Ad

Wednesday, April 15, 2020

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

ઇટાલી લૉકડાઉનના છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. લોકો અનિશ્ચતતા, નિરાશા, અવિશ્વાસ, ડર અને ચિંતાની સાથે જીવી રહ્યા છે. કંપનીઓએ લોકોને રજા પર મોકલી દીધા છે. ત્યારે બેચેની, નકારાત્મક્તા, અસુરક્ષાનું જોખમ મજબૂત સામાજિક તણાવમાં ફેરવાઇ ગયું છે. અહીં લોકોએ કોરોના વાઈરસની સાથે જ જીવવા અને કામ પર ફરવાનું મન બનાવી લીધું છે.
ઉદ્યોગ સંગઠનેસરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું
સરકારે નાણાકીય ખોટની પૂર્તિ માટે નાના-મધ્યમ અને મોટા ઉદ્યોગોને 34 લાખ કરોડનું પેકેજ આપ્યું છે પરંતુ આ અપૂરતું છે. કાર્પેન્ટરનું કામ કરનારા એન્ટોનિયો બોરાગિયાએ કહ્યું કે અમને 50,000 રૂપિયાની મદદ મળી છે. પરંતુ મારી દુકાનનું ભાડું 67,000 અને વીજળી બિલ 29,000 છે. સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. કારણ કે અનિશ્ચિતતાથી પેટ ભરાતું નથી. દેશના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન કોન્ફઇન્ડ્રસ્ટ્રિયાએ પણ સરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું છે. આ સંગઠન સાથે 1.5 લાખ કંપનીઓ જોડાયેલી છે અને આશરે 55 લાખ સભ્યો છે.

સંગઠને સરકારને પૂછ્યું છે કે તે સ્પષ્ટ કહે કે દેશ કેવી રીતે ખૂલશે. નહીંતર કોરોનાથી પણ ખતરનાક આર્થિક તબાહી સર્જાશે. સરકાર પણ ઝડપથી રોડમેપ તૈયાર કરી રહી છે. જેમાં હાલ તો કોરોનાથી ઓછા પ્રભાવિત દક્ષિણ ક્ષેત્રમાં બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોનાં વસ્ત્રોની દુકાનો ખુલી ગઇ છે. સાથે જે કંપનીઓને હજુ પરવાનગી નથી મળી,તેમને કાચો માલ પૂરો પાડવા, ફેકટરીની સાફ-સફાઇ અને સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. સૌથી પહેલાં ઓટો ઇન્ડસ્ટ્રી, ફેશન ડિઝાઇન અને લોખંડ ઉદ્યોગ ખોલવામાં આવશે પરંતુ લોમ્બાર્ડી અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ કડક અમલ ચાલુ રહેશે. આ વિશ્વનો સૌથી કોરોના પ્રભાવિત વિસ્તાર છે. ઇટાલીમાં કોરોનાથી 21 હજાર મોત થયાં છે, તેમાંથી 11 હજાર માત્ર લોમ્બાર્ડીના જ છે. રાજધાની મિલાન આ ક્ષેત્રમાં જ આવે છે. તેના પાડાશી ક્ષેત્ર ઇમીલિયા, રોમાગ્ના, પીડમોન્ટ અને વેનેટોમાં પણ કોરોનાએ તબાહી મચાવી છે. આ સમગ્ર ક્ષેત્રની દેશની જીડીપીમાં 45 ટકાની ભાગીદારી છે.

બીજી બાજુ સારી વાત એ છે કે નવા કેસ આવવાનો દર 1.7 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી ઓછો છે. સરેરાશ દરરોજ 3 હજાર કેસ આવી રહ્યા છે. બધું જ યોજના મુજબ રહ્યું તો 3 મે સુધી લૉકડાઉન હટાવી લેવાશે. તેની જવાબદારી 59 વર્ષના વિટોરિયા ક્લોને સોંપવામાં આવી છે. તેમના નેતૃત્વમાં 17 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. તેમાં ટોચના સ્તરના વકીલ, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાની અને ડોક્ટરો છે. આ ટોસ્ક ફોર્સ સાયન્ટિફિક ટેક્નિકલ કમિટીની સાથે નવું ઓર્ગેનાઇઝેશન મોડલ બનાવી રહી છે.
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ હવે જીવનનો ભાગ
બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોના વસ્ત્રોની દુકાનો ફરી ખૂલી ગઇ છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે. સાથે જ ગ્રાહકોને ડિસ્પોઝલ ગ્લોવ્ઝ પણ આપવાના રહેશે.
દિવસમાં બે વાર શોરૂમ સેનેટાઇઝ કરવું જરૂરી
કીબોર્ડ, ટચ સ્ક્રીન અને પેમેન્ટ સિસ્ટમને પણ દરરોજ સમય-સમયે સેનેટાઇઝ કરવાનું રહેશે. દરેક સ્થિતિમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ખાણી-પીણીની દુકાનોમાં ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજિયાત કરાયો છે.
શોરૂમમાં આવવા-જવાના ગેટ અલગ હશે
40 ચો.મીની દુકાનમાં બે ઓપરેટર ઉપરાંત એક સમયમાં એક જ વ્યકિત રહેશે. જ્યાં સંભવ હોય તો એન્ટ્રી અને એક્ઝિટ અલગ-અલગ હશે. લોકોને એક્સેસ માટે ટાઇમ સ્લોટ્સ પણ નક્કી કરાશે.
ફેકટરીમાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા જરૂરી
ફેક્ટરીઓની દેખરેખ, પેમેન્ટ મેનેડમેન્ટની સાથે સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. દિવસમાં બે વાર સફાઇ કરવાની રહેશે. દુકાનો અને ફેકટરીઓમાં પ્રાકૃતિક વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
દુકાનોમાં ભીડ નહીં થાય, નક્કી સમયમાં ખરીદી કરાશે
સ્ટેશનરી, બુક સ્ટોર, બાળકોની વસ્ત્રોની દુકાનો, કમ્પ્યૂટર, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ સહિત ઘણા ક્ષેત્રોને કડક પ્રતિબંધો સાથે ખોલી નાંખવામાં આવ્યા છે. દુકાનોમાં ભીડ ન થાય તે માટે લોકોને નક્કી ટાઇમ સ્લોટમાં ખરીદી કરવાની રહેશે. ઇટાલીના મોટા ભાગનાં ક્ષેત્રોમાં માસ્ક અને ગ્લોવ્ઝ ફરજિયાત કરી દેવાયા છે. રેડ ઝોન વિસ્તારોમાં એક કરોડ માસ્ક વહેંચવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇટાલીમાં કાપડની એક દુકાન.


from Divya Bhaskar https://ift.tt/2wGFnmP

ડિવાઇસ દ્વારા ખાંસી, શ્વાસના અવાજથી કોરોનાને ઓળખી શકાશે, જલદી પરિણામ મળશે

બેંગલુરુ સ્થિતિ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી)ના વિજ્ઞાનીઓની એક ટીમ ખાંસી ખાતી વખતે અને શ્વાસ લેતી વખતે ઉત્પન્ન થતા અવાજના તરંગોના આધારે કોરોનાની ઓળખ માટેની ડિવાઇસ ડેવલપ કરવા અંગે કામ કરી રહી છે. આ ડિવાઇસને મંજૂરી મળ્યા બાદ તેનાથી કોરોનાના દર્દીઓને તપાસી શકાશે. આ ડિવાઇસની મદદથી દર્દીઓને તપાસતા આરોગ્યકર્મીઓને ચેપનું જોખમ ઘટી જશે તેમ જ તપાસનાં પરિણામ પણ ઝડપથી મળી શકશે. ધ્વનિ વિજ્ઞાનની મદદથી આ બીમારીના ચેપનું બાયોમાર્કર જાણવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.
પ્રોજેક્ટનો ઉદ્દેશ શ્વસન તરંગો દ્વારા બીમારીના બાયોમાર્કર જાણવાનો છે
વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી તેના ટેસ્ટ સરળતાથી, ઓછા ખર્ચે અને ઝડપથી થાય તે ખૂબ જરૂરી બન્યું છે. આ બીમારીનાં મુખ્ય લક્ષણોમાં શ્વાસ સંબંધી તકલીફો સામેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શ્વસન તરંગો દ્વારા બીમારીના બાયોમાર્કર જાણવાનો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3a7UH9H

Tablighi head booked for culpable homicide

Tablighi Jamaat chief Maulana Saad Khandalvi and his six associates have been booked for culpable homicide under IPC 304 as the prima facie probe indicates that their action has led to deaths due to novel coronoavirus infections.

from Times of India https://ift.tt/2XEaJ8U

IMF backs India's 'proactive' Covid-19 response

IMF backs India's 'proactive' Covid-19 response

from India Today | Top Stories https://ift.tt/2ykQrGE

Only a Covid-19 vaccine will allow return to normalcy: UN chief

Only a Covid-19 vaccine will allow return to normalcy: UN chief

from India Today | Top Stories https://ift.tt/2VzCpZE

Covid-19 cases in Delhi rise to 1,578, death toll 32

Covid-19 cases in Delhi rise to 1,578, death toll 32

from India Today | Top Stories https://ift.tt/3clhUH1

Karnataka reports 19 fresh cases as numbers continue to rise in Mysuru Covid-19 cluster

Karnataka reports 19 fresh cases as numbers continue to rise in Mysuru Covid-19 cluster

from India Today | Top Stories https://ift.tt/3abYvXH

Lockdown: Nursing staff takes care of COVID-19 positive woman's 3-month-old daughter at AIIMS Raipur

Lockdown: Nursing staff takes care of COVID-19 positive woman's 3-month-old daughter at AIIMS Raipur




from News - Videos - The Times of India https://ift.tt/3aezOK9

US has passed the peak on new coronavirus cases, says Donald Trump

US has passed the peak on new coronavirus cases, says Donald Trump

from India Today | Top Stories https://ift.tt/2xxtyjn

Lockdown 2.0: How it impacts ailing economy

Lockdown 2.0: How it impacts ailing economy

from India Today | Top Stories https://ift.tt/2Vd4x62

Select sectors & services to resume after Apr 20



from Times of India https://ift.tt/3erBmUw

સિવિલમાં કોરોનાના દર્દીઓને ધર્મ પ્રમાણે અલગ રખાયાનો આક્ષેપ, સત્તાવાળા કહે છે- લક્ષણો, ઉંમર પ્રમાણે દર્દીઓને અલગ રખાયા

રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની આખી હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે ત્યાં અત્યારે રાખવામાં આવેલા દર્દીઓમાં પણ ધર્મને આધારે બે અલગ અલગ વોર્ડ રાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી વિવાદ થયો છે. જોકે આવી કોઈ અલગ વ્યવસ્થા ન રખાઈ હોવાનું સત્તાવાળા કહી રહ્યા છે. બીજી તરફ સારવાર લઈ રહેલા એક જૂથના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે, અમને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જોકે સત્તાવાળા કહે છે કે, લક્ષણો, ઉંમર પ્રમાણે દર્દીઓને અલગ રખાયા છે, ધર્મ પ્રમાણે અલગ રખાયાની વાત ખોટી છે.બીજી તરફ આ મામલો અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જેને પાયાવિહોણો ગણાવતા ભારતના વિદેશ મંત્રાલયે USCIRFને કહ્યું કે તેઓ કોરોના વિરૂ્દ્ધ ભારતની લડાઇને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ ન કરે.

USCIRFનો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો:વિદેશ મંત્રાલય

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે, USCIRF ભારતમાં કોવિડ-19 માટે નક્કી કરવામાં આવેલા મેડિકલ પ્રોટોકોલ પર ગેરમાર્ગે દોરનારો રિપોર્ટ ફેલાવી રહ્યું છે. ગુજરાત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધાર્મિક આધારે અલગ-અલગ રાખવામાં આવ્યા નથી.


દર્દીઓમાં થૂંકવાને મુદ્દે બોલાચાલી થઈ હતી
બીજી તરફ સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓમાં થૂંકવાને મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સ્થિતિ વધુ વણસે નહિ અને તમામ દર્દીને યોગ્ય સારવાર અને સુવિધા મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટને તાત્કાલિક પગલાં લેવાં તાકીદ કરી હતી.
બે જૂથના દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવી દેવાયો હોવાના આક્ષેપો
દેશભરમાં તબલીગી જમાતના લોકોથી કોરોના સંક્રમણ વધુ ફેલાયું હોવાની છાપ સામાન્ય જનમાનસમાં ઘર કરી ગઈ છે. આ તબક્કે જો બે સમાજના દર્દીઓ કે કોરોના પોઝિટિવ લોકોને એક જ વોર્ડમાં રાખવામાં આવે તો મોટી મુશ્કેલી પડી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ તબક્કે સિવિલ હોસ્પિટલ દ્વારા અગાઉથી જ નિર્ણય લઈ બે જૂથના દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવી દેવાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને કારણે વિવાદ સર્જાયો છે. સારવાર લઈ રહેલા કેટલાક લોકો કહી રહ્યા છે કે, ચોક્કસ વોર્ડમાં તમામ પલંગ માત્ર એક કોમના નાગરિકોને ફાળવાયા છે. બંને વોર્ડના ગેટ પર પોલીસ ગોઠવાઈ છે. જ્યાંથી બહાર નીકળવું શક્ય નથી. પોલીસ અને તબીબ સહિતના મેડિકલ સ્ટાફને સહાય નહીં કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ કહેવાઈ રહ્યું છે.
કો-મોર્બિડ સ્થિતિને ધ્યાનમાં રાખીનેઅલગ વોર્ડમાં રખાયા:સુપરિન્ટેન્ડન્ટ

આ વિવાદ અંગે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ જી. એચ. રાઠોડે કહ્યું કે, ધર્મના નામે અલગ વોર્ડ અપાયા હોવાની વાત ખોટી છે. દર્દીને તેમની કન્ડિશન, શંકાસ્પદ કે પોઝિટિવ રિપોર્ટ, ક્રિટિકલ કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી કો-મોર્બિડ સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીની સારવાર કરતાં ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે અલગ વોર્ડમાં રખાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સારવાર લઈ રહેલા દર્દીઓ વચ્ચે થૂંકવા મુદ્દે બોલાચાલી બાદ બે જૂથના દર્દીઓને અલગ કરાયાની આશંકા.


from Divya Bhaskar https://ift.tt/3afGjMG

Houseboats converted to COVID-19 isolation wards in Kerala

Houseboats converted to COVID-19 isolation wards in Kerala




from News - Videos - The Times of India https://ift.tt/2Vc7jsf

‘ભારતમાં કોરોનાથી વધુ સુરક્ષિત છીએ’ કહી ઘણા અમેરિકન ગુજરાતમાં રોકાયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા બ્રિટિશ નાગરિકો તેમજ અમેરિકન નાગરિકોને તેમના સ્વદેશ મોકલવા માટે બુધવારે અમદાવાદથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં 265 પેસેન્જરોને લંડન મોકલાયા હતા, જ્યારે એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં 166 અમેરિકન નાગરિકોને મુંબઈ મોકલાયા હતા. ત્યાંથી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટમાં આ તમામને અમેરિકા મોકલાશે. જોકે કેટલાક અમેરિકનોએ જવાનું ટાળ્યું હતું. તેમનું માનવું હતું કે, કોરોનાથી તેઓ અમેરિકા કરતાં ભારતમાં વધુ સુરક્ષિત છે.
બીજી ફ્લાઇટ 93 પેસેન્જરો સાથે સાંજે રવાના થઈ
બુધવારે અમેરિકન નાગરિકોને એરઇન્ડિયાની બે ફ્લાઇટમાં અમદાવાદથી મુંબઈ મોકલાયા હતા. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઈટ સાંજે 4.30 વાગે 73 પેસેન્જરો સાથે મુંબઈ રવાના થઈ હતી. જ્યારે બીજી ફ્લાઇટ 93 પેસેન્જરો સાથે સાંજે 4.45 વાગે મુંબઈ જવા રવાના થઈ હતી. જોકે અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો અને મૃત્યુદરનું પ્રમાણ પણ વધ્યું હોવાને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં રોકાયેલા ઘણા અમેરિકન નાગરિકોએ અમેરિકા કરતા ભારતમાં વધુ સુરક્ષિત હોવાનું જણાવી બુધવારે અમેરિકા માટે જઈ રહેલી વિશેષ ફ્લાઈટમાં જવાનું ટાળ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદથી બુધવારે બ્રિટિશ નાગરિકોને લંડન, અમેરિકન નાગરિકોને મુંબઈ મોકલાયા હતા.


from Divya Bhaskar https://ift.tt/3aecSL9

Tuesday, April 14, 2020

Coronavirus crisis: Google Doodle says thank you to packaging, shipping and delivery workers

Google Doodle says thank you to packaging, shipping and delivery workers

from India Today | Top Stories https://ift.tt/2yfMymB

Sadhguru says coronavirus doesn’t want to kill you, human body is a good habitat for Covid-19

Sadhguru says coronavirus doesn’t want to kill you, human body is a good habitat for Covid-19

from India Today | Top Stories https://ift.tt/3epGmJ0

રાજકોટના જંગલેશ્વરમાં માત્ર 11 દિવસની બાળકી સહિત વધુ ત્રણને કોરોના પોઝિટિવ, સંખ્યા 21 થઇ

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. ત્યારે આજે 15 એપ્રિલેવહેલી સવારે આવેલા રિપોર્ટમાં એક સાથે ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ત્રણેય પોઝિટિવ કેસ એક જ વિસ્તારનાહોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારબીજો કોઇનહીંપરંતુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલોહોટસ્પોટ વિસ્તાર એવો જંગલેશ્વર છે. ત્રણ કેસ પૈકી બે કેસ હાલ તંત્ર દ્વારા જે એરિયાને સીલ કરવામાં આવ્યો છેતેમાંથી નોંધાયા છે. જ્યારે અન્ય એક કેસ જંગલેશ્વર વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાંથી નોંધાયો છે. ત્રણમાંથીએક તો માત્ર 11 દિવસની બાળકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે અન્ય બેમાં 47 વર્ષના પુરૂષ અને 37 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.

બાળકીના માતા-પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

જો કે બાળકીના માતા-પિતાના રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું.રાજકોટમાં કોરોના પોઝિટિવની સંખ્યા 21 થઇ છે. ત્યારેજંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધુ 11 કેસ કોરોનાના નોંધાયા છે. જંગલેશ્વર વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. જંગલેશ્વરની 16 શેરીઓ તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. આ શેરીઓને પતરા આડા મુકી લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોની ઘરની બહાર જવામાં આવતા નથી. તેમજ બહારથી આવતા લોકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંધ છે. રાજકોટ પ્રથમ કેસ આ જ વિસ્તારમાંથી નોંધાયો હતો અને હવે પોઝિટિવ કેસની સંખ્યાવધીને 11 થઇ ગઇ છે. આથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Rajkot Live, three more positive case including 11 days old child found


from Divya Bhaskar https://ift.tt/2z2ndgh

People use street art to express gratitude towards corona warriors in Guwahati

People use street art to express gratitude towards corona warriors in Guwahati




from News - Videos - The Times of India https://ift.tt/2V7Muy0

Google Doodle honours packaging, shipping and delivery workers on frontlines of Covid-19 pandemic

Google Doodle honours packaging, shipping and delivery workers on frontlines of Covid-19 pandemic




from News - Videos - The Times of India https://ift.tt/2RDs0Ln

North Korea test fires multiple short-range anti-ship missiles as part of military exercises

North Korea test fires multiple short-range anti-ship missiles as part of military exercises

from India Today | Top Stories https://ift.tt/3ckwmz7

Coronavirus in India: Cobot to serve Covid-19 positive patient in Jharkhand's Chaibasa

Coronavirus in India: Cobot to serve Covid-19 positive patient in Jharkhand's Chaibasa

from India Today | Top Stories https://ift.tt/2K7p4Ti

Coronavirus: IMF says global economy on track to shrink by 3% in 2020

Coronavirus: IMF says global economy on track to shrink by 3% in 2020

from India Today | Top Stories https://ift.tt/3a9BVPh

Exclusive: Dominican Republic receives 2 lakh Hydroxychloroquine tablets from India

Exclusive: Dominican Republic receives 2 lakh Hydroxychloroquine tablets from India

from India Today | Top Stories https://ift.tt/34zzPqX

Donald Trump directs halt to payments to WHO during virus pandemic

Donald Trump directs halt to payments to WHO during virus pandemic

from India Today | Top Stories https://ift.tt/2V71xIl

US President Trump halts WHO funding



from Times of India https://ift.tt/2K80nG9

રાજ્યમાં ધોરણ 10 અને 12ના પેપરનું ચેકિંગ 16 એપ્રિલથી શરૂ કરાશે

રાજ્યમાં 16 એપ્રિલથી ધો. 10 અને 12ના પેપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાશે, રાજ્યના જે વિસ્તારને કોરોના હોટસ્પોટ જાહેર કરાયા છે તે વિસ્તારમાં રહેતા શિક્ષકોને પેપર ચેક કરવાની પ્રક્રિયામાં જોડાશે નહીં. ઉપરાંત આ વિસ્તારમાં જો પેપર ચેક કરવાનું કેન્દ્ર હશે તો તેને પણ અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરાશે.
બોર્ડે તમામ જિલ્લાઓનો જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જે જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હશે તે જ જિલ્લાના શિક્ષકોને પેપર ચેક કરવાની ફરજ સોંપાશે. જો કોઈ શિક્ષક રજાના કારણે અન્ય જિલ્લામાં હોય તો તે પોતે હાલ જે જિલ્લામાં હોય ત્યાં પેપર ચેકિંગની પ્રક્રિયામાં જોડાઈ શકશે.
ધો.12 સાયન્સના 75 ટકા પેપર તપાસાયાં
બોર્ડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધો. 12 સાયન્સના 75 ટકા વિદ્યાર્થીઓને પેપર ચેકિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે માત્ર 25 ટકા પેપર જોવાના બાકી છે. તેમાં પણ બોર્ડ ખાસ વ્યવસ્થા કરશે, જેથી શિક્ષકોને વધારે ટ્રાવેલિંગ ન કરવું પડે અને પેપરની તપાસ પણ યોગ્ય રીતે થાય.
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ફેરફાર થશે
કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જો શિક્ષકો ન આવવા માગતા હોય તો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ફેરફાર કરી શકાશે. તેની વ્યવસ્થા જિલ્લા કક્ષાએ કરાશે. જો જરૂર પડશે તો કેન્દ્રોની સંખ્યા પણ વધારી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ewSyrM

ઈલાજ શોધવા દર્દી પર ક્લિનિકલ ટ્રાયલની સરકારની મંજૂરી આપી

વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે રિસર્ચ ચાલી રહ્યા છે. ભારત પણ તેમાં સામેલ છે. ભારતમાં અન્ય દેશો કરતા સ્થિતિ કાબૂમાં છે એટલે શક્ય તેટલું રિસર્ચ કરી દર્દીઓના ઈલાજ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે કોરોનાના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ માટે છૂટ આપવામાં આવી છે. આ છૂટ હાલ થેરાપ્યૂટિક પ્લાઝમા એક્સચેન્જ પર આપી છે. આ અંતર્ગત સાજા થયેલા દર્દીઓના રક્ત મેળવી તેમાંથી પ્લાઝમા અલગ કરીને કોરોનાગ્રસ્તના શરીરમાં નાખશે અને તેનાથી ઝડપથી રિકવરી આવે છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવશે. ટ્રાયલ કરવા ઈચ્છતી મેડિકલ સંસ્થાઓ ICMRની વેબસાઈટ પરથી પરિપત્રમાં આપેલી લિન્કમાંથી અરજી કરી શકશે. જો કે તેમા સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એવી ઈન્સ્ટિટ્યૂટ કે જે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી છે તેમજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની માન્યતા પ્રાપ્ત છે તેઓ જ તેમાં ભાગ લઇ શકશે.

વુહાનમાં 10 દર્દીઓમાં ટ્રાયલ, બધામાંથી લક્ષણો ગાયબ
વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટના રિસર્ચર ડો.કાઈ ડુઆન તેમજ ત્યાંથી સરકારી હોસ્પિટલના તબીબોએ પ્લાઝમા એક્સચેન્જ થેરપીનું ટ્રાયલ કર્યું હતું. પ્રાથમિક પરીક્ષણમાં 10 દર્દીઓમાં પ્લાઝમા ટ્રાન્સફ્યૂઝન કરાયા હતા. જેમાંથી તમામમાંથી માત્ર 1 થી 3 દિવસમાં લક્ષણો દૂર થયા હતા. મોટાભાગના દર્દીઓને માત્ર 10 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પ્લાઝમા ટ્રાન્સફર થેરાપી ઘણી જૂની છે. તેની પાછળ તર્ક એવો છે કે સાજા થયેલા દર્દીઓએ એન્ટિબોડી વિકસાવી હોય છે જેથી બીજી વખત ચેપ ન લાગે. પ્લાઝમામાં દર્દીના શરીરમાં નવી એન્ટિબોડી બનાવવાનું કામ ઝડપી બનાવી દે છે.

કઈ રીતે ટ્રાયલ કરી શકાશે
પ્રારંભિક તબક્કે એવી ગાઈડલાઈન આવી છે કે, જે લોકો કોરોનાના દર્દી છે તે તમામ પર આ ટ્રાયલ કરી શકાશે. આ માટે કોવિડના સાજા થયેલા દર્દી કે જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હવે કોઇ લક્ષણ નથી તેના શરીરના રક્તમાંથી પ્લાઝમા કાઢીને હાલ કોરોનાગ્રસ્ત દર્દીને આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3cksmi8

વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટરે કહ્યુ- ભારત સ્થિર અર્થતંત્ર માટે રૂ. 6થી 10 લાખ કરોડ સુધી ખર્ચી શકે

કોરોના મહામારી સામેના જંગમાં ભારતને વર્લ્ડ બેન્કે 100 કરોડ ડોલર (આશરે રૂ.7600 કરોડ)ની આર્થિક મદદ કરી છે. કોરોનાથી ભારત પર થતી અસર અને તેમાંથી બહાર આવવા અંગે વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર ઇન્ડિયા જુનૈદ અહેમદ સાથે ભાસ્કરે વિશેષ વાતચીત કરી. તેમણે આ સંકટમાંથી બહાર નીકળવા પબ્લિક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો. અહીં તેમની સાથે વાતચીતના મુખ્ય અંશ વાંચો...
વિશ્વબેન્કે ભારતને એક અબજ ડોલરનું પેકેજ આપ્યું છે, કયાં ક્ષેત્રોમાં મદદ અપાશે?
આ અંગે ભારત અને વિશ્વબેન્કે વિશેષ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી લોકોમાં સંક્રમણ ફેલાતું રોકવા પ્રયાસો વધુ સક્ષમ થશે. આરોગ્ય પ્રણાલી મજબૂત કરવાના ઉપાય તરીકે જિલ્લા હોસ્પિટલો માટે ટેસ્ટિંગ કિટ્સની ખરીદી, નવા આઇસોલેશન વોર્ડ બનાવવા, હોસ્પિટલોના બેડને આઇસીયુમાં ફેરવવા સહિત પીપીઇ, વેન્ટિલેટર અને દવાઓ ખરીદી વધારવા જેવાં પગલાં લેવાશે.
સંકટમાં ભારતનો રોડમેપ શું હોવો જોઇએ?
ત્રણ પ્રકારનાં પગલાં લઇ શકાય છે. એક પબ્લિક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવું. બીજું ગરીબો અને કંપનીઓની સુરક્ષા કરવી, જેનાથી અર્થતંત્ર ફરી બેઠું થઇ શકે. ત્રીજું નાણાકીય ક્ષેત્રનું સંરક્ષણ છે. જેથી કંપનીઓ અને પરિવારોને જરૂર મુજબ લોન મળી શકે. ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્ર અને નાના ઉદ્યોગોને.
કોરોનાનું સંકટ 2008ની વૈશ્વિક મહામંદીથી કઇ રીતે અલગ છે, કેવી રીતે બચી શકાશે?
2008ની મંદી એક નાણાકીય આંચકો હતો. તેનો જવાબ સરળ હતો કે માગ વધારો, આર્થિક પ્રોત્સાહન પેકેજ આપો, જેનાથી સંકટ ઉકેલી શકાય. પરંતુ આ વખતે હેલ્થ શોક છે. જેમાં તાકીદે અર્થતંત્રને આર્થિક પ્રોત્સાહન જરૂરી છે. ભારત લાંબા ગાળામાં બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પોર્ટેબલ સોશિયલ ઇન્સ્યોરન્સ મોડલ અંગે વિચારી શકે છે.
આના આર્થિક નુકસાનથી બહાર આવવા ભારતને કેટલો સમય લાગશે?
રોગની તીવ્રતા અને તે ક્યાં સુધી રહેશે તે નક્કી ન હોવાથી હાલ કંઇ કહેવું મુશ્કેલ છે. છતાં એ નિશ્ચિત છે કે ગરીબ વર્ગની સુરક્ષા અને ખાસ કરીને એમએસએમઇ જેવી કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે પગલાં પર નિર્ભર કરે છે.
ભારતમાં બેન્કોને કેટલી લિક્વિડિટીની જરૂર પડશે?
આરબીઆઇએ ગત વર્ષે એનપીએની સ્થિતિમાં સુધારના સંકેત આપ્યા હતા. એનબીએફસી અંગે થોડી સમસ્યા પણ હતી. પરંતુ ભારતનું દેવું બહુ મોટું નથી એ સમજવું મહત્વનું છે. ભારત પાસે જીડીપીના 3-5 ટકા( આશરે 6થી 10 લાખ કરોડ રૂપિયા) જેટલો નાણાકીય સ્ત્રોત છે, જે તે આર્થતંત્રને સ્થિર કરવા પ્રક્રિયામાં વાપરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર ઇન્ડિયા જુનૈદ અહેમદ.


from Divya Bhaskar https://ift.tt/2yb7wCZ

વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટી લૉકડાઉનમાં આપી રહી છે મફત અભ્યાસની તક, અઢી લાખ સુધીની ફી વાળા 67 ઓનલાઈન કોર્સ ફ્રી 

કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે. શાળા-કોલેજ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. એ સમયે વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટીએ એક મોટું પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે 67 ઓનલાઈન કોર્સ મફત કરી દીધા છે. વિદ્યાર્થી ઘરે બેસીને આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે અને તેમાં નિપૂણતા હાંસલ કરી શકે છે. આ વિવિધ કોર્સની અવધિ 1થી 12 સપ્તાહ સુધીની છે. તેમાંથી ઘણા કોર્સ એવા છે કે જેની સામાન્ય દિવસોમાં ફી 2 હજારથી અઢી લાખ રૂપિયા સુધી હોય છે.
આ વિષય કે જેમાં યોગ્યતાની જરૂર નથી
હાર્વર્ડના કોર્સ માટે કોઈ વિશેષ યોગ્યતા કે માપદંડ રખાયા નથી. તમારે બસ તમારી પસંદગીનો કે નિપૂણતા ધરાવતો વિષય પસંદ કરવાનો છે. આ વિષય છે : પ્રોગ્રામિંગ, હ્યુમિનિટી, સોશિયલ સાયન્સ, ડેટા સાયન્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, આર્ટ એન્ડ ડિઝાઈન, એજ્યૂકેશન એન્ડ ટીચિંગ, હેલ્થ એન્ડ મેડિસિન, ગણિત, વિજ્ઞાન અને બિઝનેસ.
કયા કોર્સ રોજબરોજના જીવન સાથે જોડાયેલા છે

  • મિકેનિકલ વેન્ટિલેશન ફોર કોવિડ-19
  • આંત્રપ્રિન્યોરશિપ ઈન ઈમર્જિંગ ઈકોનોમી
  • હિન્દુઈઝમ થ્રૂ ઈટ્સ સ્ક્રીપ્ચર્સ
  • બેકપેઈન : ફાઈન્ડિંગ સોલ્યૂશન ફોર એન્કિંગ બેક
  • કન્ટ્રોલિંગ યોર બ્લડપ્રેશર
  • શેક્સપિયર્સ મર્ચન્ટ ઓફ વેનિસ : શિલોક
  • શેક્સપિયર્સ હેમલેટ : ધ ગોસ્ટ
  • ધ આર્કિટેક્ચરલ ઈમેજિનેશન
  • ઈમ્પ્રુવિંગ ગ્લોબલ હેલ્થ

આ રીતે પ્રવેશ મેળવી શકાય

  • સત્તાવાર વેબસાઈટ online-learning.harvard.edu/ પર જાવ. પસંદગીનો કોર્સ નક્કી કરો. દરેક કોર્સ સાથે સંક્ષિપ્ત વિવરણ, અવધિ અને શરૂ થવાની તારીખ આપી છે.
  • ફોર્મ ભરો. તેમાં નામ, ઈ-મેલ આઈડી, દેશનું નામ, યુઝર નેમ, પાસવર્ડ ભરી એકાઉન્ટ બનાવવું પડશે.
  • ઈ-મેલ પર આવેલી લિંક એક્ટિવેટ કરો. કોર્સ સંબંધિત સામગ્રી અને વીડિયો લોગઈન થતાં આવવા માંડશે.
  • તમે કોર્સની વિસ્તૃત માહિતી મેળવી શકો છો. ટેક્સ્ટ અને વીડિયો કન્ટેન્ટ બંને છે. પ્રોફેસર સાથે ડિસ્કસ કરી શકો છો.

હાર્વર્ડ યુનિવર્સિટી વિશ્વની ટોચની યુનિવર્સિટી
US સ્થિત હાર્વર્ડ યુનિ. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ટોચના સ્થાને છે. અહીં ભણવાનું સપનું વિશ્વના લાખો વિદ્યાર્થી જુએ છે. અહીં ભણી ચૂકેલા ઘણા વિદ્યાર્થી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બની ચૂક્યા છે. દર વર્ષે 4500 કોર્સમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હાવર્ડ યુનિવર્સિટીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/34zlUkE

દેશના 25 ટકા ચેપગ્રસ્ત મુંબઈ, જયપુર, અમદાવાદ, ઈન્દોરમાં છે, અહીં અત્યાર સુધી 2584 પોઝિટિવ કેસ મળ્યા

દેશમાં 7 દિવસમાં કોરોના ચેપના મામલા બે ગણા થઈ ગયા છે. આ ચેપ ગત 7 દિવસ(6 એપ્રિલથી 13 એપ્રિલ)માં 24 ટકાની ઝડપે વધ્યો છે. જો આ ઝડપે જ વધશે તો આગામી સાત દિવસમાં દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 20 હજારને વટાવી જશે. દેશના અત્યાર સુધી કુલ 388 જિલ્લામાં કેસ મળ્યા છે. 10 જિલ્લામાં 39 ટકા અને ટોપ 50 જિલ્લામાં 69 ટકા કેસ મળ્યા છે.

કોરોનાના ટોપ 10 જિલ્લા

જિલ્લો રાજ્ય કેસ
મુંબઈ મહારાષ્ટ્ર 1540
જયપુર રાજસ્થાન 361
ઈન્દોર મધ્યપ્રદેશ 363
અમદાવાદ ગુજરાત 320
દ.દિલ્હી દિલ્હી 320
હૈદરાબાદ તેલંગાણા 267
પૂણે મહારાષ્ટ્ર 209
થાણે મહારાષ્ટ્ર 190
કાસરગોડ કેરળ 168

જયપુર: અહીં 361 ચેપગ્રસ્ત, 7 દિવસમાં 296 કેસ વધ્યા છે

  • જયપુરમાં કુલ 361 ચેપગ્રસ્ત કેસ મળ્યા છે. 7 દિવસમાં 270 વધ્યા. એટલે કે આ દરમિયાન 296% કેસ વધ્યા છે. અહીંનું રામગંજ કેન્દ્ર છે.
  • જયપુરમાં રામગંજ કોરોનાનું કેન્દ્ર બનીને ઊભર્યુ છે. ઓમાનથી પાછી ફરેલી 1 વ્યક્તિને કારણે ચેપ ફેલાયો છે. હોમ ક્વૉરન્ટાઈન છતાં આ વ્યક્તિ ક્ષેત્રમાં ફરતી રહી હતી. પણ આ વ્યક્તિ આગામી દિવસે મિત્રો સાથે ફરતી રહી. મસ્જિદમાં ગઈ. 23 માર્ચે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ઈન્દોર : સંપૂર્ણ રાજ્યના 60 ટકા ચેપગ્રસ્ત આ વિસ્તારમાં જ છે

  • ઈન્દોરમાં સાત દિવસમાં 201 પોઝિટિવ મળ્યા છે. સોમવારે 56 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ એક દિવસમાં સર્વાધિક છે.
  • 36 સ્થળે 1474 લોકોને ક્વૉરન્ટાઈન કરાયા. અહીં અસરાવદાખુદમાં 58, રાનીપુરામાં 24 અને તારાગંજમાં 22 પોઝિટિવ મળ્યા છે.
  • મધ્યપ્રદેશમાં 13 એપ્રિલ સુધી 604 ચેપગ્રસ્ત છે. તેમાં એકલા ઈન્દોરમાં જ 363 છે. રાજ્યના 60% ચેપગ્રસ્ત ઈન્દોરમાં જ છે.

અમદાવાદ : કુલ 320 કેસ, 7 દિવસમાં 782 ટકા કેસ વધ્યા છે

  • અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં 38 કેસ હતા. હવે 320 થઈ ગયા છે. એટલે કે આ દરમિયાન 782 ટકાની ઝડપે મામલા વધ્યા છે.
  • અહીં 11 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં જમાલપુર, રખિયાલ, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા, શાહપુર, જુહાપુરા સહિતનાં ક્ષેત્રોને સીલ કરાયાં છે.
  • અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વિના પકડાશે તો 5 હજારનો દંડ થશે.

મુંબઈ : 7 દિવસમાં 192% કેસ વધ્યા, અહીં કુલ 1540 પોઝિટિવ કેસ છે

  • મુંબઈમાં 7 દિવસમાં 1151 કેસ વધ્યા છે. અહીં બે દિવસમાં ક્રમશ: 242 અને 217 કેસ સામે આવ્યા છે. આ બે દિવસમાં સર્વાધિક છે.
  • મુંબઈમાં 20 ટકા કેસ જી દક્ષિણી વૉર્ડમાં છે. તેમાં એલફિન્સ્ટન, વર્લી અને પરેલ આવે છે. ગત છ દિવસમાં મહારાષ્ટ્રમાં એક હજાર નવા કેસ વધ્યા છે. તેમાં 600 મુંબઈમાં વધ્યા.
  • મહારાષ્ટ્રને પહેલા એક હજાર કેસ પહોંચવામાં 30 દિવસ લાગ્યા. પણ આગામી એક હજાર કેસ વધવામાં 6 દિવસ લાગ્યા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2V9haz1

આ વર્ષે ભારતનો વિકાસદર 1.9% રહેશે પણ આવતા વર્ષે 7.4% સુધી જશે: IMF

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાના કારણે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં 90 વર્ષ અગાઉની મહામંદી પછીનો સૌથી મોટો કડાકો આવી શકે છે. જોકે, આઇએમએફએ આશા વ્યક્ત કરી છે કે મોટાં અર્થતંત્રો પૈકી માત્ર ભારત અને ચીન જ મંદીથી બચી શકશે. આઇએમએફના જણાવ્યાનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસદર 1.9% રહેવાનું અનુમાન છે. આમ થયું તો આ 1991 બાદ ભારતનો સૌથી ઓછો વિકાસદર હશે.
ચીનનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ
મંગળવારે આઇએમએફ અને વર્લ્ડ બેન્કની બેઠકના પહેલા દિવસે જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ મુજબ 1.9% વિકાસદર છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં યથાવત્ રહેશે. આ દરમિયાન ચીનનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ છે. આઇએમએફના જણાવ્યાનુસાર વિશ્વનો આર્થિક વિકાસદર 3 ટકા ઘટશે, જે 2008-09ની વૈશ્વિક મંદીના સમયથી પણ મોટો ઘટાડો છે. 1930ની મહામંદી બાદ આટલો મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. આ વર્ષે વૈશ્વિક વ્યાપારમાં 11% ઘટાડાની આશંકા છે.
2021-22માં ભારતનો વિકાસદર 7.4% અને ચીનનો 9.2% રહેવાનો અંદાજ
રિપોર્ટમાં આશા વ્યક્ત કરાઇ છે કે જૂન મહિના પછી કોરોનાના કેસ ઘટશે તો આવતા વર્ષે અર્થતંત્ર ઝડપથી સુધરશે અને વૈશ્વિક વિકાસદર 5.8%એ પહોંચી જશે. તે સ્થિતિમાં 2021-22માં ભારતનો વિકાસદર 7.4% અને ચીનનો 9.2% રહેવાનો અંદાજ છે. કોરોનાને લઇને જારી અનિશ્ચિતતાઓ વચ્ચે આ રિપોર્ટ ઘણી અટકળો અને અનુમાનો પર આધારિત છે.
કેલેન્ડર યર 2020માં ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે: બાર્કલેઝ
કોરોના વાઇરસના રોગચાળાની અસર લોકોના સ્વાસ્થ્યની સાથોસાથ પૂરી દુનિયાના અર્થતંત્ર પર પણ પડી રહી છે. ભારતમાં કોરોનાના કેરથી બચવા દેશમાં લૉકડાઉન કરાયું છે. પહેલાં આ લૉકડાઉન 15 એપ્રિલ સુધી હતું. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી. અર્થતંત્રમાં પહેલેથી જારી મંદી બાદ હવે આ લાંબા લૉકડાઉનના કારણે કેલેન્ડર યર 2020માં ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે. આ માહિતી બ્રિટનની અગ્રણી બેન્ક બાર્કલેઝના તાજેતરના રિપોર્ટમાં અપાઇ છે. બાર્કલેઝના જણાવ્યાનુસાર 2020માં ભારતના જીડીપીમાં કોઇ ગ્રોથ નહીં થાય. અગાઉ બાર્કલેઝએ 2020માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2.5 ટકા અંદાજ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2RGHyhI

Watch: Indore Police officer sings song to cheer locals amid lockdown

Watch: Indore Police officer sings song to cheer locals amid lockdown




from News - Videos - The Times of India https://ift.tt/3epsw9w

NCR braces for rigorous curbs

NCR braces for rigorous curbs

from India Today | Top Stories https://ift.tt/2yetKUM

Delhi intensifies war on coronavirus

Delhi intensifies war on coronavirus

from India Today | Top Stories https://ift.tt/3ag5IGk

Coronavirus: Shortage of kits leads to delays in testing

Coronavirus: Shortage of kits leads to delays in testing

from India Today | Top Stories https://ift.tt/2K5qL3B

Elderly suffer the most in lockdown

Elderly suffer the most in lockdown

from India Today | Top Stories https://ift.tt/3cp6Clj

ગુજરાત સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા કોરાનાના 22 કેસની યાદીમાં 11 કેસ તો છેલ્લા એક સપ્તાહના જ હતા

અમદાવાદમાં કોરોના પોઝેટિવ દર્દીના નામો જાહેર કરવામાં ગંભીર બેદરકારી છતી થઈ છે. રાજ્ય સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા બુલેટિનમાં જે નવા 22 કેસ જાહેર કર્યા તેમાં 11 કેસ એવા છે કે જે તમામ છેલ્લા એક સપ્તાહમાં જાહેર થઈ ચૂકયા હતા. એ જ નામો ફરી જાહેર કરવામાં શા માટે આવ્યા તે અંગે તપાસનો વિષય બન્યો છે. સરકારની જાહેરાત પછી મ્યુનિ.એ 22 પૈકીના કયા 11 નામો રીપિટ હતા તેની યાદી જાહેર કરી હતી અને નવા માત્ર 11 જ કેસ આવ્યા હોવાનો દાવો કર્યો હતો.અર્થાત મંગળવારે સવારે 31 અને સાંજે 11 એમ કુલ મળી 42 કેસ પોઝિટિવ મળ્યા હોવાનો દાવો મ્યુનિ. હેલ્થ વિભાગે કર્યો હતો. જે 11 નામો રીપિટ કરવામાં આવ્યા છે તેમાં બે ત્રણ નામ વગદાર લોકોના પણ છે.
સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી
સૂત્રોના કહેવા પ્રમાણે આ છબરડાં પાછળ કયું કારણ છે તે સમજાતું નથી. આ બેદરકારી અંગે મ્યુનિ.કે સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી. બેમાંથી કોઈ એક પક્ષે ભૂલ થઈ છે. આટલા ગંભીર કિસ્સામાં છબરડો કઈ રીતે થયો તે સૌથી મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે.
એક તરફ ટેસ્ટિંગ કીટો રાજ્ય સરકાર પાસે ઘણી ઓછી છે અને દૈનિક 100 સેમ્પલોનું જ વેરીફિકેશન કરાઈ રહ્યું છે ત્યારે આટલી નાની સંખ્યામાં આવી બેદરકારી સામે મ્યુનિ. અને સરકાર બંન્નેમાં ગરબડ ચાલી રહી હોવાનું મનાય છે. એક સાથે 11 નામો રીપિટ કરવા પાછળ કોઈ ચોકક્સ હેતુ રહેલો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સાંજે નોંધાયેલા 11 દર્દી

પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
45 એ-27 રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
50 202, દેવડીવાલા ફ્લેટ, ખાંડશેરી, જમાલપુર
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
23 દૂધવાળી ચાલી, બહેરામપુરા
57 શાહઆલમ રેસ્ટોરાં, ભીસ્તીવાડા, રખિયાલ
29 687, હરિજન વાસ, આસ્ટોડિયા
સ્ત્રી
42 એ-27, રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
23 151, સંકલિતનગર, એચ-વોર્ડ, જુહાપુરા
66 ડી-36, સૂર્યનારાયણ સોસાયટી, નિકોલ ગામ
28 ગોતા
32 8, શક્તિ સોસાયટી, દાણીલીમડા

આ 11 કેસ રીપિટ કર્યા
પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
35 કાલુપુર મસ્જિદ
32 કાલુપુર મસ્જિદ
57 301, અજમેરી, જમાદાર મહોલ્લો, દિલ્હી ચકલા
24 કાલુપુર મસ્જિદ
47 6, ગિરિવા એપાર્ટમેન્ટ, બીજો માળ, ઈશ્વરનગર,
92 4, દીપવિલા બંગલો, ઝાયડસહોસ્પિટલ રોડ, થલતેજ
68 1965, બહેચરબુરાની ખડકી, જમાલપુર
સ્ત્રી
49 13, સ્નેહ સરિતા, પુષ્પકુંજ, મણિનગર
38 કાલુપુર મસ્જિદ
46 ખુરશીદ રેસિડેન્સી, જમાલપુર
નોંધ : 22 કેસમાંથી 11 દર્દીના નામ રીપિટ જાહેર કરાયા

બેદરકારીના આ 4 પ્રશ્નો

  • મ્યુનિ.ની ફિલ્ડમાં કામ કરતી ટીમો દ્વારા અગિયાર એવા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા જેમના રિપોર્ટ જાહેર ન થાય તે માટે રીપિટ નામો સેમ્પલની સામે પરિણામ કરીને ઓનલાઈન રાજય સરકારને યાદી મોકલી આપી.
  • જે અગિયાર નામો જાહેર કરવામાં આવ્યા તેમના ફરી વખત સેમ્પલ લઈને તેમનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે.
  • ઓનલાઈન સેમ્પલ અને પરિણામની જે યાદી સરકારને મોકલવામાં આવે છે તેમાં કોઈ વેરીફાઈ કરવામાં ગંભીર બેદરકારી થઈ હોય શકે.
  • અગિયાર નામો છુપાવવા માટે રીપિટ નામો જાહેર કરી દેવામાં આવ્યા હોય.

ગોતામાં સેમ્પલ ન લેવાયું હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ
ગોતામાં પહેલો પોઝેટિવ કેસ મળ્યો છે. જો કે, આ વ્યકિત કઈ સોસાયટી કે ક્યા ફ્લેટમાં રહે છે તેનુ સરનામું જ નથી. આ વ્યક્તિનું સેમ્પલ પણ મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા લેવામાં આવ્યુ નથી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે બારોબાર સિવિલમાં દાખલ થયાનું દર્શાવવામાં આવે છે. પરંતુ તેનુ સરનામું સરકારે મ્યુનિ.ને મોકલેલી યાદીમાં જ નથી ત્યારે આ કેસ સંદર્ભે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2wElLzM

Monday, April 13, 2020

અમેરિકામાં પોઝિટિવ કેસ છ લાખની નજીક;  ટ્રમ્પે કહ્યું- દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે

વિશ્વભરમાં કોરોના વાઈરસના 19.25 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 23 હજાર 640 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 હજાર 641 નવા કેસ નોંધાયા છે અને 1535 લોકોએ જીવ ગુમાવ્યો છે.


ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે અમેરિકામાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.


બ્રિટનમાં 24 કલાકમાં 717 લોકોના મોત
બ્રિટનના સોશિયલ કેર વિભાગના જણાવ્યા મુજબ સોમવારે 717 લોકોએ જીવ ગુમાવ્યો છે, આ સાથે અહીં મૃત્યુઆંક 11329 થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4342 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાતે કુલ પોઝિટિવ કેસ 88 હજાર 621 થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બ્રિટનમાં ચાલી રહેલા લોકડાઉનને સાત મે સુધી લંબાવવામાં આવ્યું છે.


સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 1.70 લાખ થયા છે અને 17 હજાર 756 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.60 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 465 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીન કરતા અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની બાબતમાં ચીન સાતમાં નંબરે આવી ગયું છે. ભારત 22માં નંબરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
corona World Live


from Divya Bhaskar https://ift.tt/2RynAW4

મોદીના સંબોધનના 3 કલાક પહેલાં સોનિયા ગાંધીનો મેસેજ, કહ્યું- કોરોનાને હરાવીને રહીશું

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. 5 મિનિટ 45 સેકન્ડનો આ મેસેજ સવારે 7 વાગે કોંગ્રેસ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સોનિયાએ આ વીડિયો દ્વારા મેડિકલ સ્ટાફ અને અન્ય તે લોકોનો આભાર માન્યો છે જે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. તે ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Congress chief Sonia Gandhi thanks coronavirus warriors in video message ahead of PM Modis address to the nation


from Divya Bhaskar https://ift.tt/3cbdl1O