Ad

Monday, June 8, 2020

25 રાજ્યોમાં ધર્મસ્થાનો ફરી શરૂ, ગુજરાત સહિત 17 રાજ્યોમાં 75 દિવસે મૉલ, રેસ્ટોરાં ખૂલ્યાં

દેશમાં અનલૉક-1નું બીજું અઠવાડિયું શરૂ થતાં જ સોમવારે 75 દિવસ પછી હોટેલ, રેસ્ટોરાં ખૂલી ગયા. તેનાથી આર્થિક પ્રવૃત્તિઓનો દાયરો વધી ગયો છે. જોકે જે રાજ્યોમાં રેસ્ટોરાં ખૂલ્યાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે અત્યંત ઓછા લોકો અવર-જવર કરતા દેખાયા. જ્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સહિત અન્ય ધર્મસ્થળ ખૂલવાની સાથે 25 રાજ્યોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ. યુપીમાં અયોધ્યા ખૂલી ગઈ. જોકે વૃંદાવનમાં કોરોનાનો ચેપ ફેલાવાના ખતરાના કારણે બાંકે બિહારી સહિત અન્ય મંદિર ચાલુ મહિને બંધ રખાશે. આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિર ખૂલી ગયું. જોકે તેમાં શ્રદ્ધાળુ 11 જૂનથી જ દર્શન કરી શકશે. કાશી વિશ્વનાથ અને વૈષ્ણોદેવી મંદિર મંગળવારે ખૂલશે. બીજી બાજુ ગુજરાત સહિત 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારથી કન્ટેનમેન્ટ ઝોનથી બહાર મૉલ શરૂ થઈ ગયા.
દર્શનાર્થીઓે સેનેટાઇઝર યૂઝ કરી દેવદર્શન કર્યા
ગુજરાતમાં પણ સોમવારે 75 દિવસ બાદ વિવિધ મંદિરો ખુલતા દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના મંદિરોમાં પહેલા દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. સરકારના આદેશ મુજબ મંદિરોમાં માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીને લોકોએ પ્રવેશ કર્યો હતો. નાના-મોટા મંદિરોના પ્રવેશદ્વાર પર જ સેનેટાઇઝરની બોટલ મૂકવામાં આવી હતી. રાજપીપલાના 400 વર્ષ જૂનું હરસિધ્ધિ માતાનું મંદિર પ્રથમ વખત 76 દિવસ સુધી દર્શન માટે બંધ રહ્યું હતું.
આ રાજ્યોમાં મૉલ ખૂલ્યાં
શોપિંગ સેન્ટર એસોસિએશન અનુસાર સોમવારથી આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, પ.બંગાળ, ઉત્તરાખંડ, યુપી, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પુડ્ડુચેરી, કર્ણાટક અને હરિયાણામાં મૉલ ખૂલી ગયા. હરિયાણામાં ગુડગાંવ અને ફરિદાબાદમાં મૉલ ચાલુ મહિને બંધ રહેશે.
78 દિવસ પછી મહાકાલ મંદિર ખૂલ્યું, વૈષ્ણોદેવી આજે ખૂલશે

  • વિશ્વનાથ મંદિર અને વૈષ્ણોદેવી મંદિર આજે ખૂલશે. કેરળમાં ધર્મસ્થળો મંગળવારે શરૂ થશે.
  • મથુરામાં કૃષ્ણ મંદિર ખૂલી ગયું. અમૃતસરમાં સુવર્ણ મંદિર ખૂલ્યું. ઉજ્જૈનમાં મહાકાલ દર્શન પણ 76 દિવસે શરૂ થયાં હતાં.
  • આંધ્રના તિરુપતિ મંદિર ખૂલ્યાં. દિલ્હીમાં બંગલા સાહિબ ગુરુદ્વારા ખૂલ્યું. ચર્ચ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો નથી.

આ પણ શરૂ

  • મુંબઈમાં બેસ્ટની બસો ફરી માર્ગો પર દોડવા લાગી, એક સીટ પર એક જ સવારીને બેસવાની છૂટ.
  • તમિલનાડુમાં રેસ્ટોરાં ખૂલ્યાં. રાજ્યમાં 50 હજાર રેસ્ટોરાં છે, ચેન્નઈમાં જ 20 હજાર છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભરૂચના મંદિરમાં દ્વાર પર સેનિટાઈઝર મૂકાયું.


from Divya Bhaskar https://ift.tt/37eX1Mr

No comments:

Post a Comment