Ad

Sunday, June 7, 2020

અમદાવાદમાં કુલ 10,000 દર્દીઓ રિકવર, ગુજરાતમાં કોરોનાના કુલ દર્દી 20097, 24 કલાકમાં 30 મોત

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની ગતિ છેલ્લાં ત્રણ દિવસ કરતાં થોડી ધીમી પડી છે અને લગભગ વીસેક ઓછા કેસ નોંધાયા છે. થોડો હાંશકારો બતાવે તેવો આ આંક રવિવારે 480નો રહ્યો અને આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 20,097 પર પહોંચ્યો છે. હવે અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો 1000 થઇ ગયો છે. સારી વાત એ છે કે સાજા થનારાની સંખ્યા પણ 10,000ની નજીક છે. આ 1000 પણ છે અને 10,000 પણ. આ દર્દ પણ છે અને હિંમત પણ. આ દુખની ઘડી પણ છે અને જુસ્સાની ક્ષણ પણ.
ગુજરાતમાં કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 30 લોકોના મૃત્યુ થયાં છે અને આ સાથે કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો છે. રવિવારે અમદાવાદમાં 21, સૂરતમાં 2 તથા બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં એક-એક દર્દીઓના મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર ભારતમાં સૌથી વધુ 6.21 ટકા છે. હાલ ગુજરાતમાં 67 દર્દીઓની હાલત ગંભીર છે. આ તરફ રાજ્યમાંથી કુલ 310 દર્દીઓને રવિવારે ડિસ્ચાર્જ અપાયો હતો અને આ સાથે કુલ 13,643 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.હાલ ગુજરાતમાં સાજા થનારા દર્દીઓનું પ્રમાણ 70 ટકા નજીક છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ માત્ર ઝીરો નથી, આપણી હિંમત, આપણી જીવંત આશાનું ચિહ્ન છે. કેમ કે, જેટલાને ગુમાવ્યા, એનાથી 10 ગણા બચાવી લીધા.


from Divya Bhaskar https://ift.tt/30helyL

No comments:

Post a Comment