરી, પરંતુ તેમણે એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો. મર્સી મિશનની હોટલાઈન પર દરરોજ 50થી 100 કોલ એવા આવી રહ્યા છે, જેમં લોકો કહે છે કે તેઓ શ્વાસ નથી લઈ શકતા. આઈસીયુ અને હાઈફ્લો એક્સિજનની પણ દસ ગણી વધુ જરૂરિયાત છે.
રાજસ્થાનમાં ચાલી રહેલી ખુરશીની ખેંચતાણ વચ્ચે ગેહલોતથી નારાજ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિતના 15 ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી છે. આ તમામ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળીને પોતાનો પક્ષ રજૂ કરશે. શનિવારે મોડી રાત્રે ગેહલોતે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી. બીજીબાજુ રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદ સીલ કરી દીધી છે. રાજસ્થાન બહાર જવા માટે હવે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન આવનારાની પણ સરહદ પર તપાસ કરાશે.
રાજસ્થાન વિધાનસભાનું ગણિત
કુલ બેઠક | 200 |
કોંગ્રેસ | 107 |
ભાજપ | 72 |
અપક્ષ | 13 |
બીટીપી | 2 |
સીપીએમ | 2 |
આરએલપી | 3 |
આરએલડી | 1 |
(નોંધ : 13 અપક્ષોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે, પરંતુ તેમાંથી 3ના નામ હોર્સટ્રેડિંગમાં આવ્યા પછી કોંગ્રેસે તેમને પોતાની તરફેણ કરનારી યાદીમાંથી બાકાત રાખ્યા છે.)
શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે ‘સેટિંગ’ કરાવી દેવાનો બૂટલેગરના ભાઇ અને કોન્સ્ટેબલ વચ્ચેનો વાર્તાલાપ વાઇરલ થયા બાદ આ મામલામાં પીઆઇ વાળાને લાંચની ટ્રેપમાં ફસાવી દેવા ગાંધીગ્રામના જ પીએસઆઇ જેબલિયા અને અન્ય બે પોલીસમેને કાવતરું રચ્યાનો ધડાકો થયો હતો. બૂટલેગર નમન શાહના ભાઇ અંકિતનું અપહરણ કરી ધમકી આપી તેને પીઆઇ સુધી મોકલ્યો પણ હતો, પરંતુ અંકિતે એક ચિઠ્ઠી પીઆઇ વાળાને આપી હતી જેમાં જેબલિયા અને તેની ગેંગ ફસાવવા માટે કારસા રચી રહ્યાનું અંકિતે લખ્યું હતું, આ ચિઠ્ઠી પોલીસ કમિશનરને પીઆઇ વાળાએ પહોંચાડતા પીએસઆઇ જેબલિયા અને બે પોલીસમેનના કાવતરાનો પર્દાફાશ થયો હતો. આ ત્રણેયની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરોડા પાડી 28 બોટલ દારૂ જપ્ત કર્યો હતો
માધાપર ચોકડી પાસે રહેતા અંકિત બકુલભાઇ શાહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં શનિવારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીએસઆઇ એમ.બી.જેબલિયા, હેડ કોન્સ્ટેબલ પ્રશાંત વિરા રાઠોડ, કોન્સ્ટેબલ પ્રતાપ સેલાર કરપડા અને વિશાલ નામના શખ્સનું નામ આપ્યું હતું. અંકિત શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18 જૂનના ગાંધીગ્રામ પોલીસે તેના મકાનના પાર્કિંગમાં દરોડો પાડી 28 બોટલ દારૂ સાથે કાર જપ્ત કરી હતી અને તેમાં અંકિતના ભાઇ નમન શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દારૂના દરોડા બાદ બે પોલીસમેન પ્રતાપ અને પ્રશાંત અંકિતના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે, પીએસઆઇ જેબલિયાને પીઆઇ વાળા સાથે તકરાર ચાલે છે એટલે ફોજદાર જેબલિયા તને મળવા બોલાવે છે. અંકિતે જવાની ના કહેતા બંને પોલીસમેને બળજબરીથી અંકિતને બાઇકમાં બેસાડી દીધો હતો અને નાણાવટી ચોકમાં લઇ ગયા હતા જ્યાં અગાઉથી કારમાં જેબલિયા બેઠા હતા.
પીઆઈ સાથે મિટિંગ કરાવવાની વાત કરી હતી
અંકિતને કારમાં બેસાડ્યા બાદ જેબલિયાએ ધમકી આપી હતી કે, અમે કહી તેમ નહીં કર તો તારા ભાઇ સામે ગુનો નોંધાયો છે, તારું નામ પણ ગુનામાં ખોલાવી તને ફિટ કરી દેશું. ફોજદાર જેબલિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ રાઇટર જસ્મીનભાઇ પાસે ફોન કરાવ્યો હતો અને ફોજદાર પટેલ રૂ.3 લાખ માગે છે, પીઆઇ વાળા સાથે મિટિંગ કરાવી દેવાની વાત કરી હતી, પરંતુ જસ્મીનભાઇએ મિટિંગ કરાવી દેવાનો ઇનકાર કર્યો હતો.
ચીઠ્ઠી આધારે પોલીસે કાર્યવાહી કરી
આમ છતાં પીએસઆઇ જેબલિયા સહિતનાઓએ પીઆઇ સાથે બેઠક કરવા અને એસીબીમાં તેમની સામે રાવ કરવા દબાણ ચાલુ રાખ્યું હતું. તા.28 જૂનના ફોજદાર જેબલિયા અને તેની ગેંગ અંકિત શાહને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને પીઆઇ વાળાને મળીને જ આવજે તેમ કહ્યું હતું, અંકિત પીઆઇ વાળાને મળવા ગયો ત્યારે પીઆઇ વાળાએ તેને ઓફિસમાંથી જતા રહેવા કહ્યું હતું પરંતુ જતી વખતે અંકિતે પોતે લખેલી ચિઠ્ઠી પીઆઇ વાળાને આપી હતી. જેમાં જેબલિયા અને તેની ગેંગ ફસાવવા માટે કારસા રચી રહ્યાનું અંકિતે લખ્યું હતું, આ ચિઠ્ઠી પોલીસ કમિશનરને પીઆઇ વાળાએ પહોંચાડતા પીએસઆઇ જેબલિયા અને બે પોલીસમેનના કાવતરાનો પર્દાફાશ થયો હતો. અંકિતની ફરિયાદ પરથી જ ફોજદાર જેબલિયા સહિત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ત્રણ પોલીસમેનના બે ચહેરાઃપોતાના સ્વાર્થ માટે ખાખી પર કાળીટીલી લગાવી દીધી
પીએસઆઈ જેબલિયાઃ બે પોલીસમેનોને પોતાના સાથીદાર બનાવી લોકડાઉનમાં ઘરની બહાર નીકળતા લોકોને ધમકાવી તેમની પાસેથી રૂપિયા 8થી 10 હજારનો તોડ કરતા હતા. તેમજ દારૂના એક કેસમાં દોઢ લાખનો પણ તોડ કર્યો હતો તેવો ગાંધીગ્રામના પીઆઈ વાળાએ આક્ષેપ કર્યો હતો.
હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડઃ ફોજદાર સાથે નીકટતા કેળવી હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડે પણ ઉઘરાણા શરૂ કર્યા હતા. એટલું જ પણ નહીં પીઆઈ વાળાને ફસાવવા માટે પ્રશાંત અનેક વખત અંકિતના ઘરે ગયો હતો અને તેના પરિવારજનોને પણ ધમકાવ્યા હતા. પીઆઈને ફસાવવાના કાવતરામાં તેની પણ ભૂમિકા હતી.
કોન્સ્ટેબલ પ્રતાપ કરપડાઃપીઆઈ વાળાએ ઉઘરાણા બાબતે ઠપકો દેતા કોન્સ્ટેબલ પ્રતાપે તેમને ધમકી આપી હતી. એટલું જ નહીં પીએસઆઈ જેબલિયા સાથે મળી બદલો લેવાનું નક્કી કર્યું હતું અને અંકિત શાહને મોહરો બનાવ્યો હતો. હેડ કવાર્ટરમાં બદલી થયા બાદ પ્રતાપ ફરજ પર હાજર થવાના બદલે રજા પર ઉતરી ગયો છે.
જમાદારે ધમકી આપી’તી રિપોર્ટ કરશો તો બે પુત્રીની હત્યા કરી આપઘાત કરીશ
પીઆઇ વાળાએ કહ્યું હતું કે, જ્યારે જેબલિયા અને પ્રતાપ કરપડાના તોડની જાણ થતાં પ્રતાપને બોલાવીને ચેતવણી આપી હતી કે, આ મામલે પોલીસ કમિશનર સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે, આ વાત જાણી પ્રતાપે પીઆઇને ધમકી આપી હતી કે, ‘મારા વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે તો મારી બે પુત્રીની હત્યા કર્યા બાદ હું આપઘાત કરી લઇશ અને આ ઘટનામાં પીઆઇ વાળાનો ત્રાસ કારણભૂત છે તેવું લખતો જઇશ’. પ્રતાપની ધમકીથી હચમચી ગયેલા પીઆઇ વાળાએ પોલીસ કમિશનરને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. શહેરીજનોને યેનકેન પ્રકારે ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તોડ કરતા પ્રતાપ કરપડાને ભ્રષ્ટાચાર બંધ કરી ખાખી સાથે વફાદારી દાખવવાનું પીઆઈએ કહ્યું ત્યારે કોન્સ્ટેબલે તમામ મર્યાદાઓ ઓળંગીને પીઆઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બે પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કરી લેશે અને તેમાં તેને ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. આ મામલાએ જે તે સમયે પોલીસ બેડાંમાં ભારે ચકચાર જગાવી હતી.
પોલીસ-ગુંડાઓની સાઠગાંઠ આખા શહેર માટે ખતરો
પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે સાઠગાંઠ હોવાની છેલ્લા 15 દિવસમાં બે ઘટના સામે આવી છે ત્યારે આ બાબતો શું સૂચવે છે તે અંગે મંતવ્ય જાણવા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિન્હાનો ‘દિવ્ય ભાસ્કરે’ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ અને ગુંડાઓની સાઠગાંઠ આખા શહેર માટે ખતરા સમાન છે. જીતુ સોનીને ભગાડી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને ભૂપત ભરવાડના કહેવાતા સાથીદાર પોલીસમેનને સસ્પેન્ડ કરવાની સાથેસાથે તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરવાની જરૂર હતી. તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર વાળાને એસીબીમાં ફસાવી દેવાનું ષડ્યંત્ર રચનાર પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સામે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે પ્રથમદૃષ્ટિએ શંકાસ્પદ જણાય છે. તેની ઊંડી તપાસ કરાવવા માટે શહેર પોલીસ બહારની સ્વતંત્ર એજન્સી જેવી કે સીઆઈડી (ક્રાઈમ) અથવા અન્ય એજન્સી પાસે આ ઘટનાની તપાસ કરાવવી જોઈએ. જેથી સત્ય હકીકત બહાર આવે.
કોવિડ-19 સુરતમાં કાબૂની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300 થી વધુ થઈ ગઈ છે ત્યાં મોતનો આંકડો સરકારી ચોપડે 275 (સિટી) બોલી રહ્યો છે. અલબત્ત, કોવિડ ગાઇડલાઇન મુજબ જે અંતિમક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી હકિકત રજૂ કરે છે. છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં 170 બોડીનું કોવિડ- ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયું છે. જ્યારે અઠવાડિયામાં 390 બોડીને અંતિમદાહ-દફનવિધિ કરાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હવે રોજ અંતિમધામ અને કબ્રસ્તાનમાં 48થી વધુની સંખ્યામાં બોડી આવી રહી છે.
દર કલાકે ચારથી પાંચ બોડીનો નિયમોનુસાર નિકાલ કરાઇ રહ્યો છે
બુધવારે જ શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં પ્રોટોકોલ સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે ગુરુવારે પણ 55 મૃતદેહોની કોરોના ગાઇડ લાઇન મુજબ શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે. તબીબોના મતે ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ આ વાવરમાં વધુ અડફેટે ચઢ્યા છે. જેમકે ડાયાબિટીસથી પહેલાંથી પીડિત દર્દી કોરોના પેશન્ટ તરીકે દાખલ થયું હોય અને તેનું સુગર કંટ્રોલમાં આવે તે પહેલાં કોરોના કરતાં તેની મુળ બીમારી હાવી થઇ હોવાના કિસ્સા વધુ આવ્યાં છે. છતાં આ મૃતકોને કોરોનામાં ન આંકી તેમની શંકાસ્પદ કોરોના સાથે કોવિડ પ્રોટોકોલ મુજબ જ અંતિમ વિધી કરાતા મોતનો આંકડો વધ્યો છે. જોકે ગૂંચવણ સર્જાઇ રહી હોવાના કથિત આરોપો ઊઠી રહ્યા હોવાથી મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી હતી.
બુધવારે 65 બોડીનો નિકાલ
25 દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયાની એવરેજ 25 થી 30ની હતી. જે હવે 45 થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં તો સંખ્યા 50થી વધી ગઈ છે. બુધવારે સૌથી હાઇએસ્ટ એટલે કે 65 જેટલી બોડીનો કોવિડ ગાઇડલાઇન મુજબ નિકાલ થયો હતો. જો આજ રફતાર રહી તો જુલાઇના અંત સુધી આંકડો 70 સુધી પહોંચી શકે છે. આથી ડોકટરો પણ રિકવરી રેટ વધે એ તરફ ધ્યાન આપી રહ્યા છે.
બોડીને ઉલટી લપેટી દેવાઈ છે
જે સેવાભાવી સંસ્થા કોવિડ-19નો બોડીની અંતિમ વિધિ કરી રહી છે. તેઓને પણ સરકારી હોસ્પિટલના અણઘડ વહીવટનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને એવી રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાય ત્યારે બોડી ઉલટી નિકળે છે. ગતરોજ સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતો હંગામો પણ થયો હતો.
ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (પીબીઓસી)એ ભારતની એચડીએફસીમાં ખરીદેલી પોતાની અમુક હિસ્સેદારી વેચી દીધી છે. શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં આ ખુલાસો થયો હતો. એવું મનાય છે કે ચીન અને ભારત વચ્ચેના વિવાદ પછી આ નિર્ણય લેવાયો હતો.
પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ એચડીએફસીમાં જૂનના અંતે પોતાની હિસ્સેદારીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે. માર્ચના અંતે તેની પાસે એચડીએફસીના કુલ 1.01% શેર હતા જેની સંખ્યા 1.75 કરોડ હતી. એચડીએફસીમાં હવે પીબીઓસીની કેટલી હિસ્સેદારી છે અને કંપનીએ કુલ કેટલા શેર વેચ્યા છે? તેની માહિતી હજુ જાહેરકરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં જાહેરમાં બિઝનેસ કરતી કંપનીઓએ દરેક ત્રિમાસિકના અંતે 1%થી વધુની હિસ્સેદારીનો ખુલાસો ફરજિયાત કરવો પડે છે. એપ્રિલમાં કોરોના વાઇરસને લીધે શેરની કિંમતોમાં ઘટાડા પછી વિદેશી કંપનીઓ તકવાદી બની હતી. એવામાં ચીન સહિત પાડોશી દેશો તરફથી ભારતની કંપનીઓમાં કરાતા રોકાણ અંગેના નિયમોને આકરા કરી દેવાયા હતા.
અમરનાથ યાત્રા પર ચાલુ વર્ષે કોરોનાને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી સુપ્રીમકોર્ટમાં કરાઈ છે. અરજીકર્તાએ માંગ કરી છે કે આ વર્ષે સામાન્ય લોકો માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને ધાર્મિક અનુષ્ઠાનનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ. આ અંગે આગામી સપ્તાહે સુનાવણી થશે.
શ્રી અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે. અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરાઈ નથી તેમ છતાં 28 જુલાઈ પહેલાથી જ ભંડારા સંગઠનોને પહોંચીને કામ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.
હવે દેશભરની અદાલતો પક્ષકારો-આરોપીઓને એસએમએસ કે વૉટ્સએપથી પણ સમન્સ કે નોટિસ પાઠવી શકશે. સમન્સ અને નોટિસની સમયસર બજવણી કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમકોર્ટે તે માટે ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાના ઉપયોગને મંજૂરી આપી છે. કોર્ટે લિમિટેશન અંગેના સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન શુક્રવારે આ વ્યવસ્થા આપી. દેશમાં આવી સુવિધા પહેલી વાર લાગુ કરાઇ રહી છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું, ‘અમને જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે નોટિસ અને સમન્સ જેવી સેવાઓ માટે પોસ્ટ ઓફિસે જવું શક્ય નથી. આ સેવાઓ ઇમેલ, ફેક્સ અને વૉટ્સએપ-ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાઓ દ્વારા પૂરી પાડી શકાય. વૉટ્સએપ પર બ્લૂ ટિક દેખાય એટલે સમન્સ બજાવાયેલા ગણાશે. જો કોઇએ આ ફીચર બંધ રાખ્યું હોય તો આ સર્વિસને પૂરી ગણવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે.’
સુપ્રીમકોર્ટે કોરોનાના કારણે લૉકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કને ચેકની વેલિડિટી વધારવા પણ મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે આ અંગે રિઝર્વ બેન્ક તેના વિવેકનો ઉપયોગ કરે તે ઉચિત રહેશે.
દેશની વસ્તીમાં મહિલાઓની હિસ્સેદારી અંગે સુખદ ખબર છે. 15 વર્ષથી વધુ વય જૂથમાં મહિલાઓની વસ્તીની ટકાવારી પુરુષથી વધુની થઈ ગઈ છે. બુનિયાદી માપદંડના હિસાબે મહિલાઓ સંબંધિત તમામ સામાજિક પરિસ્થિતિમાં પણ સુધારાનો સંકેત છે.
ભારતના વસ્તી ગણતરી કાર્યાલયના સેમ્પલ રજિસ્ટ્રેશન સરવેનો રિપોર્ટ જાહેર થયો છે, જે 2018 સુધીની સ્થિતિ દર્શાવે છે. દરેક દાયકા પછી વસ્તી ગણતરી થાય છે. પરંતુ આ દરમિયાન થયેલા પરિવર્તન પર નજર રાખવા માટે આ સરવે કરાયો છે. તેમાં સૌથી પરિવર્તન મહિલાઓ અને પુરુષોની વસ્તીની પેટર્નમાં જોવા મળ્યું. 15થી વધુ વયમાં મહિલાઓની ટકાવારી પુરુષોથી 0.6 ટકા વધુ જોવા મળી. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં વસ્તીની આ પેટર્ન લગભગ એક જેવી છે. 0થી 4, 5થી 9 અને 10થી 14 વર્ષની વયમાં છોકરીઓની વસ્તી 0.4 ટકા ઓછી છે. ગામડામાં પણ આ ત્રણેય વર્ગમાં આ ફરક માત્ર 0.4 ટકા બચ્યો છે.
મહિલાની લગ્નની વય 19.3થી વધી 22.3 વર્ષ થઈ
1991થી 2018 વચ્ચે વિધવા, છૂટાછેડાવાળી અને ત્યક્તા મહિલાઓની વસ્તીમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1991માં આ સંખ્યા 8.1 ટકા હતી. જે 2018માં 5.5 ટકા થઈ ગઈ. લગ્નની વયમાં પણ મહિલાઓની સ્થિતિમાં મોટાભાગે સુધારો જોવા મળ્યો છે. આ માપદંડમાં ભારતમાં મહિલાઓએ પ્રગતિ કરે છે. 1990માં મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર 19.3 વર્ષ હતી જે 2018માં વધીને 22.3 વર્ષની થઈ ગઈ. દેશમાં લગ્ન કરેલી મહિલાઓની સંખ્યા 1990માં 45.7 ટકા હતી જે 2018માં 49.5 ટકા થઈ ગઈ.
ટેલિકોમ સેક્ટરમાં ચીનની ચુંગાલમાંથી મુક્ત થવા માટે બ્રિટનને પરસેવો છૂટી રહ્યો છે. બ્રિટનના ટેલિકોમ ચીફ હાર્વર્ડ વૉટ્સન કહે છે કે જો મંત્રીઓના સમૂહના નિર્દેશ પર ચીનની 5જી નેટવર્ક સ્થાપિત કરતી કંપની હુવાવેનાં ઉપકરણો તાત્કાલિક હટાવવા પડશે તો દેશમાં બે દિવસ સુધી ટેલિફોન નેટવર્ક સંપૂર્ણપણે બંધ રહેશે.
બ્રિટનમાં 4જી, 2જી અને એટલું જ નહીં 5જીના નેટવર્કમાં જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ટાવર લગાવાયાં છે તેને સંપૂર્ણપણે હટાવવામાં ઓછામાં ઓછા 5થી 7 વર્ષ લાગી જશે. અહીં મનાય છે કે વડાપ્રધાન બોરિસ જોનસન હુવાવેને 5જી નેટવર્કની ટ્રાયલ માટે અપાયેલી મંજૂરી ગમે ત્યારે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી શકે છે. જોનસને અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તે હુવાવેની ભાગીદારી જલદી ઘટાડવાની યોજના તૈયાર કરે.
હુવાવે પર આરોપ છે કે તે પોતાનાં ટેલિકોમ ઉપકરણોની મદદથી દુનિયાના અનેક દેશોમાં જાસૂસી કરે છે. આ ખતરાને જોતાં બ્રિટન ઉપરાંત અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને તાઈવાને તેમની 5જી ટેક્નોલોજીને પોતાના દેશમાં પ્રતિબંધિત કરી છે કાં આકરા નિયમો લાગુ કરી દીધા છે. બીજી બાજુ અઠવાડિયા અગાઉ અમેરિકી ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજિત પાઈએ ટિ્વટર પર એ પત્ર પણ શેર કર્યો હતો જેમાં પુરાવાના આધારે હુવાવે અને ઝેડટીઈને અમેરિકાના કમ્યુનિકેશન નેટવર્ક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવાઈ હતી.
પાઈએ કહ્યું કે એફસીસીના 62,416 કરોડ રૂપિયાના વાર્ષિક યુનિવર્સલ સર્વિસ ફંડનો ઉપયોગ આ સપ્લાયર્સ પાસેથી ઈક્વિપમેન્ટ કે સર્વિસ ખરીદવા માટે નહીં કરી શકાય. એફસીસીના કમિશનર જેફ્રી સ્ટાર્ક્સે કહ્યું કે અમેરિકાના ટેલિકોમ સેક્ટરમાં આ પ્રકારના અવિશ્વસનીય ઉપકરણો અનેક જગ્યાએ લાગેલાં છે અને એફસીસીને રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ચલાવવા કહેવાયું છે. એફસીસીએ રિપ્લેસમેન્ટ માટે 15 કરોડ રૂપિયા માગ્યા છે કે જેથી આ કાર્યક્રમને ઝડપથી લાગુ કરી શકાય.
ભારતે હુવાવેને ટ્રાયલ માટે મંજૂરી આપી છે, સ્પેક્ટ્રમની હરાજીમાં શરતો આકરી હોવી જોઈએ
ભારતે 5જી માટે હુવાવે અને ઝેડટીઈને પહેલાથી મંજૂરી આપી દીધી છે. જોકે ટેલિકોમ ઈક્વિપમેન્ટ એન્ડ સર્વિસિઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડીજી આર.કે.ભટનાગર પહેલાથી જ કહી ચૂક્યા છે કે 5જી ટ્રાયલ સ્તરે કોઈ ખતરો નથી પણ જ્યારે સ્પેક્ટ્રમની હરાજી થશે અને જોગવાઈઓ નક્કી થશે તો સરકારે નિયમ આકરા કરી દેવા જોઈએ જેનાથી સુરક્ષા અંગે કોઈ સવાલ ઊભો ન થાય.
પૈડું, ઉદ્યોગ, એન્ટિબાયોટિક ગર્ભ નિરોધક, રસીકરણ, પોષણ અને સાક્ષરતા આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે અને તેમાં માનવ વસ્તીની સંખ્યા776 કરોડ 70 લાખ થઇ છે.
આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે
વિશ્વમાં વસ્તી વધારો
પોપ્યુલેશન વોચ