Ad

Thursday, July 9, 2020

કાનપુરમાં વિકાસની ગાડી પલટી, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યોઃ અથડામણમાં છાતી અને કમરના ભાગે ગોળી વાગતા મોત

કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

ભારે વરસાદના કારણે ગાડી પલટી, બે જવાન પણ ઘાયલ
દુર્ઘટના અંગે UP એસટીએફના અધિકારી પણ કંઈ કહેતા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી હતી. એન્કાઉન્ટરમાં STFના બે જવાનોના ઘાયલ થવાના સમાચાર છે, પરંતુ તેની પુષ્ટી થઈ નથી.

વિકાસે પોલીસકર્મી પાસેથી આ પિસ્તોલ છીનવી હતી
વિકાસ દુબેને લઇને જતી પોલીસ કારને અકસ્માત નડ્યો

ઉજ્જૈનમાં ધરપકડ વખતે બૂમો પાડતો હતો હિસ્ટ્રીશીટર-વિકાસ દુબે છું, કાનપુર વાળો
વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈન મંદિરમાં લગભગ 9 વાગ્યે ધરપકડ કરાઈ હતી. ગભરાયેલો હિસ્ટ્રીશીટર ધરપકડ વખતે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું, કાનપુર વાળો. ત્યારપછી પોલીસ તેને મહાકાલ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ, નરવર પોલીસ સ્ટેશન અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર લઈ ગઈ હતી. અહીંયા તેની સાથે લગભગ 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ સમાચાર આવી રહી છે કે વિકાસની પત્ની રિચા અને તેના દીકરા અને નોકરની લખનઉમાં અટકાયત કરાઈ છે.

8 દિવસમાં વિકાસ દુબે સહિત તેની ગેંગના 6 બદમાશોનું એન્કાઉન્ટર

  • આ પહેલા બુધવારે મોડી રાતે વિકાસ દુબેના વધુ એક અંગત પ્રભાત મિશ્રા માર્યો ગયો હતો. પ્રભાતને પોલીસે બુધવારે ફરીદાબાદથી ઝડપ્યો હતો. UP પોલીસ તેને ટ્રાંજિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી. રસ્તામાં પ્રભાતે ભાગવાનો પ્રયાસ કર્યો, તેને પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. એ વખતે પોલીસની કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.
  • પોલીસે બુધવારે વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટર કરી દીધું હતું. અમેર હમીરપુરમાં સંતાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના પાંચ લોકો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?

  • 2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી
  • 3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડેય અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટ કરી દીધું. 60 લોકો વિરુદ્ધ FIR કરી.
  • 5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સાથી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ઘટસ્ફોટ કર્યો કે પહેલાથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
  • 6 જુલાઈઃ પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે બદમાશોથી બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ક્ષમાએ મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું ઠેકાણું કહી દીધું, રેખા પણ બદમાશોની મદદ કરી રહી હતી.
  • 8 જુલાઈઃ STFએ વિકાસના અંગત અમર દુબેને ઠાર માર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 બદમાશની ધરપકડ કરવામાં આવી
  • 9 જુલાઈઃ પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો
  • 10 જુલાઈઃ કાનપુર પાસે વિકાસ દુબે અથડામણમાં મરાયો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગંભીર હાલતમાં ગેંગસ્ટર વિકાસ દુબેને હોસ્પિટલ લવાયો હતો


from Divya Bhaskar https://ift.tt/38OVRYL

વિકાસ દુબેને ઓન ધ સ્પોટ નિર્ણયનો ડર હતો; પાકિસ્તાન જ નહીં, તેના ક્રિકેટ બોર્ડની હાલત પણ ખરાબ છે

1. એન્કાઉન્ટરનો ડર
લગભગ અઢી સો વર્ષ પહેલા ઇટલીના મહાના ક્રિમિનોલોજિસ્ટ શેજારે કહ્યું હતું કે ડર તેનાથી પેદા નથી થતો કે સજા કેટલી આકરી છે. ડર ત્યારે પેદા થાય છે જ્યારે એ ખબર હોય કે હવે સજા મળવાનું નક્કી છે. ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના કેસમાં પણ આવુ જ થયું. સાત દિવસમાં તેના પાંચ સહયોગીઓને ઠાર કરવામા આવ્યા. એવું લાગતું હતું કે વિકાસનું પણ એન્કાઉન્ટર નક્કી છે પરંતુ થયું તેનાથી ઉલટું. ફૈસલા ઓન ધ સ્પોટના ડરથી વિકાસ દુબેએ સમજી વિચારીને સરેન્ડર કરી દીધું

ઉત્તરપ્રદેશથી લઇને મધ્યપ્રદેશની પોલીસ અને બન્ને રાજ્યોના કેટલાય મંત્ર અને મુખ્યમંત્રી પણ એ જ કહે છે કે ઉજ્જૈનમાં મહાકાના દર્શન કરવા આવેલા વિકાસની ધરપકડ કરવામા આવી હતી. આ લોકો ભલે ગમે તે કહે , લોકો તેને સરેન્ડર જ માને છે. કારણ કે જે ગુનેગાર ચંબલના ડાકુઓથી પણ ખતરનાક હોય અને બાળપણમાં તેના પ્રિન્સિપાલનું ખૂન કરી નાખ્યું હોય, 60થી વધુ કેસ દાખલ હોય તે ચાર રાજ્યો થઇને મહાકાલના દર્શન કરવા તો ન જ આવ્યો હોય. અને તે ખાલી હાથે સિક્યોરિટી ગાર્ડની પકડમાં પણ ન આવે.

આ ઘટનાક્રમથી ખાદી અને ખાખી વચ્ચે મિલિભગત હોવાની ગંધ આવે છે. કોંગ્રેસને પણ બેઠા બેઠા મુદ્દો મળી ગયો. તેની આગેવાની દિગ્વિજય સિંહે કરી. તેને પ્રાયોજિત સરેન્ડર કહ્યું અને તેનો શ્રેય મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આપી દીધો. છેલ્લે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે નરોત્તમ મિશ્રા કાનપુર જિલ્લાના પાર્ટી પ્રભારી હતા.

2. બિહારના સાત જિલ્લામાં આજથી લોકડાઉન, એક જિલ્લામાં પહેલાથી લાગૂ
બિહારના સાત જિલ્લાઓમાં આજથી લોકડાઉન લાગૂ થઇ જશે. પટના અને પૂર્ણિયામાં આજથી 16 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. નવાદા અને બક્સરમાં 12 જુલાઇ સુધી પ્રતિબંધો રહેશે. ખગડિયા અને મોતિહારીમાં 14 જુલાઇ અને કૈમૂરમાં 17 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. ભાગલપુરમાં 9 જુલાઇથી લોકડાઉન શરૂ થઇ ગયું છે જે 16 જુલાઇ સુધી ચાલશે.

આ દરમિયાન બિનજરુરી સામાનોની દુકાનો બંધ રહેશે. કોરોના બ્લાસ્ટના લીધે આ નિર્ણય લેવામા આવ્યો છે. બિહારમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 749 નવા કેસ સામે આવ્યા હતા. તેનાથી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજાર પાર થઇ ગઇ છે.

3. ભારત-ચીન વચ્ચે આજે ફરી વાતચીત
એવું કહેવાય છે કે ગલવાન ઘાટી હવે ખાલી થઇ ગઇ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત મહિને અહીં અથડામણ થઇ હતી. ચીનની આર્મી બે કિલોમીટર પાછળ જતી રહી છે. પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17-એ પરથી પણ આર્મી દૂર કરવા સહમતિ બની હતી. બન્ને દેશો વચ્ચે શુક્રવારે ફરી વર્ચ્યુઅલ મીટિંગ થશે. તેમાં પેંગૌંગ ઝીલ અને ડેપસાંગ વિસ્તારમાંથી આર્મી હટાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.

4. પીસીબીની હાલત ખરાબ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. તેને અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નથી મળી રહ્યું. તેનાથી ખેલાડીઓની મેચ ફી પર અસર પડશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરીઝ 5 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. પીસીબીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારસુધી માત્ર એક જ બિડર શોધી શક્યું છે. તેણે પણ અગાઉની ડીલથી 30 ટકા ઓછી રકમ આપવાની વાત કહી છે. અગાઉની ડીલ કેટલી હતી તે અંગે કોઇ જાણકારી નથી. હવે પાકિસ્તાનના ખેલાડીઓ તેમની જર્સી પર શાહિદ અફરીદી ફાઉન્ડેશનનો લોગો લગાવીને રમશે. આ ફાઉન્ડેશન ચેરિટી પાર્ટનર છે. તેથી તેમાં બોર્ડને કોઇ પૈસા નહીં મળે

5. આજનો દિવસ કેવો રહેશે
આજે શુક્રવાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે સૂર્ય અને ચંદ્ર એવા સ્થાને છે કે સૌભાગ્યનો યોગ બની રહ્યો છે. તેની અસર સાત રાશિઓ પર છે. સિંહ, કન્યા, વૃશ્વિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજનો દિવસ જોબ અથવા બિઝનેસમાં સારો રહી શકે છે. પરંતુ મેષ, વૃષભ, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકોને આખો દિવસ સાચવીને રહેવું પડશે.

6. સેમસંગની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ
સેમસંગે તેની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ ગેલેક્સી વોચ એક્ટિવ 2 4G એલ્યુમીનિયમ એડિશન લોન્ચ કરી છે. તેની કિંમત 28490 રૂપિયા છે. તે 11 જુલાઇથી રિટેલ સ્ટોર્સ પર ઓનલાઇન મળશે. કંપનીનો દાવો છે કે હવે તે સંપૂર્ણ સ્માર્ટવોચનો પોર્ટફોલિયો ભારતમાં જ તૈયાર કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં વિકાસ દુબે


from Divya Bhaskar https://ift.tt/3eeoRdD

UP man kills sister, her lover to save ‘family honour’, then kills brother who witnessed crime

UP man kills sister, her lover to save ‘family honour’, then kills brother who witnessed crime

from India Today | Top Stories https://ift.tt/321gGig

Himachal Pradesh to witness early snowfall as temperatures decline due to less vehicular traffic in hilly areas: Weather scientists

Himachal Pradesh to witness early snowfall as temperatures decline due to less vehicular traffic in hilly areas: Weather scientists

from India Today | Top Stories https://ift.tt/3gIzUNH

Coronavirus: ICMR plans another pan-India sero survey to assess spread

Coronavirus: ICMR plans another pan-India sero survey to assess spread

from India Today | Top Stories https://ift.tt/3iLBKzl

Fact Check: Truth behind ‘bodies of Covid-19 patients’ being thrown in the Ganges

Fact Check: Truth behind ‘bodies of Covid-19 patients’ being thrown in the Ganges

from India Today | Top Stories https://ift.tt/2BNdU5L

Farmer tries to commit suicide after police harassment in Nellore, Chandrababu Naidu slams YSR govt

Farmer tries to commit suicide after police harassment in Nellore, Chandrababu Naidu slams YSR govt

from India Today | Top Stories https://ift.tt/321yOZn

Fraud orders 4,000 goggles for Galwan soldiers, Mumbai man duped of Rs 1 lakh

Fraud orders 4,000 goggles for Galwan soldiers, Mumbai man duped of Rs 1 lakh

from India Today | Top Stories https://ift.tt/2W4dz5i

Vikas Dubey killed in encounter in Kanpur

Vikas Dubey killed in encounter in Kanpur

from India Today | Top Stories https://ift.tt/2Cni7wA

Live: Gangster Vikas Dubey killed in shootout as he tried to escape

News from India and across the world, as it unfolds. Stay with TOI for live updates

from Times of India https://ift.tt/2W5R14b

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

from India Today | Top Stories https://ift.tt/2W4z31V

CBSE course cut to impact JEE, NEET too



from Times of India https://ift.tt/2CpZwQv

Saving today’s people, condemning tomorrow’s

This year the Earth Overshoot Day falls on August 22. The Earth Overshoot Day marks the date when the demands placed by human beings on the planet’s ecological resources exceed what the Earth can regenerate...

from Times of India Opinion https://ift.tt/2W6hbUB

Wednesday, July 8, 2020

Kanye West reveals he contracted coronavirus in February: Chills, shaking in bed, taking hot showers

Kanye West reveals he contracted coronavirus in February

from India Today | Top Stories https://ift.tt/3iLjc2c

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

from India Today | Top Stories https://ift.tt/3iQMRan

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso




from News - Videos - The Times of India https://ift.tt/3gDl62W

Gangster Vikas Dubey's close aide shot dead

A day after his nephew and close aide Amar Dubey was killed, another close associate of gangster Vikas Dubey was shot dead in an encounter with UP police in Kanpur's Panki on Thursday morning.

from Times of India https://ift.tt/3fe3ABY

Govt ready with 1L rental houses for migrants

The Centre hopes to get its ambitious plan to provide rental accommodation for migrants — devised after workers left cities in lakhs — rolling with around 70,000 government-funded houses in Maharashtra, Delhi and Telangana that are ready to be rented out in the first phase of the Affordable Rental Housing Complexes (AHRCs) scheme.

from Times of India https://ift.tt/38CRAHX

Indian Army asked soldiers, officers to delete apps



from Times of India https://ift.tt/2O91nfe

Melania Trump statue set on fire in Slovenia

A wooden sculpture of US first lady Melania Trump was torched near her hometown of Sevnica, Slovenia, on the night of July Fourth, as Americans celebrated US Independence Day, said the artist who commissioned the sculpture.

from Times of India https://ift.tt/2BSWnc3

SBI shares dos and don'ts to protect USB device



from Times of India https://ift.tt/2Z9U5OA

Top10: What does cut in CBSE’s syllabus look like?



from Times of India https://ift.tt/3fdUDZA

ગુજરાતે એક જ વર્ષમાં રૂ.1600 કરોડનું પાણી વેચ્યું, 5 વર્ષમાં 7000 કરોડની કમાણી કરી

‘પાણીના ભાવે’, આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. સરકારે 2019-20માં પાણી વેચીને રૂપિયા 1620 કરોડની કમાણી કરી છે. રૂપિયા 1620ની આકારણી સામે રૂપિયા 1277 કરોડની વસૂલાત કરાઇ છે. 343 કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં 20 વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડની કમાણી કરી છે.

સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ આપવામાં આવે છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરવામાં આવતી હોય છે. 1999-2000માં રૂપિયા 190 કરોડની આકારણી સામે રૂપિયા 100 કરોડની વસૂલાત થઇ હતી. રૂપિયા 90 કરોડની બાકી રહ્યા હતા. 10 વર્ષમાં એટલે કે 2009-10માં આકારણીની રકમ ત્રણ ગણી વધીને રૂપિયા 571 કરોડ થઇ ગઇ. પછીના પાંચ વર્ષના ગાળામાં 2014-15 સુધી આકારણીની રકમ રૂપિયા 1006 કરોડ થઇ ગઇ. આ પાંચ વર્ષમાં આકારણીની રકમમાં બમણો વધારો થયો. આ વર્ષે પણ રૂપિયા 1000 કરોડની વસૂલાત બાકી રહી.

સૌથી વધારે પાણી ઉઘોગો દ્વારા લેવામાં આવે છે. સિંચાઇના હેતુથી ખેડૂતો દ્વારા પણ ખરીદવામાં ‌આવે છે. પીવાના પાણી માટે ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. 2019-2020ના આંકડાઓ મુજબ, ખેતી માટે લેવાયેલા પાણીની આકારણી રૂપિયા 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ, ઉઘોગોના પાણી માટે રૂપિયા 1109 કરોડ કરવામાં આ‌ી હતી જેમાંથી ખેતીના રૂપિયા 19 કરોડ, પીવાના પાણીના 219 કરોડ, ઉઘોગોના રૂપિયા 1040 કરોડની વસૂલાત કરાઇ હતી.

ખેડૂતોને પાણી વેચીને 20 વર્ષમાં 100 % કમાણી
ખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. ગત વર્ષે 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 1999-2000માં ખેડૂતોને પાણી વેચીને સરકાર માત્ર 16 કરોડ કમાઈ હતી. હવે આ આવક બમણી એટલે કે 100 % થઈ.

ઉદ્યોગોને 11 કરોડનું પાણી વેચ્યું, આવક 619 % વધી
ઉદ્યોગોના વપરાશ માટે ગુજરાતે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે. ગત વર્ષે 1020 કરોડનું પાણી વેચ્યું હતું. વર્ષ 2000માં ઉદ્યોગોને 155 કરોડનું પાણી વેચ્યું હતું. એટલે કે ઉદ્યોગોને પાણી વેચીને 20 વર્ષમાં આવક 619 ટકા વધી છે.

ઘરેલુ પાણી સપ્લાયથી 20 વર્ષમાં 2400% આવક વધી
ઘરેલુ ઉપયોગ માટે આ વર્ષ સુધી સરકારે 480 કરોડનું પાણી વેચ્યું. તેમાં દર વરસે વધારો થતો રહ્યો. 1999-2000 દરમ્યાન ઘરેલુ વોટર સપ્લાયથી 16 કરોડની આવક થતી હતી જે 20 વર્ષમાં વધીને 480 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2400 ટકાનો સીધો વધારો.

પાણીના ભાવમાં દર વરસે વધારો
સરકારે 2007ના ઠરાવથી પાણીના દરો લાગુ કર્યા હતા. ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 160 તથા બારમાસી પાકો માટે પ્રતિ હેક્ટર પ્રતિ પાણ રૂ. 300 દર છે. આ રકમમાં દર વર્ષે 7.5 ટકા વધારો કરવાનો હોય છે. પીવાના પાણી માટેના દર હાલમાં અંદાજે રૂપિયા 2 છે. ઔઘોગિક હેતું માટેનો દર વરસે 10 ટકા વધારવાની શરત હતી. હાલ પ્રતિ હજાર લિટરે અંદાજે રૂ. 25 છે.

15 જ દિવસમાં રાજ્યમાં 30% વરસાદ, 206માંથી 41 ડેમ 90-100% ભરાયા
ચોમાસામાં 15 દિવસમાં ગુજરાતમાં કુલ વરસાદનું 30 % પાણી પડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં 56 % તો કચ્છમાં સિઝનનો 70 % વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 20%થી વધુ વરસાદ થયો નથી. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અપૂરતો વરસાદ છે. રાજ્યના 206 ડેમોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 41 ડેમમાં 90થી 100 % પાણી ભરાઈ ગયું છે. 22 બંધમાં 100 % ભરાઈ ગયા છે. 14 ડેમમાં 99 % પાણી છે. જ્યારે 5 ડેમમાં 90 %થી વધુ પાણી છે. સૌથી વધારે વરસાદ દ્વારકામાં થયો છે. જ્યાં અત્યાર સુધીમાં 582 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં જળસંગ્રહ

વિસ્તાર જળસંગ્રહ %
ઉત્તર ગુજરાત 26.92
મધ્ય ગુજરાત 44.96
દક્ષિણ ગુજરાત 46.9
સૌરાષ્ટ્ર 51.74
કચ્છ 37.44
સરદાર સરોવર 55.38
ગુજરાત 48.74


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નર્મદા ડેમની ફાઈલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ffHMGm

ધો.7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધો. 7ના સામાજિક વિજ્ઞાન વિષયના 16 નંબરના પાઠમાં ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને બદલે મહારાષ્ટ્રની મહિલા વનિતા ગાયકવાડનું નામ અને ફોટો લગાડવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળને માત્ર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ આપવામાં જ રસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો.


from Divya Bhaskar https://ift.tt/2O3MQl8

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીને સરકારી હોસ્પિટલ દાખલ કરતી નથી

ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઘણા પેશન્ટના સગાંએ કહ્યું કે, કોઈ પેશન્ટ વિરોધ કરે તો બદનામીથી બચવા સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.

હેલ્થ ટીમ તપાસ કરે છે, પણ દાખલ કરતી નથી
કોવિડ પેશન્ટના એક સગાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે.

કોરોના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પેશન્ટને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જતા રહે છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A patient undergoing corona test in a private lab is not admitted to a government hospital


from Divya Bhaskar https://ift.tt/31XbV9x

ગામડાની પત્નીને પહેલા ધૂતકારી, પતિએ નોકરી ગુમાવતાં પત્નીએ ઘર ચલાવ્યું, છૂટાછેડા અટક્યાં

લૉકડાઉન પહેલાં ગામડાની પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા માટે અરજી કરનાર પતિની લોકડાઉન દરમિયાન નોકરી જતી રહેતા તેની પત્નીએ ખાખરા અને પાપડ વેચતા ગૃહ ઉદ્યોગમાં ધંધો કરતા તેનું ઘરનું ગુજરાન ચાલ્યું હતું. ખરાબ સમયમાં પરિવારને સંભાળી લેનાર પત્ની સાથે છુટાછેડા લેવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે કેટલાક કાનુની મુદ્દાને લઇને તે અરજી હજુ પાછી ખેંચી શકાઇ નથી.

અમરેલીમાં રહેતી વિશ્વા મહેતાના (નામ બદલ્યાં છે) લગ્ન અમદાવાદ રહેતા મનોજ પારેખ સાથે થયાં હતાં. વિશ્વા લગ્ન પહેલાં તેના પિતાના ઘરે પાપડ અને ખાખરા વેચીને મદદ કરતી હતી. પરંતુ લગ્ન પછી મનોજ પારેખ તેને કોઇ કામ કરવા દેતો નહોતો. મનોજ તેની પત્નીને સ્વીકારી શકતો નહોતો.

શહેરી રહેણીકરણી પ્રમાણે વિશ્વા રહેતી ન હોવાથી અને માનસિક રીતે વિચારો નહીં મળતા હોવાથી મનોજે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. મનોજના વકીલ અનિલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન અગાઉ મનોજ તેની પત્નીથી ઝડપથી છૂટાછેડા માટે વાતો કરતો હતો, લોકડાઉન પછી અરજી પાછી ખેચવા આવ્યો ત્યારે સાવ બદલાયેલો જણાયો હતો.

શા માટે છૂટાછેડાની અરજી પરત ખેંચવી છે? તે અંગે પૂછતા તેણે કહ્યું કે, જે બાબતોને લીધે હું તેને નીચી પાડતો હતો તે જ બાબતે આજે મારું પરિવાર ચલાવી લીધું છે. હું શહેરનો હોવાનો ગર્વ કરતો હતો, પરતું મારી નોકરી જતી રહેતા પત્નીએ એક વાર પણ મારા સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે ખાખરા અને પાપડ વેચીને ઘર ચલાવી લીધું છે.

આર્થિક ભીંસથી છૂટાછેડા વધી રહ્યા છે
કોરોના મહામારીના કારણે ઘણા લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો રોજગાર ઠપ થઈ ગયા હોવાથી લોકો બેરોજગાર બની ગયા છે. આવા સમયે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. શહેરના જાણીતા સાઇકોલોજિસ્ટ પણ જણાવી રહ્યા છે કે, હાલ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર પરિવાર પર જોવા મળી રહી છે. બીજી તરફ ઘરેલું હિંસાની પણ ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મગજ શાંત રાખવું જરૂરી છે. પતિ હોય કે પત્ની દરેકે એકબીજાને સમજવાની જરૂર છે. બંનેએ એકબીજાને આવા કપરા સમયમાં મદદ કરવી જોઈએ. આમ માનસિક રીતે રાહત થશે. પતિ-પત્નીનો મનમેળ ન હોવાના ઘણાં કારણો હોય છે, પણ આ પ્રકારના કિસ્સા સમાજની આંખો ખોલે છે. બીજું મોટું કારણ એ પણ હોય છે કે, શહેરી માનસિકતા ધરાવતા કેટલાક પુરુષોમાં એવી પણ માનસિકતા હોય છે કે, પત્નીએ નોકરી-ધંધો ન કરવો જોઈએ. જે તદ્દન ખોટી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ZcQn6M

ગુજરાતમાં 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો

બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. એક્ટિવ કેસમાં થઇ રહેલાં વધારાને કારણે આવનારા દિવસોમાં હોસ્પિટલો પર ભારણ વધી શકે છે, કારણ કે આ તમામ દર્દીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડે તેવી સ્થિતિમાં હોય છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.

24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આમ આ બે પખવાડિયામાં 2,943 એક્ટિવ કેસ વધી ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 1,994 મૃત્યુ થયાં છે અને હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31VOyNy

કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ

કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. 15 જુલાઈથી અહીં વિઝા ઓન અરાઈવલ સિસ્ટમ શરૂ થશે. પર્યટકોએ પહેલેથી હોટલ બુકિંગ કરાવવું પડશે. સમુદ્ર કિનારે 67 સ્પેશિયલ વીલા બનાવાયા છે. અહીં દરેક મહેમાનને એક રુફ ડેક વાળો વીલા મળશે અને પ્રાઈવેટ પૂલ મળશે. માલે એરપોર્ટથી સ્પીડબોટ દ્વારા અહીં 60 મિનિટમાં પહોંચી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Visa-on-Arrival system in Maldives from July 15 to promote post-Corona tourism


from Divya Bhaskar https://ift.tt/321g2Bk

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

from India Today | Top Stories https://ift.tt/31XxB5f

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

from India Today | Top Stories https://ift.tt/2AG2rnJ

Salah double keeps Liverpool on track for points record, Silva helps Manchester City thrash Newcastle 5-0

PL wrap: Long season catching up with Wolves as Liverpool, City win

from India Today | Top Stories https://ift.tt/31ZujOQ

JDU leaders slam Tejashwi Yadav for crying foul ahead of Bihar assembly polls

JDU leaders slam Tejashwi Yadav for crying foul ahead of Bihar assembly polls

from India Today | Top Stories https://ift.tt/2ClHyyU

Mumbai's coronavirus test count crosses 3,64,000: BMC

Mumbai's coronavirus test count crosses 3,64,000: BMC

from India Today | Top Stories https://ift.tt/2VYPJYT

Delhi: Absconding criminal involved in double murder and robbery arrested

Delhi: Absconding criminal involved in double murder and robbery arrested

from India Today | Top Stories https://ift.tt/3iNTHNQ

Mentally unstable man fires at guard, dances with pistols in hand in UP, shot at by cops

Mentally unstable man fires at guard, dances with pistols in hand in UP, shot at by cops

from India Today | Top Stories https://ift.tt/320lUuO

Thane hospital mixes up bodies of 2 Covid victims, forces family to admit mistake as they cremate both

Thane hospital mixes up Covid victim bodies, gets family to admit mistake

from India Today | Top Stories https://ift.tt/31YiJDN

Tuesday, July 7, 2020

જર્સી પર હવે 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો સ્પોન્સર લોગો હશે, ચાર મહિનામાં થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ

કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજથી સાઉથહેમ્પટનમાં પ્રથમ ટેસ્ટ રમશે. ઘણા ફેરફારો જોવા મળશે. પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ ખાલી લાગશે. ચાર મહિનાથી ક્રિકેટ રમાયું નથી, આને કારણે, દરેક દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થયું હતું. સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શ્રીલંકાએ કેટલાક કર્મચારીઓને નિકાળી પણ દીધા હતા.

ICCએ નિર્ણય લીધો છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ જે જર્સી પહેરે છે, તેમાં સ્પોન્સર લોગો પહેલા કરતા ઘણો મોટો હશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સ્પોન્સર્સને પ્રોત્સાહન મળી શકે અને તેઓ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહે.

સ્પોન્સર લોગોમાં શું બદલાવ થશે?
ટેસ્ટ ક્રિકેટમાં પ્લેયર્સની જર્સીમાં વધુ બદલાવ કરવામાં નહિ આવે. અત્યાર સુધી સ્પોન્સર લોગો 10 સ્કવેર ઇંચનો જોવા મળતો હતો, હવે તેની સાઈઝ ત્રણ ગુણા વધી જશે. 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો લોગો દેખાશે. તે ટી-શર્ટ અને સ્વેટર પણ હશે. એક વર્ષ માટે આ સાઇઝના લોગોને મંજૂરી આપવામાં આવી છે.

એક ફેરફાર જે પહેલા કરવામાં આવ્યો
ICCએ જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ તો જર્સીમાં એક ફેરફાર કર્યો હતો. દરેક પ્લેયરની જર્સીની પાછળ તેનું નામ અને જર્સી નંબર હતો. આ મૂવનો વિરોધ પણ થયો હતો. પરંતુ ICCએ કહ્યું હતું કે, દૂર બેઠેલા દર્શકો પ્લેયર્સને ઓળખી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The jersey will now have a 32-square-inch sponsor logo instead of 10, in an attempt to offset the financial losses incurred in four months.


from Divya Bhaskar https://ift.tt/3gyShon

રાજ્યમાં સતત 4 દિવસથી 700થી વધુ કેસ અને 15થી વધુના મોત, કુલ કેસનો આંકડો 37,636, જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)

કુલ 37,636 દર્દી,1,979ના મોત અને 26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 22,262 1,498 17,193
સુરત 6,458 192 4083
વડોદરા 2701 51 1897
ગાંધીનગર 754 32 559
ભાવનગર 394 13 193
બનાસકાંઠા 264 14 176
આણંદ 256 13 216
અરવલ્લી 233 24 190
રાજકોટ 470 12 158
મહેસાણા 344 12 164
પંચમહાલ 220 16 158
બોટાદ 105 3 69
મહીસાગર 161 2 118
પાટણ 254 17 137
ખેડા 228 13 144
સાબરકાંઠા 211 9 131
જામનગર 289 5 158
ભરૂચ 329 10 163
કચ્છ 209 6 110
દાહોદ 85 1 49
ગીર-સોમનાથ 94 1 51
છોટાઉદેપુર 66 2 50
વલસાડ 250 5 85
નર્મદા 96 0 88
દેવભૂમિ દ્વારકા 28 2 18
જૂનાગઢ 198 4 68
નવસારી 166 2 82
પોરબંદર 21 2 15
સુરેન્દ્રનગર 211 8 118
મોરબી 48 1 19
તાપી 28 0 8
ડાંગ 4 0 4
અમરેલી 111 8 48
અન્ય રાજ્ય 88 1 24
કુલ 37,636 1,979 26,744


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, total number of cases was 37,636, while the death toll reached 1979


from Divya Bhaskar https://ift.tt/2VYkfC1

વૈષ્ણોદેવીના દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રોજ 7 હજાર લોકોને મંજૂરી મળશે, પહેલાં દરરોજ 35 હજાર લોકો સામેલ થતાં હતાં

જય માતા દીના જયકાર સાથે ગૂંજતા કટરાના રસ્તાઓ ઉપર આ દિવસોમાં સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે. અમુક દુકાનો જ ખુલી રહે છે, ઘણાં લોકો બહાર જોવા મળે છે. આ પહેલાં અહીં ક્યારેય આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું નથી. શ્રી વૈષ્ણો દેવીના દર્શનને લઇને ભાસ્કરે અહીંના પૂજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમાર સાથે વાતચીત કરી.

તેમના જણાવ્યાં પ્રમાણે, અહીં જલ્દી જ દર્શન શરૂ થઇ શકશે. જેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શનની મંજૂરી મળશે. દર્શન માટે કટરા આવતાં પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકડાઉન બાદથી જ અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉપર પ્રતિબંધ છે.

પરંતુ, રોજ સવાર-સાંજ પૂજા થઇ રહી છે. બાબા શિવધરના વંશજ અહીં પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષથી પૂજા કરી રહ્યા છે. હાલ પરિવારના ચાર લોકો- અમીર ચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ એક પછી એક પૂજા કરે છે.

કોરોનાના કારણે આ દિવસોમાં કટરાના રસ્તાઓ ઉપર સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે.
કોરોનાના કારણે આ દિવસોમાં કટરાના રસ્તાઓ ઉપર સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે.

ભાસ્કર સાથે વાતચીતમાં પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૂજા થાય છે. હાલ ભવનમાં લગભગ 20 શ્રાઇન બોર્ડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 1986માં શ્રાઇન બોર્ડની સ્થાપના થઇ. ત્યારથી શ્રદ્ધાળુઓની સુવિધાઓની જવાબદારી બોર્ડ પાસે જ છે.

તેમણે જણાવ્યું કે, 500 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, દર્શન રોકી દેવામાં આવ્યાં છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીં દર્શન ઉપર પ્રતિબંધ હતો નહીં. હવે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જેને લઇને શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, એસઓપી તૈયાર કરી લીધી છે, જલ્દી જ દર્શન શરૂ કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, એસઓપી તૈયાર કરી લીધી છે, જલ્દી જ દર્શન શરૂ કરવામાં આવશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરીઃ-
સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, દર્શનને લઇને તૈયારી ચાલી રહી છે, પરંતુ તારીખોને લઇને અંતિમ નિર્ણય અથોરિટીએ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઇ છે. આ વર્ષે દર્શનની પ્રક્રિયામાં ફેરફાર થશે.

ભીડને કાબૂ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્શન માટે આવતાં યાત્રીઓનું કટરા ટ્રેક એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ થશે. માસ્ક પહેરવો જરૂરી. વિવિધ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

નાના-નાના સમૂહમાં ચઢાઇ થશેઃ-
યાત્રીઓને નાના-નાના સમૂહમાં વહેંચીને અને થોડાં અંતરમાં જ આગળ વધારવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે. પંડિત જી હવે ભક્તોને ટીકો લગાવી શકશે નહીં. ભક્તોને ટીકો કેવી રીતે લગાવવામાં આવે તેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વૈષ્ણો દેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી 5 હજાર 300 ફૂટની ઊંચાઇએ સ્થિત છે. ભવન સુધી પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરની ચઢાઇ કરવી પડે છે.
વૈષ્ણો દેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી 5 હજાર 300 ફૂટની ઊંચાઇએ સ્થિત છે. ભવન સુધી પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરની ચઢાઇ કરવી પડે છે.

બાળકો અને વડીલોને યાત્રા કરવાની મનાઇઃ-
ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી મળશે નહીં. જે લોકોમાં કોઇ કોરોનાના લક્ષણ જોવામાં આવશે તેમનું ચેકઅપ થશે. એક દિવસમાં પાંચ હજારથી સાત હજાર લોકોને દર્શનની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે સામાન્ય સમયમાં આ સીઝનમાં 35 હજારથી વધારે લોકો એક દિવસમાં દર્શન કરવા માટે આવતાં હતાં.

18 માર્ચથી વૈષ્ણો દેવીની યાત્રા બંધ થઇ ગઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધી એક કરોડ રૂપિયા ઓનલાઇન માધ્યમથી એકઠા થયાં છે. જ્યારે પહેલાં આ સીઝનમાં એક દિવસ 50 થી 60 લાખ રૂપિયા દરરોજ દાન સ્વરૂપે આવતાં હતાં.

પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગે અને સાંજે 7 વાગે પૂજા થાય છે.
પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગે અને સાંજે 7 વાગે પૂજા થાય છે.

ઓનલાઇન દાન આપીને પોતાના નામનો હવન કરાવી શકાશેઃ-
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડમાં લગભગ ત્રણ હજારથી વધારે કર્મચારી અને અધિકારી છે. આ બધા લોકો પ્રોટેક્ટિવ વસ્તુઓ પહેરેલાં જોવા મળશે. મોબાઇલ એપ પણ જલ્દી જ લોન્ચ થઇ શકે છે, જેમાં ઓનલાઇન દર્શન સિવાય રજિસ્ટ્રેશન કરાવવા અને દાન આપવાની સુવિધા રહેશે. લોકો દાન આપીને પોતાના નામથી હવન પણ કરાવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Online registration for Vaishnodevi Darshan will have to be done, 7 thousand people will be allowed daily, earlier 35 thousand people were involved every day.


from Divya Bhaskar https://ift.tt/2O46UUn