Ad

Tuesday, September 22, 2020

રાજ્યસભામાં વિપક્ષની ગેરહાજરી સાડા ત્રણ કલાકમાં સાત બિલ પસાર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

રાજ્યસભાના ઈતિહાસમાં આજનો દિવસ સૌથી ઉત્પાદક દિવસોમાંનો એક રહ્યો હતો. રાજ્યસભામાં માત્ર સાડા ત્રણ કલાકના સમયમાં સાત મહત્વના બિલો પસાર થઈ ગયા હતા, જેમાં આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી અનાજ, કઠોળ અને ડૂંગળીને દૂર કરવા તથા ચોક્કસ ગૂના બદલ કંપનીઓને થતો દંડ રદ કરવા સહિતના બિલોનો સમાવેશ થાય છે.

દરમિયાન સાંસદોમાં કોરોના વાઈરસના પ્રસારના પગલે લોકસભાનું ચોમાસુ સત્ર આઠ દિવસ વહેલાં બુધવારે પૂરૂં થઈ જવાની સંભાવના છે. રાજ્યસભામાં અયોગ્ય વર્તનને કારણે સોમવારે આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરતાં તેમની ગેરહાજરીમાં જ આ બિલો પસાર થઈ ગયા હતા.

બિલો પસાર કરવાની ગૃહની કાર્યવાહીમાં માત્ર શસાક ભાજપ, તેના સાથી જેડીયુ અને અન્નાદ્રમુક, બીજુ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપીના પક્ષો હાજર રહ્યા હતા. આ પક્ષોએ કૃષિ બિલો સહિત વિવિધ મુદ્દાઓ પરની ચર્ચામાં ભાગ લઈને મોદી સરકારને ટેકો આપ્યો હતો.

વિપક્ષની ગેરહાજરીમાં મંગળવારે વિવાદાસ્પદ ત્રણ કૃષિ બિલોમાંનું ત્રીજું બિલ એવું એશેન્શિયલ કોમોડિટીઝ (એમેનેડમેન્ટ) બિલ સહિત સાત બિલો રાજ્યસભામાં પસાર થયા હતા. એશેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) બિલમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલો, ડૂંગળી અને બટાટાને આવશ્ક ચીજવસ્તુઓની યાદીમાંથી દૂર કરાયા છે અને તેના પર લાગેલી સ્ટોક હોલ્ડિંગ મર્યાદા પણ દૂર કરાઈ છે.

બીજીબાજુ લોકસભામાં પણ વિપક્ષની ગેરહાજરીમાં સરકારે ત્રણ મજૂર બિલો પસાર કરી દીધા હતા. રાજ્યસભાના આઠ સાંસદોના સસ્પેન્શન અને કૃષિ બિલોના વિરોધમાં લોકસભામાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષે ગૃહની કાર્યવાહીનો બાકીના સત્ર માટે બહિષ્કાર કર્યો છે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 50 કરોડથી વધુ કામદારોને કામના સૃથળે યોગ્ય વાતાવરણ, પગાર સલામતી અને સામાજિક સલામતી પૂરી પાડતા ત્રણ મહત્વપૂર્ણ લેબર કોડ પસાર થઈ ગયા છે, જે લોકસભા માટે ઐતિહાસિક દિવસ સમાન છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RRUYHo

No comments:

Post a Comment