Ad

Friday, June 5, 2020

હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાના ઉપયોગથી મોતનો આંકડો વધે છે તેવો દાવો કરતો સ્ટડી પાછો ખેંચાયો

મેડિકલ જર્નલ ધ લેન્સેટે કોરોનાના દર્દીઓ પર હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાના ઉપયોગથી તેમના મોતનો આંકડો વધી રહ્યો હોવાનો દાવો કરતો પોતાનો સ્ટડી પાછો ખેંચી લીધો છે. જર્નલે લખ્યું છે કે ત્રણેય લેખક તેમના વિશ્લેષણને હાઇલાઇટ કરતા ડેટાનું સ્વતંત્ર ઓડિટ પૂર્ણ કરવા અસમર્થ હતા જેથી સ્ટડી પાછો ખેંચવામાં આવે છે. સ્ટડી તૈયાર કરનારા 4 વિજ્ઞાનીમાં ડૉ. મંદીપ મેહરા, ડૉ. અમિત પટેલ, ડૉ. સપન દેસાઇ અને ડૉ. ફ્રેન્ક રુશિટ્જકા સામેલ હતા. લેન્સેટ સાયન્ટિફિક ઇન્ટિગ્રિટીને બહુ ગંભીરતાથી લે છે. તેથી પબ્લિકેશન એથિક્સ તથા મેડિકલ જર્નલ એડિટર્સના દિશાનિર્દેશો બાદ આ રિસર્ચને સમીક્ષા માટે પરત લેવાનો નિર્ણય કરાયો. સ્ટડીમાં કોરોનાથી સંક્રમિત 96 હજાર દર્દીને આવરી લેવાયા હોવાનો સંશોધકોએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંક્રમિતોમાંથી 15 હજારને હાઇડ્રોક્સિક્લોરોક્વિન કે ક્લોરોક્વિન દવા એન્ટિબાયોટિક સાથે અપાઇ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3dEo863

No comments:

Post a Comment