Ad
Sunday, June 28, 2020
Amazon India to hire 20,000 seasonal staff
from Times of India https://ift.tt/3g3Q6c8
Remembering The Villain’s Den
from Times of India Opinion https://ift.tt/3eFKwMU
અમેરિકન સૈનિકોની હત્યાના ષડયંત્ર અંગે ટ્રમ્પ જાણતા ન હતા: વ્હાઈટ હાઉસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ તરફથી દરેક ગુપ્ત માહિતી અપાતી નથી. વ્હાઈટ હાઉસને રાષ્ટ્રપતિને જે વાત જણાવવાનું ઉચિત લાગે તે જ જણાવે છે, બાકી માહિતી તેમનાથી ગુપ્ત રખાય છે. રશિયાએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકોની હત્યા પર ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકન ગુપ્તચર વિભાગે આ માહિતી ટ્રમ્પને આપી ન હતી.
આ અગાઉ એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટ્રમ્પને ગુપ્તચર વિભાગે તેના અંગે જણાવ્યું હતું, તો તેમણે રશિયાને સજા આપવી જોઈએ, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ અંગે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનીએ કહ્યું કે, અમેરિકાને દરરોજ હજારો ગુપ્ત રિપોર્ટ પ્રાપ્ત થયા છે અને તે તમામ તપાસ હેઠળ હોય છે. ઈન્ટેલિજન્સ એજન્સી, સીઆઈએ નિદેશક, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કર્મચારીઓના પ્રમુખ પણ કહે છે કે, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને દરેક ગુપ્ત માહિતી જણાવાતી નથી.
ભત્રીજીના પુસ્તકને રોકવા બીજી અદાલત પહોંચ્યા ટ્રમ્પના ભાઈ
ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈ રોબર્ટે ભત્રીજી મેરીના પુસ્તકના પ્રકાશન પર રોક લગાવવા બીજી અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. આ અગાઉ ન્યૂયોર્કના એક જજે તેમની અરજી ફગાવી દીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/38bCitp
બંગડીઓની દુકાનોમાં ગ્રાહક નથી, 100 કરોડ ટર્નઓવરવાળું મોતીઓનું બજાર સૂમસામ, હવે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવી મોતી દેશ-વિદેશ મોકલશે

જ્વેલરી, કપડાં, મોતી અને બંગડીઓની ખરીદી માટે હૈદરાબાદના ચારમિનાર સ્થિત માર્કેટ વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. રમજાન માસ બાદ શાદીઓની આ સીઝનમાં અહીં પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી. રોજ 70 હજારથી 1 લાખ લોકો કરોડોની ખરીદી કરતા. અહીંના મોતીઓનું જ વાર્ષિક 100 કરોડ રૂ.નું ટર્નઓવર છે પણ હાલ અહીંની ગલીઓ સૂમસામ છે. દુકાનદારોનું કહેવું છે કે માત્ર ખોલવા ખાતર દુકાનો ખોલીએ છીએ. રોજનો 5 કરોડનો ધંધો કરતી દુકાનોમાંથી ગ્રાહક ગાયબ છે.
વૅડિંગ કલેક્શન માટે જાણીતા કાકાજી વૅડિંગ મૉલના આરિફ પટેલ જણાવે છે કે હૈદરાબાદના જરદોશીકામ કરેલા ખડા દુપટ્ટા મશહૂર છે. તેની કિંમત 11 હજાર રૂ.થી માંડીને 5 લાખ રૂ. સુધી હોય છે. મોટી સંખ્યામાં એનઆરઆઇ અને બિઝનેસમેન આ ડ્રેસ લેવા અહીં આવતા હોય છે પણ હાલ ઓર્ડર જ નથી. 20 વર્ષથી ડ્રેસ ડિઝાઇનિંગનું કામ કરતા સુધા જલ્લાન જણાવે છે કે ખડા દુપટ્ટા દુલ્હનના ડ્રેસનું નામ છે. તેના પર જરી, જરદોશી, નંગ અને મોતીની ભારે કારીગરી હોય છે. આ ડ્રેસ પૂરી દુનિયામાં એટલા માટે મશહૂર છે કે અહીંના નિઝામની બેગમ ખડા દુપટ્ટા પહેરતી હતી. આ ડ્રેસમાં નાજુકતા, સુંદરતા અને અમીરી ઝળકે છે. આ કારીગરી હૈદરાબાદ સિવાય બીજે ક્યાંય નથી થતી.
ચૂડી બાઝારના શોએબનું કહેવું છે કે ઇદ પછી શાદી અને વલીમા હોય છે. અમારે ત્યાં 40 જણાં કામ કરતા હતા, જેમાંથી હવે માત્ર 7 રહ્યા છે. ઇદ અને શાદીઓની આ સીઝનમાં આખા વર્ષનું કમાઇ લેતા હતા, જેમાં દુલ્હન ઉપરાંત તેના સંબંધીઓના કપડાંના ઓર્ડર પણ મળતા. હવે તો ઘરમાં જ માત્ર 10-20 લોકોની હાજરીમાં શાદી થઇ રહી હોવાથી લોકો સંબંધીઓ માટે કપડાં નથી ખરીદતા. માત્ર દુલ્હનના કપડાં જ ખરીદે છે. આ જ રીતે હૈદરાબાદનું લાડ બાઝાર બંગડીઓ માટે મશહૂર છે. ફિઝા બેંગલના ઝાહિદ જણાવે છે કે લાખ પર સ્ટોનની કારીગરીવાળી અહીંની બંગડીઓ મશહૂર છે. અહીં તેની 300 દુકાન છે. દરેક દુકાન પર રોજ સરેરાશ 10-12 હજાર રૂ.નો ધંધો થતો પણ હાલ એક-બે હજાર રૂ.નો જ થઇ રહ્યો છે.
ચારમિનારના બેંગલ એસોસિયેશનના સેક્રેટરી શોએબ જણાવે છે કે ચારમિનાર માર્કેટની બધી દુકાનો 1 દિવસમાં અંદાજે 5 કરોડ રૂ.નો ધંધો કરતી હતી પણ કોરોનાના કારણે હાલ તેમનો રોજનો ધંધો દોઢ કરોડ રૂ.ની આસપાસ છે. અહીંના મોતીઓની વાત કરતા જ્વેલર્સ એસો.ના હૃદય અગ્રવાલ જણાવે છે કે મોતી દુનિયામાં ગમે ત્યાંના હોય, તે રૉ ફોર્મ (કાચા રૂપ)માં હૈદરાબાદ જ આવે છે. અહીંથી ક્વોલિટીના હિસાબે મોતીઓ છૂટા પાડીને વિદેશોમાં મોકલાય છે.
મોતીઓના વેપારી કુંજબિહારી અગ્રવાલ જણાવે છે કે મોતીનો ધંધો ટૂરિસ્ટ્સ પર નિર્ભર હોય છે પણ હજુ 5 મહિના સુધી અમારો ધંધો સંપૂર્ણપણે ઠપ રહેવાનો છે. તેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂ.ની આસપાસ હતું, જે હાલ શૂન્ય થઇ ચૂક્યું છે. મોતીની ડિમાન્ડ એટલી છે કે તેનો ધંધો દર વર્ષે નફો કરાવે છે, કેમ કે સોના-ચાંદી અને હીરાની જ્વેલરી ખરીદવાનું બધાને ન પરવડે. એસો.એ ધંધો બચાવવા ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર જવાનું નક્કી કર્યું છે. અમે અમારું પોતાનું ઇ-પ્લેટફોર્મ બનાવવા અંગે કામ કરી રહ્યા છીએ, જેમાં અહીંના બધા જ વેપારીઓ હશે. તેના દ્વારા અમે દેશ-વિદેશમાં અમારા ગ્રાહકોને મોતી મોકલીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/38gpwtB
ઈડર પાવાપુરી જલમંદિરના બંને વ્યભિચારી સાધુઓની જૈન મહારાજ તરીકે હકાલપટ્ટી

ઈડર પાવાપુરી જલમંદિરના વ્યભિચારી મહારાજ સાહેબોની પાપલીલાનો ભાંડો ફૂટ્યા બાદ છેલ્લી ઘડી સુધી વીડિયોમાં દેખાતી મહિલાનું નિવેદન બદલવાનો પ્રયાસ કરાયા બાદ મળેલી ક્ષણિક સફળતાને અંતે કલ્યાણસાગરની વિકૃતિનો ભોગ બનેલી વધુ એક વૃદ્ધાએ પણ હિંમત દાખવતાં પોલીસે બંને મ.સા.ની ધરપકડ કરવી પડી હતી. જેને પગલે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાએ રવિવારે આચાર્ય કલ્યાણસાગર અને તેમની સાથે રહેલા સૌ સાધુઓની સમુદાયમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, પાવાપુરી જલમંદિર તીર્થ ખાતે આચાર્ય કલ્યાણસાગર, રાજતિલકસાગર (રાજા મહારાજ), ધર્મકીર્તિસાગર અને તેમના શિષ્ય એવા એક બાળ મુનિ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
વ્યભિચારની ફરિયાદ આવતાં સાગર સમુદાયના વડા દોલતસાગર સૂરિજીએ કલ્યાણસાગર સહિત સાથેના તમામને સમુદાય બહાર કરી દીધા
ઈડર પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણસાગર અને રાજતિલક સાગર (રાજા મહારાજ) સામે વ્યભિચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરતની મહિલાએ યુ ટર્ન લઇ મહારાજ સાહેબોની તરફેણ કરી હતી. પરંતુ 75 વર્ષીય વૃદ્ધાએ તેમની સાથે પણ છેડતી કરાઇ હોવાનું નિવેદન આપતાં પોલીસ કાર્યવાહી આગળ વધી હતી બંને મ.સા.ને શનિવારે રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાયો હતો. જે નેગેટિવ આવતાં વિધિવત ધરપકડ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રકરણમાં ઓડિયો-વીડિયો પુરાવા અને વીડિયોમાં દેખાતી પીડિતા સાથેના વ્યભિચાર અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ મહિલાએ ફરિયાદીના આયોજનથી જ વ્યભિચારનો વીડિયો રેકોર્ડિંગ કર્યાનું નિવેદન આપતાં પોલીસે અગમ્ય કારણોસર હથિયાર હેઠા મૂકી દીધા હતા. પરંતુ વૃદ્ધાની હિંમત બાદ કાર્યવાહી આગળ વધી શકી છે. દરમિયાન, રવિવારે સાંજે બંને મહારાજોને હિંમતનગરથી ઇડર લવાયા હતા.
બીજીબાજુ, આ મામલે જૈન સમાજનો સ્થાનિક આક્રોશ અને ઘણા સમય અગાઉ નૈતિક મૂલ્યોના હનન અંગે રજૂ થયેલા પુરાવા, પત્ર વ્યવહાર અને પાવાપુરી જલમંદિર ખાતેની પાપલીલા જગજાહેર થઈ જતાં જૈન સંઘના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય કલ્યાણસાગર વગેરેને તેમના કુકર્મ અંગે છેદ પ્રાયશ્ચિત આપવા અગાઉ સંમતી આપ્યા બાદ લેખિતમાં 'મને પ્રાયશ્ચિત માન્ય છે' તેવું માંગતાં રાત ગઈ અને વાત ગઈ, અમને આવું કોઈ પ્રાયશ્ચિત માન્ય નથી તેવું આચાર્ય કલ્યાણસાગરે સ્પષ્ટ જણાવતાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજીએ આચાર્ય કલ્યાણસાગર અને તેમની સાથે રહેલા સૌની સમુદાય બહાર હકાલપટ્ટી કરી હતી. ત્યારે ગચ્છાધિપતિના આદેશ બાદ તમામ ચારેય પાવાપુરી જલમંદિરનો ત્યાગ કરે છે કે આદેશની અવગણના તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ બે દિવસથી ધર્મકીર્તિસાગરજી કેટલાક અનુયાયીઓ સાથે પાવાપુરીમાં આવ્યા છે.
આચાર્ય કલ્યાણસાગર મૂળ રાધનપુરના છે
પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણસાગરનો 59 વર્ષનો દીક્ષા પર્યાય હોવાનું જણાવી ટ્રસ્ટી આશિત દોશીએ જણાવ્યું કે તે રાધનપુરના છે અને 1999માં ઇડર આવ્યા હતા. તેમણે 15-16 વર્ષની ઉંમરે દીક્ષાગ્રહણ કરી હતી.
ગાંધીનગર જિલ્લાનો રમલો રાજતિલક બન્યો
રાજતિલકસાગર (રાજા મહારાજ) મૂળ ગાંધીનગરના ચિલોડાથી 12 કિમીના અંતરે આવેલા દોલારાણા વાસણા ગામના છે. જેમનું સાંસારિક નામ રમેશ ઠાકોર હતું. નાનપણમાં રમેશને એક જૈનમુનિએ કચરાપોતુ કરવા ઉપાશ્રયમાં રાખ્યો હતો.
75 વર્ષીય વૃદ્ધાના નિવેદનમાં ત્રણેય મહારાજો ખરાબ કામ કરતા હોવાનો ઉલ્લેખ
સાત-આઠ વર્ષ અગાઉ ગોચરી વોરાવા આવેલા મ.સા.એ છેડતી કર્યાનું નિવેદન આપનારાં 75 વર્ષીય વૃદ્ધાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે નિવેદનમાં રાજતિલકસાગર, કલ્યાણસાગર અને ધર્મકીર્તિસાગર ત્રણેય મ.સા. ધર્મની ઓથ નીચે ખરાબ કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નોંધનીય છે કે, વ્યભિચાર મામલે પતાવટ માટે થયેલા ફોન કોલની વાયરલ ઓડિયોમાં ડીકે ધર્મકિર્તીસાગરનું નામ પણ ઊછળી રહ્યું છે.
હવે આ લોકો જૈન સાધુ નથી રહેતા : ટ્રસ્ટી
આચાર્ય ગુરુ ભગવંત ગચ્છાધિપતિ દોલતસાગર સૂરીશ્વરજી મહારાજાના આદેશ બાદ હવે આ લોકો જૈન સાધુ નથી તેવો અર્થ થાય છે. વિહાર કરીને ક્યાંય જવું હોય તો તમામ દ્વાર તેમના માટે બંધ થઈ ગયા છે અને સંજોગવસાત એમને કોઈ વિહાર કરાવે તો એને પણ સમુદાય બહાર મુકાય છે. પાવાપુરી જલમંદિર ખાતે નવા આચાર્ય મ.સા. માટે આજે તેમને રજૂઆત કરી છે. -ડો. આશિષ દોશી, ટ્રસ્ટી
કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી
કલ્યાણસાગર અને રાજતિલક સાગર બંનેનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવતાં રવિવારે વિધિવત ધરપકડ કરાઈ છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવા તજવીજ હાથ ધરાઇ છે. > ચૈતન્ય મંડલીક, એસપી,સાબરકાંઠા
બંને લંપટ સાધુઓએ ગત વર્ષે વડોદરામાં
સામૂહિક જાપના નામે શ્રાવકો પાસેથી એક-એક હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા
કલ્યાણસાગર અને રાજતિલક સાગરે ગત વર્ષે કરજણ નવા બજાર ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યા હતા. ત્યાર બાદ વડોદરામાં બેંક રોડ આધ્યાત્મિક હોલમાં સામૂહિક જાપનો કાર્યક્રમ યોજી શ્રાવક-શ્રાવિકાઓ પાસેથી રૂ.એક-એક હજાર ઉઘરાવ્યા હતા. જંતર-મંતરના નેજા હેઠળ તાંત્રિક હોવાનો ડોળ કરી કોઈને સંતાન ન થતું હોય, પરિવારમાં વિખવાદ હોય, ધંધો ઠપ હોય કે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મજબૂર લોકો પાસેથી પૈસા પડાવી નો ટેન્શન નમો અરિહંતાણં બોલી વાસક્ષેપ કરતા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3ibfyyh
ખાનગી સાક્ષી ફરી જતાં હોવાથી સગીરા પર બળાત્કારની ઘટનામાં સરકારી અધિકારીને જ પંચ-સાક્ષી બનાવી શકાશે

સગીરા પરની બળાત્કારની ઘટનાઓમાં હવેથી પંચ-સાક્ષી તરીકે ખાનગી માણસને નહીં રાખી શકાય. ફક્ત સરકારી બાબુઓને જ પંચ કે સાક્ષી બનાવી શકાશે. સગીરા પરની બળાત્કારની ઘટનાઓમાં પંચ-સાક્ષી ફરી જતા હોવાથી આરોપીઓને યોગ્ય સજા થતી ન હતી. જેથી ભવિષ્યમાં કોઇ ઘટનામાં પંચ-સાક્ષી ફરી ન જાય તે માટે રાજ્ય સરકારે સરકારી બાબુઓને જ પંચ- સાક્ષી બનાવવાનું નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં બળાત્કારની 6116 ઘટના બની હતી. તેમાંથી 3486 ઘટનાઓમાં ભોગ બનનાર સગીરાઓ હતી.
મહિલાઓ અને બાળકો પરના અત્યાચારના ગુનાઓની સમીક્ષા કરવા માટે સરકારે મોનિટરિંગ કમિટીની રચના કરી છે. આ કમિટી દ્વારા મહિનામાં 2 વખત સગીરા પરની બળાત્કારની ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં તાત્કાલિક ફરિયાદ નોંધવી,તપાસ તાત્કાલિક પૂરી કરવી,ચાર્જશીટ સમયસર ફાઈલ કરવી તેમજ જરૂર જણાય તો ફાસ્ટ્રેક કોર્ટની રચના કરવા સહિતના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા.
જ્યારે 11 જૂન 2020 ના રોજ ગૃહ રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સગીરા પરના બળાત્કારની ઘટનાઓ બાબતે મિટિંગ મળી હતી. જેમાં ખાનગી પંચો-સાક્ષીઓ ફરી જતા હોવાથી આરોપીઓને યોગ્ય સજા થતી નહીં હોવાનું ફલિત થયું હતું. જેથી સગીરા પરની બળાત્કારની ઘટનાઓમાં પંચ-સાક્ષી તરીકે ખાનગી માણસો નહીં પરંતુ સરકારી બાબુઓને રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે સીઆઈડી ક્રાઈમના વડા અનિલ પ્રથમે તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડાઓઓને પરિપત્ર કરીને આ અંગે જાણ કરી દીધી છે.
5 વર્ષમાં બળાત્કારની ઘટનાઓ
વર્ષ | ગુજરાત | અમદાવાદ |
2014 - 2015 | 1,097 | 147 |
2015 - 2016 | 1,103 | 128 |
2016 - 2017 | 1,168 | 193 |
2017 - 2018 | 1,272 | 177 |
2018 - 2019 | 1,477 | 215 |
રાજ્યમાં અમદાવાદ મોખરે
ગુજરાતમાં 5 વર્ષમાં બળાત્કારની 6116 ફરિયાદો થઇ હતી. તેમાંથી 3486 ભોગ બનનારી સગીરાઓ હતી. તેમાં 5 વર્ષમાં સૌથી વધારે 860 બળાત્કાર અમદાવાદમાં થયા હતા. જેથી અન્ય ગુનાઓની જેમ જ બળાત્કારના ગુનાઓમાં પણ અમદાવાદ મોખરે રહ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2Vvl0Cu
ચીન સામે દેશભરમાં આક્રોશ વધ્યો, નવી દિલ્હી પછી હવે કોલકાતાની હોટેલોમાં ચીનીઓને નો એન્ટ્રી

લદાખમાં ગલવાન ખીણમાં ચીનની સેનાની ઘૂસણખોરી અને લોહીયાળ સંઘર્ષમાં 20 જવાનોની શહીદી બાદ દેશમાં ચીન વિરુદ્ધ આક્રોશ વધતો જઈ રહ્યો છે. કોલકાતામાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના કર્મચારીઓએ જવાનોની શહીદી અંગે દેખાવ કર્યા હતા. કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટને પણ આગચંપી કરી હતી. અમુક કર્મચારીઓનો દાવો છે કે તેમણે નોકરી પણ છોડી દીધી છે. આ લોકો ઝોમેટોમાં ચીનની કંપની અલીબાબાના રોકાણનો વિરોધ કરી રહ્યા હતા.
દેખાવકારોએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ઝોમેટો પર ફૂડ ડિલીવરી માટે ઓર્ડર ના કરે. 2018માં આન્ટ ફાઈનાન્શિયલ(તે અલીબાબાનો હિસ્સો છે) એ ઝોમેટોમાં 210 મિલિયન ડોલર(આશરે 1588 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યુ હતું અને 14.7 ટકાની ભાગીદારી મેળવી હતી. બીજી બાજુ કોલકાતાની અનેક હોટેલોમાં ચીનના નાગરિકોના રોકાવા પર રોક લગાવી દેવાઈ છે.
ઝોમેટોમાં ચીની કંપનીઓના રોકાણ સામે કર્મીના દેખાવો
કોલકાત્તામાં ઝોમેટોના કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા. કંપનીની ટી-શર્ટ પણ બાળી હતી. કેટલાક કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે. આ લોકોએ ઝોમેટોમાં ચીની કંપની અલીબાબા દ્વારા રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. અલીબાબાની કંપની આન્ટ ફાઇનાન્સિયલે ઝોમેટોમાં 1588 કરોડ ખર્ચી 14.7% હિસ્સો ખરીદ્યો છે.
ચીનથી આવેલો સામાન એરપોર્ટ-બંદર પર અટક્યો
ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી મહેસૂલ અધિકારીઓએ ચીનથી આવેલા સામાનની તપાસ કડક કરી છે. અચાનક શરૂ થયેલી કડકાઈથી ચીનથી આવેલો સામાન અલગ-અલગ બંદર અને એરપોર્ટ પર અટકી ગયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2BIckl3
Shivraj Singh Chouhan finally goes for Delhi visit, MP cabinet expansion soon
વિજ્ઞાનીઓએ બનાવ્યો રંગીન કપાસ, ભવિષ્યમાં કેમિકલથી કપડાં રંગવાની જરૂર નહીં પડે, શરીર-પર્યાવરણ બંને સુરક્ષિત રહેશે

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રંગીન કપાસ વિકસાવવામાં સફળતા મળ્યાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, આ સંશોધનથી હવે કપડામાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.
કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, અમે કપાસના આણ્વિક રંગના જિનેટિક કોડ શોધવામાં સફળતા હાંસલ કરી છે. હાલ અમે જુદા જુદા રંગના છોડના ટિસ્યૂ તૈયાર કર્યા છે. હવે તેને ખેતરોમાં પણ ઉગાડાઈ રહ્યા છે. હવે અમે એવા કુદરતી કપાસની જાત તૈયાર કરી રહ્યા છે, જેના દોરાથી બનેલા કપડામાં કરચલી પણ નહીં પડે અને તેને સ્ટ્રેચ કરવા પણ સરળ હશે. તેનાથી સિન્થેટિક કપડાનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળશે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, દુનિયાભરમાં હાલ 60%થી વધુ પોલિયેસ્ટર કપડાંનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે 200 વર્ષ સુધી નાશ નથી પામતા. આ સાથે એક કિલો કપડું રંગવા માટે એક હજાર લિટર પાણીની જરૂર પડે છે. હવે આ કપાસથી બનેલું કપડું રાસાયણિક રંગોથી રંગવાની જરૂર નહીં પડે. આ સાથે તે શરીર અને પર્યાવરણ માટે પણ સારું છે.
આ વિજ્ઞાની ટીમના વડા કોલિન મેકમિલન કહે છે કે, અમે કપાસના આણ્વિક જિનેટિક કલર કોડને એ રીતે રોપ્યો, જેનાથી છોડ પોતે જ જુદા જુદા રંગના કપાસ પેદા કરે. અમે તમાકુના છોડમાં તેનો પ્રયોગ કર્યો, તો પાંદડામાં રંગીન ધબ્બા ઊભરી આવ્યા. ત્યારે અમને વિચાર આવ્યો કે, આપણે જિનમાં કરીને કપાસ પણ બનાવી શકીએ. આ સંશોધન દુનિયાની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પાયાનો ફેરફાર કરી શકે છે કારણ કે, હાલ આપણે જે ફાઈબર તૈયાર કરીએ છીએ, તે બાયોડિગ્રેડેબલ અને રિન્યુએબલ તો છે, પરંતુ રંગીન નથી.
ભારતમાં ઘણાં પ્રયોગ, પરંતુ સફળતા ભૂરા અને લીલા રંગમાં જ મળી
ભારતમાં રંગીન તપાસને લઈને ઘણાં પ્રયોગ થયા છે. જોકે, વિજ્ઞાનીઓને ભૂરા અને લીલા રંગ સિવાય બીજા રંગોમાં સફળતા નથી મળી. જોકે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ આવા સંશોધનો ચાલુ છે. નોર્ધન ઈન્ડિયા ટેક્સ્ટાઈલ રિસર્ચ એસોસિયેશને રંગીન કપાસમાં 15 પેટન્ટ પણ નોંધાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2AhbFH2
દેશભરમાં ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કાર વચ્ચે સિવિલની કોવિડ હોસ્પિટલમાં બ્લડ સેલ કાઉન્ટ માટેનું ચાઇનીઝ મશીન મુકાયું

સમગ્ર દેશમાં ચાઇનાનો વિરોધ કરવા માટે ચાઇનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર થઇ રહ્યો છે, ત્યારે ખુદ ગુજરાત સરકારે બ્લડ સેલ કાઉન્ટ માટેના રૂ. 33 લાખની કિંમતના ચાઇનીઝ બ્રાન્ડનાં 4 મશીનોની ખરીદી કરતા વિવાદમાં સપડાઇ છે.
ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન (જીએસએમસીએલ) દ્વારા આ 4 મશીનમાંથી 1 અમદાવાદની કોવિડ હોસ્પિટલ, 2 રાજકોટ સિવિલ અને 1 સુરતની હોસ્પિટલમાં મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગત 7 મેનાં રોજ ચાઇનાની મિન્ડ્રે કંપનીને દર્દીના બ્લડ કાઉન્ટ કરવા માટે ઉપયોગી એવાં રૂ. 33 લાખની કિંમતનાં 4 મશીનોનો ઓર્ડર આપ્યો હતો. તેમજ લોકડાઉન વચ્ચે ગત 25 મેનાં રોજ ચાઇનીઝ કંપનીએ 4 મશીન ગુજરાત સરકારને આપ્યાં છે.
મહત્ત્વની વાત એ છે કે, ભારતની કંપનીઓ બ્લડ સેલ કાઉન્ટ માટેનાં મશીન બનાવતી હોવા છતાં ગુજરાત સરકારે ચાઇનીઝ કંપની પાસેથી મશીન ખરીદયા છે. ચાઇનીઝ કંપની પાસેેથી ખરીદેલા 4 મશીનમાંથી 1 મશીન અમદાવાદની કોવીડ હોસ્પિટલની લેબોરટરીમાં, 2 મશીન રાજકોટ સિવિલ અને 1 મશીન સુરત સિવિલમાં આપવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ.એમ. પ્રભાકરે આ વાતને સમર્થન આપ્યું હતું. દરમિયાન એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન (જીએસએમસીએલ) દ્વારા દર્દીના બ્લડ સેલ કાઉન્ટ માટે એક ચાઇનાની મિન્ડ્રે કંપનીનું મશીન આપવામાં આવ્યું છે, જે કોવીડ હોસ્પિટલની લેબોરેટરીમાં મુકવામાં આવ્યુું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3g0ZaOS
આસામના ગુવાહાટીમાં આવેલા ચક્રેશ્વર મંદિરમાં લક્ષ્મીનારાયણના ચરણે પહોંચ્યા બ્રહ્મપુત્રનાં નીર

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. આસામના 21 જિલ્લાના 1289 ગામના 4.63 લાખ લોકો પ્રભાવિત થયા છે. ગુવાહાટીમાં આવેલા ચક્રેશ્વર મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતાની મૂર્તિ સુધી બ્રહ્મપુત્રના પાણી પહોંચી ગયા હતા. હજુ બે દિવસ અહીં ભારે વરસાદની આગાહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2Zm0khr
J&K: 3 terrorists killed in encounter in Anantnag
Covid-19: Gehlot govt gives postings to 89 RAS officers before completion of training
With 327 new Covid-19 cases, Assam tally surges to 7,492
Lack of support from society affects mental health of Covid-19 patients, families: Psychologist
First indoor-cum-outdoor stadium all set to open in J&K’s Rajouri
Saturday, June 27, 2020
Assam's coronavirus tally crosses 7,000-mark; death toll rises to 10
Congress launches counter-offensive against BJP after JP Nadda questions RGF donations
India closely tracking Chinese air bases, sure of matching air power
Domestic cricketers await match fee, GRS share
from Times of India https://ift.tt/31qTObE
A day in the life of: A youth leader
from Times of India Opinion https://ift.tt/2B9Vko2
Rescue solvent companies but kill off zombies
from Times of India Opinion https://ift.tt/2ZhhInb
India needs both mind and muscle power to counter Chinese hegemony
from Times of India Opinion https://ift.tt/2ZmBcXU
Tadka mein cheeni, and other lockdown cooking secrets
from Times of India Opinion https://ift.tt/31oPTfq
Immigration bans will lead to dumbing down of the world
from Times of India Opinion https://ift.tt/3g3oQKF
રાજસ્થાનામાં લગ્નનો નિયમ તોડ્યો તો વરરાજાના પિતાને 6.26 લાખનો દંડ ફટકાર્યોઃ 250 મહેમાનોને બોલાવ્યા હતા

કોરોના સંક્રમણ રોકવા મોડલ બનેલા રાજસ્થાનના ભિલવાડામાં જિલ્લા વહીવટી તંત્રએ લગ્નના નિયમો તોડનાર વરરાજાના પિતાને 6.26 લાખનો દંડ ફટકાર્યો છે. ભિલવાડાના ઘીસુલાલ રાઠીના પુત્ર રિજુલના લગ્ન 13 જૂને થયાં હતાં. નિયમ મુજબ 50થી વધુ મહેમાન બોલાવી શકાય નહીં પણ લગ્નમાં 250 લોકો આવ્યા હતા અને ભોજન સમારંભ પણ યોજાયો હતો.
ત્રણ દિવસમાં દંડ ભરપાઈ કરવા જણાવ્યું
આ દરમિયાન એકબીજાથી સંક્રમણ ફેલાયું અને વરરાજા અને તેના પરિવાર સહિત લગ્નમાં આવેલા 15 લોકોને ચેપ લાગી ચૂક્યો છે.જ્યારે 58 લોકો કોરોના કેર સેન્ટરમાં છે. શુક્રવારે મોડી રાત્રે વરરાજાના દાદાનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ કોરોના પોઝિટિવ હતા. આ ઘટના પછી કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે આદેશ આપીને રાઠી પાસેથી ત્રણ દિવસમાં દંડ વસૂલ કરી તેને મુખ્યમંત્રી સહાય ભંડોળમાં જમા કરાવવા કહ્યું હતું. આ પ્રકારનો કદાચ દેશનો આ પ્રથમ કિસ્સો છે. કલેક્ટરે આદેશમાં જણાવ્યું હતું કે લગ્નમાં આવનારી પહેલી વ્યક્તિ 19 જૂનના રોજ સંક્રમિત મળી હતી. ત્યારપછી લગ્નમાં જેટલા આવ્યા હતા તે તમામની તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી ચાર લોકો ગયા હતા
ભિલવાડા લગ્ન સમારંભમાં ભાગ લેવા અમદાવાદથી પણ 4 લોકો ગયા હોવાના અહેવાલ છે. વરરાજાના બેન-બનેવી અને તેમના બે બાળકો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહે છે. આ અંગે અમદાવાદ મેડિકલ વિભાગને માહિતી આપી દેવાઈ છે. વરરાજાના બેન-બનેવી અમદાવાદમાં ચેકઅપ માટે ગયા હતા પરંતુ તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2BHG4yC
બાબુલ સુપ્રિયોએ સુશાંત કેસની સીબીઆઈ તપાસની માંગ કરીઃ કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માની પૂછપરછ

ભાજપના સાંસદ રૂપા ગાંગુલી પછી હવે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની સીબીઆઈ પાસે તપાસ કરાવવા માંગ કરી છે. સુપ્રિયોએ ટ્વિટ કરી કહ્યું કે સ્યુસાઈડ નોટ નહીં મળવાથી અને કેટલાક જવાબદાર વ્યક્તિઓની અસંવેદનશીલ ટિપ્પણીથી સુશાંતના મૃત્યુ પાછળ ઘણા સવાલ ઊભા થયા છે. બીજી બાજુ આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે શનિવારે યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરી હતી. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. ત્યારપછી ઘણી ફિલ્મી હસ્તીઓની પૂછપરછ થઈ ચૂકી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2Z8WaJm
આસામમાં બ્રહ્મપુત્રા નદી બેકાબૂ બનતાં પૂરની સ્થિતિઃ અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત, રાજ્યમાં 2.53 લાખ લોકો અસરગ્રસ્ત

પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય ક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે આસામના 16 જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ અનેક સ્થળે જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. પૂરને કારણે રાજ્યમાં 2.53 લાખ લોકોને અસર થઈ છે. તિનસુકિયા, મજૂલી, દિબ્રુગઢ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. માત્ર દિબ્રુગઢ જિલ્લામાં જ 25 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે.
અભ્યારણ્યમાં પાણી ઘૂસતા વન્યજીવો પર જોખમ
પોબીતોરા અભ્યારણમાં પૂરના પાણી ઘૂસી જતાં વન્યજીવો પર જોખમ વધી ગયું છે. આ અભ્યારણમાં 100 ગેડા, 1500 જંગલી ભેંસ છે. તેમને ઊંચાઈવાળા સ્થળે મોકલી અપાયા છે. 12 હજાર હેક્ટરમાંનો પાક ડૂબી ગયો છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં પણ નદીઓમાં પૂર આવ્યા છે. બરફ પીગળવાથી અને વરસાદને કારણે રાજ્યની અનેક નદીમાં પૂર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/2AaXjYH
In big spike, India adds 20,000+ cases in a day
from Times of India https://ift.tt/2Vn66y8
To take on Chinese ‘wolf warriors’, India must fix military asymmetry
from Times of India Opinion https://ift.tt/31ozesk
Our fragile emotions in Covid times!
from Times of India Opinion https://ift.tt/386xgOM
સતત 30 દિવસ સુધી વેન્ટિલેટર પર અને 13 દિવસ હોસ્પિટલમાં કાઢ્યા પછી યુવકે કોરોનાને હંફાવ્યો

સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 33 વર્ષના વિજય ઠાકોર નામના દર્દીએ સતત 30 દિવસ વેન્ટિલેટર પર અને એ પછી 13 દિવસ હોસ્પિટલમાં ગુજારી કોરોનાને હંફાવ્યો છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં વિજય ઠાકોરને સીધો વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. વિજય ઠાકોરના જણાવ્યા મુજબ, સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના અથાગ પ્રયત્નો અને ડોક્ટરો તરફથી શ્રેષ્ઠ સારવાર મળી હતી. મારા માટે તેઓ ખરા અર્થમાં ભગવાન છે. તેમણે મારી સાથે મારી પત્ની અને બે બાળકોના પણ જીવ પણ બચાવ્યા છે. જો હું સિવિલ ના આવ્યો હોત તો હું બચીશક્યો ન હોત અને મારો પરિવાર રઝળીપડ્યો હોત.
નિયમિત મને વીડિયો કોલથી વાત કરાવતા
અહીંના તબીબો દિવસ-રાત અમારી સારસંભાળ રાખતા. હું 30 દિવસ વેન્ટિલેટર પર હતો ત્યારે મારા પરિવારને પણ નિયમિત વિડીયો કોલથી વાત કરાવતા હતા. તેમણે જણાવ્યું કે, ડાયાબિટીસ, બી. પી. કે અન્યબિમારી ધરાવતા દર્દી માટે તો કોરોના ખૂબજ ગંભીર પરિણામો નોંતરે છે. મારા જેવા સ્વસ્થ વ્યક્તિને આટલો લાંબો સમય કોરોના સામે ઝઝૂમવું પડે તે અતિગંભીર પરિસ્થિતિ હતી. પરંતુ, સિવિલની સારવાર, અત્યાધુનિક મશીનરી, તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફની સંવેદનશીલતા, દર્દીને બચાવવાની પ્રતિબદ્ધતાથી જ હું આજે શ્વાસ લઇ રહ્યો છું.
ફેફસાં જાતે ઓક્સિજન ન લઈ શકતા ગંભીર સ્થિતિ સર્જાઈ
ફેફસામાં ગંભીર ઇન્ફેક્શનને લીધે ફેફસાની કાર્યક્ષમતા એકદમ ઘટી ગઇ હતી. જેને કારણે રોગ પ્રતિકારક શકિત ઘટી ગઇ હતી. પ્રોટોકોલ મુજબ દર્દીને ગંભીર ઇન્ફેકશન ન હોય તો 10 દિવસ બાદ રજા આપીએ છીએ પણ આ દર્દીના ફેફસામાં ઇનફ્કેશન વધુ ફેલાયેલું હતું અને ફેફસા ઓક્સિજન જાતે લઇ શકતા ન હોવાથી 3થી 4 અઠવાડિયા વેન્ટિલેટર પર રાખવો પડ્યો. ઉપરાંત દવાની સાથે સ્ટીરોઇડ અપાયું હતું. તેમજ રજા આપ્યાં બાદ ફેફસાની કાર્યક્ષમતા વધે તે માટે યોગની સલાહ આપી છે. - ડો. એમ. એમ. પ્રભાકર, ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યુટી, સિવિલ હોસ્પિટલ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3ibxLLU
રાજસ્થાન હોસ્પિટલને વિક્રમી 77 લાખ દંડઃ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ, એમ્બુલન્સમાં કોરોનાનો દર્દી હોવા છતાં 20 મિનિટ સુધી ગેટ ના ખોલ્યો તો મોત થયું હતું

કોરોનાગ્રસ્ત દર્દીને દાખલ કરવામાં ભારે વિલંબને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલને 77 લાખ દંડ ફટકાર્યો છે આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાન હોસ્પિટલે દર્દીને દાખલ કરવામાં દાખવેલી ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ ટ્રસ્ટને રૂપિયા 25 લાખ અને હોસ્પિટલના ટ્રસ્ટી મંડળને 52 લાખ મળીને 77 લાખનો દંડ ફટકાર્યો છે. શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના આઠ સભ્યો તથા ટ્રસ્ટી મંડળના 18 સભ્યો મળી ફુલ 26 સભ્યોને પ્રત્યેકને રૂપિયા બે લાખનો વ્યક્તિગત દંડ ફટકારવામાં આવ્યો છે.
શાહીબાગ પોલીસે FIR નોંધી
નોંધનીય છે કે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલી ગંભીર બેદરકારીની નોંધ લીધી હતી તેમજ આ બાબત ચલાવી લેવાય નહીં એવી આકરી ટકોર કરી હતી. હોસ્પિટલ સામે સખત પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા હતા જેને પગલે શનિવારે મ્યુનિ.એ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ સામે એપિડેમિક એકટ અંતર્ગત એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. શાહીબાગ પોલીસ મથકે રાજસ્થાન હોસ્પિટલ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી મંડળના સભ્યો સામે એફઆઇઆર નોંધ લેવામાં આવી હતી.
વેન્ટિલેટરની જરૂર હોવાથી દર્દી લવાયો હતો
શહેરના મધ્ય ઝોનમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હરીશભાઇ કડિયાને તાત્કાલિક વેન્ટિલેટર ની આવશ્યકતા જણાતા સત્તાવાળાઓએ રાજસ્થાન હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. હોસ્પિટલના કોરોના ગેટ પરથી અંદર જવા માટે એમ્બુલન્સને 20 મિનિટ રોકી રાખવામાં આવી હતી. એ પછી ગેટ ખોલવામાં આવ્યો હતો હોસ્પિટલની અંદર પહોંચ્યા બાદ દર્દીને સ્ટ્રેચરની વ્યવસ્થા આપવામાં પણ 15થી 17 મિનિટનો સમય લાગ્યો હતો જેને કારણે હરેશભાઈનું સારવાર સમયસર નહીં મળવાના કારણે અવસાન થયું હતું આ બાબતે મ્યુનિ. એ હોસ્પિટલને નોટિસ આપી હતી અને ટ્રસ્ટી મંડળ સહિતના જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ ઉપરાંત દંડની કાર્યવાહી કરી હતી.
શો-કોઝનો જવાબ આપ્યો, દંડની સત્તાવાર જાણ નથી
અમને કોર્પોરેશન તરફથી શો-કોઝ નોટિસ મળી હતી. જેનો અમે શુક્રવારે જવાબ આપી દીધો છે. એ પછી કોર્પોરેશન તરફથી અમને દંડ અંગેનો સત્તાવાર લેટર મળ્યો નથી. - પૃથ્વીરાજ કાંકરિયા, ચેરમેન, રાજસ્થાન હોસ્પિટલ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3eGIFaq
કચ્છમાં એક સાથે આર્મીના 11 જવાનને કોરોના વાઇરસઃ પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ

કચ્છમાં શનિવારે એક સાથે આર્મીના 11 જવાનને કોરોનાએ ઝપટમાં લીધા છે. આ અગાઉ આર્મીના 2 જવાનના સેમ્પલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી કુલ આંકડો 13 ઉપર પહોંચી ગયો છે. તમામને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ઊભી કરાયેલી 100 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બોર્ડર ઉપર મોકલતા પહેલા સેમ્પલ લેવાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/31nqqmH
સુરત શહેર-જિલ્લામાં છૂટોછવાયો વરસાદઃ ડાંગમાં 26 mm વરસાદ ખાબક્યો

સુરત શહેર અને જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકા કોરાક્ટ રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ગોરંભાયો છે. વાછળ છાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ડાંગના સુબીરમાં 26એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે આહવામાં સાત અને કપરાડામાં સાત એમએમ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ ખેતીના પાક પર હળવો વરસાદ પડતાં ધરતીપુત્રો માટે કાચુ સોનું વરસ્યું હોય તેવી લાગણી અનુભવવામાં આવી હતી. સુરત શહેરમાં સાત એમએમ વરસાદથી ગરમી અને બફારાના માહોલમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સોનગઢમાં વરસાદથી પાણી વહેતા થયા
સોનગઢમાં વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં. એકાદ બે ઈંચ જેટલા વરસાદના પગલે રસ્તાઓ પર જાણી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. જો કે, હજુ સુધી દક્ષિણ ગુજરાતમાં દર વર્ષની જેમ મેઘરાજાની મનમુકીને સવારી આવી નથી. જેથી સારો વરસાદ થાય નદીઓ વહેતી થાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

from Divya Bhaskar https://ift.tt/3dAMGfq