Ad

Friday, July 10, 2020

9 જુલાઈએ પકડાઈ ગયાના 22 કલાક બાદ હત્યારા વિકાસ દુબેને પ્લાસ્ટિક બેગમાં પહોંચાડી દીધો

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેને યુપી પોલીસે શુક્રવારે સવારે ઠાર માર્યો. યુપી પોલીસનો દાવો છે કે વિકાસને ઉજ્જૈનથી કાનપુર લાવતી વખતે ગાડી સામે ગાય-ભેંસનું ટોળું આવી ગયું, જેના લીધે ગાડી પલટી ખાઈ ગઈ. તેનો લાભ લઈ વિકાસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ ઝૂંટવી નાસી ગયો. પોલીસકર્મીઓ તેને પકડવા માટે દોડ્યા તો વિકાસે ફાયરિંગ કર્યુ. તેના પછી જવાબી કાર્યવાહીમાં તેને ઠાર મરાયો. આ ઘટના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભૌંતીમાં બની હતી જે બિકરુ ગામથી 50 કિમી દૂર છે. 60થી વધુ ગુના કરી ચૂકેલા વિકાસના મોત પર તેના ગામ બિકરુના લોકોએ મીઠાઈઓ વહેંચી ઉજવણી કરી હતી. એક નાગરિકે કહ્યું કે લાગે છે કે અમે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ચૂક્યા છીએ. આતંકના એક યુગનો અંત થયો. દરેક વ્યક્તિ ખુશ છે.

વિકાસ દુબે અને તેના સાથીઓએ બિકરુ ગામમાં 3 જુલાઈએ ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી હતી. ત્યારથી ફરાર થયેલો વિકાસ ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સામે ચાલીને આવ્યો હતો. વિકાસની ગેંગના અન્ય પાંચ લોકોને અગાઉ જુદી જુદી અથડામણોમાં ઠાર મરાયા હતા.

ટોલ પ્લાઝાના વીડિયોમાં વિકાસ તાતા સફારીમાં દેખાયો. પણ દુર્ઘટનાનો ભોગ બનેલી ગાડી મહિન્દ્રાની ટીયુવી-300 છે.

વિકાસના એન્કાઉન્ટર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તપાસ કરાશે. આ તપાસ ખતમ નહીં થાય ત્યાં સુધી તેમાં સામેલ પોલીસકર્મીઓને પ્રમોશન અથવા તો વીરતા પુરસ્કાર મળી શકશે નહીં. સુપ્રીમની ગાઈડલાઈન મુજબ એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે તેમાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને ગોળીઓનો હિસાબ પણ આપવાનો હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી પણ થઈ છે. તપાસના અહેવાલ પછી સત્ય બહાર આવશે.

જે ગાડી પલટી તેમાં વિકાસ હતો જ નહીં, ગાડી અને રોડ પર પલટી જવાનાં નિશાન પણ નથી, જ્યારે ગાડી હટાવાઈ રહી હતી તે ઢસડીને નિશાન બનાવાયાં

વાંચો આખો ઘટનાક્રમ... મહાકાલથી કાનપુર સુધીની સફર
દૃશ્ય - 1 : કાનપુરથી પહેલા ટોલ પ્લાઝા પર તાતાની ગાડીમાં હતો વિકાસ દુબે, તેની 15 મિનિટ પછી મહિન્દ્રાની ગાડી પલટી અને એન્કાઉન્ટર થઈ ગયું
પોલીસ દાવો કરે છે કે વિકાસની ગાડી બદલવામાં આવી નહોતી. કાફલા પાછળ ચાલી રહેલી મીડિયાની ગાડીઓને પણ એન્કાઉન્ટરવાળા સ્થળથી થોડી પહેલાં જ અટકાવી દેવાઈ હતી. ઠીક 15 મિનિટ પછી એન્કાઉન્ટર થઈ ગયું. ચાલતી ગાડી પલટી ખાધા પછી રોડ અને ગાડી પર ઢસડવાનાં નિશાન પડે છે. પણ ત્યાં એવું કંઈ જ ન જોવા મળ્યું. પછીથી ગાડી હટાવવા ક્રેન મગાવાઈ. ક્રેનથી ગાડીને ઢસડવામાં આવી. તેના લીધે રોડ અને ગાડી પર નિશાન બની ગયાં.

દૃશ્ય – 2 : ગાડી પલટવાથી 5 પોલીસકર્મી ઘવાયા, પણ વિકાસને એક પણ ઈજા નહીં
પોલીસનો દાવો છે કે ગાડી પલટ્યા બાદ તેમાં સવાર 5 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. વિકાસને કોઈ ઈજા ન થઈ. તકનો લાભ લઈ તે દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાંથી ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી ત્યાંની નાસી ગયો.

દૃશ્ય – 3 : પલટી ખાધેલી ગાડીનો દરવાજો ખોલ્યા વિના જ 2 કિમી ભાગ્યો, જોકે તેના પગમાં સળિયો નાખેલો છે
એસટીએફ અધિકારીઓએ કહ્યું કે વિકાસ બે કિમી સુધી ભાગ્યો હતો. જોકે ગાડીનો દરવાજો તો ખૂલી જ શક્યો નહોતો. પગમાં સળિયો હોવા છતાં વિકાસના આટલા દૂર ભાગવાના પોલીસના દાવા સામે પણ સવાલો ઊભા થઇ રહ્યાં છે.

દૃશ્ય – 4 : …અને આખરે પોલીસે દોડતા દોડતા પાછળથી ગોળીઓ ચલાવી, 3 ગોળી વિકાસને છાતીમાં વાગી
વિકાસને 4 ગોળીઓ વાગી છે. 3 છાતી અને 1 હાથમાં. હોસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. આર.બી. કમલ અનુસાર તેને મૃત અવસ્થામાં લવાયો હતો. તેમના અનુસાર વિકાસને સામેથી ગોળીઓ વાગી હતી. જોકે ભાગ્યો હોત તો પીઠ પર વાગી હોત.

12 વૉન્ટેડ હજુ ફરાર, વિકાસની પત્ની અને દીકરાને છોડી મૂકાયા
8 પોલીસકર્મીઓની હત્યા મામલે આરોપીઓ પૈકી 6ને ઠાર મરાયા છે. 3ની ધરપકડ થઇ છે. 12 આરોપી ફરાર છે. આ દરમિયાન ગુરુવારે લખનઉથી પકડાયેલી વિકાસની પત્ની રિચા અને તેના દીકરાને પોલીસે મુક્ત કરી દીધાં છે. એસએસપી દિનેશકુમારે કહ્યું કે વિકાસના ગુનામાં તેમનો હાથ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.

એન્કાઉન્ટર અંગે સુપ્રીમકોર્ટ અને માનવાધિકાર પંચમાં ફરિયાદ કરાઈ
રાજકીય નિષ્ણાત તહેસીન પુનાવાલાએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચને એન્કાઉન્ટર મામલે દખલ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર પર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે થાણેના એક વકીલ અટલ દુબેએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી એન્કાઉન્ટરને ડ્રામા ગણાવતાં સીબીઆઈ તપાસ કરાવવાની પણ માગ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
9 જુલાઈએ વિકાસ ઉજૈનથી પકડાઈ ગયો, 22 કલાક બાદ એન્કાઉન્ટરમાં મોત થતાં તેનો મૃતદેહ પ્લાસ્ટિક બેગમાં પહોંચાડી દીધો.


from Divya Bhaskar https://ift.tt/2W7EP2Q

જો દરેક છોકરી 10મા ધોરણ સુધી પણ ભણે તો 2050માં દુનિયાની વસ્તી 150 કરોડ સુધી ઘટી જશે

બ્રૂકિંગ્સ ઈન્સ્ટીટ્યુશનના રિપોર્ટ અનુસાર છોકરીઓના શિક્ષણ અને જન્મદર વચ્ચે ગાઢ સંબંધ છે, કેમ કે શિક્ષણ છોકરીઓને પરિવાર નિયોજનની સમજ આપે છે. તેમને બાળ લગ્ન અને નાની વયે માતા બનતા પણ બચાવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ‘વર્લ્ડ પોપ્યુલેશન એન્ડ હ્યુમન કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી’ સ્ટડી અનુસાર દરેક છોકરી અને છોકરાને ધોરણ-10 સુધીનું નિયમિત શિક્ષણ મળે તો 2050માં દુનિયામાં વસ્તી 150 કરોડ જેટલી ઓછી હશે. યુએન અનુસાર 2050માં દુનિયાની કુલ વસ્તી 980 કરોડ હશે.

દુનિયાનું ઉદાહરણ
આફ્રીકામાં મહિલા શિક્ષણની સુવિધાઓ લઘુત્તમ છે. ત્યાં દરેક મહિલા સરેરાશ 5.4 બાળકોને જન્મ આપી રહી છે. જ્યારે જે દેશોમાં છોકરીઓને 10મા ધોરણ સુધીનું શિક્ષણ મળે છે, ત્યાં દરેક મહિલા 2.7 બાળકને જન્મ આપે છે. છોકરીઓ માટે જ્યાં કોલેજ સુધીનું શિક્ષણ છે, ત્યાં 1 મહિલા સરેરાશ 2.2 બાળકને જન્મ આપી રહી છે.

દેશનું ઉદાહરણ
આ જ ટ્રેન્ડ ભારતમાં છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના તાજા રિપોર્ટ અનુસાર પ્રતિ એક હજાર પર સૌથી ઓછો જન્મદર કેરળમાં 13.9 છે. તમિલનાડુમાં જન્મદર 14.7 છે. આ રાજ્ય છોકરીઓના શિક્ષણમાં પણ આગળ છે. 2011માં મહિલા સાક્ષરતમાં સૌથી પછાત ત્રણ રાજ્ય રાજસ્થાન (52.7), બિહાર (53.3), ઉત્તર પ્રદેશ (59.5) હતા. રાજસ્થાનમાં જન્મદર 23.2, બિહારમાં 25.8 અને ઉત્તર પ્રદેશમાં 24.8 છે.

છેલ્લાં 200 વર્ષમાં આ મોટા પડકારો માનવીએ ઉકેલ્યા
સાક્ષરતા : 406 કરોડ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી

18મી સદીના પ્રારંભમાં જ્યારે વસ્તી ઝડપથી વધવાની શરૂ થઈ ત્યારે 100માંથી 83 બાળકોના શિક્ષણની કોઈ સુવિધા ન હતી. આ બાળકો સાક્ષર થઈ શકતા ન હતા. 100 કરોડની વસ્તીમાં ત્યારે માત્ર 10 કરોડ લોકો જ સાક્ષર હતા. થોડો સુધારો થયો તો 1930માં 15 વર્ષથી વધુની ઉંમરનો દર ત્રીજો વ્યક્તિ સાક્ષર થવા લાગ્યો. હવે દુનિયામાં 86% લોકો સાક્ષર છે. આજે દુનિયામાં 15 વર્ષથી વધીની ઉંમરના લોકોની વસ્તી 504 કરોડ છે. જેમાંથી લગભગ 85% એટલે કે 406 કરોડ લોકો સાક્ષર છે.

ગરીબી : 94% લોકોને દારુણ ગરીબીમાંથી બહાર કાઢ્યા
1820 સુધી એક નાનકડા વર્ગને જ સુખી જીવનની સુવિધાઓ પ્રાપ્ત હતી. 100માંથી માત્ર 6 લોકો જ સારું જીવન જીવતા હતા. બાકીના 94% અત્યંત ગરીબ હતા. 1950માં દુનિયાના બે-તૃતિયાંશ લોકો અત્યંત ગરીબ હતા. જ્યારે 1981માં આ આંકડો ઘટીને 42% થઈ ગયો. 2015માં અત્યંત ગરીબ વસ્તી 10%થી નીચે થઈ ગઈ. તેને છેલ્લા 200 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ કહેવાય છે. યુએન અનુસાર, આ 200 વર્ષમાં દુનિયાએ વસ્તીના 94% ભાગને ગરીબીમાંથી બહાર કાઢ્યો છે.

આઝાદી : 1% લોકો લોકશાહીમાં રહેતા હતા, હવે 56% રહે છે
1820 સુધી 100માંથી માત્ર એક વ્યક્તિ લોકશાહી દેશમાં જન્મ લેતો હતો. આજે દુનિયાના 56% લોકો લોકશાહી દેશોમાં રહે છે. 19મી સદીમાં વસ્તીનો એક તૃતિયાંશથી વધુ ભાગ કોલોનિયલ શાસનમાં રહેતો હતો અને લગભગ તમાન અન્ય લોકો રાજાશાહી કે સરમુખત્યારશાહીવાળા દેશોમાં રહેતા હતા. 20મી સદીમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ. કોલોનિયલ સામ્રાજ્ય સમાપ્ત થયા અને વધુને વધુ દેશ લોકશાહી થતા ગયા. દુનિયામાં લોકશાહી વસ્તીની સંખ્યા સતત વધી રહી છે.

છોકરીઓનો સાક્ષરતા અને જન્મદર

રાજ્ય સાક્ષરતા જન્મદર
કેરળ 92% 13.90%
તમિલનાડુ 73% 14.70%
હિમાચલ 76% 15.70%
ઉત્તરાખંડ 71% 15.00%
ભારત સરેરાશ 65% 20

સ્રોત: સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ

વસ્તી વધારો ક્યાં જઇને અટકશે?
દુનિયાની વસ્તીને 700થી 800 કરોડ થવામાં 13 વર્ષ (વર્ષ 2023) લાગશે. 800થી 900 કરોડ થવામાં 14 વર્ષ (વર્ષ 2037) લાગશે. વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે, આથી 900થી 1000 કરોડ થવામાં 20 વર્ષ (વર્ષ 2057) જેટલો સમય લાગશે.

દુનિયામાં અત્યાર સુધી કેટલા જન્મ થયા છે?
10 હજાર 800 કરોડ લોકો અત્યાર સુધી દુનિયામાં જન્મી ચુક્યા છે અને વર્તમાન વસ્તી 707 કરોડ તેના માત્ર 6.5% છે.

આપણું સરેરાશ આયુષ્ય હજુ કેટલું વધશે?
ઇ.સ. 2045 સુધી આયુષ્ય 6 વર્ષ વધી જશે. 25 વર્ષ પછી મનુષ્યનું સરેરાશ આયુષ્ય 77 વર્ષ હશે.
ઇ.સ. 2100 માં આ 83 વર્ષ થઈ જશે. અત્યારે દુનિયામાં સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે. 2000માં 67 વર્ષ હતું.

દરેક જન્મથી ધરતી પર કેટલી અસર?
દરેક અમેરિકન બાળક પોતાના સમગ્ર જીવનમાં વાતાવરણમાં 10 હજાર મેટ્રિક ટન CO2 વધારે છે. કોઈ ચાઈનીઝ બાળકની સરખામણીમાં આ 5 ગણું વધુ છે. ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન 1.73 મેટ્રિક ટન છે.

સૌથી ઓછો પ્રજનન દર ક્યાં છે?
દુનિયામાં સૌથી ઓછો પ્રજનન દર તાઈવાનમાં છે. 2.38 કરોડની વસ્તીવાળા આ દેશમાં દરેક મહિલા 1.21 બાળકને જન્મ આપે છે. મોલ્દોવામાં દરેક મહિલા 1.23 બાળકો અને પોર્ટુગલમાં 1.24 બાળકોને જન્મ આપી રહી છે. ભારતમાં પ્રજનન દર 2.0 છે.

લોકોનું સરેરાશ આયુષ્ય સૌથી ઓછું ક્યાં?
આફ્રિકાના દેશ નાઈજરમાં લોકોની સરેરાશ આયુષ્ય માત્ર 15.2 વર્ષ છે. આ દુનિયાનો સૌથી વધુ યુવાન વસ્તીવાળો દેશ છે. ભારતમાં 15-59 વર્ષની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. વસ્તીનો 60% ભાગ તેમાં આવે છે.

માનવનું ‘પારણું’: આફ્રિકાની ગુફાઓને ગાર્ડન ઓફ ઈડન કહે છે
સ્ટ્રકફોન્ટિન ગુફાઓ વિશે એવો દાવો છે કે, હોમો સેપિયન્સ, એટલે કે આપણે મનુષ્ય લગભગ બે લાખ વર્ષ પહેલા આફ્રિકાની આ ગુફાઓમાં સૌ પ્રથમ જન્મ્યા હતા. આફ્રિકામાં જોહાનસબર્ગથી 40 કિમીના અંતરે આ ગુફાઓ છે. અહીં, અનેક સ્થળે મનુષ્યના પ્રારંભિક કાળના અવશેષ મળ્યા છે. વિટવોટર્સરે બેઝિનમાં 47 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ વિસ્તારને ‘મનુષ્યનું પારણું’ એટલે કે ‘ક્રેડલ ઓફ હ્યુમન કાઈન્ડ’ કહેવાય છે. એ સ્થાન જ્યાં માનવીય સભ્યતાનો વિકાસ થયો.

(ભાસ્કર એક્સપર્ટ- જોન વિલમોથ નિદેશક, પોપ્યુલેશન ડિવિઝન, યુએન અને પેટ્રિક ગાર્લેન્ડ ચીફ પોપ્યુલેશન પ્રોજેક્શન સેક્શન, યુએન)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ સ્ટ્રકફોન્ટિન ગુફાઓ છે. એવો દાવો છે કે, હોમો સેપિયન્સ, એટલે કે આપણે મનુષ્ય લગભગ બે લાખ વર્ષ પહેલા આફ્રિકાની આ ગુફાઓમાં સૌ પ્રથમ જન્મ્યા હતા.


from Divya Bhaskar https://ift.tt/2Ct02x9

વેસ્ટ ઈન્ડીઝનો પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ રંગભેદ અંગે પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કોમેન્ટરી દરમિયાન રડી પડ્યો

વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ રંગભેદ અંગે પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં રડી પડ્યો. તે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમાં કોમેન્ટરી કરી રહ્યો છે. તેણે કહ્યું કે, જાતિવાદ અંગે સમાજે પોતાનું વલણ બદલવું જોઈએ. હોલ્ડિંગ પોતાના માતા-પિતાને યાદ કરતાં ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે, સાચું કહું તો ભાવુક ક્ષણ ત્યારે આવે છે, જ્યારે હું મારા માતા-પિતા અંગે વિચારું છું.

66 વર્ષના હોલ્ડિંગે કહ્યું, ‘હું જાણું છું કે મારા માતા-પિતાએ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું છે. મારી માતાના પરિજનોએ તેમની સાથે વાત કરવાનું માત્ર એટલા માટે બંધ કરી દીધું હતું, કેમ કે તેમના પતિ (મારા પિતા) વધુ પડતા ડાર્ક હતા’. હું જાણું છું તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને મને આ બધું અચાનક યાદ આવી ગયું. હોલ્ડિંગે કહ્યું કે, પરિવર્તન આવશે, પરંતુ ધીમે-ધીમે. તેણે કહ્યું કે, મને આશા છે કે, નાના-નાના પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ તે સાચી દિશામાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માઈકલ હોલ્ડિંગ ભાવુક થઇ ગયો.


from Divya Bhaskar https://ift.tt/327kLl4

ગાદી સંસ્થાનના આચાર્ય પી.પી.સ્વામીની તબિયત વધુ કથળી, આસપાસના વિસ્તારોમાંથી સંતોને મણિનગર બોલાવી લેવાયા

મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત વધુ કથળી છે. ગાદી સંસ્થાનના મહંત અને જિતેન્દ્રપ્રિય દાસજીના જણાવ્યા અનુસાર, સિમ્સ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સ્વામીને વેન્ટિલેટર ઉપરથી હટાવવાની ના પાડી છે.

ડોક્ટરનું કહેવું છે કે, સ્વામીજીના હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા 3 ડોક્ટર તેમની દેખરેખ કરી રહ્યા છે. નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને આસાપાસના વિસ્તારોમાં મોકલેલા સંતોને મણિનગર બોલાવી લેવાયા છે.

આચાર્યજી માટે ઘરેઘરે ભજન-કીર્તન શરૂ
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત માટે હરિભક્તોના ઘરે ભજન કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. 7 જેટલા સંતો મણિનગરના મંદિરમાં જ ભજન કીર્તન કરે છે. આ ઉપરાંત દેશ વિદેશમાં તેમના લાખો હરિભક્તો તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આચાર્યની સેવા માટે 3 સંત હોસ્પિટલમાં
આચાર્ય સ્વામીજી પાસે 3 સંતોને રાખવામાં આવ્યા છે. બાકીના તમામ સંતોને આસપાસના વિસ્તારના મંદિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પરંતુ સંપ્રદાયના આચાર્યની તબિયત વધુ નાજૂક થતાં પરિશિષ્ટ સંતોને મંદિરમાં પરત બોલાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Og9jeW

How good gut bacteria help reduce the risk for heart disease

How good gut bacteria help reduce the risk for heart disease




from News - Videos - The Times of India https://ift.tt/2ZWToaK

Thursday, July 9, 2020

Covid-19 vaccine should reach 20% population in each country: WHO

Covid-19 vaccine should reach 20% population in each country: WHO

from India Today | Top Stories https://ift.tt/2W3LV8N

Car overturns, Vikas Dubey gets killed in encounter day after dramatic arrest: How events unfolded

Car overturns, Vikas Dubey gets killed in encounter day after dramatic arrest: How events unfolded

from India Today | Top Stories https://ift.tt/323BcPu

Mira Nair to direct series based on The Jungle Prince of Delhi

Mira Nair to direct series based on The Jungle Prince of Delhi

from India Today | Top Stories https://ift.tt/3fhS48D

Madhya Pradesh: A week after cabinet expansion, CM Shivraj Singh unable to allocate portfolios to ministers

MP: A week since cabinet expansion, allocation of portfolios pending

from India Today | Top Stories https://ift.tt/323VgBk

Kolkata girl who went viral after Lata Mangeshkar shared her song: It was beyond my imagination

Kolkata girl who went viral after Lata Mangeshkar shared her song: Still can't believe

from India Today | Top Stories https://ift.tt/2BYzOD1

Stand up brother: Sammy backs Ngidi after former cricketers criticize him over #BlackLivesMatter stance

Sammy slams former SA cricketers for criticising Ngidi over #BlackLivesMatter stance

from India Today | Top Stories https://ift.tt/3fgvM7q

Delhi: Special Cell arrests criminal Vijender Binder, carried bounty of Rs. 50,000

Delhi: Special Cell arrests criminal Vijender Binder, carried bounty of Rs. 50,000

from India Today | Top Stories https://ift.tt/2CqfJoP

Gangster Vikas Dubey killed: What we know so far

Gangster Vikas Dubey was killed in an encounter on Monday, a day after he was arrested, while trying to flee from the custody of Uttar Pradesh police after the Special Task Force (STF) convoy met with an accident on their way back from Madhya Pradesh to Kanpur, confirmed Mohit Agarwal, IG, Kanpur. Dubey was rushed to the hospital where he was declared dead.

from Times of India https://ift.tt/2AJcBUD

Govt asks Chinese apps to answer 70 questions

The 59 Chinese apps ordered blocked by India have been served with an exhaustive list of questions to which they need to respond within three weeks. The questions are understood to have been served to firms such as TikTok, Helo, and Xiaomi. The questionnaire seeks details about “unauthorised data access” by firms to weak security features leading to espionage/surveillance.

from Times of India https://ift.tt/3iHwyfT

India will have key role in vaccine production: PM

Prime Minister Narendra Modi on Thursday expressed confidence that India will have an important role in developing and scaling up production of a Covid-19 vaccine once it is discovered and asserted that the country will play a leading role in global revival.

from Times of India https://ift.tt/3gL1ES0

કાનપુરમાં વિકાસની ગાડી પલટી, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યોઃ અથડામણમાં છાતી અને કમરના ભાગે ગોળી વાગતા મોત

કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

ભારે વરસાદના કારણે ગાડી પલટી, બે જવાન પણ ઘાયલ
દુર્ઘટના અંગે UP એસટીએફના અધિકારી પણ કંઈ કહેતા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી હતી. એન્કાઉન્ટરમાં STFના બે જવાનોના ઘાયલ થવાના સમાચાર છે, પરંતુ તેની પુષ્ટી થઈ નથી.

વિકાસે પોલીસકર્મી પાસેથી આ પિસ્તોલ છીનવી હતી
વિકાસ દુબેને લઇને જતી પોલીસ કારને અકસ્માત નડ્યો

ઉજ્જૈનમાં ધરપકડ વખતે બૂમો પાડતો હતો હિસ્ટ્રીશીટર-વિકાસ દુબે છું, કાનપુર વાળો
વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈન મંદિરમાં લગભગ 9 વાગ્યે ધરપકડ કરાઈ હતી. ગભરાયેલો હિસ્ટ્રીશીટર ધરપકડ વખતે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું, કાનપુર વાળો. ત્યારપછી પોલીસ તેને મહાકાલ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ, નરવર પોલીસ સ્ટેશન અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર લઈ ગઈ હતી. અહીંયા તેની સાથે લગભગ 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ સમાચાર આવી રહી છે કે વિકાસની પત્ની રિચા અને તેના દીકરા અને નોકરની લખનઉમાં અટકાયત કરાઈ છે.

8 દિવસમાં વિકાસ દુબે સહિત તેની ગેંગના 6 બદમાશોનું એન્કાઉન્ટર

  • આ પહેલા બુધવારે મોડી રાતે વિકાસ દુબેના વધુ એક અંગત પ્રભાત મિશ્રા માર્યો ગયો હતો. પ્રભાતને પોલીસે બુધવારે ફરીદાબાદથી ઝડપ્યો હતો. UP પોલીસ તેને ટ્રાંજિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી. રસ્તામાં પ્રભાતે ભાગવાનો પ્રયાસ કર્યો, તેને પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. એ વખતે પોલીસની કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.
  • પોલીસે બુધવારે વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટર કરી દીધું હતું. અમેર હમીરપુરમાં સંતાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના પાંચ લોકો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?

  • 2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી
  • 3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડેય અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટ કરી દીધું. 60 લોકો વિરુદ્ધ FIR કરી.
  • 5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સાથી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ઘટસ્ફોટ કર્યો કે પહેલાથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
  • 6 જુલાઈઃ પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે બદમાશોથી બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ક્ષમાએ મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું ઠેકાણું કહી દીધું, રેખા પણ બદમાશોની મદદ કરી રહી હતી.
  • 8 જુલાઈઃ STFએ વિકાસના અંગત અમર દુબેને ઠાર માર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 બદમાશની ધરપકડ કરવામાં આવી
  • 9 જુલાઈઃ પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો
  • 10 જુલાઈઃ કાનપુર પાસે વિકાસ દુબે અથડામણમાં મરાયો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગંભીર હાલતમાં ગેંગસ્ટર વિકાસ દુબેને હોસ્પિટલ લવાયો હતો


from Divya Bhaskar https://ift.tt/38OVRYL

વિકાસ દુબેને ઓન ધ સ્પોટ નિર્ણયનો ડર હતો; પાકિસ્તાન જ નહીં, તેના ક્રિકેટ બોર્ડની હાલત પણ ખરાબ છે

1. એન્કાઉન્ટરનો ડર
લગભગ અઢી સો વર્ષ પહેલા ઇટલીના મહાના ક્રિમિનોલોજિસ્ટ શેજારે કહ્યું હતું કે ડર તેનાથી પેદા નથી થતો કે સજા કેટલી આકરી છે. ડર ત્યારે પેદા થાય છે જ્યારે એ ખબર હોય કે હવે સજા મળવાનું નક્કી છે. ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના કેસમાં પણ આવુ જ થયું. સાત દિવસમાં તેના પાંચ સહયોગીઓને ઠાર કરવામા આવ્યા. એવું લાગતું હતું કે વિકાસનું પણ એન્કાઉન્ટર નક્કી છે પરંતુ થયું તેનાથી ઉલટું. ફૈસલા ઓન ધ સ્પોટના ડરથી વિકાસ દુબેએ સમજી વિચારીને સરેન્ડર કરી દીધું

ઉત્તરપ્રદેશથી લઇને મધ્યપ્રદેશની પોલીસ અને બન્ને રાજ્યોના કેટલાય મંત્ર અને મુખ્યમંત્રી પણ એ જ કહે છે કે ઉજ્જૈનમાં મહાકાના દર્શન કરવા આવેલા વિકાસની ધરપકડ કરવામા આવી હતી. આ લોકો ભલે ગમે તે કહે , લોકો તેને સરેન્ડર જ માને છે. કારણ કે જે ગુનેગાર ચંબલના ડાકુઓથી પણ ખતરનાક હોય અને બાળપણમાં તેના પ્રિન્સિપાલનું ખૂન કરી નાખ્યું હોય, 60થી વધુ કેસ દાખલ હોય તે ચાર રાજ્યો થઇને મહાકાલના દર્શન કરવા તો ન જ આવ્યો હોય. અને તે ખાલી હાથે સિક્યોરિટી ગાર્ડની પકડમાં પણ ન આવે.

આ ઘટનાક્રમથી ખાદી અને ખાખી વચ્ચે મિલિભગત હોવાની ગંધ આવે છે. કોંગ્રેસને પણ બેઠા બેઠા મુદ્દો મળી ગયો. તેની આગેવાની દિગ્વિજય સિંહે કરી. તેને પ્રાયોજિત સરેન્ડર કહ્યું અને તેનો શ્રેય મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આપી દીધો. છેલ્લે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે નરોત્તમ મિશ્રા કાનપુર જિલ્લાના પાર્ટી પ્રભારી હતા.

2. બિહારના સાત જિલ્લામાં આજથી લોકડાઉન, એક જિલ્લામાં પહેલાથી લાગૂ
બિહારના સાત જિલ્લાઓમાં આજથી લોકડાઉન લાગૂ થઇ જશે. પટના અને પૂર્ણિયામાં આજથી 16 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. નવાદા અને બક્સરમાં 12 જુલાઇ સુધી પ્રતિબંધો રહેશે. ખગડિયા અને મોતિહારીમાં 14 જુલાઇ અને કૈમૂરમાં 17 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. ભાગલપુરમાં 9 જુલાઇથી લોકડાઉન શરૂ થઇ ગયું છે જે 16 જુલાઇ સુધી ચાલશે.

આ દરમિયાન બિનજરુરી સામાનોની દુકાનો બંધ રહેશે. કોરોના બ્લાસ્ટના લીધે આ નિર્ણય લેવામા આવ્યો છે. બિહારમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 749 નવા કેસ સામે આવ્યા હતા. તેનાથી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજાર પાર થઇ ગઇ છે.

3. ભારત-ચીન વચ્ચે આજે ફરી વાતચીત
એવું કહેવાય છે કે ગલવાન ઘાટી હવે ખાલી થઇ ગઇ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત મહિને અહીં અથડામણ થઇ હતી. ચીનની આર્મી બે કિલોમીટર પાછળ જતી રહી છે. પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17-એ પરથી પણ આર્મી દૂર કરવા સહમતિ બની હતી. બન્ને દેશો વચ્ચે શુક્રવારે ફરી વર્ચ્યુઅલ મીટિંગ થશે. તેમાં પેંગૌંગ ઝીલ અને ડેપસાંગ વિસ્તારમાંથી આર્મી હટાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.

4. પીસીબીની હાલત ખરાબ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. તેને અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નથી મળી રહ્યું. તેનાથી ખેલાડીઓની મેચ ફી પર અસર પડશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરીઝ 5 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. પીસીબીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારસુધી માત્ર એક જ બિડર શોધી શક્યું છે. તેણે પણ અગાઉની ડીલથી 30 ટકા ઓછી રકમ આપવાની વાત કહી છે. અગાઉની ડીલ કેટલી હતી તે અંગે કોઇ જાણકારી નથી. હવે પાકિસ્તાનના ખેલાડીઓ તેમની જર્સી પર શાહિદ અફરીદી ફાઉન્ડેશનનો લોગો લગાવીને રમશે. આ ફાઉન્ડેશન ચેરિટી પાર્ટનર છે. તેથી તેમાં બોર્ડને કોઇ પૈસા નહીં મળે

5. આજનો દિવસ કેવો રહેશે
આજે શુક્રવાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે સૂર્ય અને ચંદ્ર એવા સ્થાને છે કે સૌભાગ્યનો યોગ બની રહ્યો છે. તેની અસર સાત રાશિઓ પર છે. સિંહ, કન્યા, વૃશ્વિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજનો દિવસ જોબ અથવા બિઝનેસમાં સારો રહી શકે છે. પરંતુ મેષ, વૃષભ, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકોને આખો દિવસ સાચવીને રહેવું પડશે.

6. સેમસંગની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ
સેમસંગે તેની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ ગેલેક્સી વોચ એક્ટિવ 2 4G એલ્યુમીનિયમ એડિશન લોન્ચ કરી છે. તેની કિંમત 28490 રૂપિયા છે. તે 11 જુલાઇથી રિટેલ સ્ટોર્સ પર ઓનલાઇન મળશે. કંપનીનો દાવો છે કે હવે તે સંપૂર્ણ સ્માર્ટવોચનો પોર્ટફોલિયો ભારતમાં જ તૈયાર કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં વિકાસ દુબે


from Divya Bhaskar https://ift.tt/3eeoRdD

UP man kills sister, her lover to save ‘family honour’, then kills brother who witnessed crime

UP man kills sister, her lover to save ‘family honour’, then kills brother who witnessed crime

from India Today | Top Stories https://ift.tt/321gGig

Himachal Pradesh to witness early snowfall as temperatures decline due to less vehicular traffic in hilly areas: Weather scientists

Himachal Pradesh to witness early snowfall as temperatures decline due to less vehicular traffic in hilly areas: Weather scientists

from India Today | Top Stories https://ift.tt/3gIzUNH

Coronavirus: ICMR plans another pan-India sero survey to assess spread

Coronavirus: ICMR plans another pan-India sero survey to assess spread

from India Today | Top Stories https://ift.tt/3iLBKzl

Fact Check: Truth behind ‘bodies of Covid-19 patients’ being thrown in the Ganges

Fact Check: Truth behind ‘bodies of Covid-19 patients’ being thrown in the Ganges

from India Today | Top Stories https://ift.tt/2BNdU5L

Farmer tries to commit suicide after police harassment in Nellore, Chandrababu Naidu slams YSR govt

Farmer tries to commit suicide after police harassment in Nellore, Chandrababu Naidu slams YSR govt

from India Today | Top Stories https://ift.tt/321yOZn

Fraud orders 4,000 goggles for Galwan soldiers, Mumbai man duped of Rs 1 lakh

Fraud orders 4,000 goggles for Galwan soldiers, Mumbai man duped of Rs 1 lakh

from India Today | Top Stories https://ift.tt/2W4dz5i

Vikas Dubey killed in encounter in Kanpur

Vikas Dubey killed in encounter in Kanpur

from India Today | Top Stories https://ift.tt/2Cni7wA

Live: Gangster Vikas Dubey killed in shootout as he tried to escape

News from India and across the world, as it unfolds. Stay with TOI for live updates

from Times of India https://ift.tt/2W5R14b

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

from India Today | Top Stories https://ift.tt/2W4z31V

CBSE course cut to impact JEE, NEET too



from Times of India https://ift.tt/2CpZwQv

Saving today’s people, condemning tomorrow’s

This year the Earth Overshoot Day falls on August 22. The Earth Overshoot Day marks the date when the demands placed by human beings on the planet’s ecological resources exceed what the Earth can regenerate...

from Times of India Opinion https://ift.tt/2W6hbUB

Wednesday, July 8, 2020

Kanye West reveals he contracted coronavirus in February: Chills, shaking in bed, taking hot showers

Kanye West reveals he contracted coronavirus in February

from India Today | Top Stories https://ift.tt/3iLjc2c

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

from India Today | Top Stories https://ift.tt/3iQMRan

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso




from News - Videos - The Times of India https://ift.tt/3gDl62W

Gangster Vikas Dubey's close aide shot dead

A day after his nephew and close aide Amar Dubey was killed, another close associate of gangster Vikas Dubey was shot dead in an encounter with UP police in Kanpur's Panki on Thursday morning.

from Times of India https://ift.tt/3fe3ABY

Govt ready with 1L rental houses for migrants

The Centre hopes to get its ambitious plan to provide rental accommodation for migrants — devised after workers left cities in lakhs — rolling with around 70,000 government-funded houses in Maharashtra, Delhi and Telangana that are ready to be rented out in the first phase of the Affordable Rental Housing Complexes (AHRCs) scheme.

from Times of India https://ift.tt/38CRAHX

Indian Army asked soldiers, officers to delete apps



from Times of India https://ift.tt/2O91nfe

Melania Trump statue set on fire in Slovenia

A wooden sculpture of US first lady Melania Trump was torched near her hometown of Sevnica, Slovenia, on the night of July Fourth, as Americans celebrated US Independence Day, said the artist who commissioned the sculpture.

from Times of India https://ift.tt/2BSWnc3

SBI shares dos and don'ts to protect USB device



from Times of India https://ift.tt/2Z9U5OA

Top10: What does cut in CBSE’s syllabus look like?



from Times of India https://ift.tt/3fdUDZA

ગુજરાતે એક જ વર્ષમાં રૂ.1600 કરોડનું પાણી વેચ્યું, 5 વર્ષમાં 7000 કરોડની કમાણી કરી

‘પાણીના ભાવે’, આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. સરકારે 2019-20માં પાણી વેચીને રૂપિયા 1620 કરોડની કમાણી કરી છે. રૂપિયા 1620ની આકારણી સામે રૂપિયા 1277 કરોડની વસૂલાત કરાઇ છે. 343 કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં 20 વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડની કમાણી કરી છે.

સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ આપવામાં આવે છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરવામાં આવતી હોય છે. 1999-2000માં રૂપિયા 190 કરોડની આકારણી સામે રૂપિયા 100 કરોડની વસૂલાત થઇ હતી. રૂપિયા 90 કરોડની બાકી રહ્યા હતા. 10 વર્ષમાં એટલે કે 2009-10માં આકારણીની રકમ ત્રણ ગણી વધીને રૂપિયા 571 કરોડ થઇ ગઇ. પછીના પાંચ વર્ષના ગાળામાં 2014-15 સુધી આકારણીની રકમ રૂપિયા 1006 કરોડ થઇ ગઇ. આ પાંચ વર્ષમાં આકારણીની રકમમાં બમણો વધારો થયો. આ વર્ષે પણ રૂપિયા 1000 કરોડની વસૂલાત બાકી રહી.

સૌથી વધારે પાણી ઉઘોગો દ્વારા લેવામાં આવે છે. સિંચાઇના હેતુથી ખેડૂતો દ્વારા પણ ખરીદવામાં ‌આવે છે. પીવાના પાણી માટે ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. 2019-2020ના આંકડાઓ મુજબ, ખેતી માટે લેવાયેલા પાણીની આકારણી રૂપિયા 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ, ઉઘોગોના પાણી માટે રૂપિયા 1109 કરોડ કરવામાં આ‌ી હતી જેમાંથી ખેતીના રૂપિયા 19 કરોડ, પીવાના પાણીના 219 કરોડ, ઉઘોગોના રૂપિયા 1040 કરોડની વસૂલાત કરાઇ હતી.

ખેડૂતોને પાણી વેચીને 20 વર્ષમાં 100 % કમાણી
ખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. ગત વર્ષે 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 1999-2000માં ખેડૂતોને પાણી વેચીને સરકાર માત્ર 16 કરોડ કમાઈ હતી. હવે આ આવક બમણી એટલે કે 100 % થઈ.

ઉદ્યોગોને 11 કરોડનું પાણી વેચ્યું, આવક 619 % વધી
ઉદ્યોગોના વપરાશ માટે ગુજરાતે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે. ગત વર્ષે 1020 કરોડનું પાણી વેચ્યું હતું. વર્ષ 2000માં ઉદ્યોગોને 155 કરોડનું પાણી વેચ્યું હતું. એટલે કે ઉદ્યોગોને પાણી વેચીને 20 વર્ષમાં આવક 619 ટકા વધી છે.

ઘરેલુ પાણી સપ્લાયથી 20 વર્ષમાં 2400% આવક વધી
ઘરેલુ ઉપયોગ માટે આ વર્ષ સુધી સરકારે 480 કરોડનું પાણી વેચ્યું. તેમાં દર વરસે વધારો થતો રહ્યો. 1999-2000 દરમ્યાન ઘરેલુ વોટર સપ્લાયથી 16 કરોડની આવક થતી હતી જે 20 વર્ષમાં વધીને 480 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2400 ટકાનો સીધો વધારો.

પાણીના ભાવમાં દર વરસે વધારો
સરકારે 2007ના ઠરાવથી પાણીના દરો લાગુ કર્યા હતા. ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 160 તથા બારમાસી પાકો માટે પ્રતિ હેક્ટર પ્રતિ પાણ રૂ. 300 દર છે. આ રકમમાં દર વર્ષે 7.5 ટકા વધારો કરવાનો હોય છે. પીવાના પાણી માટેના દર હાલમાં અંદાજે રૂપિયા 2 છે. ઔઘોગિક હેતું માટેનો દર વરસે 10 ટકા વધારવાની શરત હતી. હાલ પ્રતિ હજાર લિટરે અંદાજે રૂ. 25 છે.

15 જ દિવસમાં રાજ્યમાં 30% વરસાદ, 206માંથી 41 ડેમ 90-100% ભરાયા
ચોમાસામાં 15 દિવસમાં ગુજરાતમાં કુલ વરસાદનું 30 % પાણી પડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં 56 % તો કચ્છમાં સિઝનનો 70 % વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 20%થી વધુ વરસાદ થયો નથી. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અપૂરતો વરસાદ છે. રાજ્યના 206 ડેમોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 41 ડેમમાં 90થી 100 % પાણી ભરાઈ ગયું છે. 22 બંધમાં 100 % ભરાઈ ગયા છે. 14 ડેમમાં 99 % પાણી છે. જ્યારે 5 ડેમમાં 90 %થી વધુ પાણી છે. સૌથી વધારે વરસાદ દ્વારકામાં થયો છે. જ્યાં અત્યાર સુધીમાં 582 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં જળસંગ્રહ

વિસ્તાર જળસંગ્રહ %
ઉત્તર ગુજરાત 26.92
મધ્ય ગુજરાત 44.96
દક્ષિણ ગુજરાત 46.9
સૌરાષ્ટ્ર 51.74
કચ્છ 37.44
સરદાર સરોવર 55.38
ગુજરાત 48.74


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નર્મદા ડેમની ફાઈલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ffHMGm

ધો.7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધો. 7ના સામાજિક વિજ્ઞાન વિષયના 16 નંબરના પાઠમાં ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને બદલે મહારાષ્ટ્રની મહિલા વનિતા ગાયકવાડનું નામ અને ફોટો લગાડવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળને માત્ર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ આપવામાં જ રસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો.


from Divya Bhaskar https://ift.tt/2O3MQl8

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીને સરકારી હોસ્પિટલ દાખલ કરતી નથી

ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઘણા પેશન્ટના સગાંએ કહ્યું કે, કોઈ પેશન્ટ વિરોધ કરે તો બદનામીથી બચવા સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.

હેલ્થ ટીમ તપાસ કરે છે, પણ દાખલ કરતી નથી
કોવિડ પેશન્ટના એક સગાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે.

કોરોના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પેશન્ટને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જતા રહે છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A patient undergoing corona test in a private lab is not admitted to a government hospital


from Divya Bhaskar https://ift.tt/31XbV9x

ગામડાની પત્નીને પહેલા ધૂતકારી, પતિએ નોકરી ગુમાવતાં પત્નીએ ઘર ચલાવ્યું, છૂટાછેડા અટક્યાં

લૉકડાઉન પહેલાં ગામડાની પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા માટે અરજી કરનાર પતિની લોકડાઉન દરમિયાન નોકરી જતી રહેતા તેની પત્નીએ ખાખરા અને પાપડ વેચતા ગૃહ ઉદ્યોગમાં ધંધો કરતા તેનું ઘરનું ગુજરાન ચાલ્યું હતું. ખરાબ સમયમાં પરિવારને સંભાળી લેનાર પત્ની સાથે છુટાછેડા લેવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે કેટલાક કાનુની મુદ્દાને લઇને તે અરજી હજુ પાછી ખેંચી શકાઇ નથી.

અમરેલીમાં રહેતી વિશ્વા મહેતાના (નામ બદલ્યાં છે) લગ્ન અમદાવાદ રહેતા મનોજ પારેખ સાથે થયાં હતાં. વિશ્વા લગ્ન પહેલાં તેના પિતાના ઘરે પાપડ અને ખાખરા વેચીને મદદ કરતી હતી. પરંતુ લગ્ન પછી મનોજ પારેખ તેને કોઇ કામ કરવા દેતો નહોતો. મનોજ તેની પત્નીને સ્વીકારી શકતો નહોતો.

શહેરી રહેણીકરણી પ્રમાણે વિશ્વા રહેતી ન હોવાથી અને માનસિક રીતે વિચારો નહીં મળતા હોવાથી મનોજે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. મનોજના વકીલ અનિલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન અગાઉ મનોજ તેની પત્નીથી ઝડપથી છૂટાછેડા માટે વાતો કરતો હતો, લોકડાઉન પછી અરજી પાછી ખેચવા આવ્યો ત્યારે સાવ બદલાયેલો જણાયો હતો.

શા માટે છૂટાછેડાની અરજી પરત ખેંચવી છે? તે અંગે પૂછતા તેણે કહ્યું કે, જે બાબતોને લીધે હું તેને નીચી પાડતો હતો તે જ બાબતે આજે મારું પરિવાર ચલાવી લીધું છે. હું શહેરનો હોવાનો ગર્વ કરતો હતો, પરતું મારી નોકરી જતી રહેતા પત્નીએ એક વાર પણ મારા સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે ખાખરા અને પાપડ વેચીને ઘર ચલાવી લીધું છે.

આર્થિક ભીંસથી છૂટાછેડા વધી રહ્યા છે
કોરોના મહામારીના કારણે ઘણા લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો રોજગાર ઠપ થઈ ગયા હોવાથી લોકો બેરોજગાર બની ગયા છે. આવા સમયે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. શહેરના જાણીતા સાઇકોલોજિસ્ટ પણ જણાવી રહ્યા છે કે, હાલ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર પરિવાર પર જોવા મળી રહી છે. બીજી તરફ ઘરેલું હિંસાની પણ ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મગજ શાંત રાખવું જરૂરી છે. પતિ હોય કે પત્ની દરેકે એકબીજાને સમજવાની જરૂર છે. બંનેએ એકબીજાને આવા કપરા સમયમાં મદદ કરવી જોઈએ. આમ માનસિક રીતે રાહત થશે. પતિ-પત્નીનો મનમેળ ન હોવાના ઘણાં કારણો હોય છે, પણ આ પ્રકારના કિસ્સા સમાજની આંખો ખોલે છે. બીજું મોટું કારણ એ પણ હોય છે કે, શહેરી માનસિકતા ધરાવતા કેટલાક પુરુષોમાં એવી પણ માનસિકતા હોય છે કે, પત્નીએ નોકરી-ધંધો ન કરવો જોઈએ. જે તદ્દન ખોટી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ZcQn6M

ગુજરાતમાં 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો

બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. એક્ટિવ કેસમાં થઇ રહેલાં વધારાને કારણે આવનારા દિવસોમાં હોસ્પિટલો પર ભારણ વધી શકે છે, કારણ કે આ તમામ દર્દીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડે તેવી સ્થિતિમાં હોય છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.

24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આમ આ બે પખવાડિયામાં 2,943 એક્ટિવ કેસ વધી ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 1,994 મૃત્યુ થયાં છે અને હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31VOyNy

કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ

કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. 15 જુલાઈથી અહીં વિઝા ઓન અરાઈવલ સિસ્ટમ શરૂ થશે. પર્યટકોએ પહેલેથી હોટલ બુકિંગ કરાવવું પડશે. સમુદ્ર કિનારે 67 સ્પેશિયલ વીલા બનાવાયા છે. અહીં દરેક મહેમાનને એક રુફ ડેક વાળો વીલા મળશે અને પ્રાઈવેટ પૂલ મળશે. માલે એરપોર્ટથી સ્પીડબોટ દ્વારા અહીં 60 મિનિટમાં પહોંચી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Visa-on-Arrival system in Maldives from July 15 to promote post-Corona tourism


from Divya Bhaskar https://ift.tt/321g2Bk

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

from India Today | Top Stories https://ift.tt/31XxB5f

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

from India Today | Top Stories https://ift.tt/2AG2rnJ