
from India Today | Top Stories https://ift.tt/2W4z31V
‘પાણીના ભાવે’, આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. સરકારે 2019-20માં પાણી વેચીને રૂપિયા 1620 કરોડની કમાણી કરી છે. રૂપિયા 1620ની આકારણી સામે રૂપિયા 1277 કરોડની વસૂલાત કરાઇ છે. 343 કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં 20 વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડની કમાણી કરી છે.
સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ આપવામાં આવે છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરવામાં આવતી હોય છે. 1999-2000માં રૂપિયા 190 કરોડની આકારણી સામે રૂપિયા 100 કરોડની વસૂલાત થઇ હતી. રૂપિયા 90 કરોડની બાકી રહ્યા હતા. 10 વર્ષમાં એટલે કે 2009-10માં આકારણીની રકમ ત્રણ ગણી વધીને રૂપિયા 571 કરોડ થઇ ગઇ. પછીના પાંચ વર્ષના ગાળામાં 2014-15 સુધી આકારણીની રકમ રૂપિયા 1006 કરોડ થઇ ગઇ. આ પાંચ વર્ષમાં આકારણીની રકમમાં બમણો વધારો થયો. આ વર્ષે પણ રૂપિયા 1000 કરોડની વસૂલાત બાકી રહી.
સૌથી વધારે પાણી ઉઘોગો દ્વારા લેવામાં આવે છે. સિંચાઇના હેતુથી ખેડૂતો દ્વારા પણ ખરીદવામાં આવે છે. પીવાના પાણી માટે ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. 2019-2020ના આંકડાઓ મુજબ, ખેતી માટે લેવાયેલા પાણીની આકારણી રૂપિયા 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ, ઉઘોગોના પાણી માટે રૂપિયા 1109 કરોડ કરવામાં આી હતી જેમાંથી ખેતીના રૂપિયા 19 કરોડ, પીવાના પાણીના 219 કરોડ, ઉઘોગોના રૂપિયા 1040 કરોડની વસૂલાત કરાઇ હતી.
ખેડૂતોને પાણી વેચીને 20 વર્ષમાં 100 % કમાણી
ખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. ગત વર્ષે 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 1999-2000માં ખેડૂતોને પાણી વેચીને સરકાર માત્ર 16 કરોડ કમાઈ હતી. હવે આ આવક બમણી એટલે કે 100 % થઈ.
ઉદ્યોગોને 11 કરોડનું પાણી વેચ્યું, આવક 619 % વધી
ઉદ્યોગોના વપરાશ માટે ગુજરાતે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે. ગત વર્ષે 1020 કરોડનું પાણી વેચ્યું હતું. વર્ષ 2000માં ઉદ્યોગોને 155 કરોડનું પાણી વેચ્યું હતું. એટલે કે ઉદ્યોગોને પાણી વેચીને 20 વર્ષમાં આવક 619 ટકા વધી છે.
ઘરેલુ પાણી સપ્લાયથી 20 વર્ષમાં 2400% આવક વધી
ઘરેલુ ઉપયોગ માટે આ વર્ષ સુધી સરકારે 480 કરોડનું પાણી વેચ્યું. તેમાં દર વરસે વધારો થતો રહ્યો. 1999-2000 દરમ્યાન ઘરેલુ વોટર સપ્લાયથી 16 કરોડની આવક થતી હતી જે 20 વર્ષમાં વધીને 480 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2400 ટકાનો સીધો વધારો.
પાણીના ભાવમાં દર વરસે વધારો
સરકારે 2007ના ઠરાવથી પાણીના દરો લાગુ કર્યા હતા. ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 160 તથા બારમાસી પાકો માટે પ્રતિ હેક્ટર પ્રતિ પાણ રૂ. 300 દર છે. આ રકમમાં દર વર્ષે 7.5 ટકા વધારો કરવાનો હોય છે. પીવાના પાણી માટેના દર હાલમાં અંદાજે રૂપિયા 2 છે. ઔઘોગિક હેતું માટેનો દર વરસે 10 ટકા વધારવાની શરત હતી. હાલ પ્રતિ હજાર લિટરે અંદાજે રૂ. 25 છે.
15 જ દિવસમાં રાજ્યમાં 30% વરસાદ, 206માંથી 41 ડેમ 90-100% ભરાયા
ચોમાસામાં 15 દિવસમાં ગુજરાતમાં કુલ વરસાદનું 30 % પાણી પડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં 56 % તો કચ્છમાં સિઝનનો 70 % વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 20%થી વધુ વરસાદ થયો નથી. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અપૂરતો વરસાદ છે. રાજ્યના 206 ડેમોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 41 ડેમમાં 90થી 100 % પાણી ભરાઈ ગયું છે. 22 બંધમાં 100 % ભરાઈ ગયા છે. 14 ડેમમાં 99 % પાણી છે. જ્યારે 5 ડેમમાં 90 %થી વધુ પાણી છે. સૌથી વધારે વરસાદ દ્વારકામાં થયો છે. જ્યાં અત્યાર સુધીમાં 582 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
રાજ્યમાં જળસંગ્રહ
વિસ્તાર | જળસંગ્રહ % |
ઉત્તર ગુજરાત | 26.92 |
મધ્ય ગુજરાત | 44.96 |
દક્ષિણ ગુજરાત | 46.9 |
સૌરાષ્ટ્ર | 51.74 |
કચ્છ | 37.44 |
સરદાર સરોવર | 55.38 |
ગુજરાત | 48.74 |
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધો. 7ના સામાજિક વિજ્ઞાન વિષયના 16 નંબરના પાઠમાં ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને બદલે મહારાષ્ટ્રની મહિલા વનિતા ગાયકવાડનું નામ અને ફોટો લગાડવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળને માત્ર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ આપવામાં જ રસ છે.
ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઘણા પેશન્ટના સગાંએ કહ્યું કે, કોઈ પેશન્ટ વિરોધ કરે તો બદનામીથી બચવા સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.
હેલ્થ ટીમ તપાસ કરે છે, પણ દાખલ કરતી નથી
કોવિડ પેશન્ટના એક સગાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે.
કોરોના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પેશન્ટને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જતા રહે છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.
લૉકડાઉન પહેલાં ગામડાની પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા માટે અરજી કરનાર પતિની લોકડાઉન દરમિયાન નોકરી જતી રહેતા તેની પત્નીએ ખાખરા અને પાપડ વેચતા ગૃહ ઉદ્યોગમાં ધંધો કરતા તેનું ઘરનું ગુજરાન ચાલ્યું હતું. ખરાબ સમયમાં પરિવારને સંભાળી લેનાર પત્ની સાથે છુટાછેડા લેવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે કેટલાક કાનુની મુદ્દાને લઇને તે અરજી હજુ પાછી ખેંચી શકાઇ નથી.
અમરેલીમાં રહેતી વિશ્વા મહેતાના (નામ બદલ્યાં છે) લગ્ન અમદાવાદ રહેતા મનોજ પારેખ સાથે થયાં હતાં. વિશ્વા લગ્ન પહેલાં તેના પિતાના ઘરે પાપડ અને ખાખરા વેચીને મદદ કરતી હતી. પરંતુ લગ્ન પછી મનોજ પારેખ તેને કોઇ કામ કરવા દેતો નહોતો. મનોજ તેની પત્નીને સ્વીકારી શકતો નહોતો.
શહેરી રહેણીકરણી પ્રમાણે વિશ્વા રહેતી ન હોવાથી અને માનસિક રીતે વિચારો નહીં મળતા હોવાથી મનોજે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. મનોજના વકીલ અનિલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન અગાઉ મનોજ તેની પત્નીથી ઝડપથી છૂટાછેડા માટે વાતો કરતો હતો, લોકડાઉન પછી અરજી પાછી ખેચવા આવ્યો ત્યારે સાવ બદલાયેલો જણાયો હતો.
શા માટે છૂટાછેડાની અરજી પરત ખેંચવી છે? તે અંગે પૂછતા તેણે કહ્યું કે, જે બાબતોને લીધે હું તેને નીચી પાડતો હતો તે જ બાબતે આજે મારું પરિવાર ચલાવી લીધું છે. હું શહેરનો હોવાનો ગર્વ કરતો હતો, પરતું મારી નોકરી જતી રહેતા પત્નીએ એક વાર પણ મારા સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે ખાખરા અને પાપડ વેચીને ઘર ચલાવી લીધું છે.
આર્થિક ભીંસથી છૂટાછેડા વધી રહ્યા છે
કોરોના મહામારીના કારણે ઘણા લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો રોજગાર ઠપ થઈ ગયા હોવાથી લોકો બેરોજગાર બની ગયા છે. આવા સમયે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. શહેરના જાણીતા સાઇકોલોજિસ્ટ પણ જણાવી રહ્યા છે કે, હાલ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર પરિવાર પર જોવા મળી રહી છે. બીજી તરફ ઘરેલું હિંસાની પણ ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મગજ શાંત રાખવું જરૂરી છે. પતિ હોય કે પત્ની દરેકે એકબીજાને સમજવાની જરૂર છે. બંનેએ એકબીજાને આવા કપરા સમયમાં મદદ કરવી જોઈએ. આમ માનસિક રીતે રાહત થશે. પતિ-પત્નીનો મનમેળ ન હોવાના ઘણાં કારણો હોય છે, પણ આ પ્રકારના કિસ્સા સમાજની આંખો ખોલે છે. બીજું મોટું કારણ એ પણ હોય છે કે, શહેરી માનસિકતા ધરાવતા કેટલાક પુરુષોમાં એવી પણ માનસિકતા હોય છે કે, પત્નીએ નોકરી-ધંધો ન કરવો જોઈએ. જે તદ્દન ખોટી છે.
બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. એક્ટિવ કેસમાં થઇ રહેલાં વધારાને કારણે આવનારા દિવસોમાં હોસ્પિટલો પર ભારણ વધી શકે છે, કારણ કે આ તમામ દર્દીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડે તેવી સ્થિતિમાં હોય છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.
24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આમ આ બે પખવાડિયામાં 2,943 એક્ટિવ કેસ વધી ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 1,994 મૃત્યુ થયાં છે અને હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. 15 જુલાઈથી અહીં વિઝા ઓન અરાઈવલ સિસ્ટમ શરૂ થશે. પર્યટકોએ પહેલેથી હોટલ બુકિંગ કરાવવું પડશે. સમુદ્ર કિનારે 67 સ્પેશિયલ વીલા બનાવાયા છે. અહીં દરેક મહેમાનને એક રુફ ડેક વાળો વીલા મળશે અને પ્રાઈવેટ પૂલ મળશે. માલે એરપોર્ટથી સ્પીડબોટ દ્વારા અહીં 60 મિનિટમાં પહોંચી શકાશે.
કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજથી સાઉથહેમ્પટનમાં પ્રથમ ટેસ્ટ રમશે. ઘણા ફેરફારો જોવા મળશે. પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ ખાલી લાગશે. ચાર મહિનાથી ક્રિકેટ રમાયું નથી, આને કારણે, દરેક દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થયું હતું. સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શ્રીલંકાએ કેટલાક કર્મચારીઓને નિકાળી પણ દીધા હતા.
ICCએ નિર્ણય લીધો છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ જે જર્સી પહેરે છે, તેમાં સ્પોન્સર લોગો પહેલા કરતા ઘણો મોટો હશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સ્પોન્સર્સને પ્રોત્સાહન મળી શકે અને તેઓ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહે.
સ્પોન્સર લોગોમાં શું બદલાવ થશે?
ટેસ્ટ ક્રિકેટમાં પ્લેયર્સની જર્સીમાં વધુ બદલાવ કરવામાં નહિ આવે. અત્યાર સુધી સ્પોન્સર લોગો 10 સ્કવેર ઇંચનો જોવા મળતો હતો, હવે તેની સાઈઝ ત્રણ ગુણા વધી જશે. 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો લોગો દેખાશે. તે ટી-શર્ટ અને સ્વેટર પણ હશે. એક વર્ષ માટે આ સાઇઝના લોગોને મંજૂરી આપવામાં આવી છે.
એક ફેરફાર જે પહેલા કરવામાં આવ્યો
ICCએ જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ તો જર્સીમાં એક ફેરફાર કર્યો હતો. દરેક પ્લેયરની જર્સીની પાછળ તેનું નામ અને જર્સી નંબર હતો. આ મૂવનો વિરોધ પણ થયો હતો. પરંતુ ICCએ કહ્યું હતું કે, દૂર બેઠેલા દર્શકો પ્લેયર્સને ઓળખી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.
ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.
4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
11 જૂન | 513(330) |
12 જૂન | 495(327) |
13 જૂન | 517 (344) |
14 જૂન | 511(334) |
15 જૂન | 514(327) |
16 જૂન | 524(332) |
17 જૂન | 520(330) |
18 જૂન | 510(317) |
19 જૂન | 540(312) |
20 જૂન | 539 (306) |
21 જૂન | 580(273) |
22 જૂન | 563(314) |
23 જૂન | 549(235) |
24 જૂન | 572(215) |
25 જૂન | 577 (238) |
26 જૂન | 580(219) |
27 જૂન | 615(211) |
28 જૂન | 624(211) |
29 જૂન | 626(236) |
30 જૂન | 620(197) |
1 જુલાઈ | 675(215) |
2 જુલાઈ | 681(211) |
3 જુલાઈ | 687(204) |
4 જુલાઈ | 712(172) |
5 જુલાઈ | 725(177) |
6 જુલાઈ | 735(183) |
7 જુલાઈ | 778(187) |
કુલ 37,636 દર્દી,1,979ના મોત અને 26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 22,262 | 1,498 | 17,193 |
સુરત | 6,458 | 192 | 4083 |
વડોદરા | 2701 | 51 | 1897 |
ગાંધીનગર | 754 | 32 | 559 |
ભાવનગર | 394 | 13 | 193 |
બનાસકાંઠા | 264 | 14 | 176 |
આણંદ | 256 | 13 | 216 |
અરવલ્લી | 233 | 24 | 190 |
રાજકોટ | 470 | 12 | 158 |
મહેસાણા | 344 | 12 | 164 |
પંચમહાલ | 220 | 16 | 158 |
બોટાદ | 105 | 3 | 69 |
મહીસાગર | 161 | 2 | 118 |
પાટણ | 254 | 17 | 137 |
ખેડા | 228 | 13 | 144 |
સાબરકાંઠા | 211 | 9 | 131 |
જામનગર | 289 | 5 | 158 |
ભરૂચ | 329 | 10 | 163 |
કચ્છ | 209 | 6 | 110 |
દાહોદ | 85 | 1 | 49 |
ગીર-સોમનાથ | 94 | 1 | 51 |
છોટાઉદેપુર | 66 | 2 | 50 |
વલસાડ | 250 | 5 | 85 |
નર્મદા | 96 | 0 | 88 |
દેવભૂમિ દ્વારકા | 28 | 2 | 18 |
જૂનાગઢ | 198 | 4 | 68 |
નવસારી | 166 | 2 | 82 |
પોરબંદર | 21 | 2 | 15 |
સુરેન્દ્રનગર | 211 | 8 | 118 |
મોરબી | 48 | 1 | 19 |
તાપી | 28 | 0 | 8 |
ડાંગ | 4 | 0 | 4 |
અમરેલી | 111 | 8 | 48 |
અન્ય રાજ્ય | 88 | 1 | 24 |
કુલ | 37,636 | 1,979 | 26,744 |
જય માતા દીના જયકાર સાથે ગૂંજતા કટરાના રસ્તાઓ ઉપર આ દિવસોમાં સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે. અમુક દુકાનો જ ખુલી રહે છે, ઘણાં લોકો બહાર જોવા મળે છે. આ પહેલાં અહીં ક્યારેય આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું નથી. શ્રી વૈષ્ણો દેવીના દર્શનને લઇને ભાસ્કરે અહીંના પૂજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમાર સાથે વાતચીત કરી.
તેમના જણાવ્યાં પ્રમાણે, અહીં જલ્દી જ દર્શન શરૂ થઇ શકશે. જેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શનની મંજૂરી મળશે. દર્શન માટે કટરા આવતાં પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકડાઉન બાદથી જ અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉપર પ્રતિબંધ છે.
પરંતુ, રોજ સવાર-સાંજ પૂજા થઇ રહી છે. બાબા શિવધરના વંશજ અહીં પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષથી પૂજા કરી રહ્યા છે. હાલ પરિવારના ચાર લોકો- અમીર ચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ એક પછી એક પૂજા કરે છે.
ભાસ્કર સાથે વાતચીતમાં પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૂજા થાય છે. હાલ ભવનમાં લગભગ 20 શ્રાઇન બોર્ડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 1986માં શ્રાઇન બોર્ડની સ્થાપના થઇ. ત્યારથી શ્રદ્ધાળુઓની સુવિધાઓની જવાબદારી બોર્ડ પાસે જ છે.
તેમણે જણાવ્યું કે, 500 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, દર્શન રોકી દેવામાં આવ્યાં છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીં દર્શન ઉપર પ્રતિબંધ હતો નહીં. હવે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જેને લઇને શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરીઃ-
સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, દર્શનને લઇને તૈયારી ચાલી રહી છે, પરંતુ તારીખોને લઇને અંતિમ નિર્ણય અથોરિટીએ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઇ છે. આ વર્ષે દર્શનની પ્રક્રિયામાં ફેરફાર થશે.
ભીડને કાબૂ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્શન માટે આવતાં યાત્રીઓનું કટરા ટ્રેક એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ થશે. માસ્ક પહેરવો જરૂરી. વિવિધ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.
નાના-નાના સમૂહમાં ચઢાઇ થશેઃ-
યાત્રીઓને નાના-નાના સમૂહમાં વહેંચીને અને થોડાં અંતરમાં જ આગળ વધારવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે. પંડિત જી હવે ભક્તોને ટીકો લગાવી શકશે નહીં. ભક્તોને ટીકો કેવી રીતે લગાવવામાં આવે તેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.
બાળકો અને વડીલોને યાત્રા કરવાની મનાઇઃ-
ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી મળશે નહીં. જે લોકોમાં કોઇ કોરોનાના લક્ષણ જોવામાં આવશે તેમનું ચેકઅપ થશે. એક દિવસમાં પાંચ હજારથી સાત હજાર લોકોને દર્શનની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે સામાન્ય સમયમાં આ સીઝનમાં 35 હજારથી વધારે લોકો એક દિવસમાં દર્શન કરવા માટે આવતાં હતાં.
18 માર્ચથી વૈષ્ણો દેવીની યાત્રા બંધ થઇ ગઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધી એક કરોડ રૂપિયા ઓનલાઇન માધ્યમથી એકઠા થયાં છે. જ્યારે પહેલાં આ સીઝનમાં એક દિવસ 50 થી 60 લાખ રૂપિયા દરરોજ દાન સ્વરૂપે આવતાં હતાં.
ઓનલાઇન દાન આપીને પોતાના નામનો હવન કરાવી શકાશેઃ-
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડમાં લગભગ ત્રણ હજારથી વધારે કર્મચારી અને અધિકારી છે. આ બધા લોકો પ્રોટેક્ટિવ વસ્તુઓ પહેરેલાં જોવા મળશે. મોબાઇલ એપ પણ જલ્દી જ લોન્ચ થઇ શકે છે, જેમાં ઓનલાઇન દર્શન સિવાય રજિસ્ટ્રેશન કરાવવા અને દાન આપવાની સુવિધા રહેશે. લોકો દાન આપીને પોતાના નામથી હવન પણ કરાવી શકે છે.
બુધવાર, 8 જુલાઈએ શ્રાવણ મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બુધવાર અને ચોથના યોગમા ગણેશજી સાથે જ બુધગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશ પૂજામાં ભગવાનના 12 નામ મંત્રનો જાપ કરો. જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.
ગણેશજીની પૂજા આ રીતે કરી શકો છોઃ-
ગણેશ ચોથના દિવસે સવારે જલ્દી જાગવું, સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીના વાસણથી બનેલી શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત કરો. ગણેશજીને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. ચોખા સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો.
ગણેશ મંત્ર ૐ ગં ગણપતયૈ નમઃ બોલીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂરથી આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અર્પણ કરો.
ગણેશજીના આ 12 નામ મંત્રનો જાપ કરોઃ-
ગણેશજીને દૂર્વાની 11 અથવા 21 ગાંઠ ચઢાવો અને દૂર્વા ચઢાવતી સમયે આ મંત્રનો જાપ કરો. ૐ ગણાધિપતયૈ નમઃ. ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.
બુધ ગ્રહ માટે આ શુભ કામ કરોઃ-
દર બુધવારે બુધ ગ્રહ માટે વિશેષ પૂજન કરવું જોઇએ. આવું કરવાથી કુંડળીના બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. બુધવારે લીલા મગનું દાન કરો. ગણેશ પૂજામાં બુધના મંત્ર ૐ બું બુધાય નમઃનો જાપ 108વાર કરો.