Ad

Monday, June 15, 2020

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે ઓફિસરની ધરપકડ પછી છુટકારો

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગના બે ઓફિસરોની ધરપકડ કરાયાના અહેવાલ મળ્યા હતા. સૂત્રો અનુસાર બંને ઓફિસરો CISFના છે જે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં ફરજ બજાવે છે. સોમવારે સવારે બંને 8:30 વાગ્યે સરકારી ગાડીથી ડ્યૂટી પર જઈ રહ્યા હતા. બે કલાક થઈ જવા છતાં તેઓ પહોંચ્યા નહોતા. મોડી રાત્રે ભારતના દબાણમાં આવી પાકિસ્તાને તેમને મુક્ત કર્યા હતા.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર બંનેની અકસ્માત મામલે ધરપકડ કરાઈ. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પાકિસ્તાનમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગ.


from Divya Bhaskar https://ift.tt/2MY4PJ6

No comments:

Post a Comment