41,000 households to be benefited from 61 Jal Jeevan projects in remote Shopian
from News - Videos - The Times of India https://ift.tt/35htke5
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2020 મંગળવાર
ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે.
8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે. બેલેટપેપર ગણતરીમાં ભાજપ 7 બેઠકો અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 8 બેઠકો માટે 25 મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની ગણતરી થશે. 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત છે.
અબડાસા ભાજપ ( આગળ )
મોરબી ભાજપ ( આગળ )
ધારી ભાજપ ( આગળ )
ગઢડા ભાજપ ( આગળ )
કપરાડા ભાજપ ( આગળ )
ડાંગ ભાજપ (આગળ)
લીંબડી ભાજપ (આગળ)
કરજણ કોંગ્રેસ ( આગળ )
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2020 મંગળવાર
ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે.
પોસ્ટલ બેલેટની મતગણતરી સમયે મળતી માહિતી મુજબ ભાજપ બે બેઠક પર હાલ આગળ છે. દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે.
ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.
ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ વધતા આંખમાં બળતરાની ફરિયાદ, લોકોને ઘરમાં જ રહેવા તંત્રની સલાહ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા ખરાબ રહી હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ મોટો નિર્ણય કર્યો છે. એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ-ઉપયોગ પર સોમવાર રાતથી જ 30મી નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. એનજીટીએ દેશના અન્ય રાજ્યો માટે પણ આ જ આદેશ આપ્યો છે.
એનજીટીએ તેના આદેશમાં કહ્યું છે કે જે શહેરોમાં હવાની ગુણવત્તા સારી છે ત્યાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગ કરી શકાશે અને તેના માટે માત્ર બે કલાકની છૂટ અપાઈ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બે કલાકની આ છૂટ દિવાળી, છઠ પૂજા, ક્રિસમસ, અને નવા વર્ષ માટે આપી છે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે અગાઉથી જ ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં સૌથી પહેલાં રાજસૃથાન સરકારે ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ સાથે દિલ્હી અને આજુબાજુના શહેરોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી હતી. ત્યાર પછી અન્ય રાજ્યોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધની માગ થવા લાગતાં એનજીટીએ તેના આદેશનો દાયરો વધારી દીધો હતો. ત્યાર પછી તેમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા.
અગાઉ એનજીટીએ એક સુનાવણી કરતા ચાર રાજ્યો અને પર્યાવરણ મંત્રાલયને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં ફટાકડા પર પ્રતિબંધવાળી અરજી પર એ રાજ્યો પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યોએ આ સંદર્ભમાં તેમનો જવાબ એનજીટીને મોકલી દીધો હતો, ત્યાર પછી એનજીટીએ સોમવારે આ મુદ્દે આદેશ સંભળાવ્યો હતો.
એનજીટીના આદેશ પહેલાં જ દેશના કેટલાક રાજ્યોમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો, જેમાં હરિયાણા અને કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જો કે, બીએમસીએ તેના અિધકાર ક્ષેત્રના વિસ્તારમાં જાહેર સૃથળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ દિવાળીની રાતે 8.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી 'ફૂલઝડી (ચકરડી)' 'કોઠી' જેવા અવાજવિહિન ફટાકડા ફોડવાની મંજરી આપી છે. દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે.
દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમાં દિવસે પ્રદુષણ 'અતિ ગંભીર'
દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમા દિવસે વાયુ પ્રદૂષણ 'અતિ ગંભીર' સિૃથતિમાં રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તાનું સ્તર 470 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજા ડેટા મુજબ પ્રદૂષણથી સિૃથતિ વધુ ગંભીર થઈ ગઈ છે. દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં હવાની ગુણવત્તાનું સ્તર 484, પશ્ચિમ દિલ્હીના મુંડકા વિસ્તારમાં 470 પહોંચી ગયો છે. તેની સાથે જ ઓખલા ફેઝ-2માં એક્યુઆઈ 465 તો વજીરપુરમાં 468 સુધી પહોંચી ગયો છે. હવામાન વિજ્ઞાાનીઓ મુજબ, દિવાળી પહેલાં સિૃથતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં પણ સતત સ્મોગ વધવાથી એર ક્વૉલિટી ઈન્ડેક્સ વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં એક્યુઆઈ 51 પોઈન્ટ વધી ગયો છે.
યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારના ફુત્સીમાં 335 પોઈન્ટ, જર્મનીના ડેક્ષમાં 732 પોઈન્ટ અને ફ્રાંસના કેક 40 ઈન્ડેક્સમાં 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા
ઘરઆંગણે સોનાના ભાવોમાં રૂ.2000, ચાંદીમાં રૂ.3500નું ગાબડું : ક્રૂડ ઓઈલમાં 9 થી 10 ટકા ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે ફાઈઝર ઈન્ક. અને બાયોએનટેક એસઈ દ્વારા શોધાયેલી વેક્સિન 90 ટકા સફળ હોવાના અને અત્યાર સુધીની આ સૌથી સફળ વેક્સીન નીવડવાના દાવા વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં તેજીના નવા વિક્રમો સર્જાયા હતા.
અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતા બજારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં 1610 પોઈન્ટનો તોતીંગ ઉછાળો આવી નવી 29933.83ની વિક્રમી ઊંચાઈ જોવાઈ હતી. આ સામે વૈશ્વિક સોનાના ભાવોમાં વિશ્વ બજારમાં 70 થી 75 ડોલરનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવો વિશ્વ બજારમાં બેરલ દીઠ 9 થી 10 ડોલર ઉછળી આવ્યા હતા.
વૈશ્વિક બજારોમાં એસ એન્ડ પી 500 અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઓલ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. આ વેક્સિનની સફળતાના દાવાના સમાચારે વૈશ્વિક બજારોમાં ટ્રાવેલ શેરો અને સ્મોલ કે શેરોમાં તોફાની તેજી આવી હતી.
આ સાથે બોન્ડસના દરોમાં ગાબડાં પડયા હતા. ડાઉ જોન્સ ઈન્ડેક્સ આજે એક તબક્કે 1600 પોઈન્ટથી વધુ ઉછળી આવી 29933.83ની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા બાદ મોડી સાંજે 1250 પોઈન્ટનો ઉછાળો બતાવતો હતો. જ્યારે નાસ્દાક ઈન્ડેક્સ 149 પોઈન્ટ ઉછળીને 12044ની સપાટીએ મૂકાતો હતો.
જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી 335 પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ 732 પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક 40 ઈન્ડેક્સ 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. એશીયાના દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 514 પોઈન્ટનો ઉછાળો અને હોંગકોંગનો હેંગસેંગ 303 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.
દિવાળીના તહેવાર નજીક આવ્યા છે, ત્યારે કોરોના પ્રતિરોધક વેક્સિન પોઝિટીવ સંકેત આવતાં વિશ્વ બજારમાં આજે મોડી સાંજે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો. જેના પગલે ઘર આંગણે પણ કિંમતી ધાતુઓના ભાવ મોડી સાંજે આંખના પલકારામાં નોંધપાત્ર ધબડકાએ ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
જ્યારે એક બાજુ વૈશ્વિક સ્તરે શેર બજારો ઉછળી રહ્યા હતા, ત્યારે સોનાના ભાવ ઔંસ દીઠ 70 થી 75 ડોલર ઝડપથી ગબડી 1900 ડોલરની સપાટી તોડી 1875 થી 1880 ડોલરની સપાટીએ ઊતરી ગયાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંસ દીઠ 25.62 ડોલરથી ગબડી 24.31 ડોલર મોડી સાંજે બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજાર ગબડતાં ઘર આંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી નીચી આવી છે. તેના પગલે દેશના ઝવેરી બજારોમાં મોડી સાંજે ભારે વેચવાલી નીકળતાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ.2000નો કડાકો બોલાઈ ગયો હોવાનું અને ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ.3500નો કડાકો બોલાઈ ગયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામના ગબડી 99.50ના રૂ.50,200 અને 99.90ના રૂ.50,350 બોલાઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલો દીઠ તૂટીને રૂ.62,500 બોલાયા હતા. આ સાથે જીએસટી સાથેના ભાવ જો કે આ બન્ને કિંમતી ધાતુઓમાં આ ભાવથી ત્રણ ટકા ઊચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં વેક્સિનના સારા સમાચાર પાછળ કોમોડિટીઝ બજારોમાં જ્યારે સોનાના ભાવો ગબડી રહ્યા હતા, ત્યારે સામે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી 9 થ ી 10 ટકા ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી બેરલ દીઠ મોડી સાંજે 40.95 ડોલર અને બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી 43 ડોલરને આંબી ગયા હતા.
વેક્સિનના પગલે આગળ ઉપર વૈશ્વિક સ્તરે જો વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે તો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની માંગમાં નોંધપાત્ર વૃદ્વિ થવાની આશાએ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ ઉછળતાં ઘર આંગણે મોડી સાંજે ક્રૂડ ઓઈલના વાયદા બજારમાં તેજીની સર્કિટ અમલી બની હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
ઉત્તરાખંડ, તા. 8 નવેમ્બર 2020 રવિવાર
ઉત્તરાખંડની વાદીઓમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો. તેમની ગાડી 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે.
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુવકને શોધવાનું કામ યુદ્ધધોરણે શરૂ કરાયું છે. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મૃગેશ રાઠોડ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલસિંહ ઝાલા નામના ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા. ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. જ્યારે કે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ખીણમાં મિસિંગ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજને આ વિશે જાણ થતા તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાત કરી હતી.