Covid-19 effect: Over 1,000 schools up for sale across India, hoping to pool in an investment of close to Rs 7,500 crore
from News - Videos - The Times of India https://ift.tt/3iLI754
અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
આજે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે. જસ મોદીના જન્મદિવસને લઈને ડેમને સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી તેના વધામણાં કરશે. ગુજરાત વાસીઓ માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે.
આજે રાજ્યની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમને ખાસ ભેટ મળી છે. ડેમ ઓવરફ્લો થતાં આજે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ઓફિસથી ખાસ પૂજા કરશે.
ઈતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી અને નર્મદા ડેમનો જૂનો નાતો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી અને આ મંજૂરીને કારણે જ ડેમ તેની મહત્તમ કેપિસિટીએ ભરાયો છે. ડેમ ભરાઈ જતા હવે રાજ્યમાં જળસંકટની સમસ્યા નહીં સર્જાય.
નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 70માં જન્મદિવસ નિમિતે ગૃહ મંત્રી અમિત શાહ,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.
અમિત શાહે પોતાના સંદેશમાં લખ્યું છે કે રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે.દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને ધ્યાને લઈ બીજેપી દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.