
from India Today | Top Stories https://ift.tt/2U1u94t
દિલ્હીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકાવ કરાયો, એર ક્વૉલિટી મેનેજમેન્ટ કમિશને કામ શરૂ કર્યું : કેન્દ્ર
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
કોરોનાકાળમાં દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે કેજરીવાલ સરકારે રાજધાનીમાં ગ્રીન ફટાકડા સહિત કોઈપણ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર વાયુ પ્રદૂષણ (નિયંત્રણ) કાયદા (1981) હેઠળ રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
આરોપી વિરૂદ્ધ એર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે, જેમાં રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. કોરોનાકાળમાં દેશમાં એકપછી એક રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે, તેમાં હવે ચંડીગઢ અને કર્ણાટકનો પણ સમાવેશ થયો છે.
કર્ણાટક અને ચંડીગઢે શુક્રવારે તેમના પ્રદેશોમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગોપાલ રાયે કહ્યું કે પર્યાવરણ વિભાગ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દિલ્હી પોલીસના પ્રતિનિિધઓ સાથે સોમવારે એક બેઠક યોજાશે, જેથી પ્રતિબંધને લાગુ કરવા માટે એક વિસ્તૃત કાર્ય યોજના તૈયાર કરી શકાય.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. રાયે કહ્યું કે આમ તો દિલ્હીમાં આખું વર્ષ સતત પ્રદૂષણની સમસ્યા રહે છે, પરંતુ દિવાળી પહેલાં ફટાકડા ફોડવામાં આવતા અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. શહેરમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને જોતા લોકોના જીવ બચાવવા માટે પણ ફટાકડાના વેપારીઓને થનારા નુકસાનના આિર્થક પાસાથી પણ આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે.
ગોપાલ રાયે કહ્યું કે પરાળીને ખાતરમાં બદલવા માટે પૂળા સાથે ભેળવી દિલ્હી સરકારે બાયો ડિકમ્પોઝરનો નિ:શુલ્ક છંટકાવ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કર્યો છે. અત્યાર સુધીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકા થઈ ચૂક્યો છે. દિલ્હી સરકાર બાયો ડિકમ્પોઝરની અસર જોવા માટે 15 સભ્યોની ટીમ બનાવશે, જેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં સ્મોગ ન થાય તેની ખાતરી રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યને વાયુ પ્રદૂષણ સંબંિધત અરજીઓની સુનાવણી દિવાળીની રજાઓ પછી નિશ્ચિત કરી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, એર ક્વૉલિટી મેનેજમેન્ટ માટે કમિશન શુક્રવારથી કામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમએમ કુટ્ટીને દિલ્હી અને આજુબાજુના વિસ્તારો માટે રચાયેલા કમિશન ફોર એર ક્વૉલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ કમિશન શુક્રવારથી કામ શરૂ કરશે.
મહેતાએ 29 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સરકાર એક વટહૂકમ લઈને આવી છે અને તેને લાગુ કરી દીધો છે. જોકે, બેન્ચે કહ્યું કે દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે કોઈ નિર્દેશ આપતાં પહેલાં તેઓ વટહુકમ જોવા માગે છે.
બેન્ચે જણાવ્યું કે, શહેરમાં ધુમ્મસ ન થાય તેની તમારે ખાતરી રાખવાની છે. તમે બનાવેલા પંચ સાથે અમને કોઈ ચિંતા નથી. તમે અનેક કમિશન બનાવી શકો છો અને અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ધુમ્મસ ન થાય તેની ખાતરી રાખો. અરજદાર આદિત્ય દુબે વતી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, કમિશનમાં માત્ર અિધકારીઓ જ છે. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ સભ્ય નથી.
આ અંગે કોર્ટે કહ્યું કે કમિશન દેશમાં કોઈની પણ સાથે વાત કરી શકે છે. વિકાસ સિંહે દલીલ કરી હતી કે સરકારના વટહૂકમાં ગૂના અંગે કોઈ વર્ગીકરણ નથી અને રૂ. 1 કરોડનો દંડ અને પાંચ વર્ષની જેલ આપખુદશાહી સમાન લાગે છે. બેન્ચે કહ્યું કે, બધા જ ગૂના નોન-કોગ્નિઝેબલ છે. સિંહે જણાવ્યું કે, આ ગૂના કોગ્નિઝેબલ છે.
પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ બદલ પીડબલ્યુડીને રૂ. 50 હજારનો દંડ
નવી દિલ્હી, તા. 6
દિલ્હીમાં ચાંદની ચોકના હાલ ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન 'પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ' બદલ શહેરના પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટને શુક્રવારે રૂ. 50,000નો દંડ કરવામાં આવ્યો છે તેમ ઉત્તર દિલ્હીના મેયર જય પ્રકાશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ સુધીના 1.5 કિ.મી. વિસ્તારના ઈન્સ્પેક્શન દરમિયાન ચલણ ઈશ્યુ કરાયું હતું.
અમે પ્રદૂષણ ઘટાડવા પગલાં લઈ રહ્યા છીએ. ઈન્સ્પેક્શન દરમિયાન ધૂળ ઉડતી હતી અને શીવર લાઈન કચરાથી ઉભરાઈ રહી હતી. ચાંદની ચોકનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દિલ્હી સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં સવારે 9.00થી સાંજે 9.00 સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હશે.
દિલ્હીમાં વર્ષમાં પહેલી વખત હવાની ગુણત્ત તળીયે
દિલ્હીમાં હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ', આંશિક સુધારાની શક્યતા
નવી દિલ્હી, તા. 6
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા શુક્રવારે સવારે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં જ રહી જ્યારે સરકારી એજન્સીઓએ કહ્યું કે આગામી 24 કલાકમાં તેમાં થોડોક સુધારો થવાની સંભાવના છે. પરાળી સળગાવવાની બાબતમાં વધારો અને હવાની ગતિ ઓછી હોવાના કારણે દિલ્હીમાં ગુરૂવારની સવાર પ્રદૂષણના એક વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી હતી. તેમાં પરાળી સળગાવવાનું પ્રમાણ 42 ટકા હતું.
નિષ્ણાતોએ જણાવ્યું કે હવાની ઓછી ગતિ, તાપમાનમાં ઘટાડા જેવી હવામાનની પ્રતિકૂળ પરિસિૃથતિઓ અને પડોશી રાજ્યોમાંથી પરાળી સળગાવવાથી ધૂમાડો આવતાં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં રહ્યો, પરંતુ હવાની તિવ્ર ગતિના કારણે પ્રદૂષક તત્વો વિખરાયા હતા અને ધુમ્મસ ઓછું થયું હતું.
જાન્યુઆરી પછી પહેલી વખત ગુરૂવારે એક્યુઆઈ 'ગંભીર સિૃથતિ'માં પહોંચ્યો હતો. દિલ્હીનો એક્યુઆઈ સવારે 10.00 વાગ્યે 397 હતો, જે ગુરૂવારે 450 કરતાં આંશિક ઘટાડો દર્શાવે છે. પડોશી શહેરો ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરૂગ્રામ અને નોઈડામાં પણ હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ'થી 'ગંભીર' શ્રેણીમાં રહી હતી.
અંતિમ તબક્કામાં સ્પીકર, 12 મંત્રી સહિત 1204 ઉમેદવાર મેદાનમાં, કુલ 2.34 કરોડ મતદારો, લોકસભાની એક બેઠક પર જદ(યુ)-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
લાલુના પરિવારજનો અને સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યુ જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ
કોરોના વચ્ચે પણ પ્રથમ તબક્કામાં 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું
સીબીઆઇએ લાલુ સામેના દુમકા ટ્રેઝરી કેસમાં લેખિત જવાબ રજૂ કરવા વધુ સમય માગતા ઝારખંડ હાઇકોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું
લાલુને ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય ત્રણ કેસોમાં જામીન મળી ગયા હોવાથી આ કેસમાં જામીન મળશે તો તે બહાર આવી જશે
પટના, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
બિહારના અંતીમ અને ત્રીજા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે, આ તબક્કામાં કુલ બાકી રહેલી 78 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની કુલ બેઠકોમાંાૃથી માત્ર 78 બેઠકો પર જ હવે મતદાન બાકી છે તેથી આ તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સૌ કોઇની નજર પરિણામો પર રહેશે જે 10મી તારીખે જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં 50 ટકાથી વધુ મતદાન થવાની શક્યતાઓ છે.
બીજી બાજુ ઝારખંડ હાઇકોર્ટે ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા દુમકા ટ્રેઝરીના કેસમાં રાજદ પ્રમુખે કરેલી જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. જેના પગલે હવે લાલુની દિવાળી જેલમાં જ જશે. સીબીઆઇએ આ કેસમાં લેખિત જવાબ આપવા માટે વધુ સમય માગતા હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પાછળ ઠેલવી દીધી છે.
ત્રીજા તબક્કામાં કુલ 2.34 કરોડ મતદારો છે, આ અંતિમ તબક્કામાં વર્તમાન વિધાનસભાના સ્પીકર અને 12 કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી થશે. આ તબક્કામાં એક લોકસભાની ખાલી પડેલી વાલમિકી નગરની બેઠક પર પણ મતદાન થશે, વર્તમાન જેડીયુ સાંસદ બૈદનાથ મહેતોના નિધનને પગલે આ બેઠક ખાલી પડી હતી. જેડીયુએ અહીં તેમના પુત્ર સુનિલ કુમારને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે પત્રકારમાંથી રાજનેતા બનેલા પ્રવેશ કુમારને ટિકિટ આપી છે.
અંતિમ તબક્કાની બેઠકો આશરે 19 જિલ્લામાં વિસ્તરેલી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ 12 રેલીઓ કરી હતી, જ્યારે તેજસ્વી અને રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આગામી 10મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
બીજી તરફ પરિણામો જાહેર થાય તે પહેલા જ નિતિશ કુમારના બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મંત્રીઓમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરી અને માહિતી તેમજ જનસંપર્ક મંત્રી નીરજ કુમારનો સમાવેશ થાય છે. બન્ને નેતાઓની બિહાર વિધાનસભા સભ્યતાનો કાર્યકાળ છ મેના રોજ પુરો થઇ ગયો હતો. જેને પગલે તેમણે આ મંત્રી પદ ગુમાવવું પડયું હતું.
ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે તેમાં 1094 પુરૂષો અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. જે મોટા નેતાઓના ભાવી આ તબક્કામાં નક્કી થશે તેમાં વર્તમાન વિાૃધાનસભા સ્પીકર વિજય કુમાર ચૌધરી અને અન્ય 12 મંત્રીઓ તેમજ શરદ યાદવના પુત્રી સુભાષિની યાદવનો પણ સમાવેશ થાય છે.
અંતિમ તબક્કા માટે કુલ 33,782 બૂથોની રચના કરાઇ છે જેમાં કુલ 45,953 ઇવીએમનો ઉપયોગ થશે. નોંધનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું. કોરોના મહામારી વચ્ચે પણ બિહારીઓ મતદાન કરી રહ્યા છે તેથી અંતિમ તબક્કામાં પણ 50 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ છે.
દરમિયાનમાં ધાસચાર કૌભાંડ સાથે સંકળાયેલા ચાર કેસોમાં આરોપી બનાવાયેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાનને જો આ કેસમાં જામીન મળી જશે તો તે જેલમાંથી બહાર આવી શકશે. તેમને અન્ય ત્રણ કેસમાં જામીન મળી ગયા છે. લાલુપ્રસાદ યાદવના પરિવારજનો અને તેમના સમર્થકોને આશા હતી કે તેમને આજે જામીન મળી જશે પણ હવે હાઇકોર્ટના નિર્ણય પછી હવે તેમને વધુ સમય રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે રાજદ પ્રમુખ ડિસેમ્બર, 2018થી રાંચીની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદના વકીલ કપિલ સિબલે વર્ચ્યુઅલ હિયરિંગમાં જણાવ્યું હતું કે તેમના અસીલ હાલમાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઇ રહ્યાં છે.
સિબલે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં જેટલી આપવામાં આવી છે તે પૈકીની અડધી સજા તે કાપી ચૂક્યા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. સિબલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં લાલુપ્રસાદ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે પૈકી તેમણે 42 મહિના અને 26 દિવસની સજા પૂર્ણ કરી લીધી છે. એટલે કે તેમણે અડધાથી પણ વધુ સજા કાપી લીધી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવી હતી. સીબીઆાઇએ લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રસાદની આરોગ્યની સિૃથતિ અંગે લેખિત જવાબ આપવામાં અમને વધુ સમયની જરૂર પડશે. જો કે કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે તપાસ એજન્સી ઇરાદાપૂર્વક લેખિત જવાબ આપવામાં વિલંબ કરી રહી છે. ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી અંગે વધુ સુનાવણી 27 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે.
પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ હારે તો ત્રણ દાયકામાં પરાજયનો સામનો કરનારા પ્રથમ પ્રમુખ બનશે
ટ્રમ્પની ટીમ જ્યોર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવા કોર્ટમાં પહોંચી, વિસ્કોનસિનમાં ફરી મતગણતરીની માગ
વોશિંગ્ટન, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન બંનેએ જીતવાના દાવા કર્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં મત ગણતરી બાકી હોવાથી હજુ સુધી પ્રમુખપદના વિજેતાની જાહેરાત થઈ શકી નથી. જોકે, બિડેન બહુમતી તરફ આગળ વધી રહ્યા છે. તેઓ વિજય માટેના જાદુઈ આંકડા 270 ઈલેક્ટોરલ મત મેળવવાની એકદમ નજીક છે.
બિડેને 264 જ્યારે ટ્રમ્પે 214 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે. ચૂંટણીમાં પાછળ પડી રહેલાં ટ્રમ્પે મતદાનમાં ધાંધલીના આરોપો કર્યા છે. ટ્રમ્પે અગાઉ આપેલા સંકેતો મુજબ ટ્રમ્પ કેમ્પેને મિશિગન, પેન્સિલવેનિયા અને જ્યોર્જિયામાં કોર્ટમાં કેસ કર્યા છે. કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં મંગળવારે પ્રમુખપદની ચૂંટણી થઈ હતી. ત્યાર પછી હજુ સુધી મતપત્રોની ગણતરી ચાલી રહી છે. આથી અંતિમ પરીણામ હજી સુધી આવ્યા નથી.
ટ્રમ્પ અને બિડેન બંનેએ અમેરિકાના મહત્વના રાજ્યોમાં તેમની અપેક્ષા મુજબ વિજય મેળળી લીધો છે. પરંતુ જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જેવા ચાર રાજ્યોના પરીણામો હજુ સુધી આવ્યા નથી. ચૂંટણી અિધકારીઓ હજુ લાખો મતોની ગણતરી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજ આ મતગણતરી શનિવાર સુધી ચાલે તેવી સંભાવના છે.
અમેરિકન મીડિયા મુજબ ટ્રમ્પના વિજય કે પરાજયમાં આ ચાર રાજ્યોના પરીણામ નિર્ણાયક સાબિત થશે. 77 વર્ષીય બિડેનને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે માત્ર છથી 17 ઈલેક્ટોરલ મતોની જરૂર છે. બિડેને તેમના ગૃહ પ્રાંત ડેલાવરમાં સમર્થકોને કહ્યું, આ મારી આૃથવા આપણાં એકલાનો વિજય નહીં હોય. આ વિજય અમેરિકાના લોકોનો હશે. આપણએ 270 ઈલેક્ટોરલ વોટ જીતવા માટે જરૂરી રાજ્યો જીતી રહ્યા છીએ.
બીજીબાજુ ટ્રમ્પે મોડી રાતે અનેક ટ્વીટ કર્યા અને પેન્સિલવેનિયા, મિશિગન, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયામાં તેમના વિજયની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું, અમને પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિનામાં લીડ મળી રહી હતી. મિશિગન પર પણ તેમણે જીતનો દાવો કર્યો છે. અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, 'ચૂંટણી વ્યવસૃથાની અખંડતા અને પ્રમુખપદની ચૂંટણીને કલંક લાગ્યું છે. તેના અંગે આપણે ચર્ચા કરવાની જરૂર છે.'
ટ્રમ્પની ચૂંટણી અભિયાન ટીમે જ્યોર્જિયા, મિશિગન અને પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવાની માગ કરતાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વિસ્કોનસિનમાં ફરીથી મતગણતરીની માગ પણ કરી છે. ટ્રમ્પ હાલ પરાજય તરફ ધકેલાઈ રહ્યા હોવા છતાં તેમના ફરીથી પ્રમુખ બનવાની સંભાવનાઓ જળવાઈ રહી છે. આ માટે તેમણે ચાર રાજ્યોમાં વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે.
ટ્રમ્પ પેન્સિલવેનિયાની સાથે જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જીતી જાય તો તેમનો વિજય નિશ્ચિત થઈ જશે. નેવાડામાં બિડેન ટ્રમ્પ કરતાં થોડાક જ આગળ છે. પ્રમુખ બનવા માટે બિડેન માટે નેવાડા જીતવું ખૂબ જ જરૂરી છે. આ રાજ્યમાં વિજય સાથે તેમના ઈલેક્ટોરલ મતોની સંખ્યા 270 થઈ જશે. આ પ્રાંતમાં છ ઈલેક્ટોરલ કોલેજ વોટ છે.
ડેમોક્રેટિક પક્ષનાં ઉપપ્રમુખપદના ભારતીય મૂળનાં ઉમેદવાર કમલા હેરીસ પણ વિજય તરફ આગળ વધી રહ્યાં છે. આ પદ માટે તેમની સ્પર્ધા રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ સામે છે. પ્રમુખપદની ચૂંટણીની સાથે જ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટ અને નીચલા ગૃહ પ્રતિનિિધ સભા માટે પણ ચૂંટણીઓ યોજાઈ હતી. 100 સભ્યોની સેનેટની 35 બેઠકો માટે જ્યારે 435 સભ્યોની પ્રતિનિિધ સભાની બધી બેઠકો માટે મતદાન થયું હતું.
મત ગણતરીમાં ફ્રોડના ટ્રમ્પની આક્ષેપો પાયા વિહોણા : નિરિક્ષકોનોઅહેવાલ
(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.5
આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની એક ટીમે પ્રમુખ ટ્રમ્પે કરેલા મત ગણતરીમાં ફ્રોડના આક્ષેપ પાયા વિહોણા હોવાનું કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે આવા આક્ષેપો લોકતાંત્રિક સંસૃથાઓમાંથી લોકોનો વિશ્વાસ ડગાવી દે છે. ખુદ અમેરિકા જેનો સભ્ય છે તે ઓર્ગેનાઇઝેશન ફોર સીક્યુરિટી એન્ડ કો-ઓપરેશન ઇન યુરોપના નિરિક્ષકોએ કહ્યું હતું કે બુધવારે જારી કરેલા પ્રાથમિક અહેવાલમાં કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓની મત ગણતરી તદ્દન પારદર્શક હતી અને સંપૂર્ણ રીતે સાચી રીતે કરાઇ હતી. '
ગણતરી અને સરવાળો હજુ ચાલુ છે અને તે ઓર્ગેનાઇઝેશનના નિયમો અનુસાર જ ચાલશે.વર્તમાન પ્રમુખ દ્વારા કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આનાથી લોકોનો લોકતંત્રિક સંસૃથાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે'એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રમુખ દ્વારા પોસ્ટલ બેલેટની પ્રમાણિકતા અંગે કરાયેલા અસંખ્ય જાહેર નિવેદનો છતાં કિથત ફ્રોડ અને આક્ષેપોની માત્રા નહીંવત છે.
બુધવારે પ્રમુખ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે મત ગણતરીમાં છેતરપિંડી કરાઇ હતી અને તેઓ ગણતરીને રોકવા સુપ્રીમ કોર્ટ જશે. ટ્રમ્પે આ ચૂંટણીને 'અમેરિકન પ્રજા સાથે દગો'ગણાવી હતી. જો કે તેમણે પોતાના દાવાના સમર્થનમાં એક પણ પુરાવો રજૂ કર્યો નહતો.ઉલ્લેખનીય છે કે આ સંગઠન વિશ્વનું સૌથી મોટું સુરક્ષા સબંધીત આંતરસરકાર સંગઠન છે.
બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવના છતાં
ટ્રમ્પ માટે હજુ આશા જીવંત પાંચ રાજ્યો બાજી પલટી શકે
ટ્રમ્પ માટે જીતનો આધાર નોર્થ કેરોલિના, અલાસ્કા, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નેવાડાના મતો ઉપર
ન્યૂયોર્ક, તા. 5
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવનાઓ છે. બિડેન બહુમતી માટે 270 ઈલેક્ટોરલ વોટની નજીક પહોંચી રહ્યા છે. જોકે, વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હજુ પણ આશા જીવંત છે અને તેઓ પાસુ પલટી શકે છે.
અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મતગણતરી અંતિમ તબક્કામાં છે, પરંતુ જે અમેરિકન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે ત્યાંના ઈલેક્ટોરલ મત આ ચૂંટણીના પરિણામ બદલી શકે છે. આ રાજ્યોમાં પ્રમુખ ટ્રમ્પ હજુ આગળ છે. આથી મતગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ જાય ત્યારે ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બહુમતીના આંકડાને પાર કરે તેવી સંભાવના છે.
અમેરિકામાં પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. આ બધા જ રાજ્યોમાંથી પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ છે. નોર્થ કેરોલિનામાં 15 વોટ છે. જ્યોર્જિયામાં 16 વોટ, અલાસ્કામાં ત્રણ વોટ છે. આ બધા જ રાજ્યોમાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. નેવાડામાં 6 ઈલેક્ટોરલ વોટ છે. જોકે, બિડેન અહીં આગળ છે.
વર્તમાન સ્થિતિ મુજબ આ રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો તેમને 54 મત મળી શકે છે જ્યારે બહુમતી માટે તેમને 56 મતોની જરૂર છે. બીજીબાજુ બિડેનને 6 મત મળી શકે છે. આવા સંજોગોમાં પરિસ્થિતિઓમાં થોડો પણ ફેરફાર થાય તો ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બિડેન વિરૂદ્ધ બાજી પલટી શકે છે.
મતદાન વધવાનું કારણ યુવાન મતદારો, મેલ-ઈન વોટ
અમેરિકામાં 120 વર્ષમાં સૌથી વધુ 66.9 ટકા મતદાન થયું
છેલ્લે 1900માં સૌથી વધુ 73.7 ટકા મતદાન થયું હતું
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 5
અમેરિકામાં ચૂંટણીમાં આ વખતે મતદારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. આ વખતે મતદાને 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં સરેરાશ 50થી 60 ટકા મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે 66.9 ટકા મતદાન થયું હોવાનું અમેરિકન ઈલેક્શન પ્રોજેક્ટનો અંદાજ છે.
વર્ષ 2020 પહેલાં 1900માં સૌથી વધુ મતદાન થયું હતું, તે સમયે 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં યુએસ ઈલેક્શન પ્રોજેેક્ટના પ્રોફેસર માઈકલ મેકડોનાલ્ડનું કહેવું છે કે વર્તમાન ચૂંટણીની સરખામણી 1900 સાથે કરવી અયોગ્ય છે. તે સમયે મહિલાઓને મતદાનનો અિધકાર નહોતો. 2020માં વધુ મતદાનનું એક મહત્વનું કારણ યુવાન મતદારો અને મેલ-ઈન-વોટ છે.
ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ મુજબ 18થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા વધુ હોવાથી મતદાન પર અસર થઈ છે. જેમ કે, ટેક્સાસમાં આ ચૂંટણીમાં યુવાન મતદારોનું યોગદાન 13.1 ટકા રહ્યું છે, જે અગાઉની ચૂંટણીમાં માત્ર 6 ટકા હતું. મિશિગનમાં આ ચૂંટણીમાં 9.4 ટકા યુવાન મતદારો હતા જ્યારે ગત ચૂંટણીમાં 2.5 ટકાએ મતદાન કર્યું હતું.
અમેરિકામાં હજુ પ્રમુખપદની ચૂંટણી માટે નંખાયેલા મતોની ગણતરી ચાલુ છે. આ વખતે 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મતદાનની ટકાવારી અંદાજે 67 ટકા જેટલી છે, જે એક સદીમાં સૌથી વધુ છે.
છેલ્લે 1900માં 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તે સમયે વિલિયમ મેકેન્લી પ્રમુખ બન્યા હતા. ત્યાર પછી મતદાન 65.7 ટકાથી વધુ મતદાન થયું નથી. હિસ્ટ્રી.કોમના અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન 1972માં થયું હતું. 1828માં પહેલી વખત 50 ટકા મતદાન થયું હતું જ્યારે 1876માં 82.6 ટકા મતદાન થયું હતું.
બેઈજિંગ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
ચીની દૂતાવાસની વેબસાઈટમાં જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે ભારતીય નાગરિકો અત્યારે ચીનનો પ્રવાસ કરી શકશે નહીં. ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો પર ચીનમાં પ્રવેશવાનો પ્રતિબંધ મૂકાયો છે. કોરોના ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાયું હતું.
દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીને હવે કોરોના ન ફેલાય તેવું કારણ આગળ ધરીને ઘણાં દેશોના નાગરિકોને ચીન પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના દૂતાવાસની વેબસાઈટમાં જિનપિંગનો નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે બ્રિટન, ભારત, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો ચીનમાં જઈ શકશે નહીં.
ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આ દેશના નાગરિકોને ચીન જવાની પરવાનગી આપશે નહીં. ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધશે તેવી ભીતિથી ચીને આ નિર્ણય લીધો હતો. તે ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીનમાં આવવા માટે વિશેષ પ્રમાણપત્ર આપવું પડશે અને ખાસ હેલૃથ ચેકઅપમાંથી પસાર થવું પડશે.
ચીની અિધકારીઓને તેમની હેલૃથ બાબતે જરા પણ શંકા પડશે તો ચીનમાં પ્રવેશ મળશે નહીં. ચીને બ્રિટનના તો કાયમી રહેઠાણ ધરાવતા હોય અને અત્યારે બ્રિટનમાં હોય એવા નાગરિકોના આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નાગરિકો પાસે વિઝા હોવા છતાં તેમને નવા નોટિફિકેશન સુધી બ્રિટનમાં જ રહેવું પડશે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે આ બાબતે નારાજગી દર્શાવીને કહ્યું હતું કે વેપારીઓ ચીન આવી શકશે નહીં તેના કારણે બંને દેશોના વેપાર પર અસર થશે.