
from India Today | Top Stories https://ift.tt/2IkoDqQ
પ્રમુખ બનતાં પહેલાં જ બિડેને જાહેર સ્વાસ્થ્ય-અર્થતંત્ર પર કામ શરૂ કર્યું હતું : ફરી પ્રમુખ બનવાનું ટ્રમ્પનું સપનું રોળાયું
કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી 300થી વધુ ઈલેક્ટોરલ વોટથી જીતવાનો જો બિડેનનો દાવો
કમલા હેરિસે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ બની ઈતિહાસ રચ્યો બિડેન-હેરિસે નિષ્ણાતો સાથે અર્થતંત્ર-કોરોનાની ચર્ચા કરી
હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ : જીત બાદ બિડેનની ટ્વિટ
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતદાનના ચોથા દિવસે આખરે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને બાજી મારી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજી વખત પ્રમુખ બનવાનું ચૂકી ગયા છે.
મંગળવારે મતદાન પૂરૂં થયા પછી બુધવારથી જ પાંચ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મામલો ફસાયો હતો. જોકે, શનિવારે પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ જીતવાની સાથે જો બિડેન અમેરિકાના 46મા પ્રમુખ બન્યા છે. બિડેનને 273 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.
પ્રમુખ બનવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. બિડેનના વિજય સાથે કમલા હેરિસે પણ ભારતીય મૂળની સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ બનીને અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે.
જોકે, હજી કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી બિડેન વધુ મતોથી જીતે તેવી સંભાવના છે. બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા સૌથી વધુ ઈલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય હતું, જ્યાં બિડેને વિજય મેળવતાં તેમનું પ્રમુખ બનવાનું નક્કી થઈ ગયું છે.
બિડેને જણાવ્યું હતું કે, અમેરિકનોએ તેમનામાં અને ઉપપ્રમુખ કમલા હેરિસમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનું તેઓ સન્માન કરે છે. બિડેન અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે. તેઓ ડેલાવરના સૌથી લાંબો સમય સેનેટરપદે પણ રહ્યા હતા.
ચૂંટણીના પરિણામોમાં વિલંબ થતાં બિડેને પ્રમુખ બનવાની જાહેરાત થાય તે પહેલાં જ વર્તમાન સંજોગોમાં સૌથી મહત્વના એવા જાહેર સ્વાસ્થ્ય અને આૃર્થતત્રના ક્ષેત્રો પર કામ શરૂ કરી દીધું છે. અમેરિકામાં કોરોના મહામારીની ત્રીજી વેવને પગલે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે.
બિડેને જણાવ્યું હતું કે, અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે હું લોકોને કહેવા માગું છું કે અમે કામ શરૂ કરવા માટે રાહ જોઈ નથી રહ્યા. હું પહેલા જ દિવસથી લોકોને જણાવવા માગું છું કે અમે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે અમારી યોજનાઓ અમલમાં મૂકીશું. આ યોજનાઓ આગામી મહિનાઓમાં લાખો લોકોના જીવન બચાવશે.
બિડેન અને હેરીસે એક દિવસ અગાઉ જાહેર સ્વાસ્થ્ય અને આિર્થક કટોકટી મુદ્દે નિષ્ણાતોના એક જૂથ સાથે ચર્ચા પણ કરી હતી. બિડેને કહ્યું હતું કે, દેશમાં 20 મિલિયનથી વધુ લોકો બેરોજગાર છે. અમારી આિર્થક યોજના દેશને સુધારાના માર્ગ પર આગળ લઈ જવાની છે.
કોરોના મહામારી દેશ માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના દૈનિક કેસનો આંકડો સતત વધી રહ્યો છે અને એક દિવસમાં 2,00,000થી પણ વધુ કેસ નોંધાય તેવી આશંકા છે. અમે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અમારી યોજનાઓનો અમલ કરીશું.
બિડેનના સંભવિત વિજય સાથે તેમની ટીમનાં કમલા હેરિસ પણ ઉપપ્રમુખ બની જશે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ ઉપપ્રમુખપદે પહોંચનારાં સૌપ્રથમ મહિલા બનશે. વધુ મહત્વની બાબત એ છે કે ઉપપ્રમુખપદે તેઓ સૌપ્રથમ ભારતીય મૂળનાં મહિલા છે. કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી એટર્ની જનરલ રહી ચૂક્યાં છે.
તેઓ પોલીસ સુધારાના મોટા સમર્થક છે. અગાઉ બિડેને ડેલાવરના વિલ્મિંગ્ટનથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે, મારા અમેરિકન મિત્રો, અમે જીત્યા છીએ તેવી હજી જાહેરાત થઈ નથી, પરંતુ મતગણતરીના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અત્યંત રસાકસીભરી આ ચૂંટણીમાં અમે જીતી રહ્યા છીએ.
બિડેને ભારપૂર્વક કહ્યું હતું કે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થશે ત્યારે તેમને 300થી વધુ ઈલેક્ટોરલ વોટ મળ્યા હશે. આપણને અત્યાર સુધીમાં 74 મિલિયન વોટ મળ્યા છે, જે અત્યાર સુધી કોઈપણ અમેરિકન પ્રમુખને મળ્યા નથી. અને હજુ મતગણતરી ચાલુ છે. અમે ડોનાલ્ડ ટ્રમ્પને 4 મિલિયન મતોથી હરાવીશું અને આ માર્જિન પણ વધી રહ્યુંછે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને પરાસ્ત કરી અમેરિકાના 46મા પ્રમુખ બન્યા બાદ બિડેને ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પ્રમુખ બન્યા પછીની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ. મને વોટ આપ્યા હોય કે મારી વિરૂદ્ધ મતદાન કર્યું હોય, હું તમામ નાગરિકો માટે કામ કરીશ અને દેશની પ્રગતિ કરીશ.
7મી નવેમ્બર બિડેન માટે અતિ મહત્ત્વની તારીખ
અમેરિકાના 46મા પ્રમુખ બનેલા જો બિડેન માટે 7મી નવેમ્બર યોગાનુયોગ લાભદાયક બની છે. અમેરિકામાં 1972માં ડેલાવરમાં સેનેટની ચૂંટણીમાં બિડેને સૌપ્રથમ વખત ઝુકાવ્યું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન યુનાઈટેડ સેનેટના સેનેટર જે. સેલેબ બોગ્સ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા.
બોગ્સ સામે બિડેન ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલમેન હતા અને બિડને પાસે ચૂંટણી પ્રચાર માટે નાણાં પણ નહોતા. બોગ્સને સતત ત્રીજી વખત સરળતાથી ચૂંટણી જીતવાની આશા હતી. જોકે, આ વર્ષે ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહી અને બિડેને 3,162 મતોથી બોગ્સને હરાવ્યા હતા.
સાત યુએસ સેનેટ ચૂંટણીમાં આ તેમનો સૌપ્રથમ વિજય હતો. તેમના આ વિજયની જાહેરાત પણ 7મી નવેમ્બર 1972ના રોજ થઈ હતી. એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સામે બિડેને ઉમેદવારી નોંધાવી ત્યારે પણ કોઈને આશા નહોતી કે તેઓ જીતી જશે. પરંતુ 7મી નવેમ્બર 2020ના રોજ બિડેનના વિજયની જાહેરાત થઈ છે.
- આજે 78 બેઠકો માટે બે કરોડ 34 લાખ મતદારો મત આપશે
પટણા તા.7 નવેંબર 2020 શનિવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આજે સવારે કડક સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે આરંભ થયો હતો. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભાની છેલ્લી 78 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે.
વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જો કે ખરો જંગ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે. એનડીએ વતી ભાજપના 29 ટોચના નેતાઓ અહીં પ્રચાર કરી ગયા હતા. જો કે વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આ વખતે સહેજ અવઢવમાં છે. છેલ્લાં પંદર વર્ષથી સત્તા ભોગવતા નીતિશ કુમાર માટે લોકલાગણી બદલાઇ હોવાની હવા હતી. સૌથી વધુ દોડાદોડ રાજદના તેજસ્વી યાદવે કરી હતી. જો કે છેલ્લી ઘડીએ લાલુ યાદવને જામીન ન મળતાં એ ચૂંટણીનાં પરિણામો પહેલાં જેલની બહાર આવી શકે એમ નથી એટલે લાલુ પરિવાર અને રાજદમાં હતાશા વ્યાપી ગઇ હતી.
જે 78 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે એ પંદર જિલ્લામાં વહેંચાયેલી છે. આજે કુલ 2 કરોડ 34 લાખ મતદારો પોતાનો મત આપશે. વિધાનસભા ઉપરાંત સંસદની વાલ્મીકિ બેઠકની પેટાચૂંટણી પણ આજે છે. જદયુના સાંસદ વૈદ્યનાથ મહતોના અકાળ અવસાનના પગલે આ પેટાચૂંટણી આવી પડી હતી. જદયુએ મહતોના પુત્ર સુનીલ કુમારને ટિકિટ આપી હતી. વાલ્મીકિ નગરની જેમ જે 78 બેઠકોનું આજે મતદાન થઇ રહ્યું છે એ બધી બેઠકો ઉત્તર બિહારમાં અને રાજ્યમાં ગંગા નદીની ઉત્તરે આવેલી છે, કેટલીક બેઠકો કોસી-સીમાંચલ પ્રદેશમાં છે.
દિલ્હીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકાવ કરાયો, એર ક્વૉલિટી મેનેજમેન્ટ કમિશને કામ શરૂ કર્યું : કેન્દ્ર
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
કોરોનાકાળમાં દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે કેજરીવાલ સરકારે રાજધાનીમાં ગ્રીન ફટાકડા સહિત કોઈપણ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર વાયુ પ્રદૂષણ (નિયંત્રણ) કાયદા (1981) હેઠળ રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
આરોપી વિરૂદ્ધ એર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે, જેમાં રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. કોરોનાકાળમાં દેશમાં એકપછી એક રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે, તેમાં હવે ચંડીગઢ અને કર્ણાટકનો પણ સમાવેશ થયો છે.
કર્ણાટક અને ચંડીગઢે શુક્રવારે તેમના પ્રદેશોમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગોપાલ રાયે કહ્યું કે પર્યાવરણ વિભાગ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દિલ્હી પોલીસના પ્રતિનિિધઓ સાથે સોમવારે એક બેઠક યોજાશે, જેથી પ્રતિબંધને લાગુ કરવા માટે એક વિસ્તૃત કાર્ય યોજના તૈયાર કરી શકાય.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. રાયે કહ્યું કે આમ તો દિલ્હીમાં આખું વર્ષ સતત પ્રદૂષણની સમસ્યા રહે છે, પરંતુ દિવાળી પહેલાં ફટાકડા ફોડવામાં આવતા અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. શહેરમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને જોતા લોકોના જીવ બચાવવા માટે પણ ફટાકડાના વેપારીઓને થનારા નુકસાનના આિર્થક પાસાથી પણ આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે.
ગોપાલ રાયે કહ્યું કે પરાળીને ખાતરમાં બદલવા માટે પૂળા સાથે ભેળવી દિલ્હી સરકારે બાયો ડિકમ્પોઝરનો નિ:શુલ્ક છંટકાવ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કર્યો છે. અત્યાર સુધીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકા થઈ ચૂક્યો છે. દિલ્હી સરકાર બાયો ડિકમ્પોઝરની અસર જોવા માટે 15 સભ્યોની ટીમ બનાવશે, જેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં સ્મોગ ન થાય તેની ખાતરી રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યને વાયુ પ્રદૂષણ સંબંિધત અરજીઓની સુનાવણી દિવાળીની રજાઓ પછી નિશ્ચિત કરી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, એર ક્વૉલિટી મેનેજમેન્ટ માટે કમિશન શુક્રવારથી કામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમએમ કુટ્ટીને દિલ્હી અને આજુબાજુના વિસ્તારો માટે રચાયેલા કમિશન ફોર એર ક્વૉલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ કમિશન શુક્રવારથી કામ શરૂ કરશે.
મહેતાએ 29 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સરકાર એક વટહૂકમ લઈને આવી છે અને તેને લાગુ કરી દીધો છે. જોકે, બેન્ચે કહ્યું કે દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે કોઈ નિર્દેશ આપતાં પહેલાં તેઓ વટહુકમ જોવા માગે છે.
બેન્ચે જણાવ્યું કે, શહેરમાં ધુમ્મસ ન થાય તેની તમારે ખાતરી રાખવાની છે. તમે બનાવેલા પંચ સાથે અમને કોઈ ચિંતા નથી. તમે અનેક કમિશન બનાવી શકો છો અને અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ધુમ્મસ ન થાય તેની ખાતરી રાખો. અરજદાર આદિત્ય દુબે વતી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, કમિશનમાં માત્ર અિધકારીઓ જ છે. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ સભ્ય નથી.
આ અંગે કોર્ટે કહ્યું કે કમિશન દેશમાં કોઈની પણ સાથે વાત કરી શકે છે. વિકાસ સિંહે દલીલ કરી હતી કે સરકારના વટહૂકમાં ગૂના અંગે કોઈ વર્ગીકરણ નથી અને રૂ. 1 કરોડનો દંડ અને પાંચ વર્ષની જેલ આપખુદશાહી સમાન લાગે છે. બેન્ચે કહ્યું કે, બધા જ ગૂના નોન-કોગ્નિઝેબલ છે. સિંહે જણાવ્યું કે, આ ગૂના કોગ્નિઝેબલ છે.
પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ બદલ પીડબલ્યુડીને રૂ. 50 હજારનો દંડ
નવી દિલ્હી, તા. 6
દિલ્હીમાં ચાંદની ચોકના હાલ ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન 'પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ' બદલ શહેરના પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટને શુક્રવારે રૂ. 50,000નો દંડ કરવામાં આવ્યો છે તેમ ઉત્તર દિલ્હીના મેયર જય પ્રકાશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ સુધીના 1.5 કિ.મી. વિસ્તારના ઈન્સ્પેક્શન દરમિયાન ચલણ ઈશ્યુ કરાયું હતું.
અમે પ્રદૂષણ ઘટાડવા પગલાં લઈ રહ્યા છીએ. ઈન્સ્પેક્શન દરમિયાન ધૂળ ઉડતી હતી અને શીવર લાઈન કચરાથી ઉભરાઈ રહી હતી. ચાંદની ચોકનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દિલ્હી સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં સવારે 9.00થી સાંજે 9.00 સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હશે.
દિલ્હીમાં વર્ષમાં પહેલી વખત હવાની ગુણત્ત તળીયે
દિલ્હીમાં હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ', આંશિક સુધારાની શક્યતા
નવી દિલ્હી, તા. 6
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા શુક્રવારે સવારે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં જ રહી જ્યારે સરકારી એજન્સીઓએ કહ્યું કે આગામી 24 કલાકમાં તેમાં થોડોક સુધારો થવાની સંભાવના છે. પરાળી સળગાવવાની બાબતમાં વધારો અને હવાની ગતિ ઓછી હોવાના કારણે દિલ્હીમાં ગુરૂવારની સવાર પ્રદૂષણના એક વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી હતી. તેમાં પરાળી સળગાવવાનું પ્રમાણ 42 ટકા હતું.
નિષ્ણાતોએ જણાવ્યું કે હવાની ઓછી ગતિ, તાપમાનમાં ઘટાડા જેવી હવામાનની પ્રતિકૂળ પરિસિૃથતિઓ અને પડોશી રાજ્યોમાંથી પરાળી સળગાવવાથી ધૂમાડો આવતાં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં રહ્યો, પરંતુ હવાની તિવ્ર ગતિના કારણે પ્રદૂષક તત્વો વિખરાયા હતા અને ધુમ્મસ ઓછું થયું હતું.
જાન્યુઆરી પછી પહેલી વખત ગુરૂવારે એક્યુઆઈ 'ગંભીર સિૃથતિ'માં પહોંચ્યો હતો. દિલ્હીનો એક્યુઆઈ સવારે 10.00 વાગ્યે 397 હતો, જે ગુરૂવારે 450 કરતાં આંશિક ઘટાડો દર્શાવે છે. પડોશી શહેરો ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરૂગ્રામ અને નોઈડામાં પણ હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ'થી 'ગંભીર' શ્રેણીમાં રહી હતી.
અંતિમ તબક્કામાં સ્પીકર, 12 મંત્રી સહિત 1204 ઉમેદવાર મેદાનમાં, કુલ 2.34 કરોડ મતદારો, લોકસભાની એક બેઠક પર જદ(યુ)-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
લાલુના પરિવારજનો અને સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યુ જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ
કોરોના વચ્ચે પણ પ્રથમ તબક્કામાં 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું
સીબીઆઇએ લાલુ સામેના દુમકા ટ્રેઝરી કેસમાં લેખિત જવાબ રજૂ કરવા વધુ સમય માગતા ઝારખંડ હાઇકોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું
લાલુને ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય ત્રણ કેસોમાં જામીન મળી ગયા હોવાથી આ કેસમાં જામીન મળશે તો તે બહાર આવી જશે
પટના, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
બિહારના અંતીમ અને ત્રીજા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે, આ તબક્કામાં કુલ બાકી રહેલી 78 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની કુલ બેઠકોમાંાૃથી માત્ર 78 બેઠકો પર જ હવે મતદાન બાકી છે તેથી આ તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સૌ કોઇની નજર પરિણામો પર રહેશે જે 10મી તારીખે જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં 50 ટકાથી વધુ મતદાન થવાની શક્યતાઓ છે.
બીજી બાજુ ઝારખંડ હાઇકોર્ટે ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા દુમકા ટ્રેઝરીના કેસમાં રાજદ પ્રમુખે કરેલી જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. જેના પગલે હવે લાલુની દિવાળી જેલમાં જ જશે. સીબીઆઇએ આ કેસમાં લેખિત જવાબ આપવા માટે વધુ સમય માગતા હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પાછળ ઠેલવી દીધી છે.
ત્રીજા તબક્કામાં કુલ 2.34 કરોડ મતદારો છે, આ અંતિમ તબક્કામાં વર્તમાન વિધાનસભાના સ્પીકર અને 12 કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી થશે. આ તબક્કામાં એક લોકસભાની ખાલી પડેલી વાલમિકી નગરની બેઠક પર પણ મતદાન થશે, વર્તમાન જેડીયુ સાંસદ બૈદનાથ મહેતોના નિધનને પગલે આ બેઠક ખાલી પડી હતી. જેડીયુએ અહીં તેમના પુત્ર સુનિલ કુમારને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે પત્રકારમાંથી રાજનેતા બનેલા પ્રવેશ કુમારને ટિકિટ આપી છે.
અંતિમ તબક્કાની બેઠકો આશરે 19 જિલ્લામાં વિસ્તરેલી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ 12 રેલીઓ કરી હતી, જ્યારે તેજસ્વી અને રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આગામી 10મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
બીજી તરફ પરિણામો જાહેર થાય તે પહેલા જ નિતિશ કુમારના બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મંત્રીઓમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરી અને માહિતી તેમજ જનસંપર્ક મંત્રી નીરજ કુમારનો સમાવેશ થાય છે. બન્ને નેતાઓની બિહાર વિધાનસભા સભ્યતાનો કાર્યકાળ છ મેના રોજ પુરો થઇ ગયો હતો. જેને પગલે તેમણે આ મંત્રી પદ ગુમાવવું પડયું હતું.
ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે તેમાં 1094 પુરૂષો અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. જે મોટા નેતાઓના ભાવી આ તબક્કામાં નક્કી થશે તેમાં વર્તમાન વિાૃધાનસભા સ્પીકર વિજય કુમાર ચૌધરી અને અન્ય 12 મંત્રીઓ તેમજ શરદ યાદવના પુત્રી સુભાષિની યાદવનો પણ સમાવેશ થાય છે.
અંતિમ તબક્કા માટે કુલ 33,782 બૂથોની રચના કરાઇ છે જેમાં કુલ 45,953 ઇવીએમનો ઉપયોગ થશે. નોંધનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું. કોરોના મહામારી વચ્ચે પણ બિહારીઓ મતદાન કરી રહ્યા છે તેથી અંતિમ તબક્કામાં પણ 50 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ છે.
દરમિયાનમાં ધાસચાર કૌભાંડ સાથે સંકળાયેલા ચાર કેસોમાં આરોપી બનાવાયેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાનને જો આ કેસમાં જામીન મળી જશે તો તે જેલમાંથી બહાર આવી શકશે. તેમને અન્ય ત્રણ કેસમાં જામીન મળી ગયા છે. લાલુપ્રસાદ યાદવના પરિવારજનો અને તેમના સમર્થકોને આશા હતી કે તેમને આજે જામીન મળી જશે પણ હવે હાઇકોર્ટના નિર્ણય પછી હવે તેમને વધુ સમય રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે રાજદ પ્રમુખ ડિસેમ્બર, 2018થી રાંચીની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદના વકીલ કપિલ સિબલે વર્ચ્યુઅલ હિયરિંગમાં જણાવ્યું હતું કે તેમના અસીલ હાલમાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઇ રહ્યાં છે.
સિબલે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં જેટલી આપવામાં આવી છે તે પૈકીની અડધી સજા તે કાપી ચૂક્યા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. સિબલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં લાલુપ્રસાદ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે પૈકી તેમણે 42 મહિના અને 26 દિવસની સજા પૂર્ણ કરી લીધી છે. એટલે કે તેમણે અડધાથી પણ વધુ સજા કાપી લીધી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવી હતી. સીબીઆાઇએ લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રસાદની આરોગ્યની સિૃથતિ અંગે લેખિત જવાબ આપવામાં અમને વધુ સમયની જરૂર પડશે. જો કે કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે તપાસ એજન્સી ઇરાદાપૂર્વક લેખિત જવાબ આપવામાં વિલંબ કરી રહી છે. ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી અંગે વધુ સુનાવણી 27 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે.