
તોફાની પવન સાથે વહેલી સવારે ચાર વાગ્યાથી અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37rwTOt
No comments:
Post a Comment