Ad

Friday, April 17, 2020

ગુજરાતમાં સાજા થયેલા કોરોનાના દર્દીના પ્લાઝ્માથી પોઝિટિવના ઇલાજનો પ્રયોગ થશે 

ગુજરાતમાં હાલ સરકારી તથા ખાનગી તબીબોની એક સંયુક્ત ટીમ નવા સંશોધન સાથે એક પ્રયોગ કરવા માગે છે. જેમાં અત્યાર સુધીમાં સાજા થઈને ગયેલા કુલ 86 દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્મા છૂટા પાડી તેને હાલ વેન્ટિલેટર પર રહેલા કે ગંભીર ચેપ ધરાવતા દર્દીઓને ચઢાવવામાં આવે તો તે પણ ઝડપથી સાજા થઈ શકે છે. આ પ્રયોગ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધનને અનુમતિ માટે રજૂઆત કરી છે.
કેન્દ્ર સરકાર અનુમતિ આપી દે પછી ઇલાજની શરૂઆત કરાશે
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અમદાવાદના ડો. કમલેશ ઉપાધ્યાય આ અંગે હાલ કામ કરી રહ્યા છે અને તેમાં ડો. આર કે પટેલ, ડો અતુલ પટેલ અને અન્ય તબીબો સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેના ખૂબ સારા પરિણામો મળી શકશે. કેન્દ્ર સરકાર અનુમતિ આપી દે પછી તેની શરૂઆત કરાશે.

વર્ષો પહેલાં યુરોપમાં આ પદ્ધતિ અપનાવાઈ હતી
આ પદ્ધતિમાં સાજા થઈને ગયેલા દર્દીઓને રક્તદાન કરવાનું રહેશે અને તેમના લોહીમાંથી આ પ્લાઝ્મા મેળવાશે. અગાઉ ઘણા વર્ષો પહેલાં યુરોપમાં ફેલાયેલી બિમારીમાં દર્દીઓને તે જ બિમારીથી સાજા થયેલા લોકોના લોહી ચડાવવાથી લોકો ઝડપી સાજા થતા જોવા મળ્યા હતા. હાલમાં રસી અને દવાના સંશોધન માટે પણ સાજા થઈને ગયેલા લોકોના પ્લાઝ્મા પર વિશ્વના અનેક સ્થળોએ પ્રયોગ થઈ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3etHqvD

નિષ્ણાંતોએ કહ્યું- કોરોનાની અસર લાંબા સમય સુધી રહેશે; બિઝનેસ ડૂબવા, નોકરી જવા, બેઘર થવાના ડરથી લોકોમાં ડિપ્રેશન વધ્યું

કોરોના વાઈરસથી દુનિયાભરમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે આ ત્રાસદાયક ઘટનાને કારણે સમગ્ર દુનિયાએ ખરાબ માસિક સ્વાસ્થ્યનો સામનો કરવો પડી રહ્યો છે અને લાંબા સમય સુધી તેની અસર જોવા મળશે. માનસિક વિકાર સંબંધિત ન્યૂરોસાયન્ટિસ્ટ, મનોચિકિત્સક અને મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે લોકોની માનસિક સ્થિતિ પર કોઈ અસર ન થાય તે માટે તમામ દેશોએ લક્ષણ આધારિત સારવાર અને રિસર્ચને પ્રોત્સાહન આપવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવું જોઈએ. સાથે જ આવા મામલા પર દુનિયાભરમાં એકસાથે નિરીક્ષણ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.
સમાજ પણ પ્રભાવિત થશે
ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર રોરી ઓકોનરે કહ્યું કે દારૂના નશાની ટેવ, જુગાર, સાઇબર બુલિંગ, સંબંધો તૂટવા, બેઘર થવાના કારણે ચિંતા અને ડિપ્રેશનથી અસામાન્ય વર્તન કરનારાની અવગણનાથી આગળની સમસ્યા હજુ વધશે. સંકટના આ સમયે લોકોની આવી સમસ્યાઓની અવગણના કરવાથી ન ફક્ત તેમનું જીવન, સમાજ પણ પ્રભાવિત થશે. એવા લોકો પર નજર રાખવાની જરૂર છે જે ગંભીર રીતે ડિપ્રેશનમાં છે, કાં તે આત્મઘાતી પગલાં ભરવા વિચારે છે. તેમના પર મોબાઇલ ફોન જેવી નવી ટેક્નોલોજીના માધ્યમથી નજર રાખવાની જરૂર છે.
માર્ચના અંત સુધીમાં 1099 લોકોનો સરવે કર્યો
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રો. એડ બુલમોરે કહ્યું કે આપણે ડિજિટલ સંસાધનોનો ઉપયોગ કરવો જોઇએ. લોકોના માનસિક સ્વાસ્થ્યને ચકાસવા માટે સ્માર્ટ રીત શોધવી પડશે, ત્યારે જ આ પડકારનો સામનો કરી શકાશે. ખરેખર બ્રિટનમાં લેન્સેટ સાઈકેટ્રીએ માર્ચના અંત સુધીમાં 1099 લોકોનો સરવે કર્યો હતો. તેમાં જાણ થઇ કે લૉકડાઉન અને આઈસોલેશનમાં રહેવાના કારણે લોકોમાં બિઝનેસ ડૂબી જવા, નોકરી જવા અને બેઘર થવાનો ભય પેદા થઈ ગયો છે.
અહીં દેશમાં પણ માનસિક પીડિતોની સંખ્યા 15થી 20 ટકા વધી
ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના સરવે મુજબ કોરોના વાઈરસના આવ્યા પછી દેશમાં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા 15થી 20 ટકા વધી ગઈ છે. દુનિયાભરમાં તમામ સ્વાસ્થ્યકર્મીઓમાં ફક્ત 1 ટકા હેલ્થ વર્કર્સ જ મેન્ટલ હેલ્થની સારવાર સાથે સંકળાયેલા છે. ભારતમાં તેનો આંકડો ખૂબ જ ઓછો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ak67qW

અમદાવાદમાં થલતેજના 92 વર્ષના વૃદ્ધે અને વટવાની બે વર્ષની બાળકીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદમાં છેલ્લા 30 દિવસમાં એક જ દિવસમાં એક સાથે કોરોનાની સારવાર લઈ રહેલા છ લોકો સાજા થઈ ગયાના સૌથી સુખદ સમાચાર છે. કોરોનાની બિમારી બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી છે. પણ શુક્રવારે 92 વર્ષના વૃદ્ધ અને એક બે વર્ષની બાળકીને એસવીપીમાંથી રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત 8 વર્ષના બાળક, 31 વર્ષની યુવતી, 45 વર્ષીય અને 49 વર્ષીય વ્યક્તિ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યારસુધી શહેરમાં કુલ 23 લોકો સાજા થયા છે.
માતા ગર્ભવતી હોવાથી પિતા પુત્રી સાથે આઠ દિવસ જોડે રહ્યા
થલતેજના 92 વર્ષના વૃદ્ધે હિંમતથી કોરોનાને હરાવ્યો હોવાનું સારવાર કરનારા તબીબોનું કહેવુ છે. વટવામાં રહેતી બે વર્ષની બાળકીને પણ આઠ દિવસ પહેલા કોરોના પોઝિટિવ થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બે વર્ષની બાળકીને દાખલ કરાઈ તેના બે કે ત્રણ દિવસ પહેલા જ તેની માતા ગર્ભવતી બની હતી જેના લીધે હોસ્પિટલમાં તેની માતા નહીં પણ પિતા આઠ દિવસ જોડે રહ્યા હતા. જ્યારે માતા અને નવજાતને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા હતા. આ અંગે બાળકીના પિતા આરીફ મન્સુરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી બે વર્ષની દિકરીને જ્યારે સહેજ તાવ આવ્યો ત્યારે તાત્કાલિક અમે નજીકના સરકારી દવાખાને લઈ ગયા. તેમણે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાનું કહેતા કંઈ પણ વિચાર્યા વિના અને અમે સરકારી દવાખાનમાં જ દિકરીના સેમ્પલ લેવડાવ્યા હતા અને બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘરે આવેલા હેલ્થ વિભાગના ડોક્ટરો દિકરીને એસવીપીમાં દાખલ કરવા લઈ ગયા.
SVPના ડોક્ટરો મારી દિકરી માટે ફરિસ્તા બનીને આવ્યા
દિકરી નાની હોવાથી અને માતા પણ સાથે નહીં હોવાથી હોસ્પિટલમાં હું ગયો હતો. મને પણ ચેપ ન લાગે તે માટે હોસ્પિટલમાંથી એક ખાસ કીટ, માસ્ક આપ્યાહતા. ચેપ ન લાગે તેની માટે શું કાળજી રાખવી તેના દરેક નિયમો સમજાવ્યા હતા. હું મારી દિકરીથી એક મીટર દૂર આઠે આઠ દિવસ કીટ પહેરીને બેસતો હતો. એસવીપીના ડોક્ટરો મારી દિકરી માટે ફરિસ્તા બનીને આવ્યા હતા. 24 કલાક તેમણે મારી દિકરીની સારસંભાળ રાખી. હું તમામનો આભાર માનું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3afKcBd

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતા પણ કોરોનાના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. આવતા દિવસોમાં આ સ્થિતિ વધુ વણસે તેમ સરકારને ભય સતાવી રહ્યો છે. આ કારણે સરકારે હવે વધુ સંખ્યામાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા ખરીદવા અને ઓક્સિજન ગેસ સિલિન્ડરનો સ્ટોક જાળવી રાખવા આદેશ કર્યા છે. વિશ્વ આખામાં કોવિડ-19 વાઇરસથી લાખો લોકો સંક્રમિત થયા છે તેમજ અત્યાર સુધી સવા લાખ કરતા પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે તે ગંભીરતાને ધ્યાને રાખી ગુજરાત સરકારના FDCA (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવતી નવી 13 કંપનીને 21 પ્રકારની જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરવા મંજૂરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં ઓક્સિજન તૈયાર કરતા તમામ પ્લાન્ટને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક
આ અંગે FDCAના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સંધિવા સહિત અન્ય બીમારી માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા ઉપયોગમાં લેવાય છે. અત્યાર સુધી ગુજરાતની 28 કંપની પાસે હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ અને રો મટિરિયલ બનાવવા 67 પ્રોડ્કટની મંજૂરી હતી, પરંતુ હવે કોરોના માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા નવી 13 કંપનીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વિનની પ્રોડક્ટ બનાવવા મંજૂરી અપાઈ છે. ડૉ. કોશિયાએ કહ્યું કે, હાલ રાજ્યની તમામ કંપનીઓ અને દવાની દુકાનોમાં આશરે આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક છે. રાજ્ય સરકાર પાસે પુરતા સ્ટોકમાં ટેબલેટ ઉપલબ્ધ છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એક્સપાયરી ડેટ બે વર્ષની હોવાથી વધુ એક કરોડ ટેબલેટ માટે ઓર્ડર કરાયો છે.
હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ
ભારતમાં થતા કુલ દવાના પ્રોડક્શનમાં ગુજરાત અગ્રેસર છે તેમજ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવવામાં રાજ્ય પ્રથમક્રમે છે. રાજ્યની ઘણી ફાર્મા કંપનીઓ વર્ષોથી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા વિશ્વમાં નિકાસ કરી રહી છે. ફાર્મા કંપનીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, હાલ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ છે, પરંતુ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હોવાથી સરકાર સાથેના પરામર્શ વગર તેને ભારત બહાર મોકલી શકાતી નથી.
ગુજરાતમાં દરરોજ 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન
કોરોનાના કારણે સ્થિતિ વધુ વણસે અને હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા સરકાર દ્વારા પુરતો બંધોબસ્ત કરાયો છે. ડૉ. કોશિયાના જણાવ્યા પ્રમાણે ગુજરાત પાસે જરૂરિયાત કરતા ચાર ગણો ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ છે. ગુજરાતમાં 36 ઓક્સિજન પ્લાન્ટમાં દરરોજ 18000 સિલિન્ડર તૈયાર થાય છે. આ ઉપરાંત 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. સરકારની ટીમ ઉત્પાદકો, સપ્લાયર અને કંપનીઓના સંકલનમાં છે. તેઓ ઓક્સિજનના સ્ટોક ઉપર ધ્યાન આપી રહ્યાં છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2VyEoxw

અમદાવાદની પહેલી પોઝિટિવ યુવતી 30 દિવસ પછી પણ હોસ્પિટલમાં

સેટેલાઈટમાં રહેતી અને ન્યૂયોર્કથી આવેલી શહેરની પહેલી પોઝિટિવ 21 વર્ષીય યુવતી 30 દિવસેય પણ એસવીપીમાં છે. અત્યારસુધી નવ ટેસ્ટમાં બે વાર રિપોર્ટ નેગેટિવ, એક વાર પ્રોપર પરિણામ ન આવ્યું, બાકી 6 વખત પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે કરેલો રિપોર્ટ નેગેટિવ આવતા એકાદ-બે દિવસમાં તેને રજા મળી શકે.
અત્યાર સુધી કરાયેલા 9 ટેસ્ટનું પરિણામ

તારીખ પરિણામ
18 માર્ચ પોઝિટિવ
23 માર્ચ પોઝિટિવ
27 માર્ચ નેગેટિવ
29 માર્ચ પોઝિટિવ
3 એપ્રિલ પોઝિટિવ
7 એપ્રિલ પોઝિટિવ
12 એપ્રિલ પ્રોપર રિપોર્ટ નહીં
13 એપ્રિલ પોઝિટિવ
16 એપ્રિલ નેગેટિવ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2RNwTSm

Times Evoke: ‘Trees permit human beings to exist'



from Times of India https://ift.tt/3cuTafo

Agonising wait for non-Covid patients in Delhi

Agonising wait for non-Covid patients in Delhi

from India Today | Top Stories https://ift.tt/3cm5Kh4

No private school allowed to increase fees during coronavirus lockdown: M

No private school allowed to increase fees during coronavirus lockdown: M

from India Today | Top Stories https://ift.tt/2wNcJ3w

Def Col man dies, family says didn't blame the guard

Def Col man dies, family says didn't blame the guard

from India Today | Top Stories https://ift.tt/3eySveP

Thursday, April 16, 2020

Central govt clerk amasses Rs 1.7 crore, caught after he stops withdrawing salary for months

Central govt clerk amasses Rs 1.7 crore, caught after he stops withdrawing salary for months

from India Today | Top Stories https://ift.tt/3cn3VR2

Good news: Zero Covid-19 cases in Odisha in two days

Good news: Zero Covid-19 cases in Odisha in two days

from India Today | Top Stories https://ift.tt/3cn3Vk0

South Korea election: Coronavirus battle propels ruling party to landslide win

South Korea election: Coronavirus battle propels ruling party to landslide win

from India Today | Top Stories https://ift.tt/2KctuYZ

India sending Hydroxychloroquine to 55 countries, will not procure PPES from China

India sending Hydroxychloroquine to 55 countries, will not procure PPES from China

from India Today | Top Stories https://ift.tt/3bhUVwm

Encounter breaks out between security forces, militants in J&K's Shopian

Encounter breaks out between security forces, militants in J&K's Shopian

from India Today | Top Stories https://ift.tt/2KcjpLI

Why coronavirus is killing more men than women | Expert explains

Why coronavirus is killing more men than women | Expert explains

from India Today | Top Stories https://ift.tt/3cmt2DF

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણ પોતે કેન્સરગ્રસ્ત હોવા છતાં હાલમાં કતારગામ આશ્રય નજીકના પીએચસીમાં શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યા છે. ત્યાં લોકોને સાંત્વના આપતા તેઓ કહે છે, ‘મને કેન્સર હોવા છતાં હું તમારા એક ગંભીર બિમારીના સેમ્પલ લઉં છું’. પોતે કેન્સર પીડિત હોવા છતાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ પર આવી પ્રજા માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. આ સેવકની કતારગામ સહિત શહેરભરમાં પ્રસંશા થઈ રહી છે.

પીપીઈ સૂટની ડિઝાઈન પ્રમાણે કોઈ વ્યક્તિ આ સૂટમાં વધુ સમય રહી શકે નહીં
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય લોકો કરતા કેન્સર પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઓન્કો તબીબ વાઈરલ ઇન્ફેક્શનથી બચવા વારંવાર ટકોર કરતાં હોય છે પણ સંકટ સમયને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપ્રેમ નિભાવવા અગત્યની ફરજ મળી તે બદલ ગર્વ અનુભવું છું.પરિવાર ચિંતિત પણ મનોબળ આપે છેલેબ ટેક્નિશિયન કહે છે, આ માટે મારો પરિવાર ચિંતામાં રહતો હોય છે. જોકે, પરિવાર એજ્યુકેટ હોવાથી મારી સ્થિતિ સમજે છે અને સહકાર સાથે મનોબળ પુરુ પાડે છે. આ કામથી ભય નથી પણ પીપીઈ શુટ પહેર્યા બાદ એક દર્દી તરીકે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પીપીઈ સૂટની ડિઝાઈન પ્રમાણે કોઈ વ્યક્તિ આ સૂટમાં વધુ સમય રહી શકે નહીં.
સારવાર રદ કરી ફરજ પર હાજર થયા, સરેરાશ 25 સેમ્પલ લે છે
લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણને કરોડજ્જુ પાસે કેન્સર છે. આ બિમારી સામે ચાર વર્ષથી તેઓ ફાઈટ આપી રહ્યા છે. મોટા ભાગની સારવાર પુરી કરી લીધી છે. જોકે, ઓન્કો ડોક્ટર્સ પાસે નિદાન માટે ફોલોઅપ ચાલુ છે. મુંબઈની હોસ્પિટલમાં અપોઈન્ટમેન્ટ રદ કરી તેઓ નિયમિત ફરજ પર હાજર થઈ રહ્યા છે અને સરેરાશ 25 જેટલા લોકોના કોરોના સેમ્પલ લે છે. આ માટે ઉચ્ચ અધિકારીઓ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણ, જેઓ કેન્સરની સારવાર ચાલુ છતાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે.


from Divya Bhaskar https://ift.tt/3cB6NtV

ટોચના તબીબી નિષ્ણાતે કહ્યું- ચીનમાં નવેમ્બર સુધીમાં કોરોના પાછો ફેલાઇ શકે છે

ચીનના એક ટોચના તબીબી નિષ્ણાતે ચેતવણી આપી છે કે ચીન તથા અન્ય દેશોમાં નવેમ્બરમાં કોરોના પાછો ફેલાઇ શકે છે. તેમણે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે ચીનમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે.
દુનિયા કોરોના પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેશે તેવી આશા

શાંઘાઇમાં કોરોના નિષ્ણાત ટીમ અને ટોચની હોસ્પિટલોમાં ચેપીરોગ વિભાગનું નેતૃત્વ કરી રહેલા ઝાંગ વેંહોંગે આશા વ્યક્ત કરી કે દુનિયાના દેશો કોરોના અંગે લચીલું વલણ અપનાવશે. તેમણે કહ્યું કે દુનિયા કોરોના પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેશે પણ આગામી શિયાળામાં ચીન તથા અન્ય દેશોએ આ રોગચાળાનો ફરી સામનો કરવો પડે તેવું બને.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2RJFjtX

Watch: Guwahati traffic cops perform Bihu dance, give sweet lockdown message

Watch: Guwahati traffic cops perform Bihu dance, give sweet lockdown message




from News - Videos - The Times of India https://ift.tt/2VeWYM7

Lockdown and layoffs: As India fights against Covid-19, many face job loss and salary cuts

Lockdown and layoffs: As India fights against Covid-19, many face job loss and salary cuts

from India Today | Top Stories https://ift.tt/2xAIL3b

Arunchal Pradesh's lone Covid-19 patient tests negative again

Arunchal Pradesh's lone Covid-19 patient tests negative again

from India Today | Top Stories https://ift.tt/2ynvkDA

UP man defies lockdown to host party on son's birthday, booked

UP man defies lockdown to host party on son's birthday, booked

from India Today | Top Stories https://ift.tt/2KebCNk

ચીની વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમ સુરક્ષિત નથી, આ 6 સ્ટેપ તમને સેફ રાખી શકે

લૉકડાઉનના કારણે સ્કૂલ-કોલેજ અચોક્કસ મુદ્દત માટે બંધ છે એવામાં અભ્યાસ ખોરવાય નહીં તે માટે ભારત સહિત 20 દેશની 90 હજાર સ્કૂલ ઝૂમ ઍપ દ્વારા ઓનલાઇન ભણાવી રહી છે. રાજસ્થાનની પણ ઘણી સ્કૂલ આ ઍપ યુઝ કરે છે પણ જોખમ એ છે કે સાયબર ગુનેગારો આ ઍપ પરથી યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી રહ્યા છે. ઝૂમ ઍપ પર સ્ક્રીન શૅરિંગ ફીચરનો લાભ ઊઠાવી સાયબર ક્રિમિનલ્સ ક્લાસ કે સેશન દરમિયાન સ્ક્રીન પર વાંધાજનક કન્ટેન્ટ પણ પોસ્ટ કરી શકે છે. આને ‘ઝૂમ બોમ્બિંગ’ કહે છે.

ન્યૂયોર્કના શિક્ષણ વિભાગે ઝૂમ ઍપ પર પ્રતિબંધ લાદી દીધો

દુનિયાભરમાં વપરાતી ઝૂમ ઍપના હજારો યુઝર્સના ઇમેલ એડ્રેસ અને તેમના પાસવર્ડ ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. એક રિપોર્ટ મુજબ આવા ઝૂમ એકાઉન્ટ્સની સંખ્યા અંદાજે 5.30 લાખ છે. જોકે, ઝૂમે લાખો યુઝર્સનો ડેટા કેવી રીતે લીક થયો તે અંગે કંઇ નથી જણાવ્યું. ચિંતા એટલા માટે પણ છે કે લૉકડાઉનના કારણે આ પ્લેટફોર્મ પર બિઝનેસ મીટિંગ અને સ્કૂલ-કોલેજના ક્લાસ પણ લેવાઇ રહ્યા છે. સિંગાપોર અને તાઇવાનની સ્કૂલ્સે અને ન્યૂયોર્કના શિક્ષણ વિભાગે ઝૂમ ઍપ પર પ્રતિબંધ લાદી દીધો છે.
બાળકોના ચહેરા, અવાજ, અંગત માહિતી શૅર થવાનું પણ જોખમ
વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાનુસાર ઝૂમ ઍપ પર પોસ્ટ કરાયેલા વીડિયો દ્વારા બાળકોનો ચહેરો, તેમનો અવાજ અને અંગત માહિતી પણ શૅર થવાનું જોખમ રહેલું છે.
પબ્લિક ઝૂમ કૉલ્સ દરમિયાન ઇન્ટરનેટ ટ્રોલ્સ અને સ્ક્રીન શૅરિંગમાં વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરી શકે છે, જેના કારણે સેફ્ટી અને પ્રાઇવસીને જોખમ રહે છે.
ઉકેલ... આ 6 સ્ટેપ તમને સેફ રાખી શકે છે
1. હોમ નેટવર્ક સિક્યુરિટી

  • ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ રિસેટ કરો. રાઉટર સુરક્ષિત કરો.
  • WPA2 કે WPA3 જેવા સિક્યોર એન્ક્રિપ્શન ઓન રાખો.
  • વીડિયો કૉલ એન્ક્રિપ્ટેડ રાખો.

2. વેબકેમ આ રીતે બંધ કરો

  • વેબકેમનો ઉપયોગ ન કરી રહ્યા હો તો તેને આ રીતે બંધ કરો.
  • એન્ડ્રોઇડ માટે : સેટિંગ્સ, એપ્સ, કેમેરા, પરમિશન, ડિસેબલ કરો.
  • (અથવા કાગળ કે કપડાથી ઢાંકી દો)

3. વીપીએનનો ઉપયોગ કરો

  • વિશ્વસનીય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો યુઝ કરો.
  • તે ઓનલાઇન એક્ટિવિટીઝને એન્ક્રિપ્ટ કરશે. આઇપી એડ્રેસ કે લોકેશનની ખબર નહીં પડે.

4. મજબૂત પાસવર્ડ રાખો

  • રાઉટર માટે સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો.
  • 12 કેરેક્ટરમાં અપર કેસ, લોઅર કેસ લેટર્સ, નંબર, સિમ્બોલ કે શબ્દ.
  • ડિવાઇસનો ઉપયોગ ન કરતા હો ત્યારે લૉક રાખો.

5. સ્ક્રીન શૅરિંગ મેનેજ કરો

  • મીટિંગ કે હોસ્ટ ઍપના સ્ક્રીન શૅરિંગ ઓપ્શન મેનેજ કરો.
  • શૅર સ્ક્રીનના એડવાન્સ શૅરિંગ ઓપ્શન પર જાવ. હોસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો, વિન્ડો ક્લોઝ કરો.

6. ઝૂમ વેઇટિંગ રૂમ યુઝ કરો

  • ઝૂમ ઓપ્શન આપે છે કે મીટિંગ શરૂ થયા બાદ તેને લૉક કરી શકો, જેથી નવા પાર્ટિસિપન્ટ્સ ગ્રુપ જોઇન ન કરી શકે. તમે હોસ્ટ છો તો ઝૂમ મીટિંગ માટે પસંદ કરી શકો છો.

પોલિસીમેકર, પબ્લિક ફિગર છો તો ઝૂમ વાપરો નહીં

સાઈબર નિષ્ણાંત પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર ઝૂમ એપ ચમકતો ટાઈમબોમ્બ છે. આ ઘાતક છે. તમે પોલિસી મેકર, પબ્લિક ફિગર, કોર્પોરેટ હોન્કો હો તો ઝૂમ વાપરશો નહીં. આ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/34IoMLX

અમેરિકાના મિશિગનમાં લૉકડાઉનનો વિરોધ, હજારો લોકો માર્ગો પર, ચક્કાજામ કર્યો 

કોરોના વાઈરસનો મુકાબલો કરવા માટે દુનિયાભરના મોટા ભાગના દેશોએ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. આ દરમિયાન અમેરિકાના મિશિગનમાં હજારો લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ લોકોએ લૉકડાઉનનો વિરોધ કર્યો હતો. મિશિગન કન્ઝર્વેટિવ કોલાઈઝને લોકોને માર્ગો પર ઊતરવા અપીલ કરી હતી. સંગઠને આ દેખાવને ઓપરેશન ગ્રિડલૉક નામ આપ્યું છે.
અમે કેદી નથી,મિશિગનની પ્રજા ઘરમાં રહેવાનો આદેશ નહીં માને
ખરેખર મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિમરે લોકોને 30 એપ્રિલ સુધી ઘરોથી બહાર ન નીકળવા અને દુકાનો, કારખાનાં વગેરે બંધ રાખવા આદેશ કર્યો છે. લોકોએ ગવર્નર વ્હિમર સામે જ રોષ ઠાલવ્યો. તેમણે પોસ્ટર બતાવી કહ્યું કે ગવર્નર વ્હિમર અમે કેદી નથી. મિશિગનની પ્રજા ઘરમાં રહેવાનો આદેશ નહીં માને. તેના પર તેમણે મીડિયા સામે કહ્યું કે રેલીને કારણે હવે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ ગયું છે. મિશિગનમાં અત્યાર સુધી 28,059 કેસ સામે આવ્યા છે. જોકે 1921 લોકો મૃત્યુ પામ્યા છે.
વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ
મિશિગનની રાજધાની લેનસિંગમાં લોકોએ લૉકડાઉનના વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ કર્યો. તે પછી ગવર્નર વ્હિમરે ફરી એકવાર લોકોને ઘરોમાં રહેવાની ચેતવણી આપવી પડી હતી.
મેક્સિકો : ફેક્ટરી કર્મીઓએ ક્વૉરન્ટાઈન કરવા માગ કરી
મેક્સિકોમાં ઈલેક્ટ્રિક મોટર બનાવતી એક ફેક્ટરીના કર્મચારીઓએ લૉકડાઉનને ટેકો જાહેર કર્યો. તેમણે કહ્યું કે તે કોરોનાના જોખમને કારણે ફેક્ટરીમાં કામ નહીં કરે. તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકામાં લોકોએ લૉકડાઉનનો વિરોધ કર્યો.
મિશિગનની રાજધાની લેનસિંગમાં લોકોએ લૉકડાઉનના વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ કર્યો.


from Divya Bhaskar https://ift.tt/3agATAY

Trump unveils 3-phase plan to end US shutdown

In the first phase of re-opening, the guidelines say groups of more than 10 people should be avoided if appropriate distancing measures are not practical. Non-essential travel should be minimized, telework should be encouraged, and common areas in offices closed.

from Times of India https://ift.tt/3cntTE2

Community effort is key: WHO expert on Covid



from Times of India https://ift.tt/34IJE5O

Covid: India case total past 13,500, death toll 449

Madhya Pradesh along with Gujarat, which recorded 163 fresh cases, were clearly emerging as the new coronavirus crisis states. The total number of Covid-19 cases in India is now over 13,500. In Maharashtra, 286 fresh infections were detected, the third highest tally for a single day in the state, which has now breached the 3000-mark.

from Times of India https://ift.tt/3bc5jps

Domestic cases rise in Odisha amid Covid-19 lockdown; WhatsApp helpline no launched

Domestic cases rise in Odisha amid Covid-19 lockdown; WhatsApp helpline no launched

from India Today | Top Stories https://ift.tt/2XOjHk5

વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશે

કોરોના વાઇરસ સંક્રમણને કારણે સ્કૂલો બંધ થતાં બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. તેનાથી બચવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જારી કર્યું છે. કેલેન્ડર એકથી 12મા ધોરણ સુધી માટે છે. બાળક જો સ્કૂલ જાય તો શું ભણે? તેના આધારે દર સપ્તાહે કેલેન્ડર જારી કરાશે. સ્કૂલ ખુલ્યા બાદ આગળનો અભ્યાસ શરૂ કરાશે. જે મુજબ વિદ્યાર્થીઓ ઘરમાં જ વાલીઓ અને શિક્ષકોની મદદથી અભ્યાસ ચાલુ રાખી શકશે. NCERTએ કેલેન્ડરમાં ઇ-પાઠશાળા, NROER અને દીક્ષા પોર્ટલ પર અભ્યાસાનુસાર અપાયેલી ઇ-સામગ્રીની લિંક સામેલ કરી છે. આ વૈકલ્પિક કેલેન્ડર દેશની તમામ શાળા માટે છે. તેની ગતિવિધિઓ શુક્રવારથી જ શરૂ થઇ જશે. જેમની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, તે વિદ્યાર્થી કે તેમના વાલીઓને શિક્ષકો એસએમએસ કે ફોન કોલ દ્વ્રારા ગાઇડ કરી શકે છે. ઇન્ટરનેટ હશે તો વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે.
એનસીઇઆરટીનું આ કેલેન્ડર દેશની દરેક સ્કૂલ ફોલો કરશે
1. કેલેન્ડર દેશની તમામ સ્કૂલ ફોલો કરશે. વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ એજ સ્કૂલના શિક્ષક તૈયાર કરશે. મુશ્કેલી હોય તો વિદ્યાર્થી-વાલીઓ એજ શિક્ષકને ફોન કરી સમજી શકે છે.
2. વૈકલ્પિક કેલેન્ડરના હિસાબે એસાઇનમેન્ટ -પ્રોજેક્ટ આપવામાં આવશે. વિદ્યાર્થી હોમવર્કની જેમ પુરા કરશે. જ્યારે પણ સ્કૂલ ખુલશે, શિક્ષક એસેસમેન્ટ કરી વિદ્યાર્થીઓને માર્ક્સ આપી શકે છે.
3. કેલેન્ડર એ વિચારીને તૈયાર કરાયું છે કે આજે બાળક સ્કૂલ જાય તો શું ભણશે? પરિસ્થિતિ સામાન્ય થતાં જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે આગળનો અભ્યાસ શરૂ થશે.
4. એનસીઇઆરટીના ડાયરેક્ટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું કે વિદ્યાર્થી સાથે વાલી પણ એસાઇનમેન્ટનો હિસ્સો બને. આ કેલેન્ડર પુરી રીતે કરો અને શીખો કે કઇ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યું છે.
5. કેલેન્ડરમાં વિવિધ ગતિવિધિઓ જોડવામાં આવી છે. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનની ગાઇડલાઇન પણ છે. કળા, મ્યૂઝિકથી તણાવ દૂર કરવાના નુસ્ખા પણ છે.
દેશની ઇજનેરી કોલેજો ફીનું દબાણ ન કરે, સ્ટાફને ન હટાવે: AICTE
એઆઇસીટીઇએ દેશભરની ઇજનેરી કોલેજો અને ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાનોને આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે મજબૂર ન કરે. લોકડાઉન દરમિયાન કોઇ સ્ટાફને હટાવ્યા હોય તે તેને પાછો લેવાય અને બધાને નિયમિત સેલેરી આપવામાં આવે. ફરિયાદો મળી રહી હતી કે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2XHaXMw

60 વર્ષમાં પહેલી વાર એશિયાનો જીડીપી ગ્રોથ 0% રહી શકે : IMF

કોરોના વાઈરસની મહામારીના કારણે ચાલુ વર્ષે એશિયાનો આર્થિક વિકાસદર શૂન્ય રહી શકે છે. જો એવું થશે તો આ છેલ્લાં 60 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન હશે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઈએમએફ)એ આ આશંકા વ્યક્ત કરી હતી. સાથે એમ પણ કહ્યું કે ગતિવિધિઓના સંદર્ભમાં અન્ય ક્ષેત્રોની તુલનાએ એશિયા હાલ પણ શ્રેષ્ઠ સ્થિતિમાં છે. તેમ છતાં આ મહામારીની એશિયા-પેસિફિક ક્ષેત્ર પર ગંભીર અને અનપેક્ષિત અસર થશે.
આઈએમએફનો આ અંદાજ ‘કોવિડ-19 મહામારી અને એશિયા-પેસિફિક ક્ષેત્ર
1960ના દાયકા પછીનો સૌથી ઓછી વૃદ્ધ’ શીર્ષક હેઠળના એક બ્લોગમાં રજૂ કરાયો છે. તે અનુસાર એશિયાનો આર્થિક વિકાસદર વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન 4.7 ટકા અને એશિયાઈ નાણાકીય સંકટ દરમિયાન 1.3 ટકા હતો. શૂન્ય વિકાસદર આશરે 60 વર્ષની સૌથી ખરાબ સ્થિતિ હશે. જોકે હાલ પણ એશિયા ક્ષેત્ર અન્ય ક્ષેત્રોની તુલનાએ શ્રેષ્ઠ કરી શકે છે.
આઈએમએફના વડા ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું કે કોરોના વાઈરસને લીધે સભ્ય દેશો ભારે મદદની માગ કરી રહ્યા છે. 189 સભ્ય દેશો પૈકી 102 દેશ અત્યાર સુધી મદદ માગી ચૂક્યા છે. અમે સંકટગ્રસ્ત દેશોની માગ પૂરી કરવા લોન પેટે એક લાખ કરોડ ડૉલર(76 લાખ કરોડ રૂપિયા)ની નાણાકીય મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.
વૈશ્વિક જીડીપી 3 ટકા ઘટી શકે
આઈએમએફ પ્રમુખે કહ્યું કે આ એવું સંકટ છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. આ મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર 1930ના દાયકાની મહામંદી બાદથી સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક જીડીપી પણ 3 ટકા ઘટી શકે છે.
ચીનનો વિકાસદર 1.2 ટકા થઈ જવાની આશંકા
આઈએમએફ અનુસાર એશિયાના બે મોટા વેપાર ભાગીદાર અમેરિકા અને યુરોપના વિકાસદરમાં ક્રમશ: 6 ટકા અને 6.6 ટકાના ઘટાડાનો અંદાજ છે. જોકે ચીનનો આર્થિક વૃદ્ધિદર પણ 2019ના 6.1 ટકાથી ઘટીને 1.2 ટકા થઈ જવાનો અંદાજ છે. આઈએમએફએ કહ્યું કે કોરોનાના કારણે એશિયામાં ઉત્પાદકતામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. ચીને વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન જીડીપીના 8 ટકા બરાબરના રાહત ઉપાયો કર્યા હતા. તેના કારણે 2009ના વૈશ્વિક સંકટ વખતે ચીનનો વિકાસદર 9.4 ટકા રહ્યો હતો. આ વખતે ચીન એશિયાના વૃદ્ધિદરને સહારો આપવાની સ્થિતિમાં નથી.
દુનિયામાં સૌથી ઝડપી વિકાસ કરશે ભારત : આઈએમએફ
વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં ગ્રોથ નેગેટિવ રહેશે પણ બે દેશ ભારત અને ચીનમાં વિકાસદર પોઝિટિવ જોવા મળશે. ચીનના વિકાસદરનો અનુમાન 1.2 ટકા અને ભારતના વિકાસદરનું અનુમાન સૌથી વધુ 1.9 ટકા રહેશે. 2021માં ચીન 9.2 ટકા અને ભારત 7.4 ટકાના દરે વિકાસ કરી શકે છે. આઈએમએફના એશિયા અને પેસિફિક વિભાગના નિર્દેશક ચાંગ યોંગ રીએ બુધવારે કહ્યું કે આર્થિક મંદી છતાં સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કર્યુ. અમે ભારતના આ નિર્ણયને ટેકો આપીએ છીએ. હાલ આ બિઝનેસનો સમય નથી. વર્ષના અંત સુધીમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળશે.
ભારતના ગ્રોથ અંગે વર્લ્ડ બેન્ક-આઈએમએફનું અનુમાન અતિ આશાવાદી : સુબ્રમણ્યન
નાણામંત્રાલયના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે વર્લ્ડ બેન્ક અને આઈએમએફએ ભારતના જીડીપીના આંકડા વિશે જે અંદાજ વ્યક્ત કર્યો છે તે અત્યંત આશાવાદી છે. કોરોના વાઈરસથી પ્રભાવિત અર્થતંત્રે ફરી પાટે ચઢાવવા દેશે વધારાના 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના 1.5 ટકાથી 2.8 ટકાના દરેક વિકાસ કરવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ રીતે આઈએમએફએ મંગળવારે તેના અનુમાન કહ્યું હતું કે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 1.9 ટકા રહેશે. જો ભારત આ અંદાજ મુજબ વિકાસદર કેળવશે તો આ 1991ના ઉદારીકરણ પછી દેશનો સૌથી ખરાબ વિકાસદર હશે. સુબ્રમણ્યન આર્થિક થિન્ક ટેન્ક એસીઈઆરના એક વેબિનારને સંબોધી રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આઈએમએફના વડા ક્રિસ્ટાલિના જોર્જિવા.


from Divya Bhaskar https://ift.tt/2ynOut2

સોનાની માગ 50% સુધી ઘટી શકે, 1991 બાદ સૌથી નીચલું સ્તર હશે

ભારતમાં સોનાની ખરીદી 2020માં ગત વર્ષની તુલનાએ 50 ટકા સુધી ઘટી શકે છે. જો એવું થશે તો તે ત્રણ દાયકામાં સૌથી નીચલા સ્તરે આવી જશે. કોરોના વાઇરસ મહામારી અને દેશભરમાં અમલી લૉકડાઉન તેના માટેનું સૌથી મોટું કારણ છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ઘણા તહેવારો અને લગ્નોમાં સોનાની ખરીદી પર અસર પડી છે.
2019માં સોનાની ખરીદી 690.4 ટન હતી
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન એન. અનંત પદ્મનાભને કહ્યું કે અમે સોનામાં આવો કડાકો ક્યારેય જોયો નથી. ભારતમાં 2020માં સોનાની ડિમાન્ડ 350થી 400 ટન રહી શકે,જે 1991 બાદનું ન્યૂનતમ સ્તર હશે. 2019માં સોનાની ખરીદી 690.4 ટન હતી. ઉનાળામાં લગ્નની સિઝન હોય છે, પરંતુ આ વખતે કોરોના અને લૉકડાઉનને કારણે લગ્નો મોકૂફ રહ્યાં છે તેથી સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે.
તો વેપાર ખાધ ઘટશે અને રૂપિયો મજબૂત થશે
ભારત વિશ્વમાં સોનાનું સૌથી મોટું ખરીદાર છે અને અહીં ડિમાન્ડ ઘટે છે તો તેનાથી સોનાના વૈશ્વિક ભાવોમાં ઘટાડો થવાની આશંકા છે. આ મહિનાની પ્રારંભમાં ગ્લોબલ ગોલ્ડ પ્રાઇઝ 7 વર્ષના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી હતી. જોકે માગ ઘટવાનું એક સકારાત્મક પાસું એ છે કે તેનાથી દેશની વેપાર ખાધ ઘટશે, રૂપિયો મજબૂત થશે.
2019-20માં સોનાની આયાત 14 ટકા ઘટી
વર્ષ 2019-20માં દેશમાં સોનાની આયાત 14.23 ઘટી 2820 કરોડ ડોલર (આશરે 2.1 લાખ કરોડ રૂપિયા) રહી ગઇ હતી. 2018-19માં 3291 કરોડ ડોલર (2.53 લાખ કરોડ) આયાત થઇ હતી. સોનાની આયાત ઘટતા દેશની વેપાર ખાધ ઘટવામાં મદદ મળે છે.
ઉદ્યોગ પર રોજગાર જવાની પણ અસર થશે
કોરોનાને કારણે ભારતનું અર્થતંત્ર મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. જેથી બિનસંગઠિત ક્ષેત્રની સાથે અહીં પણ રોજગાર જવાનનું જોખમ અને સેલેરી કાપ થઇ શકે છે. તેની અસર જ્વેલરી ઉદ્યોગ પર પડશે. હાલ લોકો અનિશ્ચિત ભવિષ્ય જોતા જરૂરી માલસામાન માટે પૈસા બચાવી રહ્યા છે. તેથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેની નકારાત્મક અસર નક્કી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3bhzhbI

અમદાવાદમાં લૉકડાઉનનો સૌથી વધુ ભંગ, 21 દિવસમાં 4215 કેસ, 3748 કેસ અને 6341 ધરપકડ સાથે સુરત બીજા ક્રમે

દેશભરમાં કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉનનું કડક રીતે પાલન થઈ રહ્યું છે પણ તેનો ભંગ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. કેમ કે જે શહેરોમાં સૌથી વધુ લૉકડાઉનનો ભંગ થયો ત્યાં જ કોરોના પોઝિટિવ કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે. આંકડા જણાવે છે કે ગુજરાતમાં કુલ 50 હજારથી વધુ કેસ સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 21 દિવસના લૉકડાઉનમાં સૌથી વધુ 4215 કેસ નોંધાયા હતા. જેમાં 10,204 લોકોની પોલીસે અટકાયત કરી હતી. આ જ કારણ છે કે કોરોના પોઝિટિવની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ 492એ પહોંચી ગઈ છે. અહીં સૌથી વધુ 17 મૃત્યુ પણ થયાં છે.
લૉકડાઉન તોડવા મામલે જૂનાગઢે વડોદરા અને રાજકોટને પણ પાછળ છોડ્યા
જ્યારે લૉકડાઉનનો ભંગ કરવા મામલે સુરત બીજા ક્રમે છે. અહીં 3748 કેસ લૉકડાઉન ભંગના નોંધાયા છે અને તેમાં 6341 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે લૉકડાઉન તોડવા મામલે જૂનાગઢે વડોદરા અને રાજકોટને પણ પાછળ કરી દીધા છે અને તે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સૌથી મોટું કારણ પણ આ જ છે. કેમ કે હળવામળવાના કારણે લોકો કેરિયરની જેમ કોરોનાને સમાજમાં ફેલાવી રહ્યા છે અને તેમને આ વાતની જાણ પણ નથી. કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે જ પ્રદેશમાં પોઝિટિવની સંખ્યા ગત અમુક દિવસોમાં ઝડપથી વધી છે અને અત્યાર સુધી 871 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે, જોકે 36 લોકો મૃત્યુ પણ પામ્યા છે. નવા કેસોમાં મોટા ભાગના લોકો એવા જ છે જે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે ચેપગ્રસ્ત થયા છે. લૉકડાઉન ભંગના સૌથી ઓછા કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. અહીં ફક્ત 572 કેસ નોંધાયા છે. 1562 લોકોની અટકાયત કરાઈ છે.
ક્રાઈમમાં 92 ટકા કેસ લૉકડાઉન ભંગના
પોલીસે જણાવ્યું કે રાજ્યની 80 ટકા ફોર્સ લૉકડાઉનને અમલી બનાવવા પ્રયાસ કરી રહી છે. તેમ છતાં મોટા ભાગના કેસ લૉકડાઉન ભંગના જ નોંધાયા છે. લૂંટ, ચોરી જેવા કેસની સંખ્યા ગત 21 દિવસમાં ઝડપથી ઘટી માત્ર 8.34 ટકા રહી ગઈ છે. રાજ્યમાં સરેરાશ દરરોજ 1200થી વધુ મોટા ક્રાઈમના કેસ નોંધાતા હતા જે હવે ઘટીને આશરે 100 જ રહી ગયા છે.
મહાનગરપાલિકા નિયમ તોડવામાં સૌથી આગળ
નાનાં શહેરો તથા કસ્બાની તુલનાએ રાજ્યની મહાનગરપાલિકાઓમાં લૉકડાઉન ભંગના સૌથી વધુ કેસ મળ્યા છે. આઠ મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધી 17,206 કેસ નોંધાયા છે તેમાં કુલ 29,992 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની તુલનાએ નાના શહેરોમાં આ સંખ્યા ખૂબ જ ઓછી છે. ડાંગમાં સૌથી ઓછા 50 કેસ ભંગના નોંધાયા છે.
લૉકડાઉન 1ના અંતિમ 8 દિવસોમાં સુરતથી અમદાવાદ આગળ નીકળી ગયું
આઠ મહાનગરપાલિકાથી મળેલા આંકડા અનુસાર સૌથી વધુ ઝડપથી લૉકડાઉન ભંગના કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 4,215 કેસ 21 દિવસમાં નોંધાયા હતા. જેમાંથી 6 એપ્રિલ સુધી કુલ 1,282 કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા આઠ દિવસમાં 2,933 નવા કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 6 એપ્રિલ સુધી કુલ 1,538 કેસ નોંધાયા હતા. આ રાજ્યમાં પ્રથમ ક્રમે હતું પણ છેલ્લા આઠ દિવસમાં કુલ 2,216 કેસ જ નોંધાયા. અહીં કુલ 3,748 કેસ નોંધાયા છે. તે રાજ્યમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા ક્રમે જૂનાગઢ છે જ્યાં 6 એપ્રિલ સુધી 767 કેસ નોંધાયા હતા. જોકે લૉકડાઉનના 21 દિવસ પૂરા થવા સુધી તે વધીને 2,139 થઈ ગયા.
ક્યાં કેટલા કેસ

શહેર કેસ પકડાયેલા
અમદાવાદ 4,215 10,204
સુરત 3,748 6,341
રાજકોટ 1,600 2,095
વડોદરા 2,018 3,345
જામનગર 929 643
જૂનાગઢ 2,139 3,242
ભાવનગર 1,985 2,560
ગાંધીનગર 572 1,562


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2KfyNqs

‘લૉકડાઉનમાં બુક કરાવેલી પ્લેનની ટિકિટોના પૂરા પૈસા પાછા કરો’, સરકારનો વિમાન કંપનીઓને આદેશ

સરકારે લૉકડાઉનના પહેલા તબક્કામાં 3 મે સુધીની હવાઈ મુસાફરી માટે બુક કરાવેલી વિમાનની ટિકિટો પર એરલાઈન કંપનીઓને ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પૂરા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ મુદ્દે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉનના પહેલા તબક્કા એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે જો એરલાઈન કંપનીઓએ લૉકડાઉનના પહેલા કે બીજા તબક્કા (25 માર્ચથી 3 મે) માટે ટિકિટો બુક કરી હોય, અને તેમને ‘બુકિંગનાં નાણાં લૉકડાઉન જ મળી ગયાં હોય’તો તેમને ટિકિટ કેન્સલ કરાવનારા ગ્રાહકોને તેમના પૂરેપૂરા પૈસા પાછા આપવા પડશે. આ નાણાં ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પરત કરી દેવાનાં રહેશે.

બુકિંગ અને રિફંડને લઈને ઘણી ફરિયાદો આવી રહી હતી
જોકે આ એડવાઈઝરીથી એરલાઈન કંપનીઓને પૈસા લૉકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં મળવાની શરતથી એજન્ટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી ટિકિટો બુક કરાવનારા પ્રવાસીઓને મુશ્કેલી થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે એજન્ટો થોડા સમય પછી એરલાઈન્સને પૈસા ચૂકવતા હોય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ મર્ચન્ટ્સને પૈસા આપવામાં થોડા દિવસ લે છે.

આ અગાઉ લૉકડાઉન દરમિયાન ખાનગી એરલાઈન કંપનીઓ દ્વારા ટિકિટનાં બુકિંગ અને રિફંડને લઈને આવી રહેલી ફરિયાદોને ધ્યાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગથી આ ખાનગી એરલાઈન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમની સાથે વાતચીત કર્યા પછી જ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.

કંપનીઓ અત્યારે પૈસાને બદલે વાઉચર્સ આપી રહી છે
પહેલાં જ્યારે સરકારે 14 એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે એરલાઈન કંપનીઓએ 15 એપ્રિલ અને તે પછીની મુસાફરી માટે ટિકિટોનું બુકિંગ શરૂ કરી દીધું હતું. તે વખતે નક્કી નહોતું કે 14 એપ્રિલ પછી લૉકડાઉન આગળ વધશે કે કેમ. આ રીતે બીજી વખત લૉકડાઉન આગળ વધાર્યા બાદ એરલાઈન કંપનીઓએ હવે 4 મેથી ટિકિટોનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. લૉકડાઉનને કારણે કેન્સલ થયેલી ફ્લાઈટ્સની ટિકિટોની રકમના બદલામાં એરલાઈન કંપનીઓ ગ્રાહકોને પૈસા પરત કરવાને બદલે તેટલા જ મૂલ્યનાં વાઉચર્સ આપી રહી છે. આ વાઉચર્સનો ઉપયોગ એક વર્ષ સુધી ટિકિટો ખરીદવા માટે કરી શકાય છે. આ રીતે તેઓ ગ્રાહકોને એક વર્ષની અંદર હવાઈ મુસાફરી કરવા માટે ફરજ પાડી રહી છે, પછી ભલે તેમને આવનારા સમયમાં હવાઈ મુસાફરી કરવાની જરૂર ન હોય. આ મુદ્દે ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ફરિયાદો કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Govt orders aircraft companies to refund full plane ticket booked in lockdown


from Divya Bhaskar https://ift.tt/34JXjJZ

Wednesday, April 15, 2020

Amid lockdown, migrant workers adapt new skills to earn living

Amid lockdown, migrant workers adapt new skills to earn living




from News - Videos - The Times of India https://ift.tt/2VeOMf4

Doodle: Amid Covid-19 lockdown, Google thanks food service workers

Doodle: Amid Covid-19 lockdown, Google thanks food service workers




from News - Videos - The Times of India https://ift.tt/3erMJM0

Covid: Delhi, Maha report dip in new cases

Delhi recorded just 17 new cases, its lowest single-day tally in April. Maharashtra reported 232 — the lowest figure in the last six days and a dip by 34% from Tuesday’s numbers. MP recorded its highest single-day tally of 197. More than 1100 people have recovered from the disease across India as per the data shared by the states. At 218, Kerala has maximum such recoveries.

from Times of India https://ift.tt/3cqTyMd

Lockdown: COVID-19 medical team encounters tigers in MP's Mandal

Lockdown: COVID-19 medical team encounters tigers in MP's Mandal




from News - Videos - The Times of India https://ift.tt/34GZbTW

COVID-19 crisis: Mime artist raises awareness about corona prevention methods in Bhubaneswar

COVID-19 crisis: Mime artist raises awareness about corona prevention methods in Bhubaneswar




from News - Videos - The Times of India https://ift.tt/2K8F5s7

Youth feed India: Celebrities support initiative to feed poor during lockdown

Youth feed India: Celebrities support initiative to feed poor during lockdown

from India Today | Top Stories https://ift.tt/3a93IQ5

From Trump vs WHO to countries battling coronavirus as global cases cross 2 million | Top developments

From Trump vs WHO to countries battling coronavirus as global cases cross 2 million | Top developments

from India Today | Top Stories https://ift.tt/3eoiHc4

India to supply hydroxychloroquine to UAE soon, says Indian Envoy to Abu Dhabi

India to supply hydroxychloroquine to UAE soon, says Indian Envoy to Abu Dhabi

from India Today | Top Stories https://ift.tt/2V9W03L

IMF backs India's 'proactive' Covid-19 response

IMF backs India's 'proactive' Covid-19 response

from India Today | Top Stories https://ift.tt/3clrXfb