Ad

Sunday, March 29, 2020

ગુજરાતમાં સ્માર્ટ થઈ રહેલી સરહદથી પાકિસ્તાન હતપ્રભ, BSFએ ફેન્સિંગ સાથે લગાવી 11,880 સોડિયમ લાઇટ્સ

ડીડી વૈષ્ણવનો BSFની છેલ્લી સીમા ચોકી, કચ્છથી લાઇવ રિપોર્ટ: પાકિસ્તાન હતપ્રભ છે. કારણ કે જે કામ બંદૂકો કરી શકી નથી તે બીએસએફની લાઇટોએ કરી દીધું છે. રાતના અંધારામાં ઘૂસણખોરી રોકવા માટે બીસીએફે પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની 425 કિમી સરહદ પર 11,880 સોડિયમ લાઇટ્સ લગાવી દીધી છે. રાજ્યની બાકીની 83 કિમી સરહદે ફેન્સિગ, લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં કચ્છના રણ વિસ્તારમાં કુલ 508 કિમી બોર્ડર આવેલી છે, બાકીનો સીમા વિસ્તાર સમુદ્ર અને કાદવકીચડવાળી જગ્યામાં આવેલો છે. અત્યાર સુધી અહીંથી દાણચોરી, ઘૂસણખોરી થતી હતી. પણ હવે લાઇટો લાગી જતા આ સરહદ સીલ થઈ ગઈ છે. બાકીના ક્રીક વિસ્તારમાં તો પાકા રસ્તા બનાવીને એલઇડી લાઇટો લગાવવામાં આવી છે.
હવે પાંચ વર્ષમાં સમગ્ર 508 કિમીમાં સોડિયમના બદલે એલઇડી લાઇટ્સ લાગાવાશે
બોર્ડર યાત્રા દરમ્યાન ભાસ્કરની ટીમ ભૂજથી 175 કિમીથી વધુનો સૂમસામ રસ્તો પાર કરી, ઇન્ડિયા બ્રીજ થઈને રાત્રે અંદાજે 12 વાગ્યે સરહદે આવેલી એક બીઓપી પર પહોંચી હતી. અહીં સુધી આવવા માટે રસ્તો બનેલો છે. અને સમગ્ર બોર્ડર સ્વર્ણિમ રોશનીથી ઝગમગતી હતી. અહીં ડગલેને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. જ્યારે પાકિસ્તાન તરફ દૂરસુદૂર સુધી બસ અંધારું જ દેખાતું હતું. હા, ત્રણ કિમી દૂર આવેલી પાકિસ્તાનની ચોકી પર ચીન પાસેથી મેળવવામાં આવેલી ઉધારની બે-ત્રણ સોડિયમ લાઇટો જરૂર દેખાઈ. બોર્ડરની આસપાસ એ તરફ તો કોઈ નહોતું. ચોકીપહેરો કરતા રેન્જર્સ પણ ગાયબ હતા. આ બોર્ડર પર એલઇડી લગાવવાનું કામ સીપીડબલ્યૂડીએ શરૂ કરી દીધું છે. કામગીરી પૂર્ણ થતા પાંચ વર્ષ લાગી જશે.
આવી હશે ગુજરાતની સ્માર્ટ બોર્ડર
  • કૉમ્પ્રિહેન્સીવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) ઇઝરાયેલની મદદ અને સ્વદેશી પદ્ધતિથી ડેવલપ કરવામાં આવી છે. તેનાથી છુપા સીસીટીવી કેમેરાની મદદથી કન્ટ્રોલ રૂમમાંથી ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાશે.
  • સંવેદનશીલ વિસ્તારોમાં તારની વાડની સાથે લેસર વૉલ બનાવવાની સાથે લેસર બીમ, કેમેરા, રડાર અને સેન્સર લાગશે.
  • સ્માર્ટ ફેન્સિંગ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી સજ્જ હશે. તેમાં નાઇટ વિઝન કેમેરા, હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજર્સ, બેટલ ફિલ્ડ સર્વેલન્સ રડાર ઉપરાંત ડાયરેક્શન ફાઇન્ડર, ગ્રાઉન્ડ સેન્સર, હાઇપાવર ટેલિસ્કૉપ છે. ઘૂસણખોર ફેન્સિંગની નજીક પણ આવશે તો પકડાઈ જશે.
  • એલઇડી લગાવવાથી દર મહિને BSFના 41 લાખ રૂપિયા બચશે
  • ગુજરાત સરહદે અત્યારે 2,970 પોલ પર 11,880 સોડિયમ લાઇટ્સ લાગી છે. એટલે કે પ્રત્યેક પોલ પર 4 લાઇટ્સ છે.
  • એક રાતમાં પોલ દીઠ 12 યૂનિટ વીજ વપરાશ થાય છે.
  • દૈનિક 35,640 યૂનિટ એટલે કે 2.49 લાખનો વીજ વપરાશ ખર્ચ છે.
  • બીએસએફ દર મહિને 74.84 લાખ રૂપિયા વીજ બિલ ચૂકવે છે.
  • એલઆઇડી લગાવ્યા બાદ 55 ટકા સુધી વીજળીની બચત થશે.
  • એલઇડીથી મહિને વીજ ખર્ચ 1.12 લાખ યૂનિટ એટલે કે 33.67 લાખ રૂપિયા થઈ જશે.
પાક. સરહદ...
પાકિસ્તાનની હદમાં ચીન પાસેથી ખરીદવામાં આવેલી લાઇટ્સથી થોડીઘણી રોશની દેખાતી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આપણી સરહદ રોશનીથી ઝગમગ.
પાકિસ્તાનની હદમાં ચીન પાસેથી ખરીદવામાં આવેલી લાઇટ્સથી થોડીઘણી રોશની દેખાતી હતી.


from Divya Bhaskar https://ift.tt/39r91Kb

Liverpool deserve Premier League title if season cancelled: Manchester City’s Gundogan

Man City's Gundogan says Liverpool deserve title if season cancelled

from India Today | Top Stories https://ift.tt/3bxrpmb

North Korea says it conducted successful test of multiple rocket launchers amid pandemic

North Korea says it conducted successful test of multiple rocket launchers amid pandemic

from India Today | Top Stories https://ift.tt/3dEn967

Vietnam PM asks major cities to prepare for lockdown to stop coronavirus

Vietnam PM asks major cities to prepare for lockdown to stop coronavirus

from India Today | Top Stories https://ift.tt/2WUKbjg

Three Indians among 42 new coronavirus cases reported in Singapore

Three Indians among 42 new coronavirus cases reported in Singapore

from India Today | Top Stories https://ift.tt/2Utb5gI

Covid-19: Asia shares suffer virus chills, central banks offer what they can

Covid-19: Asia shares suffer virus chills, central banks offer what they can

from India Today | Top Stories https://ift.tt/2UIK2g4

As coronavirus makes goodbyes hard, fears of many more rise in US

As coronavirus makes goodbyes hard, fears of many more rise in US

from India Today | Top Stories https://ift.tt/2WUMnHl

With PM Boris Johnson ill, coronavirus strikes at heart of British politics

With PM Boris Johnson ill, coronavirus strikes at heart of British politics

from India Today | Top Stories https://ift.tt/33VknF0

Italy coronavirus deaths rise by 756, lifting total death toll to 10,779

Italy coronavirus deaths rise by 756, lifting total death toll to 10,779

from India Today | Top Stories https://ift.tt/2JsqNSA

Bolsonaro visits market to press need to keep Brazil working during pandemic

Bolsonaro visits market to press need to keep Brazil working during pandemic

from India Today | Top Stories https://ift.tt/2wLDTrx

Pay digital, stay safe: RBI Governor advocates digital banking as part of social distancing

Pay digital, stay safe: RBI Governor advocates digital banking as part of social distancing

from India Today | Top Stories https://ift.tt/2WTPO12

Excessive alcohol consumption may increase risk of COVID-19: WHO

Excessive alcohol consumption may increase risk of COVID-19: WHO




from News - Videos - The Times of India https://ift.tt/3bBI4Fi

Watch: Leopard shows off kill, drags prey heavier than itself up a tree

Watch: Leopard shows off kill, drags prey heavier than itself up a tree




from News - Videos - The Times of India https://ift.tt/2xwLo5F

Haryana issues advisory, asking industry not to layoff workers during Covid-19 situation

Haryana issues advisory, asking industry not to layoff workers during Covid-19 situation

from India Today | Top Stories https://ift.tt/3awlI7K

Mumbai: Tempo driver held for ferrying migrant workers amid lockdown

Mumbai: Tempo driver held for ferrying migrant workers amid lockdown

from India Today | Top Stories https://ift.tt/3dO13yi

Covid-19: Employee of Air India subsidiary tests positive

Covid-19: Employee of Air India subsidiary tests positive

from India Today | Top Stories https://ift.tt/2WZAHmG

COVID-19 outbreak: Volunteer group 'United Kathua' to help needy amid India lockdown

COVID-19 outbreak: Volunteer group 'United Kathua' to help needy amid India lockdown




from News - Videos - The Times of India https://ift.tt/2UpqjD8

Divided by Fear?

This is by far, the biggest crisis of its kind in living memory. No other event comes close in terms of scale and sweep of its embrace in the last 100 years. At one level,...

from Times of India Opinion https://ift.tt/2UMcFJq

Live: Trump extends 'social distancing' to Apr 30

The number of Covid-19 cases crossed 1,000 in India on Sunday with the death toll rising to 27, according to the Union health ministry. The number of deaths around the world from the novel coronavirus cases has crossed 30,000. Stay with TOI for the latest developments

from Times of India https://ift.tt/2JnMHGH

Saturday, March 28, 2020

No quarantine, but travel advisory for New York, Connecticut and New Jersey: Donald Trump

No quarantine, but travel advisory for New York, Connecticut and New Jersey: Donald Trump

from India Today | Top Stories https://ift.tt/2QV0FUJ

UP: 50 Ukrainians asked to leave Mathura by locals due to Covid-19 scare

UP: 50 Ukrainians asked to leave Mathura by locals due to Covid-19 scare

from India Today | Top Stories https://ift.tt/2UJ6JRl

Covid-19 lockdown: Kerala to supply liquor to alcoholics with withdrawal symptoms

Covid-19 lockdown: Kerala to supply liquor to alcoholics with withdrawal symptoms

from India Today | Top Stories https://ift.tt/39pPw4N

Bihar CM Nitish Kumar grants Rs 100 crore for victims of coronavirus

Bihar CM Nitish Kumar grants Rs 100 crore for victims of coronavirus

from India Today | Top Stories https://ift.tt/2UKioiU

Telangana: Man commits suicide over fear of Covid-19 in Suryapet

Telangana: Man commits suicide over fear of Covid-19 in Suryapet

from India Today | Top Stories https://ift.tt/3bB27Ds

Coronavirus in India: Assam man pledges 4 acre land for hospital

Coronavirus in India: Assam man pledges 4 acre land for hospital

from India Today | Top Stories https://ift.tt/2Jl87Er

Unbelievable, yet true!

So many hitherto unbelievable things are a reality now with Covid-19. We must really learn to never say never again! Unbelievable, yet true! “There are decades where nothing happens, and there are weeks where decades...

from Times of India Opinion https://ift.tt/39wS80U

Covid-19: Time to enhance social capital through voluntary compliance

Last year, while explaining national security challenges at the Indian Institute of Management, it was difficult to convince participants about pandemics as an emerging crisis. Two weeks ago, at Lovely Professional University, there were spontaneous...

from Times of India Opinion https://ift.tt/2QV9MF3

Those having a hard time don’t wish to discover themselves

The lockdown hasn’t brought about a huge change in my day as for a couple of years now, I have restricted the time I spend outside. But I’m badly missing my daily 80 minutes’ morning...

from Times of India Opinion https://ift.tt/2yhgnDg

Wfh has raised productivity but we miss the office bonding

I have been wfh since last Friday and I realise I am working much more at home. My day is no longer divided into ‘office’ and ‘home’ and since I work with a global company,...

from Times of India Opinion https://ift.tt/2UH7kmI

Locals turn good samaritans, come forward to help, provide food to hungry people stranded at state borders

Locals turn good samaritans, come forward to help, provide food to hungry people stranded at state borders

from India Today | Top Stories https://ift.tt/3apwe0A

ઘરમાં ટકતા નથી બ્રિટિશરો, 12 સપ્તાહ સુધી લંબાઈ શકે છે લૉકડાઉન, કારણ વગર નીકળવા પર 93 હજાર રૂપિયાનો દંડ

લંડનથી ભાસ્કર માટે ડૉ. સુનિલ ગર્ગઃ કોવિડ-19એ વિશ્વને ઘૂંટણિયે લાવી દીધું છે. તેમાં બ્રિટન પણ છે. 28 માર્ચ સુધી બ્રિટનમાં કુલ 759 મોત થયા છે. જ્યારે તેના એક દિવસ પહેલાં આ આંકડો 578 હતો. એટલે કે એકજ દિવસમાં 181 મોત થયા. 23 માર્ચથી દેશમાં 3 સપ્તાહનું લૉકડાઉન શરૂ થયું છે. કહેવાય છે કે તેને વધારીને 12 સપ્તાહનું કરાશે કારણકે લોકો બહાર નીકળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરતાં નથી. પ્રિન્સ ચાર્લ્સ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, તેમના આરોગ્ય પ્રધાન મેટ હેન્ડકોક પણ કોરોના પોઝિટિવ છે. હેલ્થકેર, સોશિયલ કેર, ફાર્મસી, પોલીસ અને ફાયરબ્રિગેડ સિવાય તમામ જાહેર અને ખાનગી ઈમારતો તથા ઓફિસો બંધ કરાવાયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત પ્રતિબંધ 12 સપ્તાહ સુધી ચાલુ રહેશે તેમ મનાય છે.

કારણ વગર નીકળે તો 1 હજાર પાઉન્ડ દંડ કરવામાં આવે છે
તમામ બિનજરૂરી યાત્રા રોકી દેવાઈ છે. યુકે આવતી જતી 90 ટકા ફલાઈટ કેન્સલ છે. બ્રિટનની તમામ શાળા 20 માર્ચથી બંધ કરાઈ છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા તપાસ કરવા, હોસ્પિટલ તૈયાર કરવા અને સમુદાયમાં વાઈરસ ફેલાતો અટકાવવા માટે ગંભીર તણાવમાં છે. તમામ હોસ્પિટલની ઓપીડી લગભગ બંધ છે. દર્દીઓને ટેલિફોન વીડિયો કોન્ફરન્સિંગથી સલાહ લેવા કહેવાયું છે. તમામ ઓછા જરૂરી ઓપરેશન રદ કરાયા છે. દરેક હોસ્પિટલમાં કોવિડ એરિયા અને આઈસોલેશન એક્શન પ્લાનની સાથે બેડની વ્યવસ્થા કરાઈ છે. આઈસીયુને ઈન્ટેન્સિવ ટ્રોમા યુનિટમાં તબદીલ કરાયા છે. તમામ જરૂરી સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જોકે ઘણી હોસ્પિટલોમાં હજી પણ પર્યાપ્ત પર્સનલ સેફ્ટી ઈક્વિપમેન્ટ તથા આરોગ્ય કર્મચારીઓ નથી. આ કારણે ચિંતા વધી છે. પોલીસ કાયદો વ્યવસ્થા સંભાળવા માટે રસ્તા પર છે. કારણ વગર બહાર નીકળો તો 1 હજાર પાઉન્ડ એટલે કે 93 હજાર રૂપિયાનો દંડ કરાય છે. સુપરમાર્કેટમાં ગભરાટભરી ખરીદી જોવા મળે છે. જોકે ખેડૂતો અને સપ્લાય કરનારાએ ખાદ્ય અને કરિયાણાનો સામાનની ઘટ નહીં પડે તેનું વચન આપ્યું છે. લોકોને સમજદાર ખરીદીનો આગ્રહ કરાય છે.

ખાનગી કર્મચારીઓને પણ સરકાર 80 ટકા વેતન આપશે
બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા આપવાની સરકારની અપીલ પછી 24 કલાકની અંદર લાખો લોકોએ મંજૂરી આપી છે. નાણામંત્રી ઋષિ સુનકે ખાનગી અને સ્વરોજગરા બંને ક્ષેત્રના લોકોને તેમનું 80 ટકા સુધીનું વેતન આપવાની વાત કરી છે. આ દરમિયાન મોટી ચિંતા એ છે કે આગામી મહિનાઓમાં મહામારીનો સામનો કેવી રીતે કરવો. તજજ્ઞો કહે છે કે જ્યાં સુધી વાઈરસ સમગ્ર દુનિયામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી જોખમ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રિટનની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2WPKRq4

EMI ત્રણ મહિના ટાળશો તો રૂ. 1000 પર રૂ. 25 વ્યાજ આપવું પડશે

નવી દિલ્હીઃ જો તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોનની ઈએમઆઈ ત્રણ મહિના ટાળવાનો નિર્ણય કરશો, તો પ્રતિ 1000 રૂપિયાએ તમારે રૂ. 25 વ્યાજ ભરવું પડશે. બેન્કિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે રિઝર્વ બેન્કે સામાન્ય લોકોને રાહત આપવા ઈએમઆઈ પર ત્રણ મહિના માટે મોરાટોરિયમ લગાવાયું છે. જો આ દરમિયાન ઈએમઆઈ નહીં ચૂકવાય તો તેના પર બેન્ક સાધારણ દરથી વ્યાજ વસૂલશે. બેન્ક આ રકમ તમારે ભવિષ્યમાં ચૂકવવાની છે, તે ઈએમઆઈ પર જોડી શકે છે અથવા ઈએમઆઈની રકમમાં કોઈ ફેરફાર નહીં કરીને લોનનો સમયગાળો વધારી શકે છે. મની ટેપના કો-ફાઉન્ડર કુણાલ વર્માએ કહ્યું કે રિઝર્વ બેન્કના આ પગલાંથી એ લોકોને ઘણી રાહત મળશે જેમની આવક લૉકડાઉનના કારણે પ્રભાવિત થઈ છે પરંતુ તેમણે જૂનથી પોતાની ઈએમઆઈ અગાઉની જેમ જ નિયમિત રીતે ચૂકવવી પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2wyGyox

આસ્ટોડિયાની મહિલા દાખલ કર્યાના 2 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામી, લોકોએ કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. અર્થાત્ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.

દાણીલીમડા પાસેના કબ્રસ્તાનમાં દફનાવી
આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. દરમિયાન સરખેજના 70 વર્ષના પુરુષ સગાંની ખબર કાઢવા ઈન્દોર ગયા હતા ત્યાંથી આવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુલબાઈ ટેકરાનો 33 વર્ષનો યુવક અમેરિકાથી આવેલા મિત્રને મળ્યો હતો અને એ પછી શ્રીલંકાથી આવેલા તેના બે ભાગીદારને મળ્યો હતો.

દફનવિધિ માટે 10 ફૂટ કબર ખોદવામાં આવી
મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. મહિલાના મૃત શરીરને 10 ફૂટ ઉંડા ખાડામાં ઉતાર્યા બાદ તેના પર માટી નાંખી દેવામાં આવી હતી.

ઈમરજન્સીને પહોંચી વળવા તૈયારી
અમદાવાદ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલમાં કોરોના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં તમામ હોસ્પિટલમાં હાલ કાર્યરત 250 જેટલા વેન્ટિલેટર સજ્જ છે. મ્યુનિ. દ્વારા આ તમામ વેન્ટિલેટર હાલ આવશ્યકતાં પ્રમાણે કોરોના માટે અનામત કક્ષામાં મૂકવામાં આવ્યા છે. જો અન્ય દર્દીને જરૂરિયાત હોય તો તે આપવામાં આવે છે. જોકે હાલ તંત્રની સંપૂર્ણ પ્રાથમિકતા માત્ર કોરોનાને લગતી છે. મ્યુનિ. દ્વારા ખરાબ હાલતમાં હોય તેવા વેન્ટિલેટર પણ હાલ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

વેન્ટિલેટર વગર દર્દીનું મોત નીપજી શકે છે
કોરોનાના દર્દીને શ્વાસમાં સૌથી વધુ તકલીફ પડતી હોય છે. ફેફસાંમાં ઈન્ફેક્શનને કારણે દર્દીની હાલત અત્યંત ઝડપથી કથળતી હોય છે. કોરોનાના મોટાભાગના કેસમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો વેન્ટિલેટર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હાલ ભારત સરકારે પણ તમામ હોસ્પિટલોને શક્યતા તેટલા વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી છે. કેટલીક સરકારી ફેક્ટરીઓને પણ વેન્ટિલેટર સહિતની સારવાર સામગ્રી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

શહેરમાં 3 ખાનગી લેબોરેટરીને કોરોનાના ટેસ્ટિંગની મંજૂરી
ખાનગી હોસ્પિટલમાં પણ જો કોઇ તબીબને જણાય કે, દર્દીનો કોરોના ટેસ્ટ કરવો આવશ્યક છે, તો તેવી સ્થિતિમાં સરકારી ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ તેઓ ટેસ્ટ માટે દર્દીને મોકલી શકે છે. શુક્રવારે જ 40 જેટલા લોકોએ આ રીતે ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ખાનગી લેબોરેટરીનો વ્યક્તિ રૂ. 1000નો પીપીઇ સ્યૂટ પહેરીને દર્દીની તપાસ કરી તેના સેમ્પલ લે છે. સરકાર દ્વારા અમદાવાદની 3 અને સુરતની 1 મળીને કુલ 4 જેટલી ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટેની મંજુરી આપવામાં આવી છે. જે મંજુરી બાદ હાલ અમદાવાદ શહેરમાં માત્ર સુપ્રાટેક લેબોરેટરી જ પોતાનું કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરી શકી છે.

સેમ્પલ લીધા પછી પીપીઈ કિટ નષ્ટ કરવામાં આવે છે
અમે સરકારી ધોરણોનો અમલ કરીએ છીએ. અમે દર્દીના સગાને લેબોરેટરી પર બોલાવી દર્દીની પૂરતી માહિતી મેળવીએ છીએ. દર્દીને ક્વોરન્ટાઈનમાં રાખવા સૂચના અપાય છે. અમારા કર્મચારી એક કાળી બેગમાં પીપીઇ કીટ (જેમાં માસ્ક, ફુલ બોડી કવર સ્યૂટ, કેપ સહિતની અન્ય ચીજો હોય છે) સાથે દર્દીના ઘરે જાય છે. પરત આવી આ પીપીઇ કિટને કેમિકલથી નષ્ટ કરી નાંખવામાં આવે છે. જે બાદ લેબોરેટરીમાં સેમ્પલની તપાસ કરવામાં આવે છે. - ડો. સંદિપ શાહ, એમ.ડી., સુપ્રાટેક

ક્વોરન્ટાઇન પૂરો કરનારના ઘર બહાર ગ્રીન સ્ટિકર લાગ્યાં
શહેરમાં હોમ કવોરન્ટાઇનમાં રખાયેલા લોકોએ 14 દિવસ વિતાવતાં મ્યુનિ.અે તેમના ઘર બહાર ગ્રીન સ્ટિકર ચોંટાડવાનું શરૂ કર્યું છે. લોકો જાણી શકે કે આ પરિવારે ક્વોરન્ટાઈનનો સમય પૂરો કર્યો છે. તે માટે આ નિર્ણય લેવાયો હતો. ગ્રીન સ્ટિકર લગાડવાનો હેતુ નાગરિકોને ખબર પડે કે, આ પરિવારે હોમ ક્વોરન્ટાઇનનો પીરિયડ પૂર્ણ કર્યો છે જેથી પડોશીઓ પણ ડર રાખે નહીં અને લોકોમાં ગેરસમજ થતી દૂર કરવા આ પગલું ભરવામાં આવ્યું છે.

ભીડ ટાળવા શાકની લારીઓ દૂર કરવામાં આવી
લોકડાઉનને પગલે તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. તેમ છતાં શાકભાજીની અનેક લારીઓ રોડ પર ઉભી રાખવામાં આવી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ શાક લેવા રોડ પર નીકળી પડે છે. તંત્ર દ્વારા સતત લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સોસાયટીના નાકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શાકભાજી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં પોલીસની વારંવારની સૂચના છતાં રોડ પર સવારથી જ ઉભી રહી જતી શાકભાજીની લારીઓ હટાવવા મ્યુનિ. કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ બાપુનગરમાંથી રોડ પર ઉભી લારીઓ ઉઠાવી ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મૃતક મહિલાની દફનવિધિ


from Divya Bhaskar https://ift.tt/2WUrvA7

કોરોનાથી બચવાના ઉપાય શોધવાના પ્રયાસમાં શિક્ષિત લોકોને ‘પેનિક એટેક’, ગભરામણ-અનિદ્રાનો ભોગ બન્યા

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: લૉકડાઉનની સ્થિતિમાં સતત ઘરમાં જ રહેતા લોકોમાં હવે પેનિક એટેક અને સાયકોસિસ જેવા રોગના કેસોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ પેનિક એટેકના દર્દીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે તેમ જણાવતા મનોચિકિત્સકોએ કહ્યું, સામાન્યરીતે ડોક્ટર સહિત ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો કોરોનાને લઈ સતત અનેક પ્રકારના સંશોધનો કરી રહ્યા છે. કોરોનાથી બચવા ઉપાય શોધવા ઉતાવળા થઈ રહ્યા છે. આ સ્થિતિમાં તેઓ પેનિક એટેકનો ભોગ બની રહ્યા છે. પેનિક એટેકના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં 200થી વધુ જનરલ પ્રેક્ટિસ કરતા તેમજ નિષ્ણાંત તબીબોએ પોતાની પ્રેક્ટિસ પણ બંધ કરી દીધી છે. માનસિક આરોગ્યની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા ડો. રમાશંકર યાદવે જણાવ્યું કે, લોકડાઉન પહેલા પેનિક એટેકના રોજ સરેરાશ એક કે બે કેસ આવતા હતા પરંતુ હવે આવા કેસોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી ગઈ છે. જેમાં લોકો બેચેની, ગભરામણ, વારંવાર મોં સુકાઈ જવું, ઉંઘ ન આવવી, મનમાં સતત વિચારો આવવા સહિતની ફરિયાદો વધી ગઈ છે.

કેસ-1: ચેપની બીકે ડોક્ટર દવાખાનું ખોલતા નથી
હાલના સમયમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. દર્દીને દવા આપીએ ત્યારે પણ મનમાં ભય હોય છે કે, જો કોઈ કોરોનાનો દર્દી આવી ગયો તો, મને, મારા પરિવારને તેમજ અન્ય દર્દીઓને પણ ચેપ લાગશે. તેથી હું હોસ્પિટલ શરૂ નહીં કરૂ. આવા અનેક ડોક્ટરો છે, પરંતુ તેમાં કેટલાક ડોક્ટરો દર્દીઓને ફોન પર જ દવા લખાવી મેડિકલ સ્ટોરમાંથી લઈ લેવા જણાવી રહ્યા છે.

કેસ-2: કોરોનાના વિચારોથી ઊંઘ હરામ થઈ ગઈ
ઘરમાં સતત રહ્યા બાદ 10થી 20 વર્ષ જુની વાતો સતત યાદ આવી રહી છે, ઉંઘ પણ નથી આવતી. આનાથી બચવા થોડા સમય ટીવી જોવું છું તો થોડા સમય સુધી ધાર્મિક પુસ્તકો વાંચુ છું પરંતુ મન સતત બેચેન રહે છે. જે લોકો મરી ગયા છે તેમની સતત યાદ આવે છે તેવી ફરિયાદ 35 વર્ષની મુસ્લિમ મહિલાએ કરતા તેને સાયકોસિસની સારવાર અપાઈ રહી છે.

અહીંથી ફ્રીમાં સલાહ
પેનિક એટેકનો ભોગ બનતા લોકોને ફ્રી માર્ગદર્શન આપવા અમદાવાદ સહિત રાજ્યના અનેક ડોક્ટરોએ હેલ્પલાઈન શરૂ કરી છે. જરૂર જણાય તો શહેરના આ પાંચ ડોક્ટરનો ફોન પર સંપર્ક કરી તમે ફ્રીમાં સલાહ મેળવી શકો છો.
ડો. દિપ્તી ભટ્ટ - 9825109501
ડો. રમાશંકર યાદવ - 8264049261
ડો. કેવિન પટેલ - 7878994991
ડો. સસવિન્દર કૌર - 9632570975
ડો. સુદેશના મુખર્જી - 8584826274



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2vVvlhk

-10 ડિગ્રી તાપમાને નમૂનાને 3 કલાક મશીનમાં ફેરવ્યા પછી જો વાઈરસની કોપી બને તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

કુણાલ પેઠે, વડોદરાઃ કોરોનાના ટેસ્ટિંગ માટે એસએસજીમાં જ વિશેષ લેબોરેટરી ફેસિલિટી શરૂ કરાઇ છે. આ લેબોરેટરીમાં કોરોનાનું ટેસ્ટિંગ માત્ર ચાર કલાકમાં જ થઇ જાય છે. હાલમાં આ લેબમાં 1 આસિસ્ટન્ટ પ્રોફેસર, 1 એસો. પ્રોફેસર, 1 ટ્યુટર અને 3 રેસિડન્ટ તબીબો અને 3 ટેક્નિશિન્સની બે ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. મેડિકલ કોલેજના ડીન પ્રો. તનુજા જાવડેકરના જણાવ્યા મુજબ ‘ આ ફેસિલીટમાં 55 રિપોર્ટસ જનરેટ કરાયા છે. કોરોના રિપોર્ટ કાઢવાનો ખર્ચ છ ऒ~6000 થાય છે. જે સ્વાઇન ફ્લુના રિપોર્ટ કરતા સસ્તો છે.’

1. અહીં વાઇરસનો RNA જુદો કરાય છે
બીમાર વ્યક્તિના નાક-ગળામાંથી લીધેલા નમૂનાને આરએનએ એસ્ટ્રેક્શન લેબમાં લઇ જવાય છે. આ નમૂનામાંથી વાઇરસના કોષકેન્દ્રમાં આવેલા રિબો ન્યૂક્લિક એસિડ નામના રસાયણને અલગ કરાય છે.

2. અહી રસાયણો ઉમેરાય છે

પ્રિ-પીસીઆર નામની એક અલાયદા સેક્શનમાં વાઇરસના RNAમાં વિશેષ રસાયણો ઉમેરવામાં આવે છે. આ સેન્સિટિવ ઝોન છે અને તેને આ રસાયણો ઉમેર્યા બાદ તેને બાયો સેફ્ટિ કેબિનેટમાં મૂકવામાં આવે છે. અહીં નમૂનો સલામત રહે છે. પણ ચેપ ન ફેલાય તે માટે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. આ સેક્શન પણ અલાયદો હોય છે.

3. નમૂનો સલામત મુકાય છે

4. વાઇરસના RNAની કોપી બને છે

આરએનએને વિવિધ રસાયણોમાં નાંખ્યા બાદ -10 ડિગ્રી તાપમાને ક્રાયોસેન્ટ્રિફ્યુઝ મિક્સરમાં દ્રાવણને ફેરવવામાંઆવે છે. આ પ્રોસેસ 3 કલાક ચાલે છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસની કોપી બને છે.

5. ડિટેક્ટરમાં અંતિમ પરિણામ જાહેર કરે છે

ક્રાયોસેન્ટ્રીફ્યુઝ મશીનમાંથી નીકળેલાનમૂનાને સીધા જ અેપ્લાઇડ બાયોસિસ્ટમના ડિટેક્ટરમાં મૂકવામાં આવે છે. જેને પોલીમર રિયલ ટાઇમ રિડર પણ કહેવાય છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસના RNAની કોપીઓ બની ચૂકી હોય છે. તેનો મોનિટર પર ગ્રાફ જનરેટ થાય છે. જો સીધી લીટી આવે તો રિપોર્ટ નેગેટિવ હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અહીં વાઇરસનો RNA જુદો કરાય છે


from Divya Bhaskar https://ift.tt/3bAV5i2

દેશમાં હવે 1008 ચેપગ્રસ્ત, 4 દિવસમાં દેશના વધુ 3 રાજ્ય ચેપની લપેટમાં

નેશનલ ડેસ્કઃ કોરોના વાઇરસના ચેપથી બચવા માટે દેશ 4 દિવસથી લૉકડાઉન છે. આ દરમિયાન દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1008 થઇ ગઇ, જે લગભગ બમણી છે. 24 માર્ચે દેશમાં કુલ 569 દર્દી હતા. શનિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 200 કેસ સામે આવ્યા. મહારાષ્ટ્ર દેશમાં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. ત્યાં 210 દર્દી થઇ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે 4 દિવસમાં જ આ આંકડો 130%ના દરે વધ્યો છે. સૌથી વધુ 5 મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ બીજા ક્રમે છે, જ્યાં દર્દીઓની સંખ્યા 187 થઇ ચૂકી છે. ત્યાં દર્દીઓની સંખ્યા 89%ના દરે વધી. જોકે, દર્દીઓને બચાવવામાં કેરળ સારી સ્થિતિમાં છે. ત્યાં માત્ર 1 દર્દીનું મોત થયું છે.

  • સૌથી વધુ 210 દર્દી મહારાષ્ટ્રમાં, 4 દિવસમાં આંકડો 130% વધ્યો
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5 મોત, 4 દિવસમાં 150%નો વધારો
  • દેશમાં 80 દર્દી સાજા થયા, આ આંકડો પણ 98% દરે વધ્યો
  • હરિયાણામાં દર્દીઓ સાજા થવાની સૌથી સારી સરેરાશ 26%
  • ગાઝિયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર શનિવારે બપોરે ભીડ ભેગી થવા લાગી
  • કેરળમાં 187 પોઝિટિવ કેસ, પ્રથમ મોત નોંધાયું
  • દેશમાં 24 માર્ચ સુધી 569 દર્દી હતા, 28 માર્ચે 77% વધી ગયા

દેશભરમાં ડોક્ટરોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે

દરમિયાન આરોગ્ય મંત્રાલયે શનિવારે એવી માહિતી આપી હતી કે મંત્રાલય કોરોના વાઈરસના ઈલાજ માટે દેશભરમાં ડોક્ટરોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથે જોડાયેલ કોઈ પણ ડોક્ટરને જરૂર પડવાના સંજોગોમાં એમ્સના ડોક્ટર કોઈ પણ સમયે વિડિયો કોલ મારફતે મદદ કરે છે. એમ્સમાં આ માટે એક સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. બીજીબાજુ કેન્દ્રીય ઉર્જા પ્રધાન આરકે સિંહે કહ્યું છે કે દેશભરમાં 30 જૂન સુધી વીજળી પુરવઠો 24 કલાક જારી રહેશે. જો રાજ્યોમાં પુરવઠો પૂરી પાડતી કંપનીઓની ચુકવણી બાકી હોય તો પણ વીજળી ઉત્પાદક કંપનીઓ આ પુરવઠો નિયંત્રિત નહીં કરી શકે.

ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન કોચ બનાવવાની તૈયારી

આ સંક્રમણનો સામનો કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે. ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન કોચ તરીકે તબદિલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હી ડેપોમાં એક પ્રોટોટાઈપ તૈયાર થઈ રહ્યો છે. તેમા 6 બર્થવાળા ભાગમાંથી એક બાજુ મીડલ બર્થ અને સામે ત્રણ બર્થ છે. આ હિસ્સામાં એક દર્દીને રાખવામં આવશે. તેનાથી દરેક દર્દી વચ્ચે પર્યાપ્ત અંતર રહેશે. રેલવેએ કહ્યું છે કે મંજૂરી મળતા જ દરેક ઝોનમાં પ્રત્યેક સપ્તાહ 10 ડબ્બાને આઈસોલેશન કોચમાં બદલવામાં આવશે.

રાજ્યોની સ્થિતિ

રાજસ્થાનઃરાજસ્થાનમાં શનિવારે કોરોના વાઈરસના સંક્રમણના ચાર કેસ સામે આવ્યા છે. અજમેરમાં 23 વર્ષનો યુવક સંક્રમિત મળ્યો છે. તે તાજેતરમાં જ પંજાબથી પાછો આવ્યો હતો. અજમેરમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. ભીલવાડામાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે. જેમાં એક યુવતી અને બે યુવક છે. યુવતી 21 વર્ષની છે. યુવકોની ઉંમર 22 અને 27 વર્ષ છે. ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે જરૂર પડ્યે અમે 15 હજાર લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે તૈયાર છે. સાથે જ રાજસ્થાન સરકારે હિઝરત કરીને જઈ રહેલા અને અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન આવી રહેલા લોકો માટે બસોની વ્યવસ્થા કરી છે. આ બસોને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. જે લોકો અન્ય રાજ્યોના છે યુપી, ગુજરાત સરહદ સુધી મુકવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકોનું બોર્ડર પર જ સ્કેનિંગ કરીને તેમને જયપુર લાવવામાં આવી રહ્યા છે.

રેલવે વિભાગેકોરોના વાઈરસ સામે લડવા માટે રેલવેમાં આઈસોલેશન કોચ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. અહીંયા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવશે. દર્દીઓ માટે કેબિન બનાવવા માટે એક તરફ મીડિલ બર્થને હટાવી દેવાયા છે અને દર્દીને બર્થની સામે વાળા ત્રણ બર્થને હટાવી દેવાયા છે. આઈસોલેશન કોચ તૈયાર કરવા માટે બાથરૂમ અને અન્ય ભાગોમાં પણ ફેરફાર કરાયા છે.

છત્તીસગઢઃઅહીંયા રાજ્ય સરકારે દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે 100-100 બેડ અને મેડિકલ કોલેજમાં સારવાર માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 370 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 6 કોરોના પોઝિટિવ મળ્યા છે. પોલીસ જરૂરી ચીજ વસ્તુઓનો કાળા બજારમાં વેપાર કરનારાઓ પર કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે, ફળ, શાકભાજી દૂધની આપૂર્તિ ઘઉંનો કાપ, ધાન ખેતીમાં લાગેલા ખેડૂતો-મજૂરોને રોકવા ન જોઈએ. તેમના કામના વખતે સોશ્યલ ડિસ્ટેસિંગ વિશે જણાવવામાં આવે.

ઉત્તરપ્રદેશઃકોરોના વાઈરસના કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનનો ચોતો દિવસ છે. વાઈરસના જોખમના કારણે રોજગાર તથા ખોઈ ચુકેલા મજૂરોને હવે જમવાની ચિંતા થઈ રહી છે. મહાનગરોને છોડીને પગપાળા જ તેઓ પોતાના ગામ તરફ થઈ જવા માંડ્યા છે. ન જમવાની વ્યનસ્થા, ન રાતવાસો કરવાનું કોઈ ઠેકાણું છે. એક અજાણ્યા ભયમાં દરેક તેમના ગામ તરફ ચાલતા જઈ રહ્યા છે. ઘણા સ્થળો પર શાકભાજી મંડીથી માંડી કરિયાણાની દુકાનો પર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. તેને નિયંત્રિત કરવા પોલીસને તહેનાત કરાઈ છે.

ઝારખંડઃકોરોના વાઈરસના કારણે 21 દિવસોના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. ઝારખંડના રાંચી, જમશેદપુર અને ધનબાદ સહિત ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. લોકોમાં પણ હજુ કોરોના અંગેની સતર્કતા ઓછી જોવા મળી રહી છે. લોકો બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે. બજારમાં 10માંથી 4 વ્યક્તિ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટેસિંગ અંગે પણ જાગૃતત્તા નથી. બજારોમાં દરરોજની જેમ ભીડ એકઠી થઈ રહી છે,

હરિયાણાઃપોલીસ લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકો પણ તેનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યના ઘણા વિસ્તારોમાંથી શાકભાજી અને રાશનમાં ભાવવધારાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાં આ પ્રકારની ફરિયાદો સતત આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન પણ નથી કરી રહ્યા. રોહતક, કરનાલ અને પાનીપત સહિત અન્ય શહેરોમાં લોકડાઉનનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ લોકોનું ચલણ કાપી રહી છે.

મધ્યપ્રદેશઃ કુલ સંક્રમિત-34જબલપુરમાં વધુ બે લોકોનો કોરોના તપાસ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો. બન્ને નવા દર્દી પહેલાથી સંક્રમિત સરાફા વ્યાપારીના ત્યાં કામ કરતા હતા. હવે જબલપુરમાં 2, ઈન્દોરમાં 16, ભોપાલમાં 03, શિવપુરીમાં 2, જબલપુર 8, ગ્વાલિયરમાં 2પોઝિટિવ છે.
રાજસ્થાન; કુલ સંક્રમિત-54રાજ્યમાં શનિવારે કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં સૌથી વધારે 23દર્દી છે. ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે 13 હજાર બેડ લગાવવા માટે પણ સ્થળ બતાવાયું છે. જરૂર પડશે તો અમે 15000 લોકોને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ.

મેઘાલયમાંમુખ્યમંત્રી સંગમા રસ્તા પર ઉતર્યા, લોકોને સોશ્યલ ડિસ્ટેસિંગ બનાવવાની અપીલ કરી
મહારાષ્ટ્રથીપ્રવાસી મજૂર હિઝરત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું- અહીંયા રહો, અમે તમારું ધ્યાન રાખીશું

ઉત્તરપ્રદેશ;કુલ સંક્રમિત-61 રાજ્યમાં આજે 12 કેસ સામે આવ્યા છે.ત્યારબાદ 9કેસ લખનઉમાં સામે આવ્યા છે.દિલ્હીની આસપાસના રાજ્યના ગાઝિયાબાદમાં મજૂરોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોતાના ઘર સુધી પહોંચવા માટે કોઈ સાધન મળી રહ્યું નથી.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-154નવી મુંબઈ વિસ્તાકમાં એક બાળકમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જેની સાથે શહેરમાં હવે સંક્રમતોની સંખ્યાનો આંકડો 8એ પહોંચ્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 154 કેસ સામે આવી ચુક્યા છે. શુક્રવારે પોઝિટિવ મળેલા 29 દર્દીમાંથી માત્ર 15 સાંગલીના છે. સાંઘલીના દર્દી પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના સંપર્કમાં હતા.

છત્તીસગઢઃ કુલ સંક્રમિત-6જેમાંથી પાંચ કેસ બુધવારથી ગુરુવાર વચ્ચે સામે આવ્યા. આ સાથે જ રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન ખેડૂતોને મંડીથી ખાલી સાધન લઈને પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.

બિહાર, કુલ સંક્રમિત-9રાજ્યમાં વધુ બે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી એક સિવાનનો રહેવાસી છે, જે તાજેતરમાંથી જ દુબઈથી પાછો આવ્યો હતો. બીજો નાલંદાનો છે તે પણ વિદેશથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે આ લોકોએ દેશ બહાર કોઈ યાત્રા કરી નથી.

આંધ્રપ્રદેશ; કુલ સંક્રમિત-13આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ગુંટૂરમાં બે લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અહીંયા હવે પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બન્ને લોકો બે અન્ય કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ પહેલા વધુ એક સંક્રમિત મળ્યો હતો. તે 17 માર્ચે બ્રિટનથી પાછા આવેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ મુંબઈમાં શનિવારે શાકભાજી બજારમાં લોકોની ભીડ ઉમટી હતી


from Divya Bhaskar https://ift.tt/2QT4nhQ

ભાસ્કર જૂથની એક વિનમ્ર પહેલ, ચાલો લાખો પરિવારોની મદદ કરીએ

ભોપાલઃ કોરોના લૉકડાઉનને કારણે આજે દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં લાખો પરિવારો ભૂખ્યા પેટે સૂવા મજબૂર બન્યા છે. ઘણા પરિવારોની સાથે માસૂમ બાળકો પણ છે. તેમની મદદ માટે ભાસ્કર જૂથે એક મોટું દાન અભિયાન શરૂ કર્યું છે. અમારો સંકલ્પ છે કે દેશના 40 શહેરોમાં એક લાખ જરૂરિયાતવાળા પરિવારો સુધી એક સપ્તાહના ભોજનની સામગ્રી પહોંચાડીશું. ભાસ્કર જૂથ અને તેના કર્મચારીઓએ એક કરોડ રૂપિયા આપીને આ અભિયાનની શરૂઆત કરી છે.અમને સંપૂર્ણ આશા છે કે સંવેદનશીલ અને જાગૃત હોવાના નાતે તમે પણ મદદ અને દાન માટે હાથ લંબાવવા માંગતા હશો. અમે તમારી મદદની આ પ્રક્રિયા તદ્દન સરળ કરી રહ્યાં છીએ જેથી તમે આ કઠિન સમયમાં જરૂરિયાતવાળા પરિવારોની શક્ય એટલી મદદ કરી શકો. અમે દરેક શહેરના પ્રતિષ્ઠિત સેવાભાવી સંગઠન સાથે હિસ્સેદારી કરી છે જેથી રાહત સામગ્રી સરળતાથી વહેંચી શકાય.

ભોજન પેકેટમાં આ સામગ્રી હશે
5 કિલો ચોખા

5 કિલો લોટ

2 કિલો દાળ

2 કિલો બટાકા

1 લિટર તેલ

1 કિલો મીઠું

100 ગ્રામ મરચું

100 ગ્રામ હળદર

1 સાબુ

તમે આ રીતે પણ દાન આપી શકો છો
યુપીઆઈ ટ્રાન્સફર: કોઈપણ યુપીઆઈ એપ (ફોન પે, ગૂગલ પ્લે, પેટીએમ, ભીમ)થી દાન કરવા માટે આઈડી- Q47105727@yb1
આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ દાન આપી શકો છો

નેટ બેન્કિંગ (RTGS/NEFT)
બેંકનું નામ:
HDFC BANK
નામ: ભાસ્કર ફાઉન્ડેશન (Bhaskar Foundation)
એકાઉન્ટ નંબર: 01441450000456
આઈએફએસસી કોડ: HDFC0000144

પોતે આગળ આવો, બીજાને પણ પ્રેરિત કરો
2100 રૂપિયા અથવા તેનાથી વધુનું યોગદાન આપનાર દાતાઓના નામ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાશે. જ્યારે યોગદાન આપો ત્યારે આવકવેરાની કલમ 80જી હેઠળ કરમુક્તિનો લાભ લેવા 8815108358 પર તમારું નામ, શહેરનું નામ અને સાથે દાનની રસીદનો સ્ક્રીન શોટ વોટ્સએપ કરશો. જેથી તમારું નામ પ્રકાશિત કરવામાં સરળતા રહેશે.આવો પોતે આગળ આવો અને તમારા પરિવાર અને દોસ્તોને પણ દાન માટે પ્રેરિત કરો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2UHVQ2e

ગુજરાતી સમસ્યામાં પણ સમાધાન શોધી લે છે... ક્યાંક પતંગ ચગાવ્યા તો ક્યાંક સમૂહ આરતી કરી

વડોદરાઃ લૉકડાઉનને કારણે ઘરમાં રહેવાથી કંટાળો અનુભવતા વડોદરાના લોકોએ એક નવતર પ્રયોગ કર્યો. કારેલી બાગ વિસ્તારની મંગલ જ્યોત સોસાયટીના લોકો રોજ સાંજે તડકો કુણો પડે એટલે પોતપાતાના ધાબે જઈ એક કલાક સુધી પતંગ ચગાવીને ફ્રેશ થાય છે. વળી દરેક જણ પોતપોતાના ધાબે હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. આના પગલે અન્ય સોસાયટીઓ પણ તેમને અનુસરી રહી છે.

વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં લોકોએ સમૂહ આરતી કરી

સુરતઃ 21 દિવસના લૉકડાઉનને કારણે લોકો કંટાળે તે સ્વભાવિક છે. સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા એક બહુમાળી ફ્લેટમાં રહીશોએ હાલમાં નવરાત્રિ ચાલતી હોવાથી એક નવતર પ્રયોગ કર્યો. માતાજીની સામૂહિક આરતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી દરેક રહીશ પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી માતાજીની આરતી કરતા હતા. આ માટે કોમન પ્લોટમાં ડીજે પર આરતી વગાડાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વડોદરામાં લોકોએ ધાબા પર પતંગ ચગાવ્યાં


from Divya Bhaskar https://ift.tt/3dHCd39

લૉકડાઉન તોડશો તો પાસપોર્ટ રદ થશે, સરકારી નોકરી પણ નહીં મળે, પોલીસનું સૌથી કડક પગલું

ગાંધીનગરઃ રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે અનેક શહેરોમાં હજુ પણ યુવાનો દ્વારા કોઇને કોઇ બહાના બતાવીને બહાર નીકળવાના ઢગલાબંધ કિસ્સા બની રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ યુવાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે યુવાનો લટાર મારવા બહાર ન નીકળે. આવા યુવાનો સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરશે અને ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસમાં વાંધો આવશે. સરકારી નોકરી અને કારકીર્દિ જોખમાશે તેમજ ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઇ શકે છે. શિવાનંદ ઝાએ કહ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ડ્રોન તથા સીસીટીવીના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પરંતુ સોસાયટી વિસ્તારોમાં કોમન પ્લોટમાં લોકો એકત્ર થતા હોવાનું ધ્યાને આવ્યું છે.જેથી હવે ડ્રોન દ્વારા સોસાયટીઓના કોમન પ્લોટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને તસવીરો મેળવીને લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. વડોદરામાં ડ્રોનના આધારે 5 ગુના દાખલ કરાયા છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ વીડિયો કે પોસ્ટ મૂકનાર સામે પણ કાર્યવાહી કરાઇ છે. હાલમાં કોરોના સંક્રમણના ખતરનાક સ્ટેજમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ ત્યારે લોકડાઉનના કડક અમલીકરણ માટે અમે પોલીસને સૂચના આપી છે. તમામ રસ્તાઓ અને હાઇવે સીલ કર્યા છે અને ભંગ બદલ કાર્યવાહી થઇ રહી છે.

વિદેશથી આવેલી કોઈ વ્યક્તિના સંસર્ગને કારણે થયેલા કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું
અમદાવાદમાં કોરાના વાઇરસના નવા 3 દર્દીના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 46 વર્ષીય એક મહિલાનું મોત નીપજ્યું હતું. આસ્ટોડિયાની આ મહિલાની કોઈ વિદેશ ગયાની હિસ્ટ્રી ન હોવાથી તેનું મોત તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. સ્થાનિક કોરોના સંક્રમણને કારણે કોઈ મહિલાનું મોત નીપજ્યું હોવાની રાજ્યમાં પ્રથમ ઘટના છે. આસ્ટોડિયામાં રહેતી મહિલા શંકાસ્પદ કોરોના દર્દી તરીકે 26 માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી. મહિલાની હાલત એટલી ગંભીર હતી કે, શ્વાસ લેવામાં તકલીફને કારણે તેને વેન્ટિલેટર પર રખાઈ હતી. મહિલાને હાઈપરટેન્શન અને ડાયાબિટીસ પણ હતું.

44 ટકાને ચેપ લાગ્યો
ગુજરાતમાં અત્યાર સુધીમાં 55 પોઝિટિવ કેસ બન્યા છે. તેમાંથી 24 કેસ એવા છે કે જેમને ચેપને કારણે કોરોના થયો છે. મતલબ 44 ટકા કેસ લોકલ ચેપને કારણે થયા છે. આ એવી વ્યક્તિઓ છે કે જેઓ દેશમાં પણ ભર્યા નથી અને વિદેશમાં પણ ગયા નથી તેમ છતાં તેમને ચેપ લાગતા તેઓ પોઝિટિવ બન્યા હતા. આથી હવે લોકલ ચેપના કેસો વધી રહ્યાં હોઈ તેવું લાગી રહ્યું છે. આથી જ ઘરમાંથી બહાર નહીં નીકળવાની તાકિદ કરાઈ રહી છે.

આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સુવિધા માટે ફ્રીઝ, એસી અને ટીવી દાનમાં મેળવાશે
હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કેસમાં કે સંક્રમિત તરીકે સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ટેલિવિઝન, રેફ્રીજરેટર અને એસી દાનમાં મેળવવામાં આવશે. વિધાનસભાના દંડક પંકજ દેસાઇ આ માટે એલ.જી. કંપની સાથે સંકલન કરી રહ્યા છે. હાલ આવા દર્દીઓ આઇસોલેશનમાં હોય છે અને તેઓ પોતાના સગા સંબંધી કે પરિચિતોને મળી પણ શકતા નથી ત્યારે તેમની સુવિધા અંગે પણ રાજ્ય સરકારે વિચાર કર્યો છે.

ફેરિયા-વેપારીને પાસ અપાયા
આવશ્યક ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે 96 હજાર જેટલા ફેરીયાઓ અને છૂટક વેપારીઓને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેથી આ લોકો ન્યૂઝ પેપર, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલીવરી પણ કરી શકશે.

ગુજરાતની સ્થિતિ સંગીન, આંકડા ચોંકાવનારા
એક બાબત હવે નોંધવાલાયક બની છે જે બતાવે છે કે ગુજરાતની સ્થિતિ કઠિન બનતી જાય છે. અમદાવાદમાં નોંધાયેલાં એક મોત બાદ હવે ગુજરાત કુલ ચાર મૃતકાંક સાથે આખા દેશમાં સૌથી વધુ મૃત્યુના કિસ્સા ધરાવતાં રાજ્ય તરીકે મહારાષ્ટ્રની બરાબરી કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં 210 પોઝિટિવ દર્દીએ 4 મૃત્યુ નોંધાયા છે અને સાજા થઇને હોસ્પિટલમાંથી રજા મેળવેલાં દર્દીઓની સંખ્યા ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પંચાવન પોઝિટિવ કિસ્સાએ 4 મૃત્યુ અને એક પણ રિકવરીનો કિસ્સો ન નોંધાયો હોવાથી ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર કહી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમે મજબૂર નથી, અમને માત્ર તમારી ચિંતા છે એટલે હાથ જોડી રહ્યા છીએઃ પોલીસ


from Divya Bhaskar https://ift.tt/2WSFINY

રતન તાતાએ કોરોના સામેના જંગમાં 500 કરોડ આપ્યા, BCCIએ 51 તો અક્ષયકુમારે 25 કરોડ આપ્યાં

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, ગરીબોને ભોજન સહિતની સુવિધા માટે જંગી ભંડોળની જરૂર છે. આ માટે તાતા ટ્રસ્ટે પણ રૂ. 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તાતા જૂથના ચેરમેન રતન તાતાએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તાતા જૂથ 1000 કરોડ રૂપિયા આપશે. આ નાણાંનો ઉપયોગ કોરોનાગ્રસ્તોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સ્ટાફ તથા અન્ય સુવિધા માટે થશે. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, કોરોના સામેની લડાઈમાં બીસીસીઆઈ શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત અમે પીએમ કેર્સ ફંડમાં રૂ. 51 કરોડ પણ જમા કરાવીએ છીએ. આ સાથે અભિનેતા અક્ષય કુમારે પણ એક ટ્વિટ કરી હતી કે, ‘અત્યારે દેશવાસીઓનું જીવન જ સૌથી મોટી પ્રાથમિકતા છે. કોરોના સામેના જંગમાં હું પીએમ કેર ફંડમાં રૂ. 25 કરોડ જમા કરાવી રહ્યો છું. જાન હૈ તો જહાન હૈ.’

કોણે કેટલી મદદ કરી

  • તાતા જૂથ - 1000 કરોડ
  • તાતા ટ્રસ્ટ - 500 કરોડ
  • વેદાંતા - 100 કરોડ
  • હીરો - 100 કરોડ
  • બજાજ - 100 કરોડ
  • સન ફાર્મા - 25 કરોડની દવા
  • રિલાયન્સ- 5 કરોડ, 100 બેડનું સેન્ટર
  • પેટીએમ - 5 કરોડ
  • પાર્લે બિસ્કિટ- 3 કરોડ પેકેટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવ્યાં


from Divya Bhaskar https://ift.tt/39lX9sN