Ad

Monday, June 15, 2020

રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના 5000 કેસ વધ્યાં, અડધા જૂનમાં જ 500 મોત, અત્યાર સુધી કુલ 1506 મોત

ગુજરાતમાં સોમવારે 514 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને આ સાથે કોરોના સંક્રમણ પામેલાં લોકોનો કુલ આંક 24,104 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 339 દર્દીઓ સાજા થઇ ઘરે ગયાં છે જ્યારે 28 દર્દીઓના દુખદ મોત પણ થયાં છે. છેલ્લાં દસ દિવસમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના 4,987 કેસ નોંધાયાં જ્યારે 3,661 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં તથા 316 લોકોના મૃત્યુ થયાં છે.

સોમવારે થયેલાં મૃત્યમાં અમદાવાદના 23, સૂરતના 4 અને અરવલ્લીના એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,506 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે. હાલ ગુજરાતમાં 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જો કે તેની સામે 5,855 દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓને જો વધુ કોઇ તકલીફ ન જણાય તો આવતાં એક સપ્તાહથી દસ દિવસના ગાળામાં રજા અપાશે.

ગુજરાતમાં 16,671 દર્દીઓએ કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી છે. આ તમામ લોકોને સાજાં થયા બાદ રજા અપાઇ છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ 70 ટકા નજીક છે. ગુજરાતમાં 2.92 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ગુજરાતમાં મૃત્યુદરનું પ્રમાણ 6.3 ટકાની આસપાસ છે.

કોરોનામીટર

શહેર નવા કેસ કુલ દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદ 327 16967 11822
સુરત 64 2643 1883
વડોદરા 44 1597 1014
ગાંધીનગર 15 482 304
ભરૂચ 9 93 42
જામનગર 9 85 57
પંચમહાલ 7 126 86
જૂનાગઢ 4 47 29
સાબરકાંઠા 4 141 90
પાટણ 3 117 81
સુરેન્દ્રનગર 3 74 35
અરવલ્લી 2 146 121
મહેસાણા 2 187 118
વલસાડ 2 59 29
અમરેલી 1 28 10
આણંદ 1 129 107
બનાસકાંઠા 1 152 122
બોટાદ 1 67 55
કચ્છ 1 93 70
ખેડા 1 117 75
નર્મદા 1 32 23
નવસારી 1 40 27


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2N3wgkF

No comments:

Post a Comment