Ad

Saturday, September 5, 2020

અરૂણાચલમાંથી પાંચ ભારતીયોનું ચીનાઓ દ્વારા અપહરણ : ભારતની નિષ્ક્રિયતા !


ભારતીય જવાનોએ ઓક્સીજન, ભોજન અને ગરમ કપડાં સહિત તબીબી સહાયતા પૂરી પાડી, સાચો રસ્તો બતાવ્યો

17,500 ફૂટની ઊંચાઈ પર ઉત્તરીય સિક્કિમના પઠાર ક્ષેત્રમાં ત્રણેય ચીની નાગરિકો રસ્તો ભૂલી ગયા હતા : ભારતીય સૈન્ય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 5 સપ્ટેમ્બર, 2020, શનિવાર

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ભારે તણાવપૂર્ણ સિૃથતિ છે ત્યારે મોસ્કોમાં બંને દેશના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સૌપ્રથમ વખત બેઠક યોજાઈ હતી. ચીને શાંતિપૂર્ણ વાટાઘાટો માટે બેઠક યોજવા સંરક્ષણ મંત્રી રાજનાથને મળવા વિનંતી કરી હતી.

જોકે, છેલ્લા ચાર મહિનામાં અનેક વખત ચીને શાંતિની વાટાઘાટો વચ્ચે સરહદ પર અવળચંડાઈ કરવાનું ચાલુ રાખ્યું છે. એ જ રીતે ચીનના સૈનિકોએ અરૂણાચલ પ્રદેશમાંથી પાંચ ભારતીય નાગરિકોના અપહરણ કર્યા હોવાની ઘટના સામે આવી છે. 

અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે એક ટ્વીટ દાવો કર્યો છે કે ચીનના સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના રહેવાસી પાંચ ભારતીય નાગરિકોના સરહદ પાસેથી અપહરણ કર્યા છે. એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે, ચીન-ભારત સરહદ નજીક અપર સુબનસિરી જિલ્લામાં જંગલમાં શિકાર કરવા ગયેલા પાંચ લોકોના ચીનના સૈનિકોએ અપહરણ કર્યા હોવાનો તેમના પરિવારે દાવો કર્યો હતો. 

આ જિલ્લાના નાચો વિસ્તારમાં શુક્રવારે આ ઘટના બની હતી. શિકાર કરવા ગયેલા એક જૂથમાંથી બે લોકો ભાગી આવતાં આ ઘટના બહાર આવી હતી. એસપી તારૂ ગુસારે જણાવ્યુ ંહતું કે, આ અહેવાલો સામે આવતાં જ તેમણે નાચો પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જને ઘટનાની સત્યતા ચકાસવા મોકલ્યા છે. જોકે, તેમનો રિપોર્ટ રવિવાર સુધીમાં આવશે.

કિથત રીતે અપહરણ કરાયેલા લોકોમાં તોચ સિંગકામ, પ્રસાત રિંગલિંગ, દોન્ગતુ એબિયા, તનુ બાકેર અને નગારૂ દિરિનો સમાવેશ થાય છે. એરિંગે ટ્વીટમાં એમ પણ જણાવ્યું હતું કે થોડાક મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી. ચીનની સેનાને જવાબ આપવો જ જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયા અને ચીનના સંરક્ષણ મંત્રીઓ સાથે બેઠક યોજી રહ્યા હતા તેવા જ સમયે આ ઘટના બની છે.

અરૂણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની આ કાર્યવાહી ખૂબ જ ખોટા સંદેશ મોકલી રહી છે. માર્ચ મહિનામાં પણ મેકમોહન લાઈન નજીક અસાપિલા સેક્ટરમાંથી ચીનના સૈનિકોએ એક યુવાનનું અપહરણ કર્યું હતું જ્યારે બે મિત્રો ભાગી છૂટયા હતા. 19 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા પછી સૈનિકોએ તેને છોડી મૂક્યો હતો તેમ તેના પરિવારજનોએ કહ્યું હતું. 

બીજી તરફ ભારતીય સૈન્ય તરફથી જણાવાયા મુજબ ત્રીજી સપ્ટેમ્બરે ઉત્તરીય સિક્કિમમાં એક મહિલા અને બે પુરૂષ એમ ત્રણ ચીની નાગરિકો શૂન્ય ડિગ્રી તાપમાન દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

 અંદાજે 17,500 ફૂટની ઊંચાઈ પર ઉત્તરીય સિક્કિમના પઠાર ક્ષેત્રમાં ત્રણેય ચીની નાગરિકો રસ્તો ભૂલી ગયા હતા. ત્યારે ભારતીય જવાનોએ તેમને મદદ કરી હતી. ચીનના નાગરિકોને મુશ્કેલીમાં મુકાયેલા જોઈને ભારતીય જવાનો તુરંત મદદ માટે પહોંચી ગયા હતા. 

ભારતીય સૈન્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શૂન્ય ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનના કારણે બધાના જીવ જોકમમાં મુકાઈ ગયા હતા, પરંતુ ભારતીય સૈન્યના જવાનોએ તેમને બચાવવા માટે ઓક્સીજન, ભોજન અને ગરમ કપડાં સહિત તબીબી સહાયતા પૂરી પાડી હતી. અને અત્યંત મુશ્કેલ વાતાવરણમાં તેમનો જીવ બચાવ્યો હતો.  

એટલું જ નહીં, ભારતીય જવાનોએ તેમને તેમના ગંતવ્ય સૃથળ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તા અંગે પણ માહતી આપી હતી. ત્યાર પછી તેઓ ચીનની સરહદમાં પાછા જતા રહ્યા હતા. ચીની નાગરિકોએ તેમની ત્વરિત મદદ માટે ભારત અને ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ચીને પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર તેનું આક્રમક વલણ હજુ પણ ઓછું નથી કર્યું તેવા સમયે ભારતીય સૈન્યે આ માનવતાપૂર્ણ અભિગમ દર્શાવ્યો છે. 

છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીન વચ્ચે સિૃથતિ તણાવપૂર્ણ બની છે. 15મી જૂને ગલવાન ઘાટીમાં બંને પક્ષો વચ્ચે ભારે હિંસક આૃથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા પછી સિૃથતિ વધુ તણાવપૂર્ણ થઈ હતી. આ આૃથડામણમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા, પરંતુ તેમણે શહિદ જવાનોનો આંકડો જાહેર નથી કર્યો. ચીને એક સપ્તાહ પહેલાં જ પેંગોંગ સરોવરની દક્ષિણે ફરી એક વખત ભારતીય પ્રદેશો પર કબજો કરવાનો પ્રયાસ કર્યા પછી તણાવપૂર્ણ સિૃથતિ વધુ કથળી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jUyfGB

No comments:

Post a Comment