
અમદાવાદ ભાજપ શહેર કાર્યાલયમાં કોરોના પોઝિટિવ નેતાએ પ્રવેશ કરતા ફફડાટ ફેલાયો છે. આત્મનિર્ભર કેમ્પેન કર્ણાવતી મહાનગરના સહ ઇન્ચાર્જ અને સરસપુરના પૂર્વ કાઉન્સિલર ભાસ્કર ભટ્ટ શહેરની મિટિંગમાં કોરોના ટેસ્ટ કરાવ્યા છતાં હાજર રહ્યા હતા અને કાર્યાલય પર જ તેમને ફોન આવ્યો હતો કે, તેઓનો રિપોર્ટ પોઝિટિવ છે.
શનિવારે સાંજે જિતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા, શહેરના ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો આ મીટિંગમાં હાજર રહ્યા હતા. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આત્મનિર્ભર ઇન્ચાર્જ હિતેશ બારોટ, મંત્રી કમલેશ પટેલ, મનુ કથરોતિયા, કૌશિક જૈન સહિત 15 લોકો હાજર હતા. ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે આ તમામને 14 દિવસ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ વિશે ભાસ્કર ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મને ખાંસી સિવાય કોઈ લક્ષણ ન હતાં. મેં શુક્રવારે ટેસ્ટ કરાવ્યો હતો. હું શનિવારે કાર્યાલય ગયો હતો. મિટિંગ પતાવીને રસ્તામાં મને ફોન આવ્યો હતો કે, હું પોઝિટિવ છું.
આ મીટિંગમાં હાજર એક નેતાએ જણાવ્યું હતું કે, આત્મ નિર્ભર કેમ્પેન શરૂ થવામાં છે ને ભટ્ટે આ મૂર્ખામી કરી. તેમણે ઇમરાન ખેડાવાલા જેવી મૂર્ખામી કરી. હવે હાજર તમામ નેતાના જીવ જોખમમાં આવી ગયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3e0R48s
No comments:
Post a Comment