Ad

Thursday, April 30, 2020

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવામાં માત્ર ત્રણ દિવસ બચ્યા છે. પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 34661 થઈ ગઈ છે. ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા હતા. સૌથી વધુ સંક્રમિત ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. ગુરુવારે 583 નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં આ આંકડો 10498 પર પહોંચ્યો છે. સંક્રમણની રીતે અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરોની વાત કરીએ તો મુંબઈ પ્રથમ અને અમદાવાદ બીજા ક્રમે છે. બંને શહેરોમાં લગભગ 10 હજાર લોકો સંક્રમિત છે જે રાષ્ટ્રીય આંકડાનો ત્રીજો ભાગ જેટલો હિસ્સો છે. મુંબઈમાં 290 કેસો સાથે કુલ 6875 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુરુવારે મળેલા 249 નવા કેસ સાથે આંકડો 3026 પર પહોંચ્યો છે. ગુરુવારે ગુજરાતમાં 313, રાજસ્થાનમાં 163, તમિલનાડુમાં 161, દિલ્હીમાં 125 અને આંધ્રપ્રદેશમાં 71 દર્દી મળ્યા હતા. પંજાબમાં સંક્રમિતોની સંખ્યા એકાએક વધવા માંડી છે. અહીં થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના નાંદેડથી 3525 શ્રદ્ધાળુ પરત ફર્યા છે. આ કારણે અહીં નવા કેસ વધી રહ્યા છે. ગુરુવારે પંજાબમાં 163 કેસ નવા મળ્યા. જેમાંથી માત્ર 76 કેસ અમૃતસરમાંથી મળ્યા હતા.બીજીબાજુ સીઆરપીએફની દિલ્હી સ્થિત બટાલિયનમાં વધુ છ જવાન પોઝિટિવ મળ્યા છે.
બિહાર સરકારનો તર્ક- લાખો લોકો પાછા ફરશે, તેથી બસોમાં તેમને લાવતા મહિનાઓ નીકળી જશે

  • પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું- રાજ્યમાં 10 લાખથી વધુ પ્રવાસી છે. તેમાં 70 ટકા બિહારના છે. બસોથી આટલા લોકોને મોકલી શકાય નહીં. પૂરતા સ્ક્રીનિંગની સાથે સુરક્ષિત રીતે માત્ર ટ્રેનોમાં જ તેમને મોકલવા સંભવ છે.
  • તેલંગાણાના મંત્રી ટી. શ્રીનિવાસ યાદવે કહ્યું કે રાજ્યમાં 15 લાખ પ્રવાસી છે. તેમાંથી મોટા ભાગના બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના છે. જો તેમને બસોમાં મોકલીશું તો તેમના રાજ્યમાં પહોંચતા 3-5 દિવસ લાગશે. આટલી લાંબી યાત્રાએ તેમને બસોમાં મોકલવા યોગ્ય નથી.
  • બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે રાજ્યમાં પરત ફરનારાની સંખ્યા બહુ મોટી છે. આ સંખ્યા 27 લાખથી વધુ છે. બસો પર જ નિર્ભર રહીશું તો બધાને લાવવામાં મહિનાઓ લાગી જશે. નોનસ્ટોપ ટ્રેનો ચાલવી જોઇએ.
  • કેરળના સીએમ પિનરાઇ વિજયને કહ્યું કે રાજ્યમાં 3.60 લાખ પ્રવાસી મજૂર છે. બસમાં મોકલવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેશે.
  • તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે કેન્દ્રની સ્પષ્ટ ગાઇડલાઇનની રાહ જોવાય છે. જ્યારે કર્ણાટક સરકારે કહ્યું કે આવનારી બસોનો ખર્ચ લોકોએ જ ભરવાનો રહેશે.

કેન્દ્રનો નિર્દેશ: ટ્રકો માટે અલગ પાસની જરૂર નથી
ગૃહમંત્રાલયે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે લૉકડાઉન દરમિયાન એક રાજ્યમાંથી બીજામાં જવા ટ્રકો માટે અલગથી પાસની જરૂર નથી. જોકે આ છૂટ માત્ર સામાન લઇ જઇ રહેલા કે ડિલિવરી આપી પરત ફરતા ટ્રકો માટે જ છે.
મધ્યપ્રદેશની સરહદે અટકાવતા મજૂરોનો હંગામો
મહારાષ્ટ્રથી યુપી, બિહાર અને રાજસ્થાન પરત થઇ રહેલા મજૂરોને સેંધવા પાસે મધ્યપ્રદેશની સરહદે અટકાવી દેવાયા. ગુરુવારે સવારે અહીં એક હજારથી વધુ મજૂર ભેગા થઇ ગયા. તેમણે 2 કલાક સુધી હાઇવે જામ કરી હંગામો કર્યો. દરમિયાન જિલ્લા તંત્રે આ લોકોનું સ્ક્રીનિંગ કરાવ્યું. કલેક્ટર અને એસપી સરહદે પહોંચ્યા બાદ તેમની રવાનગી કરાઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2y5Vbk0

હવે 15 મિનિટમાં જણાશે કે પેશન્ટને કોવિડ-19 છે કે નહીં, તે પણ માત્ર રૂ. 50માં

પેશન્ટને કોવિડ-19 છે કે નહીં? તેનો રિપોર્ટ 15 કલાકની જગ્યાએ હવે 15 જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. 50નો જ ખર્ચ થનારો છે. એસવીએનઆઇટીના મિકેનિકલ એન્જિન્યરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. જ્યોતીર્મય બેનર્જી અને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ડીપ લર્નિંગથી સોફ્ટવેર બનાવ્યું છે. ડોક્ટરોએ સોફ્ટવેરમાં સ્પેક્ટેડ પેશન્ટની ચેસ્ટનો એક્સ-રે પાડીને સોફ્ટ કોપી નખાતા કોવિડ-19 છે કે નહીં? તે જાણી શકશે.
એરપોર્ટ, રેલવે કે બસ સ્ટેશન પર ફરતા પેશન્ટને શોધી કાઢશે
વિદ્યાર્થી નિખિલ કહે છે કે, સોફ્ટવેર સાથે થર્મલ ઇન્ફ્રારેડ કેમેરો પણ અટેચ કરી શકાય છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ સહિતની ભીડ થનારી જ્યાઓ પરથી કોવિડ-19ના પેશન્ટને શોધી કાઢશે. આ સોફ્ટવેરમાં થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાના કોવિડ-19 કે સ્પેક્ટેડના ડેટા ઇન્સ્ટોલ કરાયા છે. જેથી
થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાને તેની સાથે જોડાય તો તે સ્પેક્ટેડ કે પેશન્ટને શોધી કાઢશે.
હવે રોબોટમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવશે
હાલમાં પેશન્ટને સારવાર આપતા ડોક્ટરોને પણ કોવિડ-19પોઝિટિવ આવી રહ્યો છે. જેથી રોબોટ બનાવીને તેમાં આસોફ્ટવેર ઇન્સટોલ કરનારા છે. જેથી ડોક્ટર પોતાની જ ચેમ્બરમાં બેસી સસ્પેક્ટેડ કોવિડ-19ના પેશન્ટને તપાસી શકે. આમ, આ રોબોટ બનાવવા માટે એમએચઆરડી પાસે ફંડ મંગાયું છે. તેવું વિદ્યાર્થી નિખિલે અંતે જણાવ્યું હતું.
દેશ-વિદેશના કોવિડ-19ના લક્ષણનો ડેટા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરાયો છે
વિદ્યાર્થી નિખિલ વ્યાસે વધુમાં કહ્યું કે, આ સોફ્ટવેરમાં દેશ-વિદેશના કોવિડ-19ના લક્ષણોનો ડેટા ઇન્સ્ટોલ કરાયો છે. તેવામાં કોવિડ-19 નવા લક્ષણોનો ડેટા આવશે, તો તે પણ સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3d2fkpD

સુરતથી વતન જવા દોટ, ધામડોદ ચેકપોસ્ટ પર લોકોની અંધાધૂંધી

કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લાલસાના કારણે હજારો લોકો હેરાન થયા હતા. લોકોને તેમના વતન જવાની વ્યવસ્થા કરવા માટે વી.ડી.ઝાલાવડિયાએ રજુઆત કરી હતી તેના પરિણાને લોકોને વતન જવાનું મળશે એવું ઝાલાવડિયાના નામનો લેટર તેઓએ સોસિયલ મીડિયામાં વાઇરલ કરતા હજારો લોકો સોરાષ્ટ્ર જવા નીકળ્યા હતા.
ધારાસભ્યોએ પત્રમાં ચેકપોસ્ટ અને જવાના રસ્તા બતાવ્યા
જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સા જનાર વાહનોને ચેકપોસ્ટ પરથી પરવાનગી આપવામાં આવશે. જોકે પોતે આ વ્યવસ્થા ઊભી કરી હોય એવું બતાવી પ્રસિદ્ધિ મેળવવા માટે કામરેજના ધારાસભ્યોએ પોતાના સિક્કા સાથે બહાર પાડેલા એક પત્રમાં ચેકપોસ્ટ અને તેના જવાના રસ્તા બતાવ્યા છે. જેમાં મહારાષ્ટ્રની પરવાનગી ન હોવા છતાં બે ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર, નાસિક જઈ શકાશે. તથા ધામડોદ ચેકપોસ્ટ પરથી સૌરાષ્ટ્ર-અમદાવાદ જઈ શકાશે એવો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર ના કારણે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને એવું કે તેમને પણ વતન જવાની પરવાનગી મળી ગઈ છે. જેના કારણે કોસંબા ધામદોડ ચેકપોસ્ટ પાસે વાહનોની બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી.
સાઈબર ક્રાઈમમાં ફરિયાદ
સિંગણપોરના વંદન ભદાણીએ વી. ડી. ઝાલાવડિયા વિરુદ્ધ સાઇબર ક્રાઈમ સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યના લેટરના કારણે હજારો સૌરાષ્ટ્રવાસીઓ વતન તરફ જવા માટે હાઇવે તરફ ધસી જતાં પોલીસ અને સ્થાનિક તંત્રને હેરાનગતી થઈ હતી.
લોકોએ જુદો અર્થ કાઢ્યો
કામરેજનાધારાસભ્યવી. ડી. ઝાલાવડિયાએ જણાવ્યું હતું કે, મારો અર્થ એ ન હતો કે સૌરાષ્ટ્ર કે મહારાષ્ટ્ર જવાની મંજૂરી મળી ગઈ. મે તો માત્ર રૂટ લખેલા છે. જેમાં મહારાષ્ટ્ર,અમદાવાદ કે સૌરાષ્ટ્ર તરફ જવાના રૂટ પરના ચેકપોસ્ટ એમ લખ્યું છે. એનો અર્થ એ નથી થતો કે મંજૂરી મળી ગઈ. લોકોએ જુદો અર્થ કાઢી લીધો.
સમજાવી પરત મોકલાયા
કામરેજનાડીવાયએસપીસી.કે.જાડેજાએ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જવા માટે પરપ્રાંતીયોને મંજૂરી અપાઈ છે. સૌરાષ્ટ્રવાસીઓને કોઈ મંજૂરી મળી નથી,જેથી તમામને સમજાવીને ધામડોદ પોલીસ ચોકીથી પરત રવાના કરાતા પરિસ્થિતી સામાન્ય થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મોડી રાત્રે સુરતથી વતન જવા સૌરાષ્ટ્રવાસીઓએ ધામડોદ ચેકપોસ્ટ પર ભીડ કરી હતી. કોસંબા હાઇવે પર વાહનોની બે કિમી લાંબી કતાર.


from Divya Bhaskar https://ift.tt/2yfkJLs

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

દુનિયામાં 32 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત તથા 2.23 લાખથી વધુ લોકો મૃત્યુ પામવા છતાં 32 દેશ એવા છે જ્યાં કોરોના વાઈરસ પ્રવેશી શક્યો જ નથી. ત્યાં કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી. જોકે ઉ.કોરિયા પર શંકા હોઈ શકે. 29 એપ્રિલ સુધીની સ્થિતિમાં 247 દેશોમાંથી 215માં કોરોના ફેલાઈ ચૂક્યો હતો. તાજેતરનું નામ તાઝાકિસ્તાનનું છે જ્યાં ગુરુવારે પ્રથમ કેસ સામે આવ્યો હતો.
5 ક્ષેત્રોના આ દેશોમાં એક પણ કેસ નહીં
એશિયા :
ઉત્તર કોરિયા, તુર્કમેનિસ્તાન.
યુરોપ : એલાન્ડ, સ્વાલબાર્ડ એન્ડ જેન મેયન આઈલેન્ડ.
લેટિન અમેરિકા : બાઉવેટ આઈલેન્ડ, સાઉથ જ્યોર્જિયા એન્ડ સાઉથ સેન્ડવિચ આઇલેન્ડ
આફ્રિકા : કોમોરોસ, લીસોથો, સેન્ટ હેલેના, બ્રિટિશ-ઈન્ડિયન ઓશિયન ટેરીટરી, ફ્રેન્ચ ટેરીટરી.
ઓશિનિયા : કિરિબાતી, નોરુ, પલાઉ, સમોઆ, સોલોમન આઇલેન્ડ, તોકલાઉ, અમેરિકન સમોઆ, ક્રિસમસ આઈલેન્ડ, કોકોસ આઈલેન્ડ, ટોંગા, તુવાલુ, વનુઆતુ, નિયુ, યુએસ માઈનર આઉટલાઈન આઇલેન્ડ, કુક આઈલેન્ડ, હર્ટ એન્ડ મેક્ડોનાલ્ડ આઇલેન્ડ, વોલિસ એન્ડ ફ્યૂટુના, માર્શલ આઈલેન્ડ, પિટકેયર્ન, માઈક્રોનેશિયા, નોર્ફોલ્ક આઈલેન્ડ.
આ 5 દેશોએ ચેપને સંપૂર્ણપણે ખતમ કર્યો
અંગુલા, ગ્રીનલેન્ડ, કેરેબિયન આઈલેન્ડ, સેન્ટ બાર્ટ્સ એન્ડ સેન્ટ લુસિયા તથા યમન.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
32 lakh corona infected people in the world but no case in 32 countries


from Divya Bhaskar https://ift.tt/2zGXBWp

નોકરી જતી રહેતા એક લાખ NRIએ કેરળ પરત ફરવા નોંધણી કરાવી 

કેરળના મુખ્યમંત્રી પી. વિજયને મીડિયાને કહ્યું છે કે 4 દિવસમાં 3 લાખથી વધુ એનઆરઆઇએ કેરળ પરત ફરવા રાજ્ય સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી એક લાખે પાછા ફરવાનું કારણ નોકરી ગુમાવી હોવાનું જણાવ્યું છે. અન્ય લોકોએ વિઝા પૂરા થવા, જેલમુક્તિ, વાર્ષિક રજાઓ જેવાં કારણ આપ્યાં છે. રજિસ્ટ્રેશન કરાવનારાઓમાં 9561 બાળકો અને 9515 સગર્ભાઓ છે. રાજ્ય સરકારે મૂળ કેરળના હોય તેવા એનઆરઆઇ માટે અલગ વિભાગ બનાવ્યો છે, જેના પોર્ટલ પર એનઆરઆઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. દરમિયાન, તેલંગાણાના મંત્રી ટી. એસ. યાદવે કહ્યું કે વિવિધ રાજ્યોમાં 2 કરોડથી વધુ લોકો ફસાયા છે. તેમની વાપસી માટે કેન્દ્રની ગાઇડલાઇન્સ ચોક્કસ નથી. તેઓ આટલી ગરમીમાં 3-4 દિવસની મુસાફરી કેવી રીતે કરી શકશે? તેમને બસોમાં તેમના ઘરે ન મોકલી શકાય. સરકારે ટ્રેનો દોડાવવી જોઇએ.
યુપીમાં શંકાસ્પદોને ક્વોરેન્ટાઇન માટે લઇ જતી ટીમ પર હુમલો
ઉત્તરપ્રદેશના કાનપુરમાં કોરોનાના શંકાસ્પદોને ક્વોરેન્ટાઇન માટે લઇ જતી પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો.
સખત લૉકડાઉન ખતમ થતાં જ કોઇમ્બતુરમાં ભીડ
તમિલનાડુના કોઇમ્બતુરમાં ગુરુવારે સખત લૉકડાઉન ખતમ થયું. ત્યાર બાદ રસ્તા પર વાહનો, લોકોની ભીડ ઊમટી. સરકારે જાહેર કર્યું હતું કે જીવનજરૂરી વસ્તુઓ માટે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખૂલશે. સેંકડો લોકો ખરીદી કરવા નીકળી પડ્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3aRlIyO

કોરોનાએ ગુજરાતના કરોડ ગામ અને મહારાષ્ટ્રના મરોડ ગામ વચ્ચે 60 વર્ષ બાદ ફરી ખેંચી દીધી છે લક્ષ્મણ રેખા

આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ છે. હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ભાસ્કરે 2 રાજ્યના સરહદે આવેલા 2 ગામોની મુલાકાત લીધી હતી. કોરોના વાયરસની મહામારીએ 60 વર્ષ પછી ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના આ 2 ગામોને અલગ કર્યા છે. મહારાષ્ટ્રના મરોડ ગામના અંદાજિત 50 જેટલા પશુ પાલકો દૂધ ભરવા માટે નેસુ નદી પાર કરી ગુજરાતના કરોડ ગામે આવતા હતા. પરંતુ કોરોનાને કારણે સરહદના બંને ગામને જોડતો કડીરૂપ રસ્તો વહીવટી તંત્રએ બંધ કરી વચ્ચે લક્ષ્મણ રેખા ખેંચી દેવાતા વર્ષો જુનો વાટકી વ્યવહાર બંધ થયો છે. બંને રાજ્યની સ્થાપનાને 60 વર્ષ પુરા થવા આવ્યા છે. ત્યારે કોરોના વાયરસે ફરી એક વાર બંને ગામો વચ્ચે સોસશયલ ડિસ્ટન્સની જરૂરિયાત ઊભી થઇ છે. લોકડાઉનના અમલ માટે કરોડ ગામ તરફ ગુજરાત પોલીસના જવાનો અને મરોડ ગામ તરફ મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ફરજ પર હાજર છે.
બંને ગામ સામાજિક રીતે જોડાયેલા
કરોડ ગામ જનસંખ્યા 5000 જેટલી છે, અને ગામમાં 01 પીએચસી કેન્દ્ર, 03 શાળા અને આશ્રમશાળાઓ આવેલ છે. મરોડ ગામની જનસંખ્યા માત્ર 800 જેટલી છે, અને ગામમાં માત્ર 1 જ વર્ગશાળા કાર્યરત છે. બંને ગામોમાં લગભગ 95 % થી વધુ આદિવાસી સમાજની વસતિ છે. સામાજિક રૂપે એકબીજા સાથે જોડાયેલા છે.
આરોગ્ય માટે ગુજરાત પર નિર્ભર
હાલની સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધતા ઘણી અગત્યની ગણાય છે. ત્યારે આમ દિવસોમાં મરોડના લોકો સારવાર માટે ગુજરાતના કરોડ ગામની પીએચસી પર આવતા હોય છે. જયારે હવે 5 કિમિ દૂર આવેલ મહારાષ્ટ્રના ડોગેગાવ સુધી દોડવું પડી રહ્યું છે.
શિક્ષણમાં ગુજરાતનું ગામ આગળ
લોકડાઉનની સ્થિતિમાં મરોડ ગામના 35 જેટલા પરિવારોના રેશનકાર્ડનો કલર બદલાતા એમને પૂરતું અનાજ મળ્યું નથી. જયારે ગુજરાતમાં સ્થિતિ ઠીક ઠાક છે. શિક્ષણની દ્રષ્ટિએ પણ મરોડ ગામના પ્રમાણમાં કરોડ ગામે પૂરતી શાળાઓ આવેલ છે. અને આર્થિકરૂપે પણ કરોડ ગામ સમૃદ્ધ જોવા મળ્યું હતું. બંને ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાતના કરોડ ગામ અને મહારાષ્ટ્રના મરોડ ગામમાં લોકડાઉનના પાલન માટે હદ દોરાઇ.


from Divya Bhaskar https://ift.tt/3bUQJTw

રિશી કપૂર પિતા રાજ કપૂરને ‘સર’ કહેતા હતા, પગે લાગવાનું તો માત્ર રિશી જ કરતા હતા: ડૉ. ઓ.પી.કપૂર

કપૂર ખાનદાનની ચાર પેઢીથી સારવાર કરી રહેલા 92 વર્ષના ડૉ. ઓ.પી.કપૂરના જણાવ્યા અનુસાર ‘મેં કપૂર ખાનદાનમાં ત્રણ પેઢીઓનાં મોત જોઈ લીધાં છે, હું 92 વર્ષની વયે આ બધુ જોવા શા માટે જીવિત છું ? પાંચ વર્ષ પહેલા જ્યારે રિશી લીવરનો રિપોર્ટ લઈને આવ્યા ત્યારે બહુ ગભરાયેલા હતા. કહેવા લાગ્યા- અંકલ, ડૉક્ટર કહી રહ્યા છે કે લીવર ખતમ થઈ ગયું છે. હું તેમને થાણે લઈ ગયો. ત્યાં લીવર ટેસ્ટિંગની એડવાન્સ ટેકનોલોજી હતી. ટેસ્ટ થયા પણ એવી કોઈ વાત નહોતી. રિશી ખુશ થયા અને મને જોરથી ભેટી પડ્યા. મેં કહ્યું- રિશી ઓછું પીઓ, ઓછું ખાઓ, ફેટ ઓછું કરો. પણ પીવાનું અને પંજાબી ભોજન કપૂર ખાનદાનની નબળાઈ રહી છે. રિશી તો હદ કરતાં હતા. જોકે રાજ કપૂર અને શમ્મી પણ એવા જ હતા. તેમને આલુ પરાઠા, કોબી પરાઠા, બટર ચિકન, તંદુરી ચિકન, દારૂ જોઈએ જ.
મેં પૃથ્વી રાજ કપૂરની પણ સારવાર કરી છે
રિશી રેગ્યુલર જીમ જતા હતા, તો પણ...! રિશી હંમેશા સારા વ્યવહાર માટે યાદ રહેશે. કપૂર ખાનદાનમાં અત્યારે માત્ર રિશી જ એવા હતા કે જેઓ વધુ શિસ્તબદ્ધ હતા. તેઓ જ્યારે પણ મળતા હતા ત્યારે પગે પડી પેરી પૌના બોલતા હતા. ઘણાં વર્ષ પહેલાં તેમને પોતાના કેટલાક રિપોર્ટ્સ બતાવવા હતા તો મેં તેમને રોયલ વેલિંગ્ટન સ્પોર્ટ્સ કલબ બોલાવ્યા. હું મીટિંગમાં હતો, રિશી ધડાક દઈને અંદર આવી પગે પડી જોરથી બોલી પડ્યા- પેરી પૌના અંકલ... ત્યાં જે પ્રકારના લોકો હતા એ બધા આ જોઈને હેરાન થઈ ગયા. આજકાલ તો લોકો બસ થોડીક કમર ઝુકાવે છે. પગે પડવાનું તો રિશી જ કરતા હતા. રિશી પિતા રાજ કપૂરને સર કહેતા હતા. મેં ક્યારેય પપ્પા કહેતા સાંભળ્યા નથી. મેં પૃથ્વી રાજ કપૂરની પણ સારવાર કરી છે. જ્યારે પૃથ્વીરાજને જણાવાયું કે તમને કેન્સર છે તો તેમના ચહેરા પર બિલકુલ નિરાશાની એક રેખા પણ જોવા મળી નહીં. પૂછવા લાગ્યા- હું મરી જઈશ? મેં કહ્યું- હમણાં નહીં. પછી કહેવા લાગ્યા- મારા કારણે કોઈ પ્રોડ્યુસર મરવો જોઈએ નહીં. ત્યારે તેઓ 17 ફિલ્મ કરી રહ્યા હતા. એક-એક કરીને તમામ ફિલ્મ પૂરી કરી. ત્યાર પછી રિતુ કેન્સરને કારણે દુનિયા છોડી ગઈ. હવે રિશીને પણ આ બીમારી ભરખી ગઈ.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rishi Kapoor was called his father Raj Kapoor 'Sir', only Rishi used to touch my feet: Dr. O.P. Kapoor


from Divya Bhaskar https://ift.tt/3c4WCgY

ગુજરાત સ્થાપના દિવસે ટોરન્ટના સમીર મહેતા અને ઝાયડસ કેડિલાના પંકજ પટેલના મનની વાત

અતિવૃષ્ટિ હોય કે ભૂકંપ. કોઈ પણ આપત્તિ સામે જુસ્સાથી લડવાનો અને પાર ઉતરવાનો ગુજરાતનો ઈતિહાસ છે. કોવિદ-19 સામે ગુજરાતના કર્મવીરો કોરોના વોરિયર બનીને ઝઝૂમી રહ્યાં છે. એક એક ગુજરાતી આજે એક આખા ગુજરાત જેટલી તાકાત ધરાવે છે.

કોરોના વોરિયરની ફરજનિષ્ઠા ગુજરાતને બેઠું કરશે
ટોરન્ટના ચેરમેન સમીર મેહતાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતા સ્થળ-કાળથી પરે છે. આ ગુર્જર ધરા અને ગુજરાતીઓને શબ્દોમાં બાંધવા કરતાં કોરોના વાઇરસને હરાવવો કદાચ સહેલો છે. આદિપુરુષ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણથી લઈને આ ઘડીએ જન્મ લઈ રહેલા નવજાત શિશુ સુધી, પ્રત્યેક ગુજરાતી આ ધરતી પર અમીટ છાપ છોડી જાય છે. ગુજરાત ગાંધીજી, સરદાર પટેલ અને રવિશંકર મહારાજ જેવા અનેક મહાનાયકોની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. માત્ર ઉદ્યમશીલતા જ નહીં, પૂરી દુનિયામાં દુર્લભ એવી ખુમારી પણ ગુજરાતનો વારસો છે. આજે સમસ્ત વિશ્વ કોરોનાની મહામારીથી ઘેરાયું છે, ત્યારે ગુજરાતના કર્મવીરો હવે કોરોના વોરિયર્સ બનીને ઝઝૂમી રહ્યાં છે. તેમની સેવાપરાયણતા અને ફરજનિષ્ઠાને કોટિકોટિ વંદન. ટોરન્ટ પરિવાર પણ આ પડકાર ઝીલવામાં યથાશક્તિ યોગદાન આપી રહ્યો છે. એક જવાબદાર નાગરિક અને શિસ્તબદ્ધ સમાજ તરીકે આપણે સૌ સાથે મળી, કોરોનાનો સામનો કરીને વિશ્વ સમક્ષ એક ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડીએ.
પડકારને પરાસ્ત કરે એવા પ્રતિભાવંત ગુજરાતીઓ
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, આપત્તિઓ, પડકારો અને અડચણો વચ્ચેથી પણ સાહજિકતાથી યોગ્ય માર્ગ અને ઉકેલ શોધવાનું ખમીર ધરાવતા ગુજરાતીઓ કોવિડ-19 મહામારી સામે પણ એજ જોશ અને જુસ્સાથી લડી રહ્યા છે. ગુજરાત અતિવૃષ્ટિ, કોમી વૈમનસ્ય, ભૂકંપ સહિતની આપત્તિઓ સામે જુસ્સા સાથે લડવાનો જ નહીં પાર ઉતરવાનો ઇતિહાસ ધરાવે છે. ગુજરાત ક્યારેય હાર્યું નથી અને દુનિયા ફરી જોશે કે કેવી રીતે ગુજરાતીઓ ફરીવાર આફતને અવસરમાં બદલી નાખશે. આ આપત્તિમાં ડોક્ટર્સ, નર્સિસ, પોલીસ, મિડિયા, ફાર્માસિસ્ટ્સ, સંશોધકો અને ફાર્મા કંપનીઓ અન્ન, વસ્ત્ર અને છત્રથી માંડીને તમામ સહાય સાથે પ્રત્યેક સેવા યજ્ઞમાં યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. પડકારને પણ પડકારીને પરાસ્ત કરી શકે તેવી ખમીરવંતી ગુજરાતી પ્રજાના સેવાયજ્ઞને જોતાં આત્મ વિશ્વાસ જાગે છે કે, ગુજરાત અને ગુજરાતીઓ કોવિડ-19ને સહેલાઇથી અને ટૂંક સમયમાં નાથી શકશે. જય જય ગરવી ગુજરાત!



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટોરન્ટના ચેરમેન સમીર મેહતા અને ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ.


from Divya Bhaskar https://ift.tt/2Yqnzb5

શહીદોની ખાંભી મૂકવા માટે 226 દિવસ સુધી ચાલ્યો હતો ‘ખાંભી સત્યાગ્રહ’

1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ. આજે 1લીમે ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે 1956માં લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક ગોળીબાર શરુ થયો. જેના કારણે આ આંદોલન લોહીયાળ બન્યું આ ઘટનામાં શહીદ થયેલા યુવાનોની યાદીમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ સ્મારક એટલે કે ખાંભી બનાવવા માટે 1958માં 226 દિવસ લાંબો ‘ખાંભી સત્યાગ્રહ’ ચાલ્યો હતો. આ અંગે ઈતિહાસવિદ્ અને ભો.જે વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાએ સિટી ભાસ્કરને આ વિશે જણાવ્યું હતુ.
ખાંભી સત્યાગ્રહના બીજ કેવી રીતે રોપાયા
પૂર્વ નિયામક ભો.જે વિદ્યાભવન રામજી સાવલિયાના જણાવ્યા અનુસાર 1956માં ગુજરાત રાજ્યની માંગણી સાથે અમદાવાદના તત્કાલીન કોંગ્રેસ ભવન પાસે પહોંચેલા કેટલાંક વિદ્યાર્થીઓ પોતાની વાત શાંતિમય રીતે રજૂ કરી રહ્યાં હતા. તેવા જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. વિદ્યાર્થીઓ કશું સમજે તે પહેલા જ બનાસકાંઠાના પૂનમચંદ નામના યુવાનને માથામાં ગોળી વાગતા તે મૃત્યુ પામે છે. પૂનમચંદ સાથે ગોળીબારમાં સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી કૌશિક ઈન્દુલાલ વ્યાસ, ઠાકર્સ હાઈસ્કૂલમા ભણતો વિદ્યાર્થી સુરેશ જયશંકર ભટ્ટ અને મુસ્લિમ યુવાન અબ્દુલ પીરભાઈને પણ ગોળી વાગતા તમામ શહીદ થાય છે અને તેમની યાદમાં શહીદ સ્મારક બનાવવાની વાત ચાલે છે.
1958માં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત થતાં પોલીસ એક્શનમાં આવી
1956માં શહીદ થયેલા વિદ્યાર્થીઓની યાદમાં શહીદ સ્મારકની રચના કરવાની જાહેરાત શહેર જનતા પરિષદના મંત્રી કિલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ કઈંક અજુગતુ ના બને તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ. 8મી ઓગસ્ટ 1958માં ઇન્દુલાલ યાજ્ઞિકે એક ખાંભી મૂકી શહીદ સ્મારકની સ્થાપના કરી, અને લાલ દરવાજા ખાતે એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ શહીદ સ્મારક તરીકે મૂકાયેલી ખાંભીને પોલીસ ઉપાડીને ના લઈ જાય તે માટે સ્વયં સેવકો ખાંભીના સ્થળે 24 કલાક ચોકીદારી કરતા હતા.
તેમ છતાં 12 ઓગસ્ટ 1958માં વહેલી સવારે પોલીસ આ ખાંભી અને તેની ચોકીદારી કરી રહેલા સ્વયં સેવકોને ઉપાડી પૂરી દે છે. વહેલી સવારે બનેલી આ ઘટનાના પડઘા થોડીવારમાં સંભળાવવા લાગ્યા અને શહેરમાં તોફાનો થતાં બપોરે કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો. તે પછી સ્મારકના સ્થળે કોઈપણ વ્યક્તિની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં દરરોજ માણેકચોકથી વિદ્યાર્થીઓની ટોળકી સ્મારક પર ફરી ખાંભી લગાવવા જતી અને ધરપકડનો ભોગ બનતી એમ કરીને કુલ 226 દિવસ સુધી આ સંઘર્ષ ચાલ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીરમાં ઈન્દુલાલ યાજ્ઞિક અમદાવાદમાં તત્કાલીન કોંગ્રેસભવન સામે યુવાનો શહીદ થયાં ત્યાં પુષ્પાંજલિ આપે છે.


from Divya Bhaskar https://ift.tt/3cVYSr8

Migrant worker hoping to go home-state Bihar on bicycle finds hurdle at Haryana border

Migrant worker hoping to go home-state Bihar on bicycle finds hurdle at Haryana border




from News - Videos - The Times of India https://ift.tt/2YkhUmY

Lockdown: People welcome police flag march with colourful rangoli in Indore

Lockdown: People welcome police flag march with colourful rangoli in Indore




from News - Videos - The Times of India https://ift.tt/3d4RUQK

Covid-19 lockdown: Delhi cops can't enter Haryana anymore, here's why

Covid-19 lockdown: Delhi cops can't enter Haryana anymore, here's why

from India Today | Top Stories https://ift.tt/35inEiA

417 new cases take Mumbai's Covid-19 count to 6,875, 20 die

417 new cases take Mumbai's Covid-19 count to 6,875, 20 die

from India Today | Top Stories https://ift.tt/3bTJBac

Covid-19 in Delhi: Infection spike in Azadpur Mandi becomes big concern

Covid-19 in Delhi: Infection spike in Azadpur Mandi becomes big concern

from India Today | Top Stories https://ift.tt/3f8w7JG

Covid-19: Amid layoffs, Congress wants US-like paycheck package

Covid-19: Amid layoffs, Congress wants US-like paycheck package

from India Today | Top Stories https://ift.tt/2WiMcUo

Wednesday, April 29, 2020

Man travels 3,000 km to bring back body of friend to Mizoram after his death in Chennai

Man travels 3,000 km to bring back body of friend to Mizoram after his death in Chennai

from India Today | Top Stories https://ift.tt/2WfjOT6

Coronavirus | Nearly half of global workforce at risk of losing livelihoods: International Labour Organization

Coronavirus | Nearly half of global workforce at risk of losing livelihoods: International Labour Organization

from India Today | Top Stories https://ift.tt/2z0o3dd

No new Covid-19 cases from most Delhi hotspots in last few days

No new Covid-19 cases from most Delhi hotspots in last few days

from India Today | Top Stories https://ift.tt/3bKRWwN

4 Karnataka ministers quarantined after contact with Covid-19 patient, 2 of them violate norms

4 Karnataka ministers quarantined after contact with Covid-19 patient, 2 of them violate norms

from India Today | Top Stories https://ift.tt/35iQVcW

Delhi govt, MCD clash over funds for virus warriors

Delhi govt, MCD clash over funds for virus warriors

from India Today | Top Stories https://ift.tt/2KIiDq0

Stay and Play at Home with Popular Past Google Doodles: Rockmore (2016)

Stay and Play at Home with Popular Past Google Doodles: Rockmore (2016)




from News - Videos - The Times of India https://ift.tt/2YgVJhl

COVID-19: Auto drivers stage protest, demand lockdown compensation in Bhubaneswar

COVID-19: Auto drivers stage protest, demand lockdown compensation in Bhubaneswar




from News - Videos - The Times of India https://ift.tt/3f5Zdcr

COVID-19 crisis: How bio-medical waste collectors fight the war in Bhubaneswar

COVID-19 crisis: How bio-medical waste collectors fight the war in Bhubaneswar




from News - Videos - The Times of India https://ift.tt/2WcooBK

દેશનાં 4 સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત અને ત્રણ પડોશી રાજ્ય, 75% મૃત્યુ અને 18000 કેસ અહીં નોંધાયાં

ગુજરાતની સીમાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલી છે. ચોંકાવનારી વાત એ છે કે દેશના ચાર સૌથી સંક્રમિત રાજ્યો પણ આ જ છે. જેમાં મહારાષ્ટ્ર 9,915 પોઝિટિવ કેસો સાથે પહેલા નંબરે છે, જ્યારે ગુજરાત 4,082 કેસ સાથે બીજા નંબરે છે. અન્ય બે સરહદી રાજ્ય મધ્યપ્રદેશ (2,560) અને રાજસ્થાન (2,438) છે. આ ચાર રાજ્યોમાં જ 18 હજારથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જે સમગ્ર દેશના કુલ 32 હજાર કેસોની તુલનામાં 56.25 % છે. માત્ર પોઝિટિવ કેસ જ નહીં પણ મૃત્યુંની બાબતમાં પણ આ ચાર રાજ્ય સૌથી સંવેદનશીલ છે.
કોરોના વિરુદ્ધની લડાઈ જીતવા 15 જિલ્લામાં વાઇરસ પર નિયંત્રણ મેળવવું પડશે
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 432 મૃત્યું થયાં છે. જ્યારે ગુજરાતમાં 197, મધ્ય પ્રદેશમાં 130 અને રાજસ્થાનમાં 55 મોત થયા છે. એટલે કે દેશભરમાં બુધવારે થયેલા 1077 માંથી 814 મૃત્યુ માત્ર આ ચાર રાજ્યોમાં જ નોંધાયા છે. જે અંદાજે 81.4 % છે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે દેશમાં જો કોરોના વિરુદ્ધની લડાઈ જીતવી હોય તો 15 જિલ્લામાં વાઇરસ પર નિયંત્રણ મેળવવું પડશે. કારણ કે સંક્રમણનો સૌથી વધુ દર આ 15 જિલ્લામાં જ છે. આ 15માંથી સૌથી વધુ 3 જિલ્લા ગુજરાતના, રાજસ્થાનના 2 જિલ્લા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 2-2 જિલ્લા છે.
દેશભરમાં કુલ પોઝિટિવ કેસોમાં મહારાષ્ટ્રના 15.85%, ગુજરાતના 12.72% કેસ
કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15.85%, ગુજરાતનો 12.72% અને દિલ્હીનો 12.62% છે. સૌથી વધુ કેસ 3 શહેરોમાં છે. મુંબઈમાં 11.62 %, અમદાવાદમાં 9.43%, દિલ્હીમાં 12.62 % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો 5.87 % અને રાજસ્થાનનો 5.07 % છે.
ગુજરાતના 66% કેસ અમદાવાદમાં, મપ્રના 49.57% કેસ માત્ર ઇન્દોરમાં
રાજ્યમાં શહેરોના કેસોની વાત કરીએ તો પહેલા નંબરે અમદાવાદ છે. ગુજરાતના કુલ કેસોમાં 66% માત્ર અમદાવાદમાં મળ્યા છે. તેલંગાણાના હૈદરાબાદમાં 55.64 % કેસ છે. મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં રાજ્યના 49.57 % કેસ છે.

સૌથી સંક્રમિત ચાર રાજ્યો

રાજ્ય કેસ મૃત્યુ
ગુજરાત 4082 197
રાજસ્થાન 2438 55
મહારાષ્ટ્ર 9915 432
મધ્ય પ્રદેશ 2560 130

દેશના હાઇ રિસ્ક જિલ્લા

જિલ્લા કેસ મૃત્યુ
અમદાવાદ 2777 137
હૈદરાબાદ 548 18
પૂણે 1174 82
જયપુર 867 27
ઇન્દોર 1476 65
દિલ્હી 3314 54

મધ્યમ રિસ્ક ધરાવતા 8 જિલ્લા

જિલ્લા કેસ મૃત્યુ
વડોદરા 270 17
કર્નુલ 343 09
ભોપાલ 483 14
જોધપુર 401 06
આગ્રા 401 12
થાણે 824 14
ચેન્નાઈ 772 14
સુરત 601 22

દેશમાં હૉટસ્પોટ જિલ્લા 15 દિવસ પહેલા 170 હતા જે ઘટીને 129 થયા છે. કોરોનામુક્ત જિલ્લા 325થી ઘટીને 307 થયાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારતના સૌથી વધુ કોરોના સંક્રમિત રાજ્યો.


from Divya Bhaskar https://ift.tt/2SAN8CP

H-1બી વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ સ્પેશિયલાઈઝ્ડ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે. તેનાથી વધુ દિવસ રહેવા ઊંચી રકમ ચૂકવવી પડે છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે.
એચ-1બી વિઝાધારકો માટે 10 સપ્ટેમ્બર સુધી રાહત આપવાની માંગ
કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે, જ્યારે અનેકની નોકરીઓ પણ જતી રહી છે. અમેરિકન થિંક ટેન્ક નિસ્કેનેને સેન્ટરમાં ઈમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેર્મે ન્યૂફેલ્ડના કહેવા પ્રમાણે, અમેરિકામાં બે લાખથી વધુ એચ-1બી વિઝાધારકો જૂન સુધી કાયદેસરના અધિકારો ખોઈ દેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ હોવાથી તેઓ ભારત પણ નહીં જઈ શકે. એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોપ્ટ જેવી ટેક કંપનીઓ તરફથી ટેકનેટ નામના લોબી ગ્રૂપે 17 એપ્રિલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખીને એચ-1બી વિઝાધારકો માટે 10 સપ્ટેમ્બર સુધી રાહત આપવાની માંગ કરી હતી. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેનો જવાબ આપવાની પણ તસદી લીધી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2YplyvE

ધોરણ 10 અને 12ના બાકીના 29 વિષયની પરીક્ષા તો યોજાશે જ : CBSE 

CBSEએ કહ્યું છે કે લૉકડાઉનના કારણે અધવચ્ચે સ્થગિત થઈ જવાને કારણે 10મા અને 12માના જે વિષયોની પરીક્ષાઓ ન લેવાઈ શકી તેને હાલ રદ કરવામાં આવી નથી. સીબીએસઈએ બુધવારે કહ્યું કે બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય 1 એપ્રિલે લેવાયો હતો અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાકીના તમામ 29 વિષયોની પરીક્ષાઓનું આયોજન કરાશે.

સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 1 એપ્રિલના સર્ક્યુલર અનુસાર 12માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે. પરીક્ષાનું આયોજન ક્યારે થશે તેની માહિતી 10 દિવસ પહેલાં અપાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2VO0KML

વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી પિતા બન્યા 

બ્રિટનના પીએમ બોરિસ જોન્સન 55 વર્ષે ફરી પિતા બન્યા. તેમની ફિયાન્સી 32 વર્ષીય કેરી સાયમન્ડે પુત્રને જન્મ આપ્યો છે. માતા-પુત્ર બંને સ્વસ્થ છે. કોરોનાથી સાજા થઈ બોરિસ સોમવારે જ હાજર થયા હતા. બોરિસને પ્રથમ પત્નીથી 4 બાળક છે. 2018માં તેમના છૂટાછેડા થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બોરિસ જોન્સન અને કેરી સાયમન્ડની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3cV9HcM

અમેરિકાના અર્થતંત્રને ફટકો, જાન્યુઆરી-માર્ચમાં GDP ગ્રોથ -4.8%

કોરોના મહામારીના સંકટની અસર હવે દુનિયાભરમાં દેખાવા લાગી છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ ઘટીને નેગેટિવ થઇ ગયો છે. અર્થશાસ્ત્રીઓ અમેરિકાનો જીડીપી ગ્રોથ -3.8 ટકા રહેવાનું અનુમાન કરતા હતા પણ તે -4.8 ટકા થઇ ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેના પગલે આર્થિક મંદીની આશંકા ઘેરી બની છે. એપ્રિલથી જૂનના ગાળાના આંકડા વધુ ખરાબ હોઇ શકે છે, કેમ કે એપ્રિલથી દુનિયાભરમાં લૉકડાઉન છે અને આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં જીડીપી 2.1 ટકા હતો
બુધવારે જારી સરકારી આંકડા મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં જીડીપી ગ્રોથ રેટ -4.8 ટકા રહ્યો છે તે અમેરિકી અર્થતંત્ર પર કોરોના સંકટની અસર દર્શાવે છે. તેની અગાઉના એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ 2.1 ટકા જ્યારે વર્ષ 2019ના માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં 3.1 ટકા હતો. આ અગાઉ 2014ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ -1.1 ટકા જ્યારે 2008ની વૈશ્વિક મંદી દરમિયાન ચોથા ત્રિમાસિક ગાળામાં -8.4 ટકા રહ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3d4tsyV

લૉકડાઉન ખુલ્યા બાદ 46% લોકો ભીડમાં નહીં જાય, 51%ને હેલ્થકેર સુધરવાની આશા

કોરોના સંકટને કારણે લૉકડાઉન હોવાથી દુનિયામાં આશરે 400 કરોડ લોકો પોતાનાં ઘરોમાં કેદ છે. અત્યાર સુધી કોરોનાના 31 લાખથી વધુ દર્દી સામે આવ્યા અને બે લાખથી વધુ દર્દી મૃત્યુ પામ્યા હોવા છતાં તેની કોઈ વેક્સિન કે સારવાર મળી શકી નથી. એવામાં લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખૂલશે તે અંગે અનેક આશંકાઓ છે.

એવામાં ગ્લોબલ ડેટા એજન્સી સ્ટેટિસ્ટાએ કોવિડ-19 બેરોમીટર જાહેર કર્યું છે. તેના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે કોરોના સંકટ પછી આપણા જીવન પર શું અસર થશે? રોજિંદા જીવનમાં કયાં કયાં પરિવર્તન આવશે? તેમાં 49 ટકા લોકોએ કહ્યું કે તે ભીડવાળી જગ્યાઓ પણ નહીં જાય, જોકે 51 ટકાએ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ મુજબ આ બેરોમીટર અમેરિકાને ધ્યાનમાં રાખી બનાવાયું છે પણ તેને વૈશ્વિક સ્તરે લાગુ કરી શકાય છે.
10માંથી 6એ કહ્યું કે આગામી કોઈ સંકટનો સામનો કરવા દુનિયાની તૈયારી શ્રેષ્ઠ હશે

કોરોના પછી શું થશે બેરોમીટર સ્કોર
દુનિયાની તૈયારીઓ સારી હશે 60.1%
હેલ્થકેરમાં સુધારો 51.4%
ભીડવાળી જગ્યાએ નહીં જાય 46.2%
માસ્ક વિના બહાર નહીં જાય 44.9%
વર્ક ફ્રોમ હોમ વધશે 39%
નાના કર્મચારીઓની સ્થિતિ સુધરશે 37.3%
વેલફેર સિસ્ટમ શ્રેષ્ઠ બનશે 36.5%
કર્ફ્યૂની સ્થિતિ બનતી રહેશે 9.6%
બધું પહેલાંની જેમ થઇ જશે 9.4%
સરકાર લોકોનું નિરીક્ષણ કરશે 6.8%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
46% of people do not go to the crowd, 51% hope to improve healthcare


from Divya Bhaskar https://ift.tt/3c1uHOY

એક યુદ્ધવિમાનને બદલે 3244 આઇસીયુ બેડ ખરીદી શકાય છે, જ્યારે એક સબમરીનના ખર્ચમાં 9180 એમ્બ્યુલન્સ ખરીદી શકાય: ગ્રીન પીસ

કોરોના સંકટ છતાં વિશ્વભરમાં હથિયારો પર ખર્ચ વધતો જઇ રહ્યો છે. આશરે તમામ દેશ સંરક્ષણ બજેટ વધારી રહ્યા છે. પરંતુ તેનો થોડો પણ ભાગ જો આરોગ્ય ક્ષેત્રે ખર્ચવામાં આવે તો મોટા પાયે સુધારો થઇ શકે છે. જેમ કે એક યુદ્ધવિમાનના બદલે 3244 આઇસીયુ બેડ લગાવી શકાય છે. સબમરીનના સ્થાને આધુનિક સુવિધાઓવાળી 9 હજારથી વધુ એમ્બ્યુલન્સ ખરીદી શકાય છે. આ તુલના ગ્રીનપીસના તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક મહિનામાં આપણને એ શીખવાડવામાં આવ્યું કે સૈન્યશક્તિ દ્વ્રારા સુરક્ષા મેળવી શકાય નહીં. કોવિડ-19ને કારણે અબજો લોકો લૉકડાઉનમાં ફસાયેલા છે. આપણે ભયાનક રીતે જોઇ રહ્યા છે કે વિશ્વભરમાં આરોગ્ય પ્રણાલીઓ પોતાની ક્ષમતાની ચમરસીમા સુધી પહોંચી રહી છે કે તેનાથી પણ આગળ જઇ રહી છે. ફ્રન્ટલાઇન પર તહેનાત કર્મચારી બહુ જ દબાણમાં છે. તેથી એ જોવું જરૂરી છે કે સંરક્ષણ ખર્ચમાં નજીવો ઘટાડો કરી આરોગ્ય ક્ષેત્રે કેવા મોટા સુધારા થઇ શકે છે.
નાના જહાજને બદલે 10,662 ડોક્ટરોને આખ વર્ષનો પગાર આપી શકીએ છીએ

હથિયાર કિંમત (રૂપિયામાં) શું થઇ શકે
એફ-35 જેટ 670 કરોડ 3244 આઇસીયુ બેડ
સબમરીન 21000 કરોડ 9180 એમ્બ્યુલન્સ
ટ્રાઇડન્ટ મિસાઇલ 228 કરોડ 17 કરોડ માસ્ક
લેપર્ડ ટેન્ક 76 કરોડ 440 વેન્ટિલેટર્સ
મલ્ટિપર્પઝ જહાજ 7000 કરોડ 10662 ડોક્ટર્સનો વાર્ષિક પગાર


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
3244 ICU beds can be purchased instead of one warplane, while 9180 ambulances can be purchased at the cost of one submarine: Greenpeace


from Divya Bhaskar https://ift.tt/2Shyq35

અમદાવાદમાં હવે રાત્રે સોસાયટીઓમાં ટોળે વળતાં લોકો પર નાઇટ વિઝન ડ્રોનથી નજર

અમદાવાદ શહેર પોલીસ અત્યાર સુધી દિવસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ કરતા લોકોની સામે પગલાં લેતી હતી, પણ હવે પોલીસ રાતના સમયે પણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને લૉકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. જેની શરૂઆત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાસુધીમાં ડ્રોન કેમેરાનો દિવસમાં જ ઉપયોગ થયો છે. હવે પોલીસે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મંગળવારે શાહપુર વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવેથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ પાસે અત્યારે 28 ડ્રોન કેમેરા છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 607 ગુના દાખલ કરી 1595 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ડ્રોનના માધ્યમથી 69 ગુના દાખલ કરી 92 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને પીસીઆર વાન દ્વારા પણ 75 ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસોને રી-યુઝ PPE કિટ અપાશે
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હવે ફેસ શિલ્ડ તેમજ રી-યુઝ પીપીઈ કિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમને કોરોનાથી રક્ષણ મળે. નોંધનીય છે કે, હાલના તબક્કે 41 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે 12થી વધુને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોટ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ શરૂ
કોરોના વાઇરસના હોટ સ્પોટ એવા કોટ વિસ્તારમાં હવે ઘોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગની શરૂઆત કરાઈ છે. જમાલપુર, દરિયાપુર,ખાડિયા, કાલુપુર અને શાહપુરમાં 22 ઘોડેસવાર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શહેરના કોટ વિસ્તારમાં મંગળવારે 12 ઘોડેસવાર પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જે વધારીને હવે 22 ઘોડેસવાર પોલીસ કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શહેરના તમામ વિસ્તારોમાં પણ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરાશે.


from Divya Bhaskar https://ift.tt/2yRhNVo

રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ 1 કપ તજનું પાણી પીવો, દ્રાક્ષ ખાઓ, 8 કલાકની ઊંઘ લો: ન્યુટ્રિશનિસ્ટ

કોરોના સામે લડવા રોગપ્રતિકારક શકિત વધારવા દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પ્લમોનરી રિહેબિલાઇઝેશન’ પર ડોકટરો ભાર મૂકી રહ્યા છે.
એપોલો હોસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડો. ઇસ્વાકી પટેલ જણાવે છે કે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ 1 કપ તજનું પાણી, દ્વાશ, કોબિજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ કરો. 8 કલાકની ઊંઘ લો, અને નિયમિત કસરત કરો.
અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજનાં ફોરેન્સિક વિભાગના વડા અને સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટડો. વાંચિની ભટ્ટ જણાવે છે કે, શરીરને ડિહાઇડ્રેડ થતું બચાવવા દરરોજ ચાર લિટર લિકવીડની સાથે બ્રેકફાસ્ટ,લંચ અને ડિનરને ત્રણને બદલે 6 ભાગમાં વહેચવું તેમજ ગુજરાણી ભાણાને પ્રાધાન્ય આપવું જોઇએ.
સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ જણાવે છે કે, કોરોનાનાં સંક્રમણમાં ‘પ્લમોનરી રિહેબિલાઇઝેશન’થી ફેફસાં અને ફેફસાની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. રોજ 4 લિટર પ્રવાહી લેવાથી ફેફસામાં જામેલો કપ નીકળી જાય છે.
રોગપ્રતિકારક શકિત વધારતો ખોરાક
રોજ ચાર લિટર લિક્વિડ, જેમાં દાળ‌, લીંબુ પાણી, જ્યૂસ, સૂપ, દૂધ, છાશ, દહીં, ચાહની સાથે ફાયબરયુકતસિઝનના શાકભાજી-ફ‌ળો અને શાકભાજી-ફળોની સ્મુધિ લઇ શકાય. ગરમીને લીધે પરસેવા દ્વારા શરીરમાંથી મિનરલ વિટામિન્સ ઘટે છે, જેથી પાણીમાં લીંબુ, ખાંડ કે મીઠું નાંખી પીવું. તુલસી-આદુ-ફુદીનાનો ઉકાળો, ગ્રીન ટી, હળદર-મીઠાનાં પાણીના કોગળા કરવા.
રોગપ્રતિકારક શક્તિ ઘટાડતાં ખોરાક
લૉકડાઉન ખૂલ્યા બાદ તરત તીખા-તળેલા અને ભારે ખોરાક તેમજ પિત્ઝા, બર્ગર જેવાં જંકફૂડ જેવા ભારે ખોરાક ઉપરાંત ઠંડા પીણા-આઇસ્ક્રીમ અને કેક-પેસ્ટ્રી જેવા કફ વધારતાં પદાર્થોથી પાચન શક્તિ મંદ પડતા ગેસ, એસિડિટી, અપચો થવાની સાથે ફેફસા પર વિપરીત અસર કરે છે, તેમજ તમાકુ- દારૂ સહિતનાં વ્યસનથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ybwnXG