
from India Today | Top Stories https://ift.tt/371M96m
રાજ્યપાલે ભાષામાં મર્યાદા રાખી નથી, તેઓ કોઈ પક્ષ તરફથી બોલી રહ્યા હોય તેમ લાગે છે : પવારનો પીએમને પત્ર
મુંબઈ, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર
દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધો હળવા થતાં પાર્ક અને દારૂ વેચતા બાર ખૂલી ગયા છે, પરંતુ મંદિરો ખોલવા પર હજુ પ્રતિબંધ છે. એવામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વને ભૂલીને સેક્યુલર બની ગયાનો આક્ષેપ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, 'હિન્દુત્વના મુદ્દે મને તમારા સર્ટીફિકેટની જરૂર નથી.' રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં મંદિરો સહિત ધાર્મિક સૃથળો ખોલવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તેનાથી નારાજ થઈ સત્તામાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલ કોશ્યારીની ફરિયાદ કરી હતી.
રાજ્યપાલ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, 'તેમણે મુખ્યમંત્રી સમક્ષ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરતાં ધાર્મિક સૃથળોને ફરીથી ખોલવા અંગે તુરંત જાહેરાત કરવા આગ્રહ કર્યો હતો.' તેમ જ હિંદુહૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના સુપુત્ર, શિવસેનાના પક્ષપ્રમુખ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને હિંદુત્ત્વની યાદ અપાવતા શું તમે સેક્યુલે રિઝર્વ તરફ ઝુકી ગયા છો કે? આવો સવાલ કોશ્યારીએ કર્યો હતો.
કોશ્યારીએ પત્રમાં લખ્યું કે, તમે હિન્દુત્વની તરફેણ કરતા રહ્યા છો. તમે અયોધ્યા જઈને ભગવાન રામ માટે તમારૂં સમર્પણ સાર્વજનિક રૂપે જાહેર કર્યું હતું. તમે પંઠરપુરમાં વિઠ્ઠલ રૂકમણી મંદિરના દર્શન કર્યા હતા અને અષાઢી એકાદશી પર પૂજા કરી હતી. હું સમજવા માગું છું કે ધાર્મિક સૃથળોને ફરીથી ખોલવાની પ્રક્રિયાને વારંવાર ટાળવા માટે તમને ઉપરથી કોઈ દિવ્ય સંદેશ મળી રહ્યો છે કે પછી તમે પોતે જ અચાનક સેક્યુલર થઈ ગયા, જે તમને પોતાને એક સમયે જરા પણ પસંદ ન હતું?
તેમણે પત્રમાં વધુમાં લખ્યું હતું કે, દિલ્હીમાં 8મી જૂનથી અને દેશના અન્ય શહેરોમાં જૂન મહિનાના અંતથી જ ધાર્મિક સૃથળો ખૂલી ગયા છે અને ત્યાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો નથી. એ પણ વિડંબના છે કે સરકારે દારૂ વેચતા બાર, રેસ્ટોરાં અને બીચ વગેરેને ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ આપણા દેવી-દેવતાઓને લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યપાલને સણસણતો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું હતું કે, 'પત્રમાં મારા હિન્દુત્વ અંગે સવાલ ઉઠાવવો ખોટો છે. હિન્દુત્વ મુદ્દે મને તમારા સર્ટીફિકેટની જરૂર નથી. મારા રાજ્યની રાજધાનીને પાક અિધકૃત કાશ્મીર કહેનારાઓને હસતા હસતા ઘરમાં સ્વાગત કરનારાઓ પાસેથી મને હિન્દુત્વનું સર્ટિફિકેટ નથી જોઈતું.'
ઉદ્ધવે વધુમાં લખ્યું હતું કે, અચાનક લોકડાઉન લાદવું યોગ્ય નહોતું, તેમ અચાનક તેને હટાવી લેવું પણ યોગ્ય નથી. અને હા, હું એ વ્યક્તિ છું, જે હિન્દુત્વની પરંપરાનું પાલન કરૂં છું. બીજી વાત કે તમે રાજ્યપાલપદની શપથ બંધારણના આધારે લીધી છે અને બંધારણનો આત્મા સેક્યુલરીઝમ છે, જે તમને મંજૂર નથી એવો સવાલ ઉદ્ધવે રાજ્યપાલને કર્યો હતો.
દરમિયાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં રાજ્યપાલની ભાષા સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે વાંધો ઉઠાવતા વડાપ્રધાનને ફરિયાદ કરી છે અને કહ્યું કે રાજ્યપાલની ભાષા આશ્ચર્યજનક છે. લોકતંત્રમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે વિચારોના આદાન-પ્રદાન સામે કોઈ સમસ્યા નથી, પરંતુ બંધારણીય પદો પર બેઠેલા લોકોએ પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઈએ. સેક્યુલરીઝમ શબ્દ બંધારણની પ્રસ્તાવનાનો ભાગ છે. રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને જે રીતે સંબોધન કર્યું તે જોતાં તેઓ જાણે કોઈ રાજકીય પક્ષનો ભાગ હોય તેમ લાગે છે.
મંદિર ખોલવાના મુદ્દે ભાજપનું આંદોલન
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ,તા.13
મહારાષ્ટ્રમાં ખુલી ગયા બાર પણ મંદિરો બંધો હોવાથી ભાવિકો થયા નારાજ ઉધ્ધવ તારો દ્યુંઘ છે દરબાર, ઉધ્ધવ અજબ તુઝે સરકાર? આવા જોરદાર સૂત્રોચ્ચારો પોકારીને મહારાષ્ટ્ર ભાજપે આજે સંપૂર્ણઅ મહારાષ્ટ્રમાં જોરદાર આંદોલન કર્યું. પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટિલ અને આધ્યાત્મિકક સમન્વય આઘાડીના પ્રદેશાધ્યક્ષ આચાર્ય તુષાર ભોસલેએ શિર્ડીમાં સાંઈબાબા મંદિર સામે એક દિવસનું અપવાસ આંદોલન કર્યું તેમ જ ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ રાજ્યભરમાં મંદિર ખોલવા માટે ઘરણા, નિદર્શનો, અપવાસ આવા કાર્યક્રમ રજૂ કર્યા.
મુંબઈ ભાજપાના માજી અધ્યક્ષ એડ. આશિષ સેલારે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે, જેઓ કસાબને બિર્યાની ખવડાવનારાઓ સાથે સત્તામાં બેસવાનું પસંદ કર્યું, જેમણે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન ઈ પદ્ધતિથી કરવાની સલાહ આપી, ભારત તેરે ટુકડે હજાર કહેનારાઓનું મુંબઈમાં સ્વાગત કર્યું, સ્વાતંત્ર્યવીર વિનાયક દાનમોદર સાવરકરનું અપમાન કરવાવાળા કોંગ્રેસનો જેમણે સાથ આપ્યો.
યાર્કુબની હાંસીને વિરોધ કરવાવાળાઓને મુંબઈના પાલક પ્રધાન બનાવ્યા અને પંઢરપુરમાં જઈને વિઠ્ઠલની મૂર્તિને જેમણે સ્પર્શ પણ કર્યો નહીં તેઓ કયા હિંદુત્ત્વના પૂજારી, જેઓ તો સસ્તાના છે લાચારી. મુંબઈ સાથે સમસ્ત મહારાષ્ટ્રમાં આંદોલન કરીને ભાજપે એક તરફ મંદિરો ખોલવાની માંગણી કરી ત્યાં જ બીજી તરફ રાજ્યપાલને જવાબ આપતા ંમુખ્યપ્રધાનની શેલારે ટીકા કરી છે.
બાબરની સેના કરતા પણ ખરાબ વર્તન ગુંડા સરકારનું છે : કંગના
વિવાદિત નિવેદનો સાથે જોડાયેલી અભિનેત્રી કંગના રાણાવતે વધુ એક વિવાદ છેડયો છે. મહારાષ્ટ્રમાં મંદિરોને લઇને ચાલી રહેલા વિવાદમાં આ અભિનેત્રી પણ કુદી પડી હતી, કંગનાએ કહ્યું હતું કે બાબરની સેના કરતા પણ ખરાબ વર્તન ગુંડા સરકાર કરી રહી છે. કંગનાએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર તેમને ગુંડા કહ્યા હતા. કંગનાએ કહ્યુ હતું કે ગુંડાઓએ બાર તો ખોલી નાખ્યા પણ મંદિરને બંધ જ રહેવા દીધા.
સોનિયા સેના બાબર સેના કરતા પણ ખરાબ રીતે વર્તી રહી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે મંદિરો ખોલવા માટે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો જેના સમાચારને કંગનાએ રિટ્વીટ કરીને આ ટોણો માર્યો હતો. અગાઉ ગેરકાયદે બાંધકામને લઇને પણ ઉદ્ધવ ઠાકરે સરકાર અને કંગના રાણાવત વચ્ચે વિવાદ થયો હતો જેની શરૂઆત મુંબઇને કંગનાએ પીઓકે સાથે સરખાવ્યું ત્યારથી થઇ હતી.
અમેરિકાનું અર્થતંત્ર માઈનસ 5.8 ટકા રહેવા અંદાજ, વિશ્વમાં માત્ર ચીનમાં આર્થિક વૃદ્ધિ અંગે આઈએમએફે આશ્ચર્ય વ્યક્ત કર્યું
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીમાં સપડાયું છે. આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ માઈનસ 4.4 ટકા રહેશે. ભારતના અર્થતંત્ર પર કોરોના મહામારીની ઘેરી અસર થઈ છે.
આથી આ વર્ષે તેમાં ધબડકો જોવા મળી શકે છે અને જીડીપી માઈનસ 10.3 ટકા રહેવાનો અંદાજ છે. 2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ આગાહી કરી છે. વર્લ્ડ બેન્કે પણ આ વર્ષે ભારતનો જીડીપી માઈનસ 9.6 ટકા રહેવાની આગાહી કરી છે.
આઈએમએફે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2020માં 10.3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ જ સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં 4.4 ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે.
જોકે, ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે એટલે કે વર્ષ 2021માં 8.8 ટકાની અસાધારણ વૃદ્ધિ સાથે પુનરાગમન કરી શકે છે અને તે ચીનને પાછળ છોડીને ઝડપથી ઊભરતા અર્થતંત્રનો દરજ્જો ફરીથી હાંસ કરી શકે છે. 2021માં વૈશ્વિક અર્થતંત્રમાં 5.2 ટકાની જોરદાર વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યું છે.
આઈએમએફ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક જાહેર કરતાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં અમેરિકાના અર્થતંત્રમાં 5.8 ટકાનો ઘટાડો આવે તેવી સંભાવના છે જ્યારે આગામી વર્ષે તેમાં 3.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે.
આઈએમએફે દાવો કર્યો છે કે કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર સર્જાયેલી કટોકટી દૂર થવામાં ઘણો લાંબો સમય લાગશે. જોકે, તેણે ચીનના અર્થતંત્રમાં જોવા મળેલા ઝડપી સુધારા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
તેનું કહેવું છે કે વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં માત્ર ચીન જ એક એવો દેશ હશે, જેમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. 2021માં ચીનનો પ્રોજેક્ટેડ ગ્રોથ 8.2 ટકા છે. આઈએમએફે તેા રિપોર્ટમાં જણાવ્યું છે કે બીજા ત્રિમાસિક સમયમાં ભારતના અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધુ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનના નિયમો હળવા કરાયા છે અને સેન્ટ્રલ બેન્કોએ ઝડપથી નીતિવિષયક સહાયો પૂરી પાડી છે. પરીણામે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષના પ્રથમ છ માસમાં તેના તળીયેથી બેઠું થઈ રહ્યું છે. બીજા ત્રિમાસિકમાં કટોકટીની ટોચના સમયની સરખામણીમાં રોજગારીમાં આંશિક સુધારો થયો છે. જોકે, રોજગારી કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં ઘણી ઓછી છે.
ત્રીજા ત્રિમાસિકમાં વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત સુધારાના સંકેત મળે છે, પરંતુ વિકાસશીલ અને ઊભરતા અર્થતંત્રોમાં મંદીના વાદળો આ સુધારા પર પ્રભાવ પાડી શકે છે. આઈએમએફના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં ભારતને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે. તેનું કારણ ભારતનું ઊંચું તાપમાન હોઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઠંડા પ્રદેશો એવા યુરોપ, ઉત્તર અણેરિકા અને પૂર્વ એશિયાના દેશોને એકંદરે ઓછું નુકસાન થવાની શક્યતા છે.
- ઉત્તર પ્રદેશમાં રેપની ઘટનાઓ વધ્યે જાય છે
- કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યાં હતાં
ઝાંસી તા.12 ઓક્ટોબર 2020 સોમવાર
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક પોલિટેક્નિક કૉલેજની અંદર સત્તર વર્ષની સગીરા પર ગેંગરેપ થયો હતો. આ છોકરી પોતાની બહેનપણીને મળવા એની કૉલેજ પર ગઇ હતી. ત્યાં અને કેટલાક લોકો જબરદસ્તીથી કૉલેજની અંદર ઘસડી ગયા હતા અને ત્યારબાદ એેના પર ગેંગરેપ થયો હતો.
આ ઘટના ધોળે દિવસે સરકારી પોલિટેક્નિકમાં બની હતી. આ સગીરા પોતાના બૉયફ્રેન્ડ સાથે સ્કૂટી પર ત્યાં ગઇ હતી. કેટલાક લોકોએ એના બૉયફ્રેન્ડ સાથે ખોટેખોટી બોલાચાલી કરી હતી. ત્યારબાદ બૉયફ્રેન્ડને ધમકાવીને છોકરીને કૉલેજની અંદર ઘસડી ગયા હતા. ત્યારબાદ ગેંગરેપ કર્યો હતો અને એની વિડિયો ક્લીપ સુદ્ધાં બનાવી હતી. છોકરીને ધમકી આપી હતી કે આ ઘટનાની ફરિયાદ કરીશ તો આ વિડિયો ક્લીપ અમે ઇન્ટરનેટ પર મૂકી દઇશું.
એક અહેવાલ મુજબ ભારતમાં હવે દર પંદરમી મિનિટે એક રેપ થાય છે. છોકરીઓ સતત ધ્રૂજતી રહે છે. એમાંય છેલ્લા થોડાં સપ્તાહથી તો લગભગ રોજ આવી ગેંગરેપની ઘટના બનતી રહી છે. ખાસ કરીને કદ અને વસતિની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળી હતી.
- પીડિતાના પરિવારને ધમકીઓ મળી ચૂકી છે
લખનઉ તા.12 ઓક્ટોબર 2020 સોમવાર
હાથરસ ગેંગરેપ અને અત્યાચારના કેસની સુનાવણી માટે પીડિતાનો પરિવાર આજે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લખનઉ જવા રવાના થયો હતો. અત્યાર અગાઉ આ પરિવારને એક કરતાં વધુ વખત ધાકધમકી મળી હોવાથી રાજ્ય સરકારે કડક સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી.
અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે સોમવારે એટલે કે આજે 12 ઓક્ટોબરે પીડિતાના પરિવારને કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરી હતી. 14મી સપ્ટેંબરે એક ખેતરમાં ગેંગરેપ અને હિંસક અત્યાચારનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની દલિત યુવતી પંદર દિવસ કોમામાં રહ્યા બાદ દિલ્હીની એક હૉસ્પિટલમાં મરણ પામી હતી.
પોલીસે રાતોરાત આ યુવતીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો હતો. મરનારના પરિવારને .યુવતીની નિકટ જવા દેવામાં આવ્યો નહોતો. આ મુદ્દે સારો એવો હોબાળો થયો હતો અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
આ કેસમાં હો હા થતાં અલાહાબાદ હાઇકોર્ટે પહેલી ઓક્ટોબરે સુઓ મોટો આ કેસ પોતાના હાથમાં લેતાં ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ, પોલીસ વડા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્યોને પોતાની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. પીડિતાના પરિવારને પણ આજે કોર્ટમાં હાજર કરવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો હતો. એટલે આજે સંબંધિત પોલીસ અધિકારી, રાજ્યના ગૃહ સચિવ, પીડિતાનો પરિવાર વગેરે બધાં હાઇકોર્ટમાં રજૂ થશે. અત્યાર અગાઉ આ પરિવાર એવી જાહેરાત કરી ચૂક્યો હતો કે અમને મોઢું બંધ રાખવાની ધમકી સતત મળતી રહી હતી.
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ હળવી કરવા માટે સોમવારે ચુશુલમાં બંને દેશના સૈન્ય કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય સાતમી બેઠક યોજાશે. આ બેઠકમાં ભારત ચીનને દરેક પોઈન્ટ પરથી તેના સૈન્યને પાછું હટાવવાની કામગીરી વહેલી તકે કરવા પર ભાર મૂકશે. જોકે, ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.
ચીને સરહદ પર 60 હજારથી વધુ સૈનિકો ખડકવાની ખડક્યા છે તેવા અહેવાલોની સાથે હવે લદ્દાખમાં એલએસીની ખૂબ જ નજીક ચીને 50થી વધુ ટેન્કો પણ ખડકી દીધી છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં તંગદીલી થોડીક પણ હળવી થતી હોવાનું વર્તમાન સંજોગો પરથી જણાતું નથી. ચીન ભારત સાથે વાટાઘાટો કરવાની સાથે દિવસે ને દિવસે સરહદે મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્કોનો ખડકલો કરી રહ્યું છે.
કેટલાક અહેવાલો મુજબ ચીને દેપસાંગ વિસ્તારમાં સૈનિકોની સાથે ટેન્કો પણ તૈનાત કરી દીધી છે. ચીને દેપસાંગ સેક્ટરમાં 25 વધારાની ટેન્કો અને 25 જેટલા ઈન્ફ્રન્ટ્રી કોમ્બેટ વ્હિકલ તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં અગાઉથી જ ચીનના 3,000થી વધુ સૈનિકો અને 50 જેટલી ટેન્કો તૈનાત છે.
ચીને આ વિસ્તારમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય તેવા મિસાઈલ, ઓટોમેટિક ગન્સ, રોકેટ લોન્ચર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી દીધી છે. ચીને મધ્યમ રેન્જના એચક્યુ-16 અને થોડીક લાંબી રેન્જના એચક્યુ-9 મિસાઈલો પણ આ સેક્ટરમાં ગોઠવી દીધા છે.
દેપસાંગ વિસ્તારમાં ટેન્કો અને આર્મર્ડ વ્હિકલ્સને સરળતાથી ગોઠવી શકાય છે. જોકે, પેંગોંગ લેકના ઉત્તરીય ભાગોમાં સૈન્ય ગોઠવણીમાં કોઈ ફેરબાર નથી થયો. જોકે, ત્યાં પણ ચીને 5,000થી વધુ સૈનિકોનો ખડકલો કરી દીધો છે. ચીને આ વિસ્તારમાં કેટલીક તોપો પણ ગોઠવી છે.
દરમિયાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વધેલી તંગદિલી હળવી કરવા માટે બંને દેશના સૈન્ય કમાન્ડરોની સોમવારે વધુ એક બેઠક યોજાશે. સૂત્રોએ જણાવ્ં્ત હતું કે, બંને દેશના સૈન્યના ઉચ્ચ સ્તરીય કમાન્ડરોની સોમવારે સાતમી બેઠક યોજાઈ રહી છે, જેમાં ભારત ચીનને સૈનિકો વહેલી તકે અને સંપૂર્ણપણે પાછા ખેંચવા પર ભાર મૂકશે.
પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)માં ભારતીય વિસ્તારમાં ચુશુલ ખાતે બપોરે 12.00 વાગ્યે બેઠક શરૂ થશે. આ બેઠકમાં વાટાઘાટોનો મુખ્ય એજન્ડા પૂર્વીય લદ્દાખમાં બધી જ મહત્વપૂર્ણ જગ્યાઓ પરથી સૈનિકોને પાછા ખેંચવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનો રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણે સૈન્યના વડાઓએ શુક્રવારે સૈન્ય વાટાઘાટો માટે ભારતની વ્યૂહરચનાને અંતિમ ઓપ આપ્યો હતો.
ગલવાનની લડાઈમાં પાક. સૈનિકોએ ચીનને મદદ કરી હોવાની સંભાવના
ગલવાન ઘાટીમાં તૈનાત ચીની સૈનિકોમાં એક પાક. સૈનિક પણ હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
ગલવાન ઘાટીમાં આ વર્ષે જૂનમાં ભારતીય જવાનો અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ સંઘર્ષમાં ચીનને પાકિસ્તાન આર્મીએ મદદ કરી હોવાનો હવે કેટલાક અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે. ચીન અને પાકિસ્તાને ભારતનો સામનો કરવા માટે સૈન્ય સહકાર વધાર્યો હોવાના અહેવાલો ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે.
ભારતે તેનો મીસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે અને સ્માર્ટ તથા રૂદ્રમ-2 સહિતના અત્યાધુનિક મિસાઈલોના પરીક્ષણો કર્યા છે તેમજ વહેલી તકે આ મિસાઈલોના સૈન્યમાં પ્રવેશને મંજૂરી અપાઈ રહી છે ત્યારે ગુપ્તચર સંસૃથા રૉના અહેવાલનો ભારત માટે તેના બંને પ્રતિદ્વંદીઓ સામેની તૈયારીઓને વધુ મજબૂત કરવા અને ચિંતાનું કારણ બની શકે છે.
રૉના અિધકારીઓના જણાવ્યા મુજબ ભારતનો સામનો કરવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સહકાર વધ્યો છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પણ અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમની પરિષદમાં ચેતવણી આપી હતી કે ભારતે બે મોરચે યુદ્ધ લડવું પડે તેવી પરિસિૃથતિઓ સર્જાઈ રહી છે.
ભારતે બે મોરચા પર લડવું પડે તેવી સંભાવનાઓનું જોખમ વર્તમાન સમયમાં સૌથી વધુ છે. તાજેતરમાં જ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ગણવેશમાં પાકિસ્તાનના એક જવાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આ તસવીર સાચી હોય તો પાકિસ્તાની સૈન્ય ચીનના દળો સાથે મળીને ભારતને પડકાર ફેંકી શકે છે. ચીનના એક પત્રકારે પોસ્ટ કરેલા એક વીડિયોમાં ગલવાન ઘાટીના વિસ્તારમાં ચીનના કેટલાક જવાનો તેમનું રાષ્ટ્રીય ગીત ગાતા દર્શાવાયા છે. આ વીડિયોમાં આછી દાઢીવાળો એક જવાન ચીનના બાકીના જવાનો કરતાં દેખાવે એકદમ અલગ હતો.
નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાને લદ્દાખમાં તેના સૈનિકો ગોઠવ્યા હોય આૃથવા ચીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે)માં તેના જવાનોને તૈનાત કર્યા હોય તેવી સંભાવનાઓને નકારી શકાય નહીં. વધુમાં ગલવાન ઘાટીમાં ભારતીય જવાનો સાથેની આૃથડામણમાં ચીનના સૈનિકોને પાકિસ્તાન આર્મીએ મદદ કરી હોય તેવી સંભાવનાઓને પણ નકારી શકાય તેમ નથી.
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
દેશમાં આગામી સપ્તાહથી નવરાત્રીની શરૂઆત થવાની સાથે તહેવારોની સીઝન શરૂ થશે. આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. શિયાળામાં કોરોનાનો પ્રકોપ વધી શકે છે તેવી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, કોઈપણ ધર્મ જીવનના જોખમે તહેવારોની ઊજવણી કરવાનું કહેતો નથી.
કેન્દ્રીય મંત્રીએ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત તમામ તકેદારી રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શિયાળાની સીઝનમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધી શકે છે.
ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, તમારા બધાનું રક્ષણ કરવું એ મારૂં કર્તવ્ય છે. કોઈપણ ધર્મમાં કોઈપણ ભગવાન કે આચાર્ય એમ નથી કહેતા કે લોકોના જીવ જોખમમાં નાંખીને તહેવારોની ઊજવણી કરવી જોઈએ. કોઈપણ ભગવાન એમ નથી કહેતા કે તેમની પૂજા માટે તમારે મોટા-મોટા પૂજા પંડાલોમાં જવું જોઈએ. પોતાનો વિશ્વાસ સાબિત કરવા માટે મોટી સંખ્યામાં એકત્રીત થવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું હતું કે, સ્વયં વડાપ્રધાનજીએ તહેવારોની મોસમને જોતા જન આંદોલનની શરૂઆત કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે જો તમે અને આપણે બધા આ જનઆંદોલનમાં પોતાની જન ભાગીદારી કરો તો નિશ્ચિતરૂપે તહેવારો અંગે અમે જે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, તે જનતા સુધી પહોંચી જશે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે લોકોને આ બાબત સમજાવવામાં સફળ થઈશું તો સમજી લો કે આ તહેવાર પણ ખુશીઓની સાથે નીકળી જશે. પરંતુ અહીં હું એક વાત સ્પષ્ટ કરી દેવા માગું છું કે જો આપણે આપણા તહેવારો દરમિયાન કોરોના સંબંિધત આચાર સંહિતાનું પાલન નહીં કરીએ તો કોરોના વાઈરસ ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને આપણા બધા માટે સમસ્યાનું કારણ બની શકે છે.
હર્ષવર્ધને કહ્યું કે હું લોકોને વિનંતી કરૂં છું કે આગામી સમયમાં અનેક તહેવારો આવશે, જેમાં નવરાત્રી, દૂર્ગા પૂજા, દશેરા, કડવાચોથ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, છઠ પૂજા, ક્રિસમસ જેવા અનેક તહેવારોનો સમાવેશ થાય છે.
આપણે બધા આપણા આ તહેવારો પર મેક ઈન ઈન્ડિયા વસ્તુઓ પર ભાર આપીએ તો નિશ્ચિતરૂપે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને આગળ વધારવાનું કામ કરીશું. તેમણે આગળ કહ્યું કે પ્રયાસ કરીએ કે પાશ્ચાત્ય પરંપરાઓથી હટીને ભારતીય પરંપરાને અનુસરીએ. તેમણે કહ્યું કે સાર્સ સીઓવી-2 શ્વાસોચ્છ્વાસ સંબંિધત વાયરસ છે અને આવા વાયરસ શિયાળાની સીઝનમાં વકરે છે.
શ્વાસોચ્છ્વાસ સંબંિધત વાયરસ ઠંડા વાતાવરણ અને ઓછી ભેજવાળી સિૃથતિમાં વધુ સારી રીતે ઉછરે છે. હર્ષવર્ધને તેમના 'સન્ડે સંવાદ' કાર્યક્રમ દરમિયાન કોરોના વાઈરસની સારવારમાં આયુર્વેદ અને યોગ અંગે આયુષ મંત્રાલયની ફોર્મ્યુલાની અસરકારકતા અંગે જણાવ્યું હતું કે, સિલિકો અભ્યાસ, પ્રયોગાત્મક અભ્યાસો અને ક્લિનિકલ અભ્યાસો પરથી વૈજ્ઞાાનિક પુરાવાના આધારે કહી શકાય છે કે આ ફોર્મ્યુલેશન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વધુમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોનાની રસી મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. આપણે તેનાથી બચવું જોઈએ. કેટલાક ન્યૂઝમાં દાવો કરાયો છે કે કોરોનાની રસી આપવામાં યુવાનો અને વૃદ્ધો સાથે ભેદભાવ થઈ શકે છે. જોકે, આવા સમાચારો તદ્ન ખોટા છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાની રસી પહેલા, બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે. તેના પરીણામોની રાહ જોવાઈ રહી છે. કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે 3,000 કરોડનું ભંડોળ રીલીઝ કર્યું છે. અનેક રાજ્યોમાં તેનો પ્રયોગ ચાલી રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહીશું.
તહેવારો ઊજવો તો જીવ જોખમમાં, ચૂંટણીની રેલીઓમાં સબ સલામત!
નવી દિલ્હી, તા. 11
દેશમાં આગામી સપ્તાહથી નવરાત્રી સાથે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. આવા સમયમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દેશવાસીઓને કોઈપણ ધર્મ જીવના જોખમે તહેવારોની ઊજવણી કરવાનું કહેતો નથી તેવી સલાહ આપી છે.
જોકે, તેમની આ સલાહને પગલે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નેતાઓની લોકો માટે અને પોતાના માટે અલગ અલગ નીતિઓ છે. લોકો ઉત્સવો ઊજવે તો તેમને કોરોનાનો ભય બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ જ નેતાઓ ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરે છે, જેમાં લોકો માસ્ક પણ નથી પહેરતા કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી થતું.
દેશમાં તહેવારોની સાથે બિહારમાં વિધાનસભાની તેમજ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી પ્રચાર માટે નેતાઓ મોટી સંખ્યામાં સભાઓ યોજી રહ્યા છે, જ્યાં નેતાઓને કોરોનાના પ્રકોપનો ભય નડતો નથી.
લોકોનું કહેવું છે કે જો ધાર્મિક તહેવારોની ઊજવણી કરવામાં આવે તો લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, પરંતુ નેતાઓ ચૂંટણીપ્રચાર માટે લોકોની ભીડ એકઠી કરે તો લોકોનો જીવ જોખમમાં મુકાતો નથી. હકીકતમાં હાથીના દાંત ખાવાના અને બતાવવાના જૂદા હોય તેમ નેતાઓ લોકોને તહેવારોમાં એકત્ર નહીં થવાની સલાહ આપે છે, પરંતુ પોતે ચૂંટણી સભાઓમાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં નથી.
હપ્તાની ચૂકવણી નહીં કરનારાને એનપીએ જાહેર કરવા પરનો પ્રતિબંધ સુપ્રીમ હટાવે : આરબીઆઈ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર, 2020, શનિવાર
કોરોનાકાળમાં દેશમાં લોનધારકોને લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં છ મહિનાની રાહત આપવામાં આવી હતી. લોન મોરેટોરિયમની આ રાહત એટલે કે લોનની ચૂકવણીમાં વિલંબની સુવિધા લોનાૃધારકોને હવે આપી શકાય તેમ નથી તેમ ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
આરબીઆઈએ કહ્યું કે લોન મોરેટોરિયમનો સમય છ મહિનાથી વધાવામાં આવશે તો બેન્કોની ક્રેડિટ શિસ્ત જોખમાશે. કેન્દ્ર પણ કહ્યું કે લોનની ચૂકવણીમાં હવે રાહત આપવી દેશના આૃર્થતંત્ર માટે હાનીકારક હશે.
લોન મોરેટોરિયમના કેસમાં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ શનિવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. આ સોગંદનામા મારફત આરબીઆઈએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત ક્ષેત્રોને હવે રાહત આપવી શક્ય નથી.
છ મહિનાથી વધુનો સમય આપવાનો આૃર્થ બેન્કોના િધરાણ સંબંિધત નિયમોનો ભંગ કરવા સમાન છે. કેન્દ્ર સરકારે બે કરોડ સુધીની લોન માટે 'વ્યાજનું વ્યાજ' માફ કરવાની જાહેરાત કરી છે, પરંતુ આ સિવાય અન્ય કોઈ રાહત આપવી રાષ્ટ્રીય આૃર્થતંત્ર અને બેન્કિંગ ક્ષેત્ર માટે નુકસાનકારક સાબિત થશે.
આરબીઆઈએ તેના સોગંદનામામાં કહ્યું છે કે છ મહિનાથી વધુ મોરેટોરિયમનો લાભ લેનારા લોકોના ક્રેડિટ વ્યવહાર પર તેની વિપરિત અસર થશે. તેનું ક્રેડિટ રેટિંગ અને સિબિલ બગડશે.
લોનધારકોને કોરોનાના કારણે લોનની ચૂકવણીમાં વિલંબ માટે છ મહિનાની સુવિધા આપવામાં આવી છે. જોકે, હવે નિર્ધારિત ચૂકવણીઓને ફરીથી ચાલુ કરવામાં વિલંબથી એટલે કે લોનના માસિક હપ્તાની ચૂકવણીઓમાં વધુ વિલંબથી આૃર્થતંત્રમાં ઋણ નિર્માણની પ્રક્રિયા પર પણ અસર પડશે.
આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બે કરોડ સુધીની લોન લેનારા લોનધારકોનું 'વ્યાજનું વ્યાજ' માફ કરવાની જાહેરાત કરી છે. હવે લોન નહીં ચૂકવનારા બધા ખાતાઓને એનપીએ જાહેર કરવા પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ, જેથી બેન્કિંગ વ્યવસૃથામાં સુધારા આગળ વાૃધારી શકાય.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને 12મી ઓક્ટોબર સુધીમાં નવું સોગંદનામુ દાખલ કરવા આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 13 ઑક્ટોબરે એટલે કે મંગળવારે થશે.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળ ત્રણ જજોની બેન્ચે પાછલી સુનાવણીમાં કેન્દ્ર સરકારને એક ઓક્ટોબર સુધીમાં સોગંદનામુ દાખલ કરવાનો સમય આપ્યો હતો અને બેન્કોને લોનના હપ્તા નહીં ચૂકવનારાઓને એનપીએ જાહેર નહીં કરવા કહ્યું હતું. આ પહેલાં 5મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમની મુદત દરમિયાન સૃથગિત માસિક હપ્તા એટલે કે ઈએમઆઈમાં 'વ્યાજ પર વ્યાજ'માં છૂટ અંગે સુનાવણી કરી હતી અને આરબીઆઈને કે.વી. કામથ સમિતિની ભલામણોને રેકોર્ડ પર રજૂ કરવા કહ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે વ્યાજ પર રાહત આપવાની જે વાત કરવામાં આવી છે, તેના માટે કેન્દ્રીય બેન્ક દ્વારા કોઈ પ્રકારના દિશા-નિર્દેશો જાહેર કરાયા નથી. આ સમયે કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તેણે એમએસએમઈ, શૈક્ષણિક લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડયુરેબલ લોન, ક્રેડિટ કાર્ડની ચૂકવણી, ઓટો લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ્સ અને કન્ઝપ્શન લોન જેવી આઠ કેટેગરીમાં વ્યક્તિગત લોનધારકોને બે કરોડ રૂપિયા સુધીની લોન પર 'વ્યાજનું વ્યાજ' માફ કરવાનો નિર્ણય કર્યો છે.
જોકે, સુપ્રીમે કહ્યું હતું કે કેન્દ્ર અને આરબીઆઈના સોગંદનામામાં જરૂરી વિગતોનો સમાવેશ નથી કરાયો. આથી તેઓ 12મી ઑક્ટોબર સુધીમાં નવું સોગંદનામુ આપે. નાણામંત્રાલયે બીજી ઑક્ટોબરે કોર્ટમાં વધારાનું સોગંદનામુ દાખલ કરીને કહ્યું હતું કે તેણે મધ્યમ અને નાના ઉદ્યોગોની સાથે વ્યક્તિગત લોન લેનારાઓ માટે બે કરોડ સુધીની લોન પર 'વ્યાજનું વ્યાજ' માફ કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ, તા. 09 ઓક્ટોબર 2020 શુક્રવાર
કોરોના કાળમાં હવે તહેવારોની સીઝન નજીક છે ત્યારે સૌ કોઇ તે જાણવા આતુર છે કે આખરે આ મહામારીના સમયમાં તહેવારોની ઉજવણીને લઇને સરકાર શું નિર્ણય કરે છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
નવરાત્રીમાં ગરબાના આયોજનને લઇને પણ અત્યાર સુધી એવી વાતો થઇ રહી હતી કે 200 લોકોની લિમિટ સાથે ગરબાનું આયોજન થઇ શકે છે ત્યાં હવે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાના આયોજનને મંજૂરી આપવામાં નથી આવી. જો કે સરકારે પૂજા આરતી માટે એક કલાકનો સમય આપ્યો છે. મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી શકાશે.
મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી શકાશે
ગુજરાત સરકારે નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી
રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. સરકારની આ નવી ગાઇડલાઇન મુજબ નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ જાહેર ગરબાનું આયોજન કરી શકાશે નહી. જોકે સરકારે માતાજીની માંડવીના સ્થાપન પર છૂટછાટ આપી છે. સાથે જ જણાવ્યું છે કે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.
રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે
- આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે
- 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે
- નોંધનીય છે કે આ તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. નોંધનીય છે કે તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
- સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે
- થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે
- હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે
- સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
ત્યારે બીજી તરફ ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે
- લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે
- મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે
- દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
- મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે
- આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
- મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે
- આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
- તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.
દેશમાં કોરોનાકાળ વચ્ચે આ વર્ષે નવરાત્રિનું આયોજન એ અતિ જોખમી હોવાથી રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. તબીબોથી લઈને અનેક નિષ્ણાતોએ આ સમયે નવરાત્રિ ન યોજવી જોઈએ તેવા સરકારને અભિપ્રાય આપ્યા હતા.
કોરોના કાળમાં ગરબા યોજાયા હોત તો કોરોના સંક્રમણ વધવાનો ભય હતો. જોકે, સરકારે જ્યાં ચૂંટણીઓ છે ત્યાં ગાઈડલાઈનમાં ફેરફાર કરીને રાજકીય રેલીઓને મંજૂરી આપી હોવાથી આ મામલે વિવાદ આગળ વધે તેવી સંભાવના છે. સરકારે નવરાત્રિમાં ગરબાને પરમીશન આપી નથી પણ ચૂંટણીઓને રેલીને પરમીશન આપી છે. નવરાત્રિથી લઇને છેક બેસતા વર્ષ સુધીની ગાઈડલાઈન જાહેર થઈ છે.
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે. નવરાત્રિમાં લોકો ઉત્સાહથી જોડાતા હોય છે. હવે આ વર્ષે કોરોનાકાળમાં નવરાત્રિના ગરબા નહીં યોજાય એ હવે ફાઈનલ થઈ ગયું છે.
લોન નોન પર્ફોમિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે : માત્ર એક જ વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 33 ટકાનો વધારો થવાનો અંદાજ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
ભારતની આિર્થક સિૃથતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થઇ શકે છે તેમ વર્લ્ડ બેંકે જણાવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ભારતીય કંપનીઓ તેમજ લોકોની આવકમાં મોટો ઘટાડો થયો છે. વોશિંગ્ટન સિૃથત વર્લ્ડ બેંકે તાજેતરના પોતાના સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020માં દક્ષિણ એશિયાના આૃર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થશે.
આ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ ઘટાડો ધારણા કરતા ઘણો મોટો છે. વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)ની વાર્ષિક બેઠક અગાઉ આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકા ઘટાડો થવાની શક્યતા છે.
જો કે 2021માં આિર્થક વિકાસ દર વધીને 4.5 ટકા થઇ શકે છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે વસ્તીમાં વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યકિત દીઠ આવક 2019ના અંદાજથી 6 ટકા નીચે રહી શકે છે. આનાથી સંકેત મળે છે કે 2021માં આિર્થક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઇ જાય પણ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોનાને કારણે થયેલ નુકસાનની ભરપાઇ થઇ શકશે નહીં.
વર્લ્ડ બેંકના દક્ષિણ એશિયા માટેના મુખ્ય આૃર્થશાસ્ત્રી હેન્સ ટિમરે કોન્ફરન્સ કોલમાી પત્રકારોને જણાવ્યું હતું કે ભારતની સિૃથતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે. ભારતની હાલની આિર્થક સિૃથતિ ભયાનક છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ભારતના જીડીપીમાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસના ફેલાવા અને તેને અંકુશમાં લેવા મૂકાયેલા પ્રતિબંધોને કારણે ભારતમાં પુરવઠા અને માગ પર ગંભીર અસર થઇ છે.
ટિમરના જણાવ્યા અનુસાર અમારા સર્વે મુજબ ભારતમાં અનેક લોકોની નોકરી જતી રહી છે. ભારતમાં નોન પફોર્મિગની લોનનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ટિમરના અંદાજ મુજબ કોરોનાને કારણે ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા 33 ટકા વધી જશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2016-17માં ભારતનો જીડીપી 8.3 ટકા રહ્યો હતો. ત્યારબાદ 2017-18, 2018-19 અને 2019-20માં ભારતનો જીડીપી ઘટીને અનુક્રમે 7.0, 6.1 અને 4.2 ટકા રહ્યો છે.
પાંચ હજારથી વધુ પોલીસ-આરએફના જવાનો તૈનાત
'સેનિટાઈઝ' કરવા બે દિવસ માટે સચિવાલય બંધ કરાયું
લાઠીચાર્જમાં 1500થી વધુ કાર્યકરોને ઈજા થઈ : ભાજપ
(પીટીઆઈ) કોલકાતા, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિત સાત મુદ્દાઓને લઈને મમતા સરકારને ઘેરવા માટે ભાજપના યુવા મોરચાએ ગુરૂવારે રાજ્ય સચિવાલય 'નવાન્ન ચલો' આંદોલન ચલાવ્યું હતું.
પરંતુ પોલીસ સાથે આૃથડામણ, પથૃથરમારો, ટાયરો સળગાવી રસ્તાઓ બ્લોક કરવા અને કાર્યકરોને વિખેરવા માટે પોલીસના લાઠીચાર્જને પગલે ભાજપની રેલીઓ હિંસક બનતાં કોલકતા અને હાવરાની આજુબાજુનો વિસ્તાર આખો દિવસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા હતા.
હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અલગ અલગ વિસ્તારોમાંથી રેલીઓ લઈને નવાન્ન તરફ રવાના થયા હતા. પરંતુ પોલીસે તેમને રેલીની મંજૂરી આપી નહોતી અને અનેક જગ્યાએ બેરીકેડ લગાવી દીધા હતા. ભાજપના કાર્યકરાએે અનેક જગ્યાએ બેરીકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતાં તેમને પોલીસ સાથે આૃથડામણ થઈ હતી.
પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો અને ટીયર ગેસના ગોળા પણ છોડયા હતા. પોલીસની કાર્યવાહીમાં તેના 1500થી વધુ કાર્યકરો ઘાયલ થયા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. આ કાર્યવાહીમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ અરવિંદ મેનન, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જી સહિત કેટલાક અગ્રણી નેતાઓને પણ ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બીજીબાજુ ભાજપ કાર્યકરોએ પોલીસ પર પથૃથરમારો કર્યા હોવાના પણ અહેવાલ છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ભાજપ કાર્યકરો પર પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરતા કહ્યું કે આ બંગાળના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે.
તેમણે બંગાળમાં આગામી વર્ષ સુધીમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર ન બને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે પોલીસે વોટર કેનના બદલે ભાજપ કાર્યકરો પર કેમિકલનો છંટકાવ કર્યો છે. જોકે, રાજ્યના મુખ્ય સચિવે કેમિકલના છંટકાવના આરોપો ફગાવી દીધા હતા.
ભાજપના નવાન્ન ચલો આંદોલનમાં પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સહિત તમામ નેતા અને કાર્યકરો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.
વિજયવર્ગીયે જણાવ્યું કે બંગાળ સરકાર ભયભીત છે. તેથી તે વિરોધના પાયાના લોકતાંત્રિક અિધકારને પણ નકારી રહી છે. વિજયવર્ગીયે દાવો કર્યો કે ભાજપે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી, પરંતુ પોલીસની કાર્યવાહીના કારણે આ આંદોલન હિંસક બની ગયું હતું.
આ આંદોલનને પગલે કોલકાતા-હાવરાના અશાંત વિસ્તારોમાં 5,000થી વધુ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભાજપના આંદોલનને જોતાં રાજ્ય સરકારે સવારે અચાનક જ રાજ્ય સચિવાલય નવાન્નને સેનિટાઈઝ કરવા માટે બે દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી.
પશ્ચિમ બંગાળમાં કેટલાક દિવસ અગાઉ ઉત્તર 24 પરગણાના તિતાગઢમાં ભાજપના સૃથાનિક નેતા મનિષ શુક્લાની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવતાં હોવાથી ભાજપના કાર્યકરોમાં ગુસ્સો ફેલાયેલો હતો. તૃણમૂલ સરકારે બુધવારે ભાજપને મહામારી કાયદાને પગલે વિરોધ રેલી કાઢવાની મંજૂરી આપી નહોતી.