Darshan at Shree Somnath Temple, First Jyotirlinga, 1-Nov-2020
from News - Videos - The Times of India https://ift.tt/3jL60cV
કેવડિયા, તા. 31 ઓક્ટોબર,2020 શનિવાર
સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહીં તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારે ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.
અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
પીએમ મોદીની મુલાકાતને લઇને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજ્યને સી-પ્લેનની ભેટ આપવા જઇ રહ્યાં છે.
કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. જેને લઇને શહેરના રિવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં બોટમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પીએમ મોદીની મુલાકાતને લઇને શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ બંધ રહેશે.
પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઇને જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે તેમાં આરટીઓ સર્કલથી વાડજ સર્કલ સુધી, વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે.
પચાસ લાખ લોકો અસરગ્રસ્ત, 35 મેડિકલ રેસ્ક્યુ ટીમે કામગીરી શરૂ કરી
ભૂકંપની સાથે દરિયા કાંઠે સુનામીની લહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
અંકારા, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. 18 લોકોનાં મોત થયા હતા અને 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા.
તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટક્યો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્ક્યૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય ઈમારતોને નુકસાન થયું છે.
એજિયન સમુદ્રના પેટાળમાં શક્તિશાળી ધરતીકંપ ત્રાટક્યો હોવાથી સુનામીની પણ અસર થઈ હતી. તુર્કી ઉપરાંત ગ્રીસના સામોસ ટાપુમાં સુનામી ત્રાટક્યાનો દાવો થયો હતો. ભૂકંપ અને સુનામીથી લગભગ પચાસ લાખ લોકો પ્રભાવિત થયા છે. ઈઝમિર શહેરમાં પાણી ભરાયું હોવાનો દાવો પણ સોશિયલ મીડિયામાં થયો હતો. ઘણાં લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને ભૂકંપની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો.
ગ્રીસ સરકારે સામોસ ટાપુમાં રહેતા 50 હજાર લોકોને દરિયાથી સલામત અંતરે રહેવાની તાકીદ કરી હતી. ભૂકંપનું એપી સેન્ટર ગ્રીસના આ ટાપુથી ઘણું નજીક હોવાથી સુનામી ઉપરાંત ભૂકંપની શક્યતા છે. અમેરિકન જિયોલોજિકલ એજન્સીના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં 14 કિલોમીટર દૂર હતું.
સૌથી નજીક આવેલા આ ભૂભાગમાં સૌથી વધારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતોના મતે તુર્કી અને ગ્રીસ જમીનની અંદર આવેલી એવી પ્લેટની બરાબર ઉપર આવેલું છે, જ્યાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લાં દશકામાં ભયાનક અને શક્તિશાળી ભૂકંપ ત્રાટકી ચૂક્યા છે.
74.28 ટકા દર્દીઓ સાજા થયા, રિકવરીમાં ભારત ટોચે
જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો : રણદીપ ગુલેરિયા
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોનાનો પ્રકોપ ધીમો પડયો છે અને 85 દિવસમાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી નીચે ગઈ છે, જે કોરોનાના કુલ કેસમાં માત્ર 7.35 ટકા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
જોકે, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવશે. ખૂબ જ જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. આ સમયે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિર્દેશોનું પાલન કરો.
એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે શિયાળાના સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા થવા લાગી છે.
જોકે, ડૉક્ટર ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે, હાલ દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે ફરીથી તીવ્ર થઈ ગઈ છે. તેના માટે તેમણે કોરોના પ્રત્યે લોકોની વધતી બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવાની માર્ગદર્શિકાઓના અમલમાં ઢીલાશને કારણભૂત ગણાવ્યા હતા.
તેમણે કોરોનાની બીજી લહેર માટે શિયાળાના વાતાવરણ અને પ્રદૂષણને પણ જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રદૂષણના કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાઈરસ બંને ફેંફસાઓને અસર કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીએ પ્રદૂષણ અને કોરોનાના બેવડા પડકારોનો સામનો કરવાનો છે. જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 3,81,644 થયા છે જ્યારે મૃત્યુઆંક 6,470 થયો છે અને 3,42,811 દર્દી સાજા થયા છે.
બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસ 6 લાખથી નીચે આવ્યા છે અને તે કુલ કેસના 7.35 ટકા જેટલા છે.
છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના દૈનિક નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાં એક્ટિવ કેસના આંકડા અલગ અલગ છે. વધુમાં ભારતમાં કોરોનાના રિકવરી કેસ પણ વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 74.28 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.
દેશમાં એક્ટિવ કેસ અને રિકવર કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું. દરમિયાન એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઈરસ શરીરના બધા જ મહત્વના અંગો પર અસર કરે છે. તેની અસરથી નસો સૂજી જાય છે અને લોહી ગાઢું થઈ જાય છે અને કેટલાક કેસોમાં ફાઈબ્રોસિસ એટલે કે ટિશ્યુની સંરચનામાં ફેરફારના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
કોરોનાના કારણે મૃતક દર્દીઓમાંથી 90 ટકાના ફેંફસા અને તેટલા જ દર્દીઓની કિડની પર ગંભીર અસર જોવા મળી છે. 80 ટકા દર્દીઓમાં પાચન તંત્ર સંબંિધત અંગ પેન્ક્રિયાઝ પર અને 60 ટકાના લીવર પર કોરોના વાઈરસની અસર જોવા મળી છે. એઈમ્સ ભોપાલે કોરોના પીડિત 10 દર્દીઓના મૃતદેહોના કરેલા પોસ્ટમોર્ટમમાંથી આ વિગતો સામે આવી છે.
કોરોનાના કુલ કેસ 81.33 લાખ, મૃત્યુઆંક 1.21 લાખ
નવી દિલ્હી, તા.30
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,772 કેસ નોંધાયા છે અને વધુ 507નાં મોત નીપજ્યાં છે જ્યારે 59,209 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 81,33,933 પહોંચી છે અને મૃત્યુઆંક 1,21,529 થયો છે જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 74,28,480 છે. રિકવરી રેટ વધીને 91.32 ટકા થઈ ગયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું છે.
અમદાવાદ, તા. 30 ઓક્ટોબર 2020 શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બેદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે.
જોકે, આ વચ્ચે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચીને કેશુભાઈના પરિવાર સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વાના પાઠવશે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં માતા હીરા બાની પણ મુલાકાત લઈ શકે છે.
તેના બાદ તેઓ જંગલ પાર્ક, ફેરી બોટ, ભારત ભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન અને એક્તા નર્સરીનું પણ ઉદઘાટન કરશે. બપોર બાદ તેઓ કેવિડયા જવા નીકળશે અને ત્યાં જ રાત રોકાણ કરશે.
પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ પટેલનુંન નિધન થયું હતુ. ત્યારે પીએમ મોદીએ તેમના ઘરે જઈને તેઓને આ માટે સાંત્વના આપી હતી. આ સમય દરમિયાન તેઓ અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવ્યા હતા.